Monday 13 November 2017

જ્ઞાતિવાદ, ભારત અને આપણે




discrimination text on white paper with disabled people around

 ભગવદગીતામાં કૃષ્ણ ભગવાને ચાર સરસ મજાના વાક્યો કહ્યા છે, જેનું આપણે સામાન્ય રીતે કરીએ છીએ તેમ જ ખોટું અર્થઘટન કર્યું અને આજે એ અર્થઘટન આપણા દેશના વિકાસમાં સૌથી મોટો અવરોધ બની ગયો છે.જોઈએ એ ચાર વાક્યો અને સમજીએ,
૧)  જેનામાં જ્ઞાન હોય, જેણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય,જે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતો હોય,જેને કર્મકાંડ આવડતા હોય તે બ્રામ્હણ.
૨) જે સાહસિક હોય, જે દેશનું રક્ષણ કરવા સક્ષમ હોય, જે શુરવીર હોય તે ક્ષત્રીય.
૩) જે વેપારીવૃતી ધરાવતો હોય, જેનામાં વેપારનું જ્ઞાન હોય તે વૈશ્ય.
૪) જે હીન વૃતિ ધરાવતો હોય, જેના વિચારો નિમ્ન કક્ષાના હોય તે ક્ષ્રુદ્ર.
પણ આપણે આ વાક્યોનું ઊંધું કરી નાખ્યું અને સમગ્ર સમાજ જે કર્મ આધારિત વ્યવસ્થા ધરાવતો હતો તે જન્મ આધારિત વર્ણવ્યવસ્થામાં બદલાય ગયો અને એ સાથે જ આપણો સમાજ એવો વહેચાઈ ગયો જે આજ સુધી એક થઇ શક્યો નથી.આપણી જ્ઞાતિવાદની આ પરંપરાને લીધે આજે પણ આપણે ‘એકતા’ નું મુલ્ય સમજી શક્યા નથી. કૃષ્ણના સમયમાં પણ આ જ્ઞાતિવાદ હતો જ. કર્ણ સાથે થયેલો અન્યાય એનો પૂરાવો છે.એટલે જ ભગવાને ભગવદગીતામાં કહ્યું છે, “ ગુણ ને કર્મ કર્યા પ્રમાણે બ્રામ્હણ, ક્ષત્રીય,વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની રચના કરી છે.” હવે તમે જ કરો આનું અર્થઘટન એટલે સમજાશે. આપણી સમાજવ્યવસ્થા ટોટલ કર્મ આધારિત હતી પણ આપણે એને જન્મ આધારિત કરી સામેથી મુશ્કેલીઓ ઉભી કરી.જેવા કર્મ એવો વર્ણ! પણ આપણે એ ન સમજયા અને પરિણામ તમારી સામે છે. આજે આપણો સમાજ એટલી બધી જ્ઞાતિઓ વચ્ચે વહેચાઈ ગયો છે કે રોજ એક નવી જ્ઞાતિ અને નવો નેતા ઉભો થઇ જાય છે.આપણી આજની ચૂંટણીઓ સમગ્રપણે જ્ઞાતિવાદના નામે લડાય છે. ચૂંટણી એ તંદુરસ્ત લોકશાહી માટે પૂર્વશરત છે,પણ આપણી ચૂંટણીઓ જીતવા માટે ‘જ્ઞાતિવાદ’ પૂર્વશરત બની ગયો છે. ચૂંટણી થકી આપણે આપણા દેશનું ભાવી નક્કી કરતા હોઈએ છીએ.આપણા ચૂટેલા પ્રીતીનીધિઓ જ દેશનો વહીવટ કરતા હોય છે.આપણે આપણા વોટનું મુલ્ય સમજતા નથી બાકી એવી સરકાર રચી શકાય જે પ્રગતિના નામે લડે નહિ કે માત્ર જ્ઞાતિવાદના નામે.
આપણી લોકશાહી આપણને સમજણ વગરની મળી ગઈ છે. ખરેખર આપણે લોકશાહી એ શબ્દને સમજી જ શક્યા નથી.આપણે ત્યાં અભણ તો ઠીક પણ ભણેલા પણ ‘જ્ઞાતિવાદને’ છોડી શકતા નથી.તમે જ વિચારજો મત દેતી વખતે તમે કેટલા સ્વતંત્ર રીતે મત આપો છો.ઘરના વડીલ કે જ્ઞાતિનો કોઈ આગેવાન કે તેને મત આપીએ છીએ. આપણી ચૂંટણીઓ ક્યારેય તટસ્થતાથી લડાતી નથી.જે વિસ્તારમાં જે જ્ઞાતિનું સંખ્યાબળ વધુ હોય તે જ્ઞાતિના ઉમેદવારો જીતે છે. ઘણીવાર તો જ્ઞાતિના નામે આવા ઉમેદવારો ખોટા આંદોલનો કરાવી જે તે રાજ્યની પરિસ્થિતિ પણ વિષમ બનાવતા રહે છે.માત્ર સંખ્યા બળને આધારે તેઓ ફાયદો ઉઠાવી પોતાના અંગત પૂર્વગ્રહો ને આપણા દ્વારા પોષતા રહે છે, અને આપણે એનો હાથો બનતા પણ રહીએ છીએ.ચૂંટણી માં મુદા દેશની પ્રગતિના હોવા હોઈએ એને બદલે જ્ઞાતિવાદના જ રહે છે.જ્ઞાતિવાદ ને વેગ આપી આપણે દેશની પ્રગતિનો ગ્રાફ ઘટાડતા રહીએ છીએ.જ્ઞાતિવાદ આપણી લોકશાહી માટે કેન્સર જેવું બની ગયું છે. જે ધીમે ધીમે દેશની તંદુરસ્તીને અસર કરી રહ્યું છે. દુખની વાત તો એ છે કે દેશના યુવાનો આ રસ્તે સૌથી આગળ છે.પોતાની જ્ઞાતિના સંખ્યાબળને આધારે તેઓ રાષ્ટ્રને નુકસાન પહોચાડતા રહે છે. જે ભગવદગીતાને આપણે સૌથી આધારભૂત ગ્રંથ ગણીએ છીએ તેની આવી સુંદર બાબતનું આપણે સાવ ખોટું અર્થઘટન કરી રહ્યા છીએ.
આજે આપણો દેશ આવા ખોટા મુદાને રવાડે ચડી ગયો છે, અને મુળ મુદ્દાને ભૂલી ગયા છીએ.જ્ઞાતિવાદ એ ભારતના દરેક રાજકીય પક્ષની માનીતી ‘વોટબેંક’ બની ગઈ છે.દરેક પક્ષ પોતાની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે.જ્ઞાતિવાદ એ આપણા દેશની મજબૂતીને ઉધઈ બની કોરી રહી છે.દેશને પોલો કરી રહી છે.તમે જ વિચારો તમે વોટ દેવા જાવ ત્યારે કદી આ બધી બાબતો વિચારો છો ખરા! હું જેને મત આપું છું, તે નેતામાં મારી જ્ઞાતિ સિવાય પણ કોઈ ક્વોલિફિકેશન છે ખરી? હું જેને મત આપું છું એ ખરેખર આ પદને લાયક છે ખરા? એવું વિચારવાને બદલે આપણે પણ જ્ઞાતિવાદને પોષતા રહીએ છીએ. એટલું યાદ રાખજો જે પ્રજા પોતાનામાં રહેલા દુષણોને જાતે દુર નથી કરતી તે હમેંશા અવિકસિત જ રહે છે.હકીકત તો એ છે કે પછાત આપણે નથી આપણી વિચારધારા જ પછાત છે, જે દુષણો સામે નવા વિચારોને ટકવા દેતી નથી.જો આપણે વિકસવું હશે તો કર્મ આધારિત સમાજ વ્યવસ્થા પાછી લાવવી પડશે. કૃષ્ણ ભગવાને જે કર્મ આધારિત સમાજની સમજણ આપી હતી તેને ધ્યાનમાં લેવી પડશે.માણસના જન્મના કુળને બદલે કર્મને મહત્વ આપવું પડશે, માણસ તેના કર્મથી મહાન છે,નહિ કે જન્મથી એ સમજવું પડશે.


  Discrimination is not done by villains. It's done by us
Read more at: https://www.brainyquote.com/quotes/quotes/v/viviennemi822199.html?src=t_discrimination

No comments:

Post a Comment

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...