buletin board

હું અહીં જુદા જુદા તાજેતરના વિષયો પર લેખ લખીશ અને પ્રેરણાદાયી વિડીયો મૂકીશ.

About Me

My photo
buletin board
View my complete profile

Monday, 15 June 2026

ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કોનસા જહા તુમ ચલે ગયે...

   When Dreams Die Young: The Crisis Killing Indian Students Abroad

ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કોનસા જહા તુમ ચલે ગયે..


હેડિંગ:  
         સોસિયલ મીડિયા પર વિદેશમાં ભણવા જવાની જાહેરાતોથી ભરમાઈને કે પછી કોઈ એજન્ટે દેખાડેલા સપનાથી ભ્રમિત થઈને જે માતા-પિતા પોતાના સંતાનોને વિદેશ અભ્યાસ માટે મોકલે છે, તેમણે પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ એ રસ્તે પોતાના સંતાનોને મોકલવા જોઈએ. અને સંતાનો ત્યાં જઈને પાછા આવવા માંગે તો વહેલી તકે તેઓને પાછા બોલાવી લેવા જોઈએ. 
 
 
 

 બોરસદથી ચાર વર્ષ પહેલા કેનેડા ભણવા ગયેલી 22 વર્ષની દીકરી વિધિ મેઘા નામની યુવતીનું કેનેડામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ બેરહેમીથી ખુન કરી નાખ્યું. આ દીકરી પોતાના કુટુંબને મદદ કરવા ત્યાં નોકરી પણ કરી રહી હતી. ફેબ્રુઆરી 2026 માં બેંગલુરુના યુવાન સાકેત શ્રીનિવાસૈયાએ મેન્ટલ સ્ટ્રેસસને લીધે કેલિફોર્નિયામાં આપઘાત કરી લીધો. એવી જ રીતે મે-2026 માં આંધ્રપ્રદેશના ના એક યુવાને અમેરિકામાં રોજગારી ના મળવાને લીધે આપઘાત કરી લીધો. ગયા વર્ષે કેનેડામાં ફૂડ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરતા 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગુરવિંદર નાથનું મોત નીપજ્યા બાદ, તેની માતા નરિન્દર દેવીએ મોતને વહાલું કરી લીધું ,તેના પિતા, કૃષ્ણ દેવ, પોતાના પુત્રને વિદેશ મોકલવા બદલ ભારે અફસોસ સાથે જીવી રહ્યા છે. તેમણે એક ન્યૂઝ ચેનલને મુલાકાત આપતી વખતે કહ્યું કે, “મને લાગ્યું કે જો તે કેનેડાથી અભ્યાસ કરશે તો તેનું જીવન સારું રહેશે. હવે, મને મારા પુત્રને કેનેડા મોકલવાનો અફસોસ છે,” કોઈ નાઈટ-શિફ્ટ કરીને પાછું ના ફર્યું, તો કોઈ અજાણ્યા રસ્તા પર અકસ્માતમાં મૃત્યુ પામ્યો.
  છેલ્લા કેટલાક વર્ષોથી આવી એક પછી એક હેડલાઇન્સે વિદેશમાં અભ્યાસ કરવાના બહારથી ચળકતાં સપનાઓની હકીકત સામે લાવીને રાખી દીધી છે. ભારતીય શિક્ષણના કેમ્પસ છોડીને ગયેલા સેંકડો વિદ્યાર્થીઓ અજાણ્યા કેમ્પસમાં પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે. એક સર્વે મુજબ 2018 થી 2026 દરમિયાન આશરે 842 વિદ્યાર્થીઓએ અને ઘણા કુટુંબોએ વિદેશમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં35 વિદ્યાર્થીઓએ સુસાઇડથી મોતને વહાલું કર્યું જ્યારે 807 વિદ્યાર્થીઓએ બીજા કોઈ કારણોસર પોતાના જીવ ખોયા! જેમાં અમેરિકા અને કેનેડામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનો આંકડો સૌથી વધુ છે. કોઈ એક કુટુંબ કે વિદ્યાર્થીની સફળતાં જોઈને નીકળી પડેલા લોકો કેનેડા, અમેરિકા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા વગેરે વગેરે જેવા દેશોમાં ખરેખર પરિસ્થતિ અને સંજોગો કેવા છે! તેની પૂરેપૂરી માહિતી મેળવ્યા વિના લીગલ કે ઇલ-લીગલ રીતે વિદેશમાં જાય છે. પણ ત્યાંની પરિસ્થતિ જાણ્યા પછી અહી દેશમાં લોકો એવું વિચારશે કે મોટા ઉપાડે વિદેશ ગયા હતા, વીલા મોઢે પાછા આવ્યા એવું માનીને ત્યાં ગમે તેવા કામો કરે છે, પણ દેશમાં પાછા ફરતા નથી. 
    વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની મહેનત કરવાની ક્ષમતા અને એકેડેમિક ટેલેન્ટ સહન ના થતાં ત્યાંનાં લોકો દ્વેષ જે ઈર્ષ્યાને લીધે આપણા વિદ્યાર્થીઓ પર આક્રમણ કરીને તેઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને વિદેશ જવા નીકળેલા ઘણા સંતાનો છેલ્લા ઘણા વર્ષોથી માતા-પિતા પાસે પાછા નથી આવી રહ્યા. જે સંતાનો માટે માટે માતા-પિતા દિવસ-રાત એક કરી રહ્યા હતા, જેઓની સાથે માતા-પિતાની સંવેદનાઓ જોડાયેલી હતી, તે સંતાનો વિદેશમાં જઈને મેડિકલ ઇમરજન્સી, નાણાકીય ભીડ, હિંસક ગુનાઓ, આકસ્મિક ડૂબી જવાથી, ત્યાંનાં લોકોના ભારતીય પ્રત્યેના દ્વેષને લીધે, કે રોજગાર ના મળવાને લીધે માનસિક હતાશા અને નિરાશાને લીધે મૃત્યુને ભેટી રહ્યા છે, એમાંથી ઘણા વિદ્યાર્થીઓની તો લાશ પણ માતા-પિતાને મળી નથી રહી. જે માતા-પિતા સંતાનોના લાંબા જીવન માટે સતત પ્રાર્થના કરતાં હતા, તે હવે ભારત સરકાર પાસે પોતાના સંતાનના ડેડ-બોડી માટે કે ખોવાઈ ગયેલા સંતાનોનો દેશ-વાપસી માટે કરગરી રહ્યા છે! 
 મોટા-પિતાની મહત્વાકાંક્ષા અહી પણ સંતાનો માટે ઘાતક પુરવાર થઈ રહી છે, ખાસ કરીને મધ્યમ વર્ગના સંતાનોને માતા-પિતા લોન લઈને કે પછી પોતાની સંપતિ વેચીને વિદેશ ભણવા મોકલે છે, આખી જિંદગીની કમાણી વિદેશ અભ્યાસમાં રોકી દઈને તેઓ સંતાનોને પરાણે વિદેશમાં મોકલે છે, જ્યાં ઘણીવાર ભાષા અને સંસ્કૃતિના તફાવતોને લીધે કે પછી સરકારની બદલાયેલી નીતિઓને લીધે વિદ્યાર્થીઓ સેટ નથી થઈ શકતા. અજાણ્યા પ્રદેશમાં કોઈપણ જાતંના મેન્ટલ સપોર્ટ વિના આ યંગ-જનરેશન અભ્યાસ સાથે નોકરીના દબાણ જીરવી નથી શકતા અને અંતે થાકીને, હારીને તેઓ મોતને ભેટી જતાં હોય છે, અહી પણ નિષ્ફળતા માટે કોઈ દરવાજા ખોલતું નથી ને પરિણામે તેઓ મૃત્યુના દરવાજા ખખડાવ્યા કરે છે. 
    સોસિયલ મીડિયા પર વિદેશમાં ભણવા જવાની જાહેરાતોથી ભરમાઈને કે પછી કોઈ એજન્ટે દેખાડેલા સપનાથી ભ્રમિત થઈને જે માતા-પિતા પોતાના સંતાનોને વિદેશ અભ્યાસ માટે મોકલે છે, તેમણે પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ એ રસ્તે પોતાના સંતાનોને મોકલવા જોઈએ. અને સંતાનો ત્યાં જઈને પાછા આવવા માંગે તો વહેલી તકે તેઓને પાછા બોલાવી લેવા જોઈએ. આંખો ખૂલતાં જ જે સપનાઓ જીવલેણ લાગે, તેણે સાકાર કરવાની જીદ માતા-પિતા અને વિદ્યાર્થીઓ બંનેએ છોડી દેવી જોઈએ. 


at June 15, 2026 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Thursday, 4 June 2026

દહેજપ્રથા: વેદિક યુગથી લઈને આજે પણ પોતાનું અસ્તિત્વ સાબિત કરી રહી છે.







બહોત જ્યાદા ઘૂટન હો રહી હે માં’ સસુરાલમે મેરે સાથ બહોત ગલત હો રહા હે, એ લૉગ મુજ પર બચ્ચા પેદા કરને કા પ્રેશર બના રહે હે. મુજે યહાં સે લે જાઓ. મુજે લગતા હે કી મે યહા ફસ ચૂકી હું, મેરા પતિ મુજે પૂછ રહા હે કી યે બચ્ચા કિસકા હે?  આ મેસેજિસ છે, 2012 માં મિસ પૂને રહી ચૂકેલી ફેમસ મોડેલ અને એક્ટ્રેસ ત્વિષા શર્માના, જેણે 5 મહિનાના લગ્ન-જીવનથી કંટાળીને 12 મે 2026 ના રોજ પોતાના સાસરિયામા આપઘાત કરી લીધો. જે દીકરી સામે ઉજ્જવળ ભવિષ્ય હતું, તેણે દહેજના ત્રાસથી કંટાળીને પોતાનું જ જીવન રોળી નાખ્યું. પણ ત્વીશાના  કુટુંબના કહેવા મુજબ તેમની દિકરીને દહેજ અને પતિના શંકાશીલ સ્વભાવને લઈને મારી નાખવામાં આવી છે. 
 આપણી આસપાસ એટલું બધુ અજુગતું બની રહ્યું છે કે લાગે છે કે આપણે છીએ એકવીસમી સદીમાં પણ જીવન પાછું ખેંચાઈને 15 મી-16 મી સદીઓમા જતું રહ્યું છે. શરીરના કોઈ ભાગમાં થયેલું કેન્સર જેમ ઊથલો મારે, એ રીતે કુરિવાજો ફરીથી ઊથલો મારી રહ્યા છે. જે કુરિવાજોને દૂર કરવા આપણે સદીઓથી પ્રયાસો કરી રહ્યા છીએ એ કુરિવાજો સમાજમાં પાછા ફરી રહ્યા છે. અને એ પણ અતિ-શિક્ષિત લોકોના ઘરો થકી!  
 આપણા સમાજમાં મોટા ભાગના કૂ-રિવાજોનો ભોગ સ્ત્રીઓએ જ બનવું પડે છે. પછી એ સતી થવાનો રિવાજ હોય કે પછી વિધવા સ્ત્રીઓના પુનર્વિવાહ અંગેનો રિવાજ હોય કે પછી બાળકીને દૂધપીતી કરવાનો કૂ-રિવાજ હોય! અને બળાત્કાર તો એ એવરગ્રીન ગુનો છે, જે આપણા દેશમાં બારેમાસ થતો જ રહે છે. 
  સ્ત્રીઓ સમાજમાં કોઈને કોઈ રીતે શોષિત થઈ રહી છે. ભલે આજે તેણીને ઉડવા માટે આકાશ મળી રહ્યું હોય, પણ તેણીની પાંખો કાપવા આસપાસ શિકારી ઊભા જ છે. વર્ષોથી પુરુષોના આદેશો હેઠળ જીવી રહેલી સ્ત્રીઓ હવે દરેક ક્ષેત્રે પુરુષો સાથે કદમ થી કદમ મિલાવીને ચાલી રહી છે. એ બાબત જ પુરુષોને હર્ટ કરી રહી છે, અને ઘાયલ પુરુષો સ્ત્રીઓના એ કદમોને રોકવાના પ્રયાસો અલગ અલગ રીતે કરી રહયા છે. ‘દહેજ-પ્રથા’ આવું જ એક દૂષણ છે, જેને છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં ઉથલો માર્યો છે.  ભોપાલમાં ત્વીશા શર્મા અને ગ્રેટર નોઇડામાં દિપીકા નાગરની હત્યાએ એ સાબિત કરી દીધું છે જે આટલું બધુ લીગલ પ્રોટેક્શન હોવા છતાં આપણા દેશમાં NCRFના સર્વે મુજબ રોજ 16 સ્ત્રીઓ દહેજનો અને ડોમેસ્ટિક વાયોલન્સની શિકાર બને છે. 
  ભોપાલ દહેજ-કાંડમાં તો જે દીકરી આપઘાત કર્યો હતો, એ દીકરીના સાસુમાં નિવૃત જજ અને પતિદેવ ફેમસ વકીલ છે. આવા શિક્ષિત ઘરોમાં પણ જો આ પ્રકારના કિસ્સાઓ થતાં હોય તો આપણે અભણ માણસોને કોઈ દોષ આપી શકીએ એમ નથી! આ બંને દીકરીઓનું  દહેજની માંગ બાબતે સતત શોષણ થતું હતું અને થાકીને તેણીએ અંતે ઈશ્વરનું શરણ લઈ લીધું. રાજ્યની વાત કરીએ તો ઉત્તરપ્રદેશ અને શહેરોની વાત કરીએ તો દિલ્લી દહેજના કેસોમાં નંબર વન સ્થાન ધરાવે છે. શિક્ષણ પણ આપણા વિચારોમાં પરિવર્તન લાવવામાં નિષ્ફળ જઇ રહ્યું છે. 
 ભારતમાં છેક વેદિક સમયથી આ કૂરિવાજ આપણા સમાજમાં ઘૂસી ગયેલો હતો, જેણે આપણે આજે પણ સંપૂર્ણ રીતે દૂર કરી શક્યા નથી. છોકરો જો વધુ ભણેલો હોય તો દહેજના બજારમાં તેની ઊંચી કિંમત નક્કી કરવામાં આવે છે. કરિયાવરના નામે દિકરીઓના માતા-પિતા પાસેથી તેઓની આખી જિંદગીની કમાણી લઈ લેવામાં આવે છે. અને લગ્ન પછી પણ આવા સ્વાર્થી અને લાલચુ સાસરીયાઓ દીકરીઓને શાંતિથી રહેવા દેતાં નથી. ત્વીશા શર્મા કે દિપીકા નાગર આ તો થોડાક નામો છે, જે નોંધાયેલા છે, 
  આપણા દેશમાં હજી આજેપણ અમુક રાજયોમાં દિકરીઓના પરિવાર પાસેથી ‘દહેજના નામે’ લાખો રૂપિયા વસૂલ કરવામાં આવે છે. જે કિસ્સાઓ નોંધાય છે, તેમાંથી કેટલાને ન્યાય મળે છે? એ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી. અને જે કિસ્સાઓ નથી નોંધાતા તેઓના માતા-પિતા આંસુઓના પ્રવાહમાં પોતાની બાકી જિંદગી વહાવી દેતાં હોય છે.
at June 04, 2026 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, 22 May 2026

શું છે આ , ' ડોપા માઇન ડિટોક્સ??








  
શું છે આ " ડોપા માઇન ડિટોક્સ"?

હેડિંગ  
   જે કાઇપણ આપણને જીવતા અને જીવંત રહેતા અટકાવે છે, તે બધુ જ ડીટોક્સ થવું જોઈએ. આજે સોસિયલ મીડિયાએ આપણી પાસેથી જીવન જીવવાનો ઉત્સાહ છીનવી લીધો છે, ત્યારે આ ડિજિટલ ફાસ્ટિંગ અઠવાડિયામાં એકવાર કરી લેવા જેવો ખરો.. 
  
 







આપણા સૌના જીવનમાં અને મનમાં હોર્મોન્સ ઠેકડા મારતા હોય છે. આપણી અંદર થતાં મોટા ભાગના ફેરફારો હોર્મોનલ હોય છે. ઘણીવાર આપણે બહારથી એવું ઇચ્છતા નથી કે આવું કશું થાય, પણ આપણી અંદરની હલચલ આપણને એવું કરવા મજબૂર કરી દેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી આવા જ એક હોર્મોન્સની ચર્ચા ટ્રેન્ડમાં છે, જે ડિજિટલ ડીટોક્સ સાથે જોડાયેલી છે. આપણે દિવસમાં કેટલીવાર મોબાઈલ હાથમાં લેતા હોઈશું? કેટલીવાર એ ચેક કરતાં હોઈશું કે કોઈનો કોલ આવ્યો હતો કે કેમ? એમાં પણ સોસિયલ મીડિયા પર તો આપણે મિનિટે મિનિટે પ્રગટ થઈ જતાં હોય છે. સ્ક્રીન સ્ક્રોલ કરવામાં કલાકો ખર્ચાય જાય છે. એક સર્વે મુજબ આપણા દેશમાં સૌથી વધુ યુવાનો અને બાળકો મોબાઇલની સ્ક્રીન પાછળ પોતાનો સમય ખર્ચે છે. રીલ્સ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. આપણને સૌને એવું લાગે છે કે આપણે સોસિયલ મીડિયાથી દૂર થઈ જઈશું તો ઘણું બધુ ગુમાવી દઇશું. પણ છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગના લોકો આ ડિજિટલ સાધનોથી અને પોતાનો ખોવાયેલો આનંદ પાછો મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જેને ડિજિટલ ડીટોક્સ તરીકે ઓળખવામાં આવે છે. 
 આ ‘ડિજિટલ ડીટોક્સ’ સાથે ડોપામાઇન નામનું હોર્મોન્સ જોડાયેલું છે. ડોપામાઇન એક પ્રકારનું મોનોમાઇન ન્યુરોટ્રાન્સમીટર છે, જે આપણા મગજમાં બને છે અને કેમિકલ મેસેંજર તરીકે કાર્ય કરે છે, આપણા મગજના ચેતા કોષો અને તમારા શરીરના બાકીના ભાગ વચ્ચે સંદેશાઓ પહોંચાડે છે. ડોપામાઇન એક હોર્મોન તરીકે પણ કાર્ય કરે છે. ડોપામાઇન, એપિનેફ્રાઇન અને નોરેપીનેફ્રાઇન મુખ્ય કેટેકોલામાઇન્સ છે. આ હોર્મોન્સ આપણા સૌના શરીરમાં એડ્રેનલ ગ્રંથિ દ્વારા બનાવવામાં આવે છે, જે કિડનીની ટોચ પર રહેલી એક નાની ટોપી આકારની ગ્રંથિ છે. ડોપામાઇન એ તમારા મગજમાં હાયપોથેલેમસ દ્વારા મુક્ત થતો ન્યુરોહોર્મોન પણ છે. ડોપામાઇનને "ફીલ-ગુડ" હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. તે આપણને આનંદની અનુભૂતિ આપે છે. જ્યારે એવું થાય છે, ત્યારે મનમાં ઠેકડા મારતો આ હોર્મોન્સ આપણને કશુંક સારું કરવાની પ્રેરણા આપે છે. 
  ડોપામાઇન એ મગજમાં રહેલું એક રસાયણ છે જે આનંદ, પ્રેરણા અને ધ્યાન કેન્દ્રિત કરવાની લાગણીઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આપણે જ્યારે મનગમતું કશુંક કરીએ છીએ ત્યારે ડોપામાઇન આપણને આંનદ અને સંતોષની ફીલિંગ આપે છે. 
   
Photo attachment: Screenshot_2026-05-14-16-16-02-71_680d03679600f7af0b4c700c6b270fe7.jpg
Photo attachment: Screenshot_2026-05-14-16-16-02-71_680d03679600f7af0b4c700c6b270fe7.jpg



ડીટોક્સ એટલે એવી પ્રવૃતિઓ તરફ મનને વાળવું, કે જેથી આપણે જીંદગીને રીસેટ કરી શકીએ. બને તેટલું સોસિયલ મીડિયાથી, ઓનલાઈન ગેમ્સથી અને બીંજ વોચિગથી જાતને દૂર રાખવી, ઓનલાઈન શોપિંગથી દૂર રહેવું, સ્માર્ટ ફોનથી દૂર રહેવું અને મનને રીડિંગ, રાઇટિંગ,પેઇન્ટિંગ વગેરે વગેરે જે કાઇપણ શોખો કે જેને આપણે અભેરાઈએ ચડાવી દીધા હોય તેને નીચે ઉતારીને ફરીથી જીવવા. એટલું જ નહી, મનને યોગા અને મેડિટેશન જેવી પ્રવૃતિઓ તરફ લઈ જવું જેથી રૂટિન પ્રવૃતિઓથી ગોઠવાઈ ગયેલા મનને આપણે રીફ્રેશ કરી શકીએ. ઋષિકેશ અને હરિદ્વાર જેવા સ્થળોએ પંચકર્મની વિધિ દ્વારા આ હોર્મોન્સને બેલેન્સ કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. 
 ડોપામાઇન ડીટોક્સ આપણને ઓવરથિંકિંગથી બચાવે છે. એ આપણને બીજા આપણા વિષે શું વિચારશે કે આપણા વિષે શું બોલશે? એ બીમારી સામે પણ રક્ષણ આપે છે. જેની ભારત જેવા દેશોમાં ખાસ જરૂર છે. આપણી આસપાસ એવા ઘણા બધા બિનજરૂરી નોટિફિકેશન્સ ઓન હોય છે, જે આપણને સતત ડિસ્ટરેક્ટ કરતાં રહે છે. જેને લીધે આપણે આપણા રૂટિન કામમાં પણ એકાગ્ર થઈ શકતા નથી. અને એટલે જ આજકાલ ડોપામાઇન ડીટોક્સનું મહત્વ વધતું જાય છે. ઘણા બધા લોકો હવે સ્માર્ટફોનની જગ્યાએ સાદા ફોનનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેથી તેઓ દુનિયાથી ડીસ-કનેક્ટ થઈ શકે અને જાત સાથે જોડાઈ શકે. 
 

 ડીટોક્સ એટલે આજમાં જીવીએ અને સર્જનાત્મક બનીએ. મનોવૈજ્ઞાનિકોના કહેવા મુજબ આપણી અંદર ઘણું એવું છે, જેને આપણે ડીટોક્સ કરતાં રહેવું જરૂરી છે. જે કાઇપણ આપણને જીવતા અને જીવંત રહેતા અટકાવે છે, તે બધુ જ ડીટોક્સ થવું જોઈએ. આજે સોસિયલ મીડિયાએ આપણી પાસેથી જીવન જીવવાનો ઉત્સાહ છીનવી લીધો છે, ત્યારે આ ડિજિટલ ફાસ્ટિંગ અઠવાડિયામાં એકવાર કરી લેવા જેવો ખરો.. 
  
 

Yahoo 
Mail: Search, organise, conquer
at May 22, 2026 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Wednesday, 13 May 2026

ચૂંટણીઓ, આપણે હારની ખેલદિલી અને જીતની વિવેકબુદ્ધિ ભૂલી ગયા છીએ!!!


  

ચૂંટણીઓ, આપણે હારની ખેલદિલી અને જીતની વિવેકબુદ્ધિ ભૂલી ગયા છીએ!!!



      હેડિંગ :  ચૂંટણીઓ એ પસંદગીની પ્રક્રિયા છે, જેમાં આપણે જવાબદારીથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાની હોય છે, આ પ્રક્રિયામાં ક્યાંય વલ્ગર કે નીચ કક્ષાનું કન્ટેન્ટ સોસિયલ મીડિયા પર વાઇરલ થવું જોઈએ નહી. ચૂંટણીઓ લોકોના મનોરંજન માટે નથી. માટે આવી રીલ્સ બનાવનાર પર કંટ્રોલ હોવો જરૂરી છે. 


image.png




    પાંચ રાજ્યોની ચૂંટણીઑ પૂરી થઈ. પરિણામો પણ આવી ગયા. આપણા દેશમાં જુદી જુદી જગ્યાએ ભરાતી સંસદો અને ઓટલા પરિષદોમાં ચૂંટણીની હાર-જીતની ચર્ચાઓ સૌથી વધુ થાય છે. ગામડાઓથી લઈને શહેરો સુધી આપણે સૌ ચૂંટણીઓ સાથે જોડાયેલા રહીએ છીએ. જો કે આઝાદીના 77 વર્ષો બાદ પણ આપણને હજી મત કોને આપવો? એ નક્કી કરતાં નથી આવડતું. આજે પણ આપણે ઉમેદવારો જ્ઞાતિ અને જાતિના આધારે જ નકકી કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી આપણી પાસે કોઈ ઠોસ વિકલ્પ પણ નથી. એટલે મોટાભાગની ચૂંટણીઓ એકતરફી થઈ ગઈ છે. ધર્મના આધારે લડાઈ રહેલી ચૂંટણીઓમાંથી વિકાસ અને આપણા સાચા પ્રશ્નો અને પડકારો એકદમ ભુલાઈ જ ગયા છે.

   પણ સાથે સાથે બીજી કેટલીક અગત્યની બાબતો છે, જે આપણે સાવ ડિલીટ કરી દીધી છે અને એ છે, ખેલદિલી અને વિવેકબુદ્ધિ. હાર-જીત એ ચૂંટણીની રૂટિન પ્રક્રિયાઓ છે. પણ આપણે હારની ખેલદિલી અને જીતની વિવેકબુદ્ધિ ભૂલી ગયા છીએ. સોસિયલ મીડિયા પર શું શેર કરવું અને શું ના કરવું? શું જોવું અને શું ના જોવું? એ પ્રશ્નના જવાબો તો આજે પણ આપણી પાસે નથી. એમાં હવે ચૂંટણીમાં હારેલા નેતાઓ અને પક્ષો વિષેની એકદમ બેહૂદી અને ગંદી રીલ્સ જોઈને અને શેર કરીને આપણે જે આનંદ લઈ રહ્યા છીએ, તે આપણી  નીચી માનસિકતા છતી કરે છે. આ રીલ્સ કોમનસેન્સથી નહી,પણ બીજાને નીચા દેખાડવાના પ્રયાસોરૂપે બનાવવામાં આવે છે, અને એટલે તે એકદમ નિમ્ન કક્ષાની બને છે. અને વાઇરલ પણ એટલી જ ઝડપથી થાય છે. અને ટ્રેન્ડમાં તો 5જી કરતાં પણ વધુ સ્પીડે આવી જાય છે.

   2024 ની ચૂંટણીઓ  ભારતની પ્રથમ એ,આઈ, બેઝ્ડ ચૂંટણીઓ હતી, જેમાં રાજનીતિ અંગેની રીલ્સ અને પોસ્ટ ઇંસ્ટા અને યુ-ટ્યુબ જેવા સોસિયલ મીડિયા પર સૌથી વધુ શેર થઈ. પણ સાથે સાથે નેતાઓની સાવ ઊતરતી કક્ષાઓની રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ પણ એટલો જ વાઇરલ થયો. જેણે ત્યાર પછીની બધી ચૂંટણીઓમાં માઝા મૂકી. આ પ્રકારની પોસ્ટસ અને રીલ્સ લોકોને સૌથી વધુ મિસલીડ કરે છે. એમાં મૂકવામાં આવતી માહિતીમાં 0.05 ટકા જેટલું પણ સત્ય નથી હોતું.

  પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની ચૂંટણીઓ પર આ વખતે સૌથી વધુ રીલ્સ બની અને વાઇરલ પણ થઈ. તામિલનાડુમાં જેન-ઝી વૉટર્સ ઇંસ્ટા અને બીજા સોસિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય થયા. એ. આઈ. ના ટચે આ ટ્રેન્ડઝમાં ચાર ચાંદ લગાવી દીધા! પણ એ. આઈ. નો ગલત ઉપયોગ કરીને બનાવેલી કેટલીક રીલ્સ એટલી બેકાર હતી કે જોઈને પ્રશ્ન થાય કે આ લોકોને રોકવાવાળું કોઈ નહી હોય? એમાં પણ પશ્ચિમ બંગાળના હારેલા મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીની રીલ્સ જોઈને એવું ફીલ થાય કે શું પુરુષો મહિલાઓ વિષેની પોતાની ટૂંકી માન્યતાઓ અને પૂર્વગ્રહો માંથી હજી આજે પણ બહાર આવી શકયા નથી?

  ચૂંટણીઓ લોકશાહીનો આત્મા છે, જે આજે આવી રીલ્સને લીધે એકદમ ઘાયલ થઈ ચૂક્યો છે. કોઈપણ વ્યક્તિ પ્રત્યેનો આદર આપણે અભેરાઈએ ચડાવી દીધો છે. મોદી અને દીદી બંનેનો આદર થવો જોઈએ. જે હારી જાય છે, એ એટલા નીચા નથી હોતા, જેટલા તેઓને આ રીલ્સ દ્વારા દેખાડવામાં આવે છે. કોઈપણ સ્ત્રી આપણી ઘરની દીકરી જેટલા જ આદરને પાત્ર હોય છે. તેણીને આવી રીતે રીલ્સ થકી નીચા દેખાડવાના પ્રયાસો શું દર્શાવે છે? કે આપણે વિવેકબુદ્ધિ ચૂકી ગયા છીએ. એ. આઈ. થકી મોદી અને દીદીના રોમાંસના વિડિયોઝ જોઈને થાય કે આપણે વિવેકબુદ્ધિમાં માઇનસમાં જતાં રહ્યા છીએ.

  રીલ્સ માહિતી માટે બનાવવી જોઈએ, જાહેરાતો માટે બનાવવી જોઈએ પણ કોઈનું અપમાન કરવા માટે તેનો ઉપયોગ ના થવો જોઈએ. ચૂંટણીઓ એ પસંદગીની પ્રક્રિયા છે, જેમાં આપણે જવાબદારીથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાની હોય છે, આ પ્રક્રિયામાં ક્યાંય વલ્ગર કે નીચ કક્ષાનું કન્ટેન્ટ સોસિયલ મીડિયા પર વાઇરલ થવું જોઈએ નહી. ચૂંટણીઓ લોકોના મનોરંજન માટે નથી. માટે આવી રીલ્સ બનાવનાર પર કંટ્રોલ હોવો જરૂરી છે. અને આપણી શેરિંગ કેપેસિટી પર પણ આપણે કંટ્રોલ રાખવો જરૂરી છે. રીલ્સ જવાબદારીપૂર્વક તૈયાર થવી જોઈએ અને જે સંવાદો થાય એ આદરપૂર્વકના હોવા જોઈએ.

 

  


at May 13, 2026 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Thursday, 7 May 2026

બાળકની દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું?

 બાળકની દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું?

હેડિંગ: 

हम अपने अपने खेतों में, गेहूँ की जगह चावल की जगह
ये बन्दूकें क्यों बोते हैं? 
जब दोनों ही की गलियों में, कुछ भूखे बच्चे रोते हैं



 

 

        છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ જુદા જુદા યુદ્ધોની અસર હેઠળ સિસકીઓ લઈ રહ્યું છે. આશરે 250 મિલિયન જેટલા બાળકો આજે છેલ્લા કેટલાક વર્ષોના યુદ્ધોને લીધે અનાથોની પીડા સહન કરી રહ્યા છે. આપણો દેશ પણ યુદ્ધથી થોડાક અંતરે છેટો રહી ગયો. પણ જે દેશો પોતાની વચ્ચેના અંતરને ઘટાડી ના શકયા, તેઓ આજે લડી રહ્યા છે અને તે યુદ્ધોની સૌથી ખરાબ અસરો બાળકો પર થઈ રહી છે. દારૂ-ગોળાના ધુમાડા વચ્ચે તેઓનું ભવિષ્ય ધૂધળું તો શું પણ દેખાતું જ બંધ થઈ ગયું છે. યુદ્ધના ઘોંઘાટે તેઓના જીવનમાં એવો ખાલીપો ભરી દીધો છે, જેને તેઓ જીવશે ત્યાં સુધી નથી ભૂલી શકવાના! કારણકે આ યુદ્ધોએ તેઓની પાસેથી તેઓનું સઘળું જ છીનવી લીધું છે, તેઓના બાળપણ સહિત...

  આપણી આસપાસના 50% બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગને લીધે શારીરિક અને માનસિક રીતે ખતમ થઈ રહ્યા છે, અને બાકીના 50% બાળકો યુદ્ધ અને ભૂખમરાને લીધે પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છે. આપણે બાળકોને કેવી દુનિયા આપી રહ્યા છીએ? રવિન્દ્રનાથ ટાગોરના પ્રખ્યાત વાક્ય, "દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી." પણ આજના બાળકો માણસોથી ખરેખર નિરાશ થઈ ગયા છે!

  જે ઘરોમાં માતા-પિતા સાથે તેઓ મસ્ત મજાનું જીવન જીવી રહ્યા હતા, તે ઘરોના કાટમાળ નીચે તેઓની જિંદગી દટાઇ ગઈ છે. સવારે ઊઠે છે, તો માતા-પિતાની એ હુંફ મિસિંગ છે, જેના સહારે તેઓનું બાળપણ એકદમ સલામત વીતી રહ્યું હતું. આવા અનાથ બાળકોના આંકડાઓ જાણીને પણ આપણે શું કરીશું? જ્યારે આપણે તેઓની વેદના-સંવેદનાને સમજી શકતા નથી. ભૂખમરો,ગરીબી, એકલતા તેઓના સાથીદારો બની રહે છે. રાહતકેમ્પમાં ઉછરતા આ બાળકોને એ પણ નથી ખબર કે ઈશ્વર તેઓને કઈ વાતની સજા દઈ રહ્યો છે? માતા-પિતા સાથેની તેઓની કલરફૂલ દુનિયા એકદમ બ્લેક & વાઇટ બની જાય છે.

  ઘણીવાર આવા બાળકો યુદ્ધ દરમિયાન શારીરિક અપંગ પણ બની જાય છે. તેઓ શરીરનું કોઈ અંગ, દ્રષ્ટિ અથવા જ્ઞાનાત્મક ક્ષમતા ગુમાવવા ઉપરાંત, શાળા અને સામાજિક જીવનની તક ગુમાવી શકે છે. આવા બાળકોની સ્થિતિ સૌથી વધુ કપરી બની રહે છે. આવા બાળકોને કૃત્રિમ અંગો મળતા 10 વર્ષો કે તેથી વધુ સમય લાગે છે. ઘણા તો કૃત્રિમ અંગો મેળવી પણ શકતા નથી અને આખી જિંદગી અપંગ તરીકે ઠોકર ખાતા રહે છે. યુદ્ધમાં બાળકોના સ્વાસ્થ્ય પણ જળવાતું નથી. પોષણ, પાણીની સલામતી, સ્વચ્છતા, રહેઠાણ, આરોગ્ય સેવાઓની પહોંચ. વસ્તીના સ્થળાંતર સાથે રોગના વાહકો સામે રોગપ્રતિકારક શક્તિ ગુમાવી શકે છે. શરણાર્થી બાળકો ખાસ કરીને કુપોષણ અને ચેપી બીમારીના ભોગ બને છે. યુદ્ધને કારણે વસ્તી રસીકરણ કાર્યક્રમોમાં પણ વિક્ષેપ પડે છે જે બાળ મૃત્યુદરમાં વધારો કરે છે.

 યુદ્ધ દરમિયાન નાની દીકરીઓ સાથે બળાત્કાર પણ થાય છે. બળાત્કારનો ભોગ બનેલી આવી દીકરીઓનો સમાજિક બહિષ્કાર થાય છે, તેણી ક્યારેય સુખી લગ્નજીવન મેળવી શકતી નથી. આવી દીકરીઓ મોટા ભાગે સેક્સ-વર્કર બની જાય છે, અને એઈડઝ જેવા રોગોની ભોગ બને છે. લાંબો સમય એકલા રહેવાને લીધે આવી દીકરીઓની જિંદગીમાથી લાગણીઓની બાદબાકી થઈ જાય છે. આવી બાળકીઓ આખી જિંદગી યુદ્ધની માનસિક અસરોમાથી બહાર આવી શકતી નથી.

  આવા બાળકો માતા-પિતા ગુમાવીને સગા-સંબંધીઓના સહારે ઉછરે છે, જ્યાં તેઓનું શારીરિક અને માનસિક શોષણ થાય છે. તેઓ માટે યુદ્ધ બાદનું જીવન ક્યારેય યુદ્ધ પહેલાના જીવન જેવી સંભાવનાઓ લાવી શકતું નથી! આવા બાળકોનું ચારિત્ર્યઘડતર થઈ શકતું નથી. આસપાસની દુનિયા તરફથી ઉદાસીનતાનો અનુભવ, અથવા તેનાથી પણ ખરાબ દુષ્ટતા અને બાળકોનું નૈતિક અધ:પતન પણ થાય છે. તેઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જૂઠું બોલવું, ચોરી કરવી અને ક્યારેક પોતાનું શરીર પણ વેચી દેવું પડે છે.

  સતત ડર હેઠળ ઉછરતું આ બાળપણ આજે આપણી પાસે શાંતિ અને સલામતી માંગી રહ્યું છે. યુદ્ધથી થયેલું આર્થિક નુકસાન તો આપણે ભરપાઈ કરી દઇશું, પણ બાળકોએ ગુમાવી દીધેલી હુંફ, પ્રેમ અને માતા-પિતાનું સુખ આપણે તેઓને ક્યારેય પાછું આપી શકવાના નથી.

 

 

 

 

 

બાળકોની  દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું?
હેડિંગ: 
हम अपने अपने खेतों में, गेहूँ की जगह चावल की जगह
ये बन्दूकें क्यों बोते हैं? 
जब दोनों ही की गलियों में, कुछ भूखे बच्चे रोते हैं
Inline image

 

 

        છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ જુદા જુદા યુદ્ધોની અસર હેઠળ સિસકીઓ લઈ રહ્યું છે. આશરે 250 મિલિયન જેટલા બાળકો આજે છેલ્લા કેટલાક વર્ષોના યુદ્ધોને લીધે અનાથોની પીડા સહન કરી રહ્યા છે. આપણો દેશ પણ યુદ્ધથી થોડાક અંતરે છેટો રહી ગયો. પણ જે દેશો પોતાની વચ્ચેના અંતરને ઘટાડી ના શકયા, તેઓ આજે લડી રહ્યા છે અને તે યુદ્ધોની સૌથી ખરાબ અસરો બાળકો પર થઈ રહી છે. દારૂ-ગોળાના ધુમાડા વચ્ચે તેઓનું ભવિષ્ય ધૂધળું તો શું પણ દેખાતું જ બંધ થઈ ગયું છે. યુદ્ધના ઘોંઘાટે તેઓના જીવનમાં એવો ખાલીપો ભરી દીધો છે, જેને તેઓ જીવશે ત્યાં સુધી નથી ભૂલી શકવાના! કારણકે આ યુદ્ધોએ તેઓની પાસેથી તેઓનું સઘળું જ છીનવી લીધું છે, તેઓના બાળપણ સહિત...

  આપણી આસપાસના 50% બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગને લીધે શારીરિક અને માનસિક રીતે ખતમ થઈ રહ્યા છે, અને બાકીના 50% બાળકો યુદ્ધ અને ભૂખમરાને લીધે પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છે. આપણે બાળકોને કેવી દુનિયા આપી રહ્યા છીએ? રવિન્દ્રનાથ ટાગોરના પ્રખ્યાત વાક્ય, "દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી." પણ આજના બાળકો માણસોથી ખરેખર નિરાશ થઈ ગયા છે!

  જે ઘરોમાં માતા-પિતા સાથે તેઓ મસ્ત મજાનું જીવન જીવી રહ્યા હતા, તે ઘરોના કાટમાળ નીચે તેઓની જિંદગી દટાઇ ગઈ છે. સવારે ઊઠે છે, તો માતા-પિતાની એ હુંફ મિસિંગ છે, જેના સહારે તેઓનું બાળપણ એકદમ સલામત વીતી રહ્યું હતું. આવા અનાથ બાળકોના આંકડાઓ જાણીને પણ આપણે શું કરીશું? જ્યારે આપણે તેઓની વેદના-સંવેદનાને સમજી શકતા નથી. ભૂખમરો,ગરીબી, એકલતા તેઓના સાથીદારો બની રહે છે. રાહતકેમ્પમાં ઉછરતા આ બાળકોને એ પણ નથી ખબર કે ઈશ્વર તેઓને કઈ વાતની સજા દઈ રહ્યો છે? માતા-પિતા સાથેની તેઓની કલરફૂલ દુનિયા એકદમ બ્લેક & વાઇટ બની જાય છે.

  ઘણીવાર આવા બાળકો યુદ્ધ દરમિયાન શારીરિક અપંગ પણ બની જાય છે. તેઓ શરીરનું કોઈ અંગ, દ્રષ્ટિ અથવા જ્ઞાનાત્મક ક્ષમતા ગુમાવવા ઉપરાંત, શાળા અને સામાજિક જીવનની તક ગુમાવી શકે છે. આવા બાળકોની સ્થિતિ સૌથી વધુ કપરી બની રહે છે. આવા બાળકોને કૃત્રિમ અંગો મળતા 10 વર્ષો કે તેથી વધુ સમય લાગે છે. ઘણા તો કૃત્રિમ અંગો મેળવી પણ શકતા નથી અને આખી જિંદગી અપંગ તરીકે ઠોકર ખાતા રહે છે. યુદ્ધમાં બાળકોના સ્વાસ્થ્ય પણ જળવાતું નથી. પોષણ, પાણીની સલામતી, સ્વચ્છતા, રહેઠાણ, આરોગ્ય સેવાઓની પહોંચ. વસ્તીના સ્થળાંતર સાથે રોગના વાહકો સામે રોગપ્રતિકારક શક્તિ ગુમાવી શકે છે. શરણાર્થી બાળકો ખાસ કરીને કુપોષણ અને ચેપી બીમારીના ભોગ બને છે. યુદ્ધને કારણે વસ્તી રસીકરણ કાર્યક્રમોમાં પણ વિક્ષેપ પડે છે જે બાળ મૃત્યુદરમાં વધારો કરે છે.

 યુદ્ધ દરમિયાન નાની દીકરીઓ સાથે બળાત્કાર પણ થાય છે. બળાત્કારનો ભોગ બનેલી આવી દીકરીઓનો સમાજિક બહિષ્કાર થાય છે, તેણી ક્યારેય સુખી લગ્નજીવન મેળવી શકતી નથી. આવી દીકરીઓ મોટા ભાગે સેક્સ-વર્કર બની જાય છે, અને એઈડઝ જેવા રોગોની ભોગ બને છે. લાંબો સમય એકલા રહેવાને લીધે આવી દીકરીઓની જિંદગીમાથી લાગણીઓની બાદબાકી થઈ જાય છે. આવી બાળકીઓ આખી જિંદગી યુદ્ધની માનસિક અસરોમાથી બહાર આવી શકતી નથી.

  આવા બાળકો માતા-પિતા ગુમાવીને સગા-સંબંધીઓના સહારે ઉછરે છે, જ્યાં તેઓનું શારીરિક અને માનસિક શોષણ થાય છે. તેઓ માટે યુદ્ધ બાદનું જીવન ક્યારેય યુદ્ધ પહેલાના જીવન જેવી સંભાવનાઓ લાવી શકતું નથી! આવા બાળકોનું ચારિત્ર્યઘડતર થઈ શકતું નથી. આસપાસની દુનિયા તરફથી ઉદાસીનતાનો અનુભવ, અથવા તેનાથી પણ ખરાબ દુષ્ટતા અને બાળકોનું નૈતિક અધ:પતન પણ થાય છે. તેઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જૂઠું બોલવું, ચોરી કરવી અને ક્યારેક પોતાનું શરીર પણ વેચી દેવું પડે છે.

  સતત ડર હેઠળ ઉછરતું આ બાળપણ આજે આપણી પાસે શાંતિ અને સલામતી માંગી રહ્યું છે. યુદ્ધથી થયેલું આર્થિક નુકસાન તો આપણે ભરપાઈ કરી દઇશું, પણ બાળકોએ ગુમાવી દીધેલી હુંફ, પ્રેમ અને માતા-પિતાનું સુખ આપણે તેઓને ક્યારેય પાછું આપી શકવાના નથી.

 

 

 

 

 


at May 07, 2026 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, 24 April 2026

માતા-પિતા, શાળા, સમાજ, બાળકો અને સ્માર્ટફોન.........

 

માતા-પિતા, શાળા, સમાજ,      બાળકો અને સ્માર્ટફોન.........

elementary-school children ...

 

 

  આયર્લેન્ડર્માં ગ્રેસ્ટોન્સ નામનું એક ગામ છે, જ્યાના બાળકો થોડા અલગ છે, કારણકે તેઓના મોઢે વિશિષ્ટ વાતો સાંભળવા મળે છે. જેની આજે આપણે કલ્પના પણ કરી શકતા નથી, “ સ્માર્ટફોન સિવાય પણ ઘણું એવું બધુ છે, જે હું કરી શકું છુ.” “ હું લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માંગુ છુ અને એટલે હું સ્માર્ટફોનથી દૂર રહેવા માંગુ છુ.’  આ બાળકો છેલ્લા ત્રણ વર્ષોથી સ્માર્ટફોનથી દૂર રહેવાનુ શીખી રહ્યા છે, અને હવે તેઓને પોતાનો પહેલો સ્માર્ટફોન સેકન્ડરી સ્કૂલમાં મળે તો પણ તેઓને એવું લાગે છે, કે તેઓ સ્માર્ટફોન માટે હજી લાંબો સમય રાહ જોઈ શક્યા હોત!

  કોવિડ લોકડાઉન બાદ ઘણા બાળકો જ્યારે નિશાળે આવતા તો તેઓની આંખોમાં આંસુ હતા, તેઓ ઊંઘવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા, ઘણા બાળકો તો નિશાળે આવવાની જ ના પાડી રહ્યા હતા, તેઓનું સંપૂર્ણ ફોકસ કેલરી ગણતરી કરતી એપ્લિકેશનો પર હતું, તેઓ એકબીજાના સંદેશાઓ વાંચીને અસ્વસ્થ રહેતા હતા અને ભણવામાં તેઓનું ધ્યાન નહોતું રહેતું. આવી હાલત મોટા ભાગના વિદ્યાર્થીઓની હતી. માતા-પિતાની હાલત તો બાળકો કરતાં પણ વધુ દર્દ આપનારી હતી, તેઓની આંખો સામે બાળકો બગડી રહ્યા હતા, અને તેઓ કશું જ નહોતા કરી શકતા. વાલીઓ ફોન લઈ લે તો બાળકો પાસે એક જ જવાબ હતો, " કલાસમાં બધા પાસે ફોન છે, તો મારી પાસે કેમ નહી?"

  વિદ્યાર્થીઓની આવી હાલત જોઈને, "ઇટ ટેક્સ અ વિલેજ" નામના સામૂહિક કાર્યક્રમની શરૂઆત ગ્રેસ્ટોન્સમાં કરવામાં આવી. જે અંતર્ગત નાના બાળકો પરથી ટેકનોલોજીનું ભુત ઉતારવા માતા-પિતા, શાળાના આચાર્યો અને સમાજના લોકોની આગેવાની હેઠળ એક પાયાની પહેલ શરૂ કરવામાં આવી. જેનો કોડ હતો, "નો સ્માર્ટ ડિવાઇસ". બાળકોને અને વાલીઓને વર્કશોપ અને સામાજિક કાર્યક્રમો દ્વારા ટેકો આપીને આ ચળવળમાં સામેલ કરાયા. બાળકોને મનગમતી પ્રવૃતિમાં સામેલ કરી, તેની આસપાસ રમત-ગમતનું અને અરસ-પરસ વાતોનો સંવાદ રચીને તેઓને સ્માર્ટફોનથી દૂર કરવામાં આવ્યા. તેઓને ફીલ કરાવવામાં આવ્યું કે તેઓની પાસે ફોનની સ્ક્રીનથી ચોંટેલા રહ્યા સિવાય પણ બીજા ઘણા સારા કામો છે."

 બાળકોના હાથમાથી કાયદાકીય દબાણ ઊભું કરીને  સ્માર્ટફોન છીનવી લેવામાં ના આવ્યા, પણ તેઓ સાથે માતા-પિતા, શાળા અને સમાજે એવી પ્રવૃતિઓ કરી કે તેઓ પોતે જ સ્માર્ટફોનથી દૂર થઈ ગયા! આ વાત એવા દેશની છે, જ્યાં ગૂગલ, મેટા, માઇક્રોસોફ્ટ, એપલ અને લિંક્ડઇન સહિતની ટેક કંપનીઓના યુરોપિયન મુખ્યાલય આવેલા છે. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે કે એમાં બધા જ બાળકોના વિકાસ માટે સાથે જોડાઈ ગયા.

  પોતાના બાળકોને તેમણે ફરીથી બાળકો બનાવી દીધા! પોનોગ્રાફી, ઓનલાઈન ગેમ્સ, હિંસક દ્રશ્યોથી બાળપણને આઝાદ કરાવ્યું. આ ચળવળે સાબિત કરી દીધું કે, " માતા-પિતા, શાળાઑ અને સમાજ પાસે અગાઢ શક્તિ છે, જેના વડે તેઓ બાળકોના ભવિષ્યને બગડતું અટકાવી શકે છે. આ ચળવળથી પ્રેરાઇને બ્રીટનમા ડેઝી ગ્રીનવેલે 'સ્માર્ટફોન ફ્રી ચાઈલ્ડ-હૂડ' નામનું મોટું આંદોલન શરૂ કર્યું, જેને લીધે ત્યાની સરકારે શાળાઓમાં ફોન પર પ્રતિબંધની ગાઈડલાઇન બહાર પાડી. તો અમેરીકામાં 'વેઇટ અનટીલ એત્થ' ઝુંબેશમાં લાખો વાલીઓ જોડાયા અને બાળકો આઠમાં ધોરણમાં ના આવે ત્યાં સુધી તેને સ્માર્ટફોન ના આપવાની પ્રાતિજ્ઞા લીધી.

 ભારતમાં 2 થી 4 વર્ષના 84% બાળકો મોબાઇલની રહેમનજર હેઠળ ઉછરી રહ્યા છે! 44% બાળકો પાસે પોતાના સ્માર્ટફોન છે, જેમાં તેઓ શું જોઈ રહ્યા છે? તેની માતા-પિતાને પણ ખબર નથી! એટલું જ નહી, આ બાળકો ઘણીવાર એટલા હિંસક થઈ જાય છે કે તેઓ પાસેથી સ્માર્ટફોન થોડીવાર પૂરતો પણ લઈ લેવામાં આવે તો તેઓ માતા-પિતાને અને આસપાસના લોકોને શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડતા રહે છે. એક સરેરાશ ભારતીય બાળક રોજના 7 કલાક સ્ક્રીન પાછળ ખર્ચી નાખે છે.

 તેઓનું માનસિક અને શારીરિક આરોગ્ય મોબાઇલને લીધે સતત બગડી રહ્યું છે. 2 વર્ષથી નાના બાળકો પણ મોબાઇલ ના મળતાં, એકદમ હિંસક થઈ જતું હોય છે. આપણે પણ બધાએ સાથે મળીને ગ્રેસ્ટોન્સ જેવી ચળવળ ચાલુ કરવાની જરૂર છે. બાળકોને માત્ર સમય આપવાનો છે, જે આજથી થોડા વર્ષો પહેલા આપણે કરતાં હતા, એ તરફ પાછું વળવાનું છે. માત્ર વાતો કે સેમિનારો નહી, પણ આવું કોઈ ઠોસ કદમ ઉઠાવવું પડશે, જેથી આપણી શેરીઓ અને ગલીઓમાં પણ બાળકોનો કલરવ સાંભળી શકીએ.

 

 

 

  

 

 

at April 24, 2026 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, 17 April 2026

ચાલો મળીએ વિશ્વની સૌપ્રથમ ‘હાથ-પગ’ વગરની વિજેતા દીકરીને!!!

 

ચાલો મળીએ વિશ્વની સૌપ્રથમ ‘હાથ-પગ’ વગરની વિજેતા દીકરીને!!!

 खेलो इंडिया पैरा गेम्स 2025: शीतल देवी ने पायल नाग को हराकर तीरंदाजी में  जीता स्वर्ण पदक

 

 

 

     હમણાં જ ગોલ્ડ-મેડલ જીતેલી એક દીકરી, જે વ્હીલ-ચેરમાં જીવન પસાર કરી રહી છે, રાષ્ટ્રગીતના ગાન સમયે ત્રિરંગા તરફ ફરી નહોતી શકતી, ત્યાં હાજર રહેલા અધિકારીઓ મદદ કરે એ પહેલા એ દીકરીને લીધે જ પોતાનો ગોલ્ડમેડલ ગુમાવનાર બીજી દીકરી આગળ વધી, જેની પાસે પણ હાથ નથી, તે નીચે ઝૂકી ગઈ, જે રીતે ધનુષ્ય દોરે છે તે જ રીતે તેના પગનો ઉપયોગ કરીને, તેણીએ પેલી દીકરીની  વ્હીલચેરના ફૂટરેસ્ટને હળવેથી હૂક કર્યો અને તેને ફેરવ્યો, જેથી કિશોરી ધ્વજનો સામનો કરી શકે! રમતના મેદાન જેવી ખેલીદિલી આપણને કોઈ શીખવી શકે એમ નથી.

  તેણી પાસે હાથ નથી, તેણી પાસે પગ નથી, પણ તેની પાસે છે, એકાગ્રતા, દ્રઢ મનોબળ અને જીતની આગ! આ છે, પાયલ નાગ.. આ ટ્વિટર પોસ્ટ છે, એશિયન પેરાઓલમ્પિક કમિટીની અને કોણ છે? આ પાયલ નાગ, એક એવી દીકરી કે જેની પાસે હાથ અને પગ ના હોવા છતા આજે તેણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. પાયલ નાગ એક એવું વ્યક્તિત્વ છે, જેમણે આ દેશના તમામ લોકોને પ્રેરિત કર્યા છે કે જિંદગીમાં કશુંક કરી દેખાડવાની તાકાત હોય તો તમને કોઈ રોકી શકતું નથી. અને ખેલદિલી દેખાડનાર દીકરી હતી, શીતલદેવી! કે જેમણે પણ 2024માં પેરાઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  તમે જેને આદર્શ માનતા હોય, એ વ્યક્તિ જ પાછળ રાખીને તમે તેના જ દ્વારા ગોલ્ડ-મેડલ મેળવો, બેક-ગ્રાઉન્ડમાં રાષ્ટ્ર-ગીત ગવાતું હોય એ ફીલિંગ જ કઈક ઓર હોય છે. દરેક સફળતા પાછળ કાળો સંઘર્ષ હોય છે, અને આવો જ સંઘર્ષ પાયલ નાગના જીવન પ્રવાસનો સાથી અને મજબૂત સહાયક બની રહ્યો! માત્ર 8 વર્ષની ઉંમરે ઇલેક્ટ્રીક શોકને લીધે પાયલે પોતાના હાથ અને પગ બંને ગુમાવ્યા. પિતા એકદમ ગરીબ, પાયલની સારવાર પાછળ તેમણે પોતાનું ખેતર પણ વેચી દેવું પડ્યું. સારવાર નહી થઈ શકતા પાયલને જિલ્લા કલેકટરની મદદથી 2019માં બાલનગીરના અનાથાશ્રમમાં મૂકી દીધેલી.

  પાયલનાં ગુરુ કુલદીપ સાથે તેનું કનેક્શન એક વાઇરલ મોમેન્ટને લીધે થયેલું, જેમાં પાયલ હાથ-પગ વિના મોઢાથી ડ્રોઈંગ કરી રહી હતી! એ વિડીયો જોઈને કુલદીપ સર કે જેઓ જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ આર્ચરી એકેડેમી ચલાવતા હતા, તેઓને આ દીકરીની આંખોમાં કઈક અલગ જ દેખાયું. તેઓ અનાથાશ્રમમાં જઈને આ દીકરીને 2022માં આ એકેડેમીમાં લઈ આવ્યા. અહી તેમણે પાયલને ખભ્ભા અને મોઢાનો ઉપયોગ કરીને તીર ચલાવતા શીખવ્યું. અને પાયલ શીખી પણ ગઈ. ઓડિશાની 18 વર્ષીય ખેલાડીએ પોતાના જીવનમાં આવેલી આપત્તિને અવસરમાં ફેરવી નાખી. અને તે આપત્તિને પાછળ છોડી ગઈ, જેના કારણે ડોકટરોએ તેના હાથ અને પગ કાપી નાખવા પડ્યા હતા.

  પાયલની મોટી બેન વર્ષા નાગે પણ તેની આ સિદ્ધિમાં અગત્યનું યોગદાન આપ્યું છે, તેની મોટી બહેન વર્ષા નાગ તેની સાથે એકેડેમી હોસ્ટેલમાં રહે છે અને તેને નવડાવવાથી લઈને ખવડાવવા સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખે છે. જિંદગી એક એવી રીલે રેસ છે, જેની ફિનિશિંગ લાઇન કુટુંબના સહારે ઝડપથી ક્રોસ કરી શકાય છે. ગુરુ-શિષ્યના એક-બીજા પ્રત્યેના સમર્પણે પાયલને એ શીખવી દીધું જે સંપૂર્ણ સ્વસ્થ માણસ પણ શીખી શકતો નથી! અને એ શીખ હતી, ગમે તેવી પરિસ્થિતિ સામે દ્રઢ મનોબળ થકી લડી લેવું અને આગળ વધી જવું. અને એ જ શીખ સાથે આજે આ દીકરીએ બેંગકોંગમાં યોજાયેલી વર્ડ આર્ચરી પેરા સીરિઝમાં ગોલ્ડ-મેડલ મેળવી લીધો. એ પણ પોતાની જ આઇડિયલ શીતલદેવીને પાછળ રાખીને! 

   પાયલ નાગની આ વાર્તા ખેલદિલીની, એક ગુરુએ પોતાના શિષ્યમાં જોયેલી સંભાવનાઓની વાર્તા છે, એક શિક્ષકને પણ જો પોતાના વિદ્યાર્થીઓમાં રહેલી આવી જ કોઈ સંભાવના દેખાય જાય અને તે પોતાના વિદ્યાર્થીઓમાં પાયલ નાગ જેવી જ્ઞાનની આગ પ્રગટાવી શકે તો આપણી ખોવાઈ ગયેલી ગુરુ-શિષ્ય પરંપરા આપણને પાછી મળી જશે. કેમ ખરું ને?

 હવે આ દીકરીની આંખોમાં એશિયન ગેમ્સ 2026 અને પેરાઓલમ્પિક 2028ના સપનાઓ ઠેકડા મારી રહ્યા છે.

 

at April 17, 2026 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કોનસા જહા તુમ ચલે ગયે...

    ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કોનસા જહા તુમ ચલે ગયે.. હેડિંગ:            સોસિયલ મીડિયા પર વિદેશમાં ભણવા જવાની જાહેરાતોથી ભરમાઈને કે પછી ...

  • સેક્સનું સૌંદર્ય બ(બા)ળત્કારની વિકૃતિમાં શા માટે ફેરવાય જાય છે?
      સેક્સનું સૌંદર્ય બ(બા)ળત્કારની વિકૃતિમાં શા માટે ફેરવાય જાય છે?                      આટકોટ નજીકના એક ગામમાં સાત વર્ષની બાળ...
  • (no title)
       જે બીજા લોકો માટે અઘરું છે, એ શું આપણા માટે સરળ છે?                જિંદગીમાં સૌથી સરળ હોય છે , બીજાને સમજાવવાનું અને સૌથી અઘરું હોય છે, ...
  • માતા-પિતા, શાળા, સમાજ, બાળકો અને સ્માર્ટફોન.........
      માતા-પિતા, શાળા, સમાજ,       બાળકો અને સ્માર્ટફોન.........       આયર્લેન્ડ ર્માં ગ્રેસ્ટોન્સ નામનું એક ગામ છે , જ્યાના બાળક...

roopalmehta.blogpost.com

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments
Powered By Blogger

roopalmehta.blogpost.com

buletin board

હું અહીં જુદા જુદા તાજેતરના વિષયો પર લેખ લખીશ અને પ્રેરણાદાયી વિડીયો મૂકીશ.

Popular Posts

  • પ્રેમમાં પડેલા છોકરા,છોકરી અને આપણે,
          The greatest way to live with honour in this world is to be what we pretend to be.”  ―  Socrates ,  Essential Thinkers - Soc...
  • જ્ઞાતિવાદ, ભારત અને આપણે
     ભગવદગીતામાં કૃષ્ણ ભગવાને ચાર સરસ મજાના વાક્યો કહ્યા છે, જેનું આપણે સામાન્ય રીતે કરીએ છીએ તેમ જ ખોટું અર્થઘટન કર્યું અને આજે એ અ...
  • લોકશાહી,પ્રજા,સરકાર અને આપણે,
           લોકશાહી એટલે શું? આ પ્રશ્નનો સૌથી પહેલો જવાબ આપણને નાગરિક-શાસ્ત્ર ભણતા ત્યારે મળ્યો. અબ્રાહમ લિંકન ની એક બહુ જાણીતી...
  • શિક્ષણના ત્રણ પાયા અને આપણે,
    શિક્ષણના ત્રણ પાયા અને આપણે, દરેક દેશની સમાજવ્યવસ્થાનો સૌથી મજબુત પાયો એની શિક્ષણવ્યવસ્થા હોય છે. કોઈપણ દેશમા વ...
  • માતા-પિતાની મહત્વાકાંક્ષા સંતાનો અને આપણે,
    માતા-પિતાની મહત્વાકાંક્ષા સંતાનો અને આપણે,               બુધવારે એસ.વાય. બી.એ. માં રવીન્દ્રનાથ ટાગોરનું ફેમસ કાવ્...
  • શિક્ષણ, પરિવર્તન અને આપણે
    શિક્ષણને રાષ્ટ્રમાં પરિવર્તન લાવનાર સૌથી અગત્યનું માધ્યમ ગણવામાં આવે છે.કોઈ પણ રાષ્ટ્ર એટલે આગળ છે, કારણકે તે શિક્ષિત છે.વિશ્વના ...
  • વેક્સીન માટેની સાઇટ
    https://www.cowin.gov.in/notfound  વેકિસન લેવા આ સાઈટ પર રજિસ્ટ્રેશન કરો.
  • ડિગ્રી આવડત અને આપણે,
         ડિગ્રી આવડત અને આપણે, હમણાં કે.બી.સી. માં એક એપિસોડ જોયો.એક ધો.૧૦ પાસ બહેને ૫૦લાખરૂ જીત્યા.આટલું ઓછું શિક્...
  • સલાહ સાથે સહકાર તો આપો!
    આજે એસ.વાય.બી.એ.માં ડેન્માર્કની શ્વેત-ક્રાંતિ ભણાવી અને ઉપરનું શીર્ષક યાદ આવી ગયું.ડેન્માર્ક આજે યુરોપનું ડેરીનું ખેતર ગણાય છે.વ...
  • જીવી લઈએ, જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!
      જીવી લઈએ , જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!                 પ્લેન ક્રેશ થયું , સેંકડો લોકો માર્યા ગયા. જેઓ પ્લેનમાં નહ...

Followers

buletinboard

buletin board

  • Home

Search This Blog

Search This Blog

buletin board

i am a teacher

My photo
buletin board
View my complete profile

Followers

Report Abuse

Labels

  • be

Blog Archive

  • June 2026 (2)
  • May 2026 (3)
  • April 2026 (4)
  • March 2026 (5)
  • February 2026 (4)
  • January 2026 (5)
  • December 2025 (6)
  • November 2025 (4)
  • October 2025 (4)
  • September 2025 (2)
  • August 2025 (2)
  • July 2025 (2)
  • June 2025 (3)
  • May 2025 (3)
  • April 2025 (3)
  • March 2025 (3)
  • February 2025 (3)
  • January 2025 (3)
  • December 2024 (3)
  • November 2024 (2)
  • October 2024 (2)
  • September 2024 (2)
  • August 2024 (4)
  • July 2024 (3)
  • June 2024 (2)
  • May 2024 (4)
  • April 2024 (4)
  • March 2024 (2)
  • February 2024 (4)
  • January 2024 (2)
  • December 2023 (3)
  • November 2023 (3)
  • October 2023 (1)
  • September 2023 (4)
  • August 2023 (3)
  • July 2023 (4)
  • June 2023 (3)
  • May 2023 (4)
  • April 2023 (5)
  • March 2023 (2)
  • February 2023 (3)
  • January 2023 (3)
  • December 2022 (2)
  • November 2022 (3)
  • October 2022 (2)
  • September 2022 (2)
  • August 2022 (3)
  • July 2022 (5)
  • June 2022 (3)
  • May 2022 (3)
  • April 2022 (4)
  • March 2022 (3)
  • February 2022 (1)
  • January 2022 (2)
  • December 2021 (2)
  • October 2021 (3)
  • September 2021 (3)
  • August 2021 (3)
  • July 2021 (3)
  • June 2021 (7)
  • May 2021 (17)
  • April 2021 (3)
  • July 2020 (2)
  • August 2019 (2)
  • April 2019 (2)
  • December 2018 (1)
  • October 2018 (1)
  • July 2018 (2)
  • June 2018 (2)
  • April 2018 (2)
  • March 2018 (2)
  • February 2018 (1)
  • January 2018 (2)
  • December 2017 (1)
  • November 2017 (6)
  • October 2017 (2)
  • August 2017 (1)
  • July 2017 (1)
Simple theme. Powered by Blogger.