Sunday 29 July 2018

ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને આપણે,.


ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને આપણે,


                                   



 ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, જો કદાચ દીવાર મુવીમાં અમિતાભ બચ્ચન શશીકપૂરને પૂછે છે મેરે પાસ બંગલા હે, ગાડી હે, એશોઆરામ હે સબ કુછ હે તુમ્હારે પાસ ક્યાં હે? અને શશીકપૂર જવાબ આપે છે, કે મેરે પાસ ‘મા’ હે, એમ જ જો પ્રાચીનયુગના લોકો આધુનિક યુગના લોકોને પૂછે કે હમારે પાસ સંસ્કૃતી થી, સભ્યતા થી, મનકી શાંતિ થી, અચ્છે સે અચ્છી શિક્ષણતરાહ થી, અચ્છે સે અચ્છી શસ્ત્રવિદ્યા થી, એક આદર્શ સમાજવ્યવસ્થા થી એક સુંદર કુટુંબવ્યવસ્થા થી,etc.. તુમ્હારે પાસ આજ ક્યાં હે? તો આપણે જવાબ દઈશું હમારે પાસ “ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ” હે! કેમ ખરું ને મિત્રો? માનવીએ પોતાની બુદ્ધીક્ષમતાઓનો ઉપયોગ કરી માનવજીવનને સરળ અને સુખી બનાવવા અનેક ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ બનાવ્યા છે. અને આજે એ ગેઝેટ્સ વગરની આપણી દુનિયાની કલ્પના પણ થઇ શકે એમ નથી. આપણે આપણી જિંદગીને સગવડભરી બનાવવા માટે આ સાધનોનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને આજે તો આ તમામ સાધનો આપણા સૌ માટે જિંદગીની રોટી,કપડા અને મકાન પછીની ચોથી જરૂરિયાત બની ચુકી છે. ઘણા ને તો જમવા ના આપો તો ચાલે પણ મોબાઇલ,ટી.વી. ટેબ્લેટ તો જોઈએ જ. માણસ આ સાધનો થકી જ એકબીજાની નજીક આવ્યો છે અને આ સાધનો થકી એકબીજાથી દુર જઈ રહ્યો છે. આ બધા સાધનો એટલી હદે આપણી જરૂરિયાત બની ગયા છે કે હવે આપણી આદત અને સ્ટેટસ બની ચુક્યા છે. નાના બાળકથી માંડી યુવાનો અને યુવાનો થી માંડી વૃદ્ધો સુધીની પ્રત્યેક વ્યક્તિઓ આ ગેઝેટ્સના ચક્કરમાંથી બહાર આવી શકે એમ લાગતું નથી. હકીકત તો એ છે કે માનવજીવનને સરળ બનાવવાના ચક્કરમાં આપણે એને વધુ કોમ્પ્લેક્ષ બનાવી મુક્યું છે. આમપણ આ દરેક તો એક સાધન છે, આપણે એનો જેવો ઉપયોગ કરીશું એવું પરિણામ મળશે. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સારા કરતા ખરાબ વધુ ઝડપથી કેપ્ચર કરી લઈએ છીએ. આ કોઈ નેગેટીવ વાત નથી પણ આજે જે રીતે લોકોને આ ગેઝેટ્સ પાછળ પાગલ થતા જોઈએ છીએ એટલે એવું લાગે છે.
 હમણાં અમારા ગ્રૂપ દ્વારા એક વકતૃત્વ-સ્પર્ધાનું આયોજન કરેલું જેમાં ત્રણ વિષયો આપેલા ૧) જળ એ જ જીવન, ૨) પ્લાસ્ટિક હટાવો,પર્યાવરણ બચાવો.૩) આજના માતા-પિતા પોતાના સંતાનોને શું આપી રહ્યા છે, સંસ્કાર કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ? સૌથી વધુ સ્પર્ધકો આ છેલ્લા વિષય પર બોલ્યા. અને બધાનું કેવું એ જ હતું કે ઘરમાં વડીલો સંસ્કારને બદલે ગેઝેટ્સ જ આપે છે. આમ તો સંસ્કારો અને ગેઝેટ્સ વચ્ચે કોઈ સંબંધ નથી પણ આપણી જૂની પ્રથા મુજબ આપણે બધો દોષ આ ગેઝેટ્સ પર જ નાખી દઈએ છીએ. બાળકો બગડે,યુવાનો બગડે,છોકરીઓ બગડે વગેરે માટે આ સાધનોને જ જવાબદાર માનવામાં આવે છે. કોઈ સંત પ્રવચન આપે,કોઈ ધર્મગુરુ સારીવાત સમજાવે, કોઈ મોટીવેશનલ સ્પીકર સાચી વાત સમજાવે બધા એક જ વાત કહે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ ને લીધે આપણું અને આપણા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે.હવે મિત્રો વાત મજાની છે કે આ બધું જે માધ્યમ થકી આપણા સુધી પહોચે છે એ ઇલેક્ટ્રોનિક જ છે. જો આ સાધનો આટલા જ ખરાબ હોય તો શા માટે આપણે સૌં તેનો ઉપયોગ ટાળતા નથી. હકીકત તો એ છે કે અપડેટ રહેવા આપણે સૌ આ સાધનોનો ઉપયોગ કરીએ જ છીએ. જેણે પોતાના સંતાનોને સંસ્કાર આપવાના છે એ માતા-પિતા પણ એ જ જાળમાં ફસાયેલા છે. બાળકો તોફાન ના કરે,મસ્તી ના કરે,જમી લે એવા કાર્યો માટે માતા-પિતા બાળકોને ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ પકડાવી દે છે અને પછી બાળકોને આદત પડી જાય એટલે તેઓ જ રાડો પાડતા રહે છે. ઘરમાં જેટલા સભ્યો એટલા ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ હોય છે. અરે ઘણા ઘરોમાં તો જેટલા રૂમ એટલા ટી.વી. હોય છે. અને આમપણ તમે માર્ક કરજો આજથી ૫-૭ વર્ષ પહેલા લોકો ટી.વી. ને દોષ આપતા હવે એ દોષ મોબાઇલ,ટેબ્લેટ કે આઈ-ફોન પર ટ્રાન્સફર થઇ ગયો છે. જેમ આકાશમાંના ગ્રહો માણસને નડતા રહે છે એમ જાણે આ સાધનો જાણે માણસની જિંદગીને ગ્રહણ લગાડતા રહે છે. પણ લોકોને ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ પ્રત્યેના પૂર્વગ્રહો વધુ નડે છે.
  આમપણ કોઈપણ નવી શોધ કે સંસોધન માણસ જીવનને ઉપયોગી બનવાના ઈરાદાથી જ થઈ હોય છે. પણ આપણે જ એનો ગલત ઉપયોગ શોધી લઈએ છીએ. ટી.વી. માં ઘણી સારી વાતો પણ આવે છે પણ આપણે એમાંથી માત્ર ફેશન,દેખાદેખી કે ગલત બાબતો જ લઈએ તો એ વાંક આપણો ગણાય. એવું જ અન્ય સાધનોનું છે. મોબાઈલની શોધ વગર દોરડે વાતો કરવા થઇ હતી પણ આપણે તો એનો મૂળ ઉપયોગ જ ભૂલી ગયા છીએ. સેલ્ફી પાડતા પાડતા કોઈ પડી જાય કે મરી જાય તો એ કોની ભૂલ ગણાય. બાળકો કે યુવાનો સારામાં સારા વિડિયોઝ છોડી માત્ર પોર્ન વિડીયો જ જુએ( જોકે બધા જ એવા નથી હોતા) તો એમાં ભૂલ કોની? અરે ઘણા માતા-પિતા તો પોતાનું સ્ટેટસ ઊંચું બતાવવા સંતાનોને મોંઘામાં મોંઘા સેલફોન ખરીદી આપે છે. અરે એમાં સંતાનો શું જુએ છે? એની પણ તેઓ દરકાર રાખતા નથી. એમાં પણ જો સંતાન કારકિર્દીના અગત્યના વર્ષમાં હોય તો માતા-પિતા અને સંતાનો વચ્ચે આ બાબતે રોજ બબાલ થતી રહે છે. તમે બાળકોને સાધનો આપો પણ સાથે સાથે એના ફાયદા-ગેરફાયદા પણ જણાવવા. જેથી તેઓ તેના ઉપયોગ બાબતે સજાગ રહે. આપણે સૌ માર્ક કરીશું તો ખબર પડશે કે બાળકો અને યુવાનો આ ગેઝેટ્સની મદદથી કોઈપણ બાબત સરળતાથી સમજી શકે છે અને શીખી શકે છે તો આપણે એનો ઉપયોગ આ બાળકોને સારું શીખવાડવામાં કરી શકીએ. ટી.વી. માં કે મુવીમાં આવતા ગીતો એને કેવા ફટાફટ યાદ રહી જાય છે. તો આપણે જે કંઈપણ એને સારું શીખવાડવું છે, એ રસપ્રદ બનાવીને શીખવી શકીએ. બધો વાંક આ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સનો કાઢવા કરતા એ ગેઝેટ્સનો સારો ઉપયોગ કરતા શીખીએ.
     આજે જ છાપામાં એક આર્ટીકલમાં સરસ વાચ્યું માણસ કદી સાવ સારો કે સાવ ખરાબ નથી હોતો. આતો આપણી કોઈ તરફ દોરવાઈ જવાની વૃતિ જ માણસને પૂજનીય બનાવી દે છે. પણ જેને આપણે પૂજનીય માનીએ છીએ એ વ્યક્તિ પણ ક્યારેક તો કોઈ ભૂલ કરી જ બેસે છે. તેમ જ આ સાધનોનું છે, સાધનો ક્યારેય આપણને તેના ગેરઉપયોગ તરફ વાળતા નથી એ તો આપણે જ છીએ જે એનો ઉપયોગ સમજી શકતા નથી. માટે બીજાની બાબતોથી દોરવાઈ ના જવું અને આ સાધનોને બિચારાને દોષ ના દેતા રહેવું. સંસ્કારો જેની પાસેથી મળવા જોઈએ ત્યાંથી જ આપવા. આમપણ બાળક તો કોરી સ્લેટ છે, જેવું લખીશું લખાશે.અને હા સંસ્કારો બગડવા માટે આ સાધનો નહિ પણ આપણે ખુદ જવાબદાર છીએ. માટે આ સાધનોનો યોગ્ય ઉપયોગ કરો અને જલસા કરો. હું આ લેખ પણ તમારા સુધી ફેસબુક,બ્લોગર કે whatsapp દ્વારા જ પહોચાડીસ. છે ને કમાલ. કોઈ માણસને ખરાબ કહીએ તો એ આપણી સાથે ઝઘડે કે સંબંધ તોડી નાખે. આ બિચારા સાધનોને આપણે કેટલું વગોવીએ, પણ છતાં તેઓ આપણને મદદ કરતા રહે. તમે કહેશો એ તો મશીન છે. પણ વાત સમજજો મશીન મશીન છે અને આપણે.....................

·         We cannot get grace from gadgets. In the Bakelite house of the future, the dishes may not break, but the heart can. Even a man with ten shower baths may find life flat, stale and unprofitable.



Saturday 14 July 2018

માતા-પિતાની મહત્વાકાંક્ષા સંતાનો અને આપણે,


માતા-પિતાની મહત્વાકાંક્ષા સંતાનો અને આપણે,


             


<b>Over</b>-<b>Ambitious</b> <b>Parents</b> stock illustration. Illustration of force - 66475834

બુધવારે એસ.વાય. બી.એ. માં રવીન્દ્રનાથ ટાગોરનું ફેમસ કાવ્ય ચાલતું હતું, “ where the mind is without fear” જેમાં ચિતને ભયથી દુર રાખવાની વાત કહેલ છે. મસ્ત કાવ્ય છે. ભણાવતા-ભણાવતા મેં બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, ચાલો કહો તમને સૌથી વધુ ડર શેનો લાગે છે? બધાએ જવાબ આપ્યા, કોઈકે કહ્યું પાણીનો,કોઈકે કહ્યું આગનો, કોઈકે કહ્યું મરવાનો. બધાએ અલગ-અલગ જવાબ આપ્યા. પણ એક જવાબ જેણે મને આજે લખવાની પ્રેરણા આપી અને એ છે “ મને મારા માતા-પિતાની મહત્વાકાંક્ષાઓનો ડર લાગે છે.” હું જયારે ભણવા બેસું મને એવું લાગે છે, હું તેઓની અપેક્ષાઓ નહિ પૂરી કરી સકું તો? અને તેના લીધે મારા જીવનમાં નકારાત્મક વિચારો આવી જાય છે. ને હું હતાશ અને નિરાશ થઇ જવ છું. આ જવાબ લગભગ આજના ૯૦% વિદ્યાર્થીઓનો હોય છે. આપણે સૌ જાણીએ છીએ, ડરને લીધે કોઈપણ કામ સરખું થઇ શકતું નથી. આપણે જેનાથી ડરીએ છીએ, તેને કદી પૂરેપૂરું આપી શકતા નથી. તો પછી માતા-પિતા શા માટે પોતાના સંતાનોને પોતાના સપનાઓ પુરા કરવાનું મશીન સમજતા હશે અને બાળકો પર પોતાના વિચારો ફરજીયાત લાદતા હશે. અને એ પણ કોઈક સાથે સરખામણી થવાને લીધે. હકીકત તો એ છે કે માતા-પિતા સંતાનોને બજારમાં એક ચલણી સિક્કો બનાવી દેવાની દોડમાં એના અસ્તિત્વને છિન્નભિન્ન કરી દે છે. સંતાનોને ખુદની જિંદગી જીવવા મળતી નથી. તેઓ સતત માતા-પિતાની મહત્વાકાંક્ષા હેઠળ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે છે. માતા-પિતા એ નહિ સમજતા કે સંતાનોને પોતાની પણ કોઈ ઈચ્છાઓ, સપનાઓ હોય છે. છે કોઈ ક્ષેત્ર એવું જે તેને બહુ ગમતું હોય છે, પણ એ દુનિયાની દ્રષ્ટીએ કે બજારની દ્રષ્ટીએ બહુ ઉપયોગી નહિ હોવાને લીધે, માતા-પિતા સંતાનોના એ સપનાઓને ‘સ્પેસ’ જ આપતા નથી. મોટાભાગના ઘરોમાં આ બાબતે માતા-પિતા અને સંતાનો વચ્ચે ‘વિશ્વયુદ્ધ’ થતા રહે છે. અને તેઓ વચ્ચે ગેપ વધતો જાય છે. માતા-પિતાની મહત્વાકાંક્ષા સાથે મેળ નહિ પડતો હોવાથી મોટાભાગના બાળકોને શિક્ષણ પ્રત્યે નફરત થઇ જાય છે. દર વર્ષે લાખો બાળકો માતા-પિતાની મહત્વાકાંક્ષાને લીધે પોતાનું મનપસંદ શિક્ષણ કે જીવન મેળવી શકતા નથી. બીજાની સરખામણીએ મારું સંતાન પાછળ ના રહી જાય એ જ તેઓનું એકમાત્ર ધ્યેય હોય છે. તેઓ પોતાના સંતાનોને રેસના ઘોડાથી વિશેષ કશું સમજતા હોતા નથી. ગમે તે રીતે સંતાનોને રેસ જીતવાની છે, આગળ વધવાનું છે. પછી ભલે એ રેસમાં રસ હોય કે ન હોય!
 મોટાભાગે માતા-પિતા બાળક જન્મે એ પહેલા જ તેનું ભવિષ્ય નક્કી કરી લેતા હોય છે. મારો દીકરો કે દીકરી આમ જ કરશે અને આમ જ બનશે. તેઓને ખબર નથી હોતી કે જે જન્મવાનું છે, એ સ્વતંત્ર અસ્તિત્વ સાથે જન્મશે. આપણે એને જન્મ આપીએ છીએ,પણ એનું ભવિષ્ય એને જાતે નક્કી કરવાનું છે.વળી મોટાભાગના માતા-પિતા પોતાના બાળકોને કા તો ડોક્ટર અને કા તો એન્જિનિયર જ બનાવવા ઈચ્છતા હોય છે, જાણે આ સિવાય બીજું કઈ તેઓનું ભવિષ્ય જ ના હોય એવું લાગે! આવી મહત્વાકાંક્ષાને લીધે બાળકોનું અસ્તિત્વ સતત ભૂંસાતું રહે છે. તું આમ કર આમ ના કર એવું કહી માતા-પિતા સંતાનોને ટોકતા રહે છે અને સંતાનો ઘણીવાર એને લીધે પોતાનું અસ્તિત્વ બનાવી શકતા નથી.દરેક વાલીએ એ સમજવું જોઈએ કે તેઓ પોતાના સંતાનોના વોચમેન નથી, પણ માળી છે. જેમ માળી ફૂલને ખીલવાની પૂરી તક આપે છે, એ ફૂલને પાણી, સૂર્યપ્રકાશ,હવા બધું સમયાંતરે આપે છે, જેથી ફૂલ એની પૂર્ણ કક્ષાએ ખીલી શકે. એ ફૂલો વચ્ચે કદી સરખામણી નહિ કરે. એમ જ આપણે પણ આપણા સંતાનોને સમયાંતરે જરૂરી બધું જ આપવું પણ એ આપણી રીતે જ ખીલે એવી અપેક્ષા કદી ના રાખવી. જેમ દરેક ફૂલને પોતાનું સોંદર્ય,મહેક હોય છે, એમ જ દરેક બાળકને પોતાનું વિશ્વ હોય છે. કોઈ રમતમાં હોશિયાર તો કોઈ કળામાં તો કોઈ ભણવામાં હોશિયાર હોય છે, સૌને સૌનું ક્ષેત્ર પસંદ કરી લેવા દેવું જોઈએ. તમે માર્ક કરજો જે માતા-પિતાએ પોતાના બાળકોને આવી ક્ષમતા પારખી ઉછેર્યા છે, તેઓ આજે સફળ છે. જે તે ક્ષેત્રમા આગળ છે. તો પછી શા માટે બાળકોને મહત્વાકાંક્ષા ના બોજ નીચે કચડી દેવા. એ જે છે એ પણ ભૂલી જશે. એક ડર હમેંશા તેની સાથે વિકસતો રહેશે, કે હું મારા માતા-પિતાની આંકાક્ષાઓ પૂરી નહિ કરી સકું તો શું થશે? એ બીકે ઘણા બાળકો પોતાનું બાળપણ,યુવાની બધું જ ગુમાવી બેસે છે!
     એક માતા-પિતા તરીકે સમાજમાં આપણે આપણા બાળકોને હમેંશા એક ઢાંચામાં ઢાળવાના પ્રયત્નો કરતા રહીએ છીએ અને એટલે જ જનરેશન ગેપ વધતો જાય છે. એવી ખાઈ બંને વચ્ચે બનતી જાય છે જે રોજેરોજ વધુને વધુ ઊંડી બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતા અને સંતાનોના સપનાઓ ટકરાતા રહે છે અને બંને પક્ષે હતાશા,નિરાશા વધતી જાય છે. ઘણા મા-બાપ સંતાનોને “સ્ટેટસ અપડેટ” માનતા હોય છે. દુનિયાને દેખાડી દેવાના ચક્કરમાં તેઓ પોતાના સંતાનોને સ્ટેટસનું પ્રેશર આપતા રહે છે, જેને લીધે બાળકો વધુ ટેન્શનમાં રહે છે. તેઓ બાળકોને પાંખ તો આપે છે, પણ ઉડવા આકાશ આપતા નથી. મહત્વાકાંક્ષાની બેડીઓ સંતાનોના આકાશને સીમિત કરી દે છે. ઘણા ઘરોમાં તો વિચારોની બારીઓ ખોલવાની પણ છૂટ નથી હોતી. માતા-પિતા પોતાના સંતાનોનું જીવન ‘ડીઝાસ્ટર મેનેજમેન્ટ’ ની સૂચનાઓ જેવું કરી દે છે, આમ કરાય અને આમ ના કરાય. સંતાનોને હરહમેંશ એવું લાગ્યા કરે કે કોઈ અદ્રશ્ય સ્વરૂપે એની પાછળ ફરતું રહે છે, જે એને વિકસવા દેતું નથી. તું અમારી આશા છે એવું જયારે કોઈ માં-બાપ પોતાના સંતાનને કહે છે એ સંતાન પોતાના જીવનની આશા ગુમાવી બેસે છે. આપણે એને માત્ર ચાલવા શીખવવાનું છે, રસ્તાઓ એને જાતે શોધવા દેવાના છે, આપણે એને રક્ષણ આપવાનું છે બાકી એ પોતાનું અસ્તિત્વ જાતે શોધી લે છે. હકીકત તો એ છે કે આપણે તેઓને વારસામાં મિલકત કે અપેક્ષાઓ નહિ પણ એને જાતે વિકસવાની તકો આપવાની છે. એને નક્કી કરવા દેવાનું છે કે એને શું બનવું છે? ચાણક્ય એ કહ્યું છે, એમ “Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend.Your grown up children are your best friends.”  આજથી હજારો વર્ષ પહેલા આપેલુ આ જ્ઞાન આજે આપણે ખાસ અમલમાં મુકવાની જરૂર છે.  
ખલીલ જિબ્રાન ની કવિતા આપણે સૌએ ખાસ યાદ રાખવી રહી,
Your children are not your children. The by Khalil Gibran ... 

  
 


તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...