Sunday 26 November 2017

પ્રેમમાં પડેલા છોકરા,છોકરી અને આપણે,


 

  The greatest way to live with honour in this world is to be what we pretend to be.” 
― SocratesEssential Thinkers - Socrates

મારા એક વિદ્યાર્થીનું સુરતમાં ખૂન થઇ ગયું. બે દિવસ પહેલા એનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.૨૨ વર્ષનો છોકરો હતો.,બે ભાઈઓ છે. એમાં આ નાનો છે.જોયેલા ચહેરા કાયમ માટે જાય એટલે આંખ સામા તરે.એના ખૂન નું કારણ “પ્રેમ-પ્રકરણ” એ કોઈ છોકરીને લવ કરતો હતો,એ છોકરીના કાકા એ  મરાવી નાખ્યો.સવાલ એ છે કે જયારે કોઈ પ્રેમ-પરાક્રમ પકડાય વાંક શું એક જ પક્ષનો હોય છે? હું પ્રેમને પ્રકરણ નહિ પરાક્રમ માનું છું, આપણા સમાજમાં તો એ પરાક્રમ જ ગણાય! આપણે ત્યાં મોટા ભાગે જ્ઞાતિ બહારના લગ્નો સ્વીકારવામાં આવતા નથી. એમાયે અમુક જ્ઞાતિને જાણે પ્રેમ કરવાનો અધિકાર જ ના હોય એવું લાગે. પ્રેમ કરનાર જાણે કોઈ ગુનેગાર હોય એવું વર્તન કરવામાં આવે છે.કૃષ્ણ-રાધાના પ્રેમ ને હોશે હોશે ભજનાર લોકો આપણા પ્રેમ-પરાક્રમોને સ્વીકારતું નથી.ઘણા કહે છે, પેલા કરતા હવે સારું છે. માતા-પિતા માની જાય છે. તો પછી આ “ઓનર-કિલિંગ” શબ્દ આવ્યો ક્યાંથી? માં-બાપ માટે પોતાનું માન શું દીકરા-દીકરીઓના જીવ કરતા પણ વધુ વહાલું હોય છે! કે પછી તેઓને ન માનવાની સજા આપવામાં આવે છે.આનો મતલબ તો એ થયો કે સંતાનો તમારું માને તો સારું નહિ તો એ ખરાબ! હા ઘણી વાર સામેનું પાત્ર ખરાબ હોય ને માં-બાપ વિરોધ કરે તો યોગ્ય છે,પણ એવું તો ઘણીવાર એરેન્જ મેરેજ માં પણ થઇ શકે ખરું! અને ચાલો કદાચ સંતાન થી પ્રેમ-લગ્ન કરવામાં ભૂલ થઇ જાય તો શું એને માફ કરી સ્વીકારી ના શકાય? પાછા તેઓને ઘરમાં સ્થાન ના આપી શકાય? આવા સમયે જ સંતાનોને માતા-પિતા ની જરૂર હોય છે,પણ નહિ માતા-પિતા ઘરના દરવાજા કાયમ માટે બંધ કરી સંતાનોને ભૂલની સજા આપવામાં લાગી જાય છે.ને અંતે ઘણીવાર સંતાનો આત્મ-હત્યા કરી લે છે.
ને હવે નવું ચાલ્યું છે, જો છોકરી કોઈ છોકરાને લવ કરતી હોય અને કુટુંબના સભ્યોને લાગે છોકરો નીચલી જ્ઞાતિ કે પોતાના લેવલ નો નથી તો એને મારી નાખવામાં આવે છે. શું હત્યા એ દરેક પ્રશ્નનો હલ છે? કદાચ આવી ઘટનાઓ ને આપણે “ઓનર મર્ડર” પણ કહીશું. મને એ નથી સમજાતું કેવું માન અને કેવું સન્માન જે કોઈના જીવન કરતા પણ શું ઊંચું હોય શકે? માત્ર માન જાળવવા કોઈની હત્યા કરી નાખવી એ કેટલું વાજબી છે, આવા લોકોને તો જાહેરમાં ફાંસી થવી જોઈએ.અને મૂળ વાત તો એ છે કે એક પક્ષનો જ શું વાંક હોય છે? એ ૨૨ વર્ષનો દીકરો ગુમાવનાર કુટુંબની શું હાલત થઇ હશે! એ માં ની કલ્પના કરો જેને પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો હશે! એ બાપ ની વ્યથા કોણ સમજશે જેને દીકરાને ઘોડીએ ચડાવવાના સપના જોયા હશે, એને દીકરાને અર્થી પર જોયો હશે, એ ભાઈ-બહેન નું શું જેને પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવ્યો. મને એટલી ખબર પડે હત્યા કોઈ ભૂલ માટે કદી આખરી ઉપાય નથી હોતો.અને આવી બાબતમાં તો બંને એટલા જ જવાબદાર હોય છે,તો પછી એક ને જ કેમ સજા મળે અને એ પણ આવી. આવા કિસ્સા તો દેશમાં દર વર્ષે અનેક બનતા હશે,ઘણા બહાર પડતા પણ નહિ હોય. કેટલાક આપણે સાવધાન-ઇન્ડિયા કે crime પેટ્રોલમાં જોઈતા હઈશું ને કેટલાક સાવ છુપાવી દેવામાં આવે છે.આપણે પણ આ કિસ્સાની થોડા દીવસ ચર્ચા કરી ભૂલી જઈશું.પણ જેને ઘરનો એક સદસ્ય કાયમ માટે ગુમાવ્યો એનું શું?
હકીકત તો એ છે કે આવી બબતોંમાં બંને પક્ષકારોનો એકસરખો હિસ્સો હોય છે, છતાં હમેંશા કોઈ એકે જ ભોગવવું પડે છે.અને અગત્યનું તો એ છે કે ખબર હોય છોકરીનો પણ એટલો જ વાંક છે,છતાં સજા છોકરાને જ મળે છે.સ્ત્રી-સશક્તિકરણ ની આડપેદાશ રૂપે આવી ઘટનાઓ બનતી રહે છે,જેમાં છોકરીઓ પેલા પ્રેમ-પરાક્રમ કરે છે,પણ પછી પકડાય જાય એટલે કહી દે આપણે નહિ રમતા, એ જ મારી પાછળ પડ્યો હતો.ને આપણો સમાજ એની વાત સ્વીકારી છોકરાઓને મારતી રહે છે.હવે છોકરી ઓ મોબાઈલ લેવા કે મોબાઈલના બીલ ભરવા કે ચોકલેટ કે ભેટ માટે છોકરાઓ સાથે લાવ-અફેર કરે પણ જયારે એ બહાર આવે છટકી જાય! પણ એને ખબર છે, ક્યારેક આમાં કોઈની જિંદગી છીનવાય જાય છે.અને મારનાર એ નહિ વિચારતા હોય વાંક આમાં બંનેનો છે, તો આવું ના કરાય.બંને ને સમજાવી શકાય અને વાતનો ઉકેલ લાવી શકાય. પણ એવું થતું જ નથી અતિ ક્રોધમાં આવી કુટુંબના સભ્યો છોકરાને હુમલો કરી મારી નાખે છે. આને આઠ જાણે ભેગા મળી માર્યો. હાડકા ખોખરા કરી નાખ્યા.તે કોમમાં આવી ગયો ને અંતે મરી ગયો.આ મેથડ છે, કોઈ બાબતનો અંત લાવવાની અને શું મારનાર શાંતિથી જીવી શકશે,કે પેલી છોકરી શાંતિથી જીવન વિતાવી શકશે ખરી!
અને ઘણીવાર છોકરા-છોકરીની પસંદગી સારી પણ હોય છે.છતાં તને ખબર ના પડે એમ કહી આવી બાબતોનો અંત લાવી દેવામાં આવે છે.અરે યાર એમને પણ જિંદગીના નિર્ણયો લેવા તો દયો! જરૂરી નથી કે તેઓ દરેક વખતે ગલત હશે.ક્યારેક તેઓની પસંદ પણ સાચી હોય શકે છે.ને ઘણી જ્ઞાતિઓમાં તો આ બીકે દીકરા-દીકરીઓને વહેલા પરણાવી દેવામાં આવે છે,પછી ભલે સમાજના અભાવે તેઓનું લગ્ન-જીવન પરાણે-પરાણે ચાલે, ઝઘડા પણ થાય અને ઘણીવાર ડાયવોર્સ પણ થઇ જાય.સાચું તો એ છે કે સંબંધો પ્રકરણો ક્યારેય એટલા વિકટ હોતા જ નથી કે આપણે કોઈની હત્યાઓ  જેવું ખરાબ કામ કરવું પડે પણ આ તો કહેવાતી આબરૂ જાળવવા આવું કૃત્ય કરવામાં આવે છે. માણસની જિંદગીથી મોટું કઈ હોતું જ નથી.નહિ માન,નહિ સન્માન કે નહિ આબરૂ. કોઈને મારી નાખવા જેવડું મોટું ખરાબ કાર્ય છે જ નહિ. તમે કદાચ માણસની અદાલતમાં છૂટી જશો,એની અદાલતમાંથી કોણ છોડાવશે? પ્રેમ થી પણ મોટી એક વાત છે,અને એ છે “માનસાઈ”
so please,stop the “honour-killing” or “honour-murder”
“There are many things worth living for, a few things worth dying for, and nothing worth killing for.”
― Tom RobbinsEven Cowgirls Get the Blues



No comments:

Post a Comment

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...