Monday 24 July 2023

ક્યાં સુધી?...............................ક્યાં સુધી?.............. આપણે ચૂપ રહીશું?

 

ક્યાં સુધી?...............................ક્યાં સુધી?.............. આપણે ચૂપ રહીશું? 

The Dalits of India: A story of injustice

 

 

 

 

          છેલ્લા ચાર દિવસથી    મોટી ઘટનાની અસર નીચે આપણે સૌ જીવી રહ્યા છીએ. એ  ઘટના વિષે કોણે શું કહ્યું? એ આપણે સતત સાંભળી રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ. એ ઘટના વિષે વાંચતાં વાંચતાં આંખોમાં ગુસ્સો અને આંસુ બંને આવી રહ્યા છે. સાથે સાથે મનમાં આક્રોશ પણ થઈ રહ્યો છે કે  જેણે આવું કર્યું, તેઓને ત્યાં જઈને મારી આવીએ. આ ઘટનાના પ્રત્યાઘાતો નથી પડી રહ્યા પણ લોકોને તેનું દર્દ ફીલ થઈ રહ્યું છે. એવું કશુંક ઘૂંટાય રહ્યું છે કે એમ થઈ રહ્યું છે કે એ લોકોને સજા ના મળે ત્યાં સુધી હવે ચૂપ નથી બેસવું.

 એમાં પણ મણિપુરની ઘટનાઓનું શબ્દોમાં વર્ણન સાંભળીને કે વાંચીને જે અરેરાટી થઇ રહી છે, તે તો અસહ્ય લાગી રહી છે. આપણે સૌએ માણસોને ધર્મ અને કોમના નામે વહેંચીને જે પાપ કર્યું છે, તે કદી માફ થઈ શકે એમ જ નથી. મણીપુરમાં કૂકી અને મૈતી કોમ વચ્ચેના ઝઘડાનો બદલો લેવા મૈતી કોમના બે લોકોએ કુકી કોમની બે સ્ત્રીઓને ઉઘાડી કરી, તેની પાસે પરેડ કરાવી, એટલું જ નહી, તેઓને ખેતરમાં લઈ જઇ તેઓ પર ગેંગ-રેપ પણ કર્યો! આવું બધુ 4થી મે ના રોજ થયેલું, અને સમાચારો હવે વાઇરલ થયા! છેલ્લા ત્રણ-ચાર મહિનાઓથી મણીપુરમાં આ બે કોમો વચ્ચે કોમી રમખાણો થઈ રહ્યા છે, જેમાં 160 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

  આ કેવી કોમી લડાઈ જેમાં બદલો લેવા સ્ત્રીઓ સાથે આવા અત્યાચારો થઇ રહ્યા છે? શું સ્ત્રીઓ માટે જોહર કરી લેવું પડે એવી સ્થિતિ પાછી આવી રહી છે? હજી પણ ચારેબાજુથી મણીપુરમાં સ્ત્રીઓ પરના અત્યાચાર વધી રહ્યા છે. અને સાથે સાથે પશ્ચિમ બંગાળ, રાજસ્થાનમાથી આવા સ્ત્રીઓને ઉઘાડી કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નેતાઓ એકબીજાના રાજ્યોમાં થઈ રહેલા આવા કિસ્સાઓ પર ફોકસ કરી રહ્યા છે! સામસામે આરોપો કરવામાં તેઓ એ પણ ભૂલી રહયા છે કે તેઓના ઘરોમાં પણ દીકરીઓ હશે, અને જો તેઓ સાથે પણ આવું કશું થયું હોત તો?

  તે સ્ત્રીઓ સાથે જે થયું એનું વર્ણન વાંચીએ તો દરેક શબ્દે શબ્દે એવું થાય કે બેનરો લઈને નીકળી પડવાથી કે પછી માત્ર દૂ:ખ કે દર્દ રજૂ કરવાથી કશું નહી થાય, ચાલો આપણે જાતે જ જઈને તે દોષીતોને સજા આપી આવીએ. પહેલીવાર એવું ફીલ થઇ રહ્યું છે કે આ લોકશાહી દેશની આઝાદીની શાહીનો રંગ જે લોહીથી બન્યો હતો, તે શાહી આજે સાવ ફિક્કી પડી ગઈ છે. દેશ ગુલામ હોય કે આઝાદ, સ્ત્રીઓની પરિસ્થિતિઓમાં કોઈ જ ફેર પડવાનો નથી. તે સ્ત્રીઑ સાથે આવું થયું, ત્યારે ત્યાં ઘણા લોકો હાજર હતાં, પણ એમાથી કોઈએ તે સ્ત્રીઓને બચાવવાની હિંમત ના દાખવી! ઇવન પોલીસોએ પણ નહી!

   ને બીજો કિસ્સો જેમાં એક ધનવાન માણસના નબીરાએ ઓવરસ્પીડમાં કાર ચલાવી અકસ્માતમાં ફસાયેલા લોકોને મદદ કરી રહેલા યુવાનો અને પોલીસવાળાને અતિ ક્રૂર રીતે કચડી નાખ્યા. એક જ સાથે નવ નવ કુટુંબોના દિપક બુઝાઇ ગયા. માત્ર 19 વર્ષના યુવકે, તેની સાથે કારમાં રહેલા તેના મિત્રો સાથે ચાલુ કારે મોજ મજા કરતાં કરતાં 160કિમી ની ઝડપે ગાડી ચલાવી રસ્તામાં પર ઉભેલા લોકોને 120 મીટર સુધી ઢસડયા અને નવ યુવાનોના અંગેઅંગ છુટ્ટા પાડી નાખ્યા! 13 લોકો ઘાયલ પણ થયા. ને ગણતરીના કલાકોમાં આપણા નેતાઓએ એ યુવાનોની જિંદગીની કિંમત પણ 4-4 લાખ રૂ. ની સહાયની જાહેરાત કરી નક્કી કરી લીધી!

  આજે મીડિયાના દરેક શબ્દે શબ્દે એવું લાગી રહ્યું છે કે તેઓ પણ ઈચ્છે છે કે આ બંને ઘટનાઓના આરોપીઓને સજા થવી જ જોઈએ. આજે દેશના સમજદાર દરેક નાગરિકને એવું ફીલ થઈ રહ્યું છે કે આ લોકોને સજા ઝડપથી થઈ જવી જોઈએ. કેટલાક તો તેઓને જાહેરમાં ફાંસી મળે, એવું ઈચ્છી રહ્યા છે. દેશના નેતાઓ પણ સોસિયલ મીડિયા પર લખી રહ્યા છે કે ગમે તે થાય આ લોકોને સજા કરો. તો ઘણા એવું પણ વિચારી રહ્યા છે કે આ બધુ થોડા દિવસો ચાલશે, પછી કોઈને એ જાણવામાં રસ પણ નહી રહે કે આરોપીઓને સજા થઈ કે ના થઈ!

  તો ઘણા એવું પણ લખી રહયા છે કે આપણે સૌ સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છીએ હવે આવી ઘટનાઓની કોઈ જ અસરો આપણાં પર નથી થઈ રહી. પણ સાચું કહું, આ આજે જે કઈ પણ થઈ રહ્યું છે, તે આપણે કરેલા કર્મોના ફળ સ્વરૂપે આપણી સામે આવી રહ્યું છે! ચૂપ રહીને, કે પછી મારે શું ? એવું વિચારીને જ્યારે જ્યારે આપણે આવી ગંદી ઘટનાઓનો વિરોધ નથી કરતાં તો આપણે આગલી આવી જ ઘટનાઓને મંજૂરીની મહોર મારી દેતાં હોઈએ છીએ.

   સૌ પોતપોતાનો ભાગ લઈ કેસ બંધ કરવાના પ્રયાસો કરે, એના કરતાં સૌ પોતપોતાનો એટલો ફાળો આપે કે આરોપીઓને સજા થઈને જ રહે, તો આવી ક્રૂર અને ઘાતક દુર્ઘટનાઓ આપણે વાઇરલ નહી કરવી પડે!

  

 

  

 

Thursday 20 July 2023

# UCC કાયદો મોટો કે ધર્મ??

 

# UCC કાયદો મોટો કે ધર્મ??

 Ucc:समान नागरिक संहिता की क्यों हो रही चर्चा, संविधान इस पर क्या कहता है,  इसके लागू होने से क्या बदलेगा? - Ucc: Uniform Civil Code Constitutional  Provision And Effects After ...

     યુનિફોર્મ શબ્દ આમ તો આપણાં સૌ માટે કઈ નવો નથી. નિશાળમાં બાળકોને ભણવા મૂકીએ એટલે આપણે તેઓને નિશાળે નક્કી કરેલા યુનિફોર્મમાં જ મોકલતા હોઈએ છીએ. નિશાળે ભણવા જતો દરેક વિદ્યાર્થી પછી એ ગરીબ હોય કે ધનિક, કોઈપણ જ્ઞાતિનો હોય કે ગમે તે ધર્મને અનુસરતો હોય, નિશાળે નક્કી કરેલો યુનિફોર્મ પહેરવો ફરજિયાત હોય છે. કોઈ વિદ્યાર્થી યુનિફોર્મ પહેરે એટલે તેને તે નિશાળનાં તમામ નિયમોનું પાલન કરવાનું હોય છે.

  હમણાં હમણાં દેશમાં આ યુનિફોર્મ શબ્દને લઈને બહુ ધમાલ ચાલી રહી છે. ચારે તરફ આ UCC ની વાતો જ થઈ રહી છે.  UCC એટલે ધર્મ આધારિત જે કોઈપણ અલગ અલગ કાયદાઓ છે, તેની જગ્યાએ દરેક ધર્મના લોકોને અલગ અલગ રીતરિવાજો અને પરંપરાઓ ધરાવતા લોકોને કોઈપણ જાતના ધર્મ,જ્ઞાતિ,સંપ્રદાય,જાતિય ભેદભાવ વિના એક જ સરખો કાયદો લાગુ પાડવો તે.

   ભારતમાં સ્ત્રીઓના હક બાબતે જુદા જુદા ધર્મોમાં અલગ અલગ કાયદાઓ જોવા મળે છે.  ભારતમાં હિન્દુ કાયદા 1956 હેઠળ જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન અને સિખનો સમાવેશ થાય છે.  તે મુજબ હિન્દુ સ્ત્રીઓને  તેઓના માતા-પિતાની સંપતિમાં પુરુષો જેટલો જ હક મળે છે. પરિણીત અને અપરિણીત દિકરીઓના હકો એકસરખા હોય છે. પરિણીત હિન્દુ સ્ત્રીઓને પતિની સંપતિમાં પણ સરખો ભાગ મળે છે. અને છુટ્ટા-છેડા થાય ત્યારે કોર્ટ નક્કી કરે તે મુજબ ભરણ-પોષણ પણ મળે છે. જ્યારે મુસ્લિમ સ્ત્રીઓ કે જેઓને મુસ્લિમ લો લાગુ પડે છે, તેઓને પતિની સંપતિમમાં ¼ કે 1/8 ભાગ મળે છે, એ પણ બાળકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને!

  ખ્રિસ્તી, પારસીઑ અને બીજી કોમોને ઇંડિયન સક્સેશન એક્ટ 1925 લાગુ પડે છે. જે અનુસાર ખ્રિસ્તી સ્ત્રીઓને તેઓના બાળકો અને સગાવહાલાની હાજરીમા અગાઉ નક્કી કરેલો ભાગ મળે છે. પારસી વિધવા સ્ત્રીઓને સરખો હિસ્સો મળે છે. એક જ દેશમાં વસતા નાગરિકો કે જેઓ કાયદાની દ્રષ્ટિએ એકસમાન ગણાય છે, તેઓને અલગ અલગ કાયદો લાગુ પડે છે! ભારત જેટલો વિશિષ્ટ દેશ છે, એટલો જ વિચિત્ર પણ છે....

 ઇ.સ. 1985માં શાહબાનો કેસને લીધે UCC પહેલીવાર લાઈમ-લાઇટમાં આવેલ. એક મુસ્લિમ સ્ત્રીએ ભુતપૂર્વ પતિ પાસેથી ભરણ-પોષણ મેળવવા આ કેસ કરેલો. સુપ્રિમકોર્ટે શાહબાનોની તરફેણમાં ચુકાદો આપેલો જેનો ઘણા બુદ્ધિજીવીઓએ વિરોધ કરેલ! અને તેને લીધે કોંગ્રેસ સરકારે જે તે સમયે ઈદત ની મુદત મુજબ મુસ્લિમ મહિલાનું ભરણ-પોષણ નક્કી કરેલું. એટલું જ નહી, કોંગ્રેસ સરકારે સાહબાનોનું ભરણ-પોષણ નક્કી કરવાની જવાબદારી વફ બોર્ડ ને આપી દીધેલી!

ઇ.સ. 1985માં એવો જ બીજો કેસ મિસ.જોર્ડન અને એસ.એસ.ચોપરાના છુટ્ટાછેડાનો થયેલો જેમાં પત્ની ખ્રિસ્તી અને પતિ સિખ હતા. તેમણે The Indian Christian Marriage Act, 1872 અંતર્ગત લગ્ન કરેલા. અમુક સમય બાદ પત્નીએ પતિની નપુસંકતાને લીધે છુટ્ટાછેડા માટે અરજી કરેલી. સુપ્રીમકોર્ટે એ બેઝ પર તો નહી, પણ ક્રૂરતાના બેઝ પર એ છુટ્ટાછેડા મંજૂર કરેલા અને રેફરન્સ આપેલો ભારતીય બંધારણના આર્ટીકલ 44 પ્રમાણે યુનિફોર્મ સિવિલ કોર્ડનો!

 જ્યારે ઇ.સ. 1988માં એક અલગ જ પ્રકારનો કેસ થયેલો, જેમાં એક એન.જી.ઑ. વતી સરલા મુદગલ નામની મહિલા વકીલે, અને મીના માથુર નામની સ્ત્રીએ પોતાના પતિ જીતેન્દ્ર માથુરના વિરોધમાં કેસ કરેલો. જીતેન્દ્ર માથુરે ફાતિમા નામની મહિલાને પરણવા ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધેલો. તો ઇ.સ. 1991માં ગીતા રાની નામની મહિલાએ આવા જ એક કેસમાં પોતાના પતિ વિરુદ્ધ કેસ કરેલો, જે એક મુસ્લિમ મહિલા સાથે પરણવા ગીતાને મારતો. તો ઇ.સ. 1984માં સુષ્મિતા ઘોષ નામની મહિલાએ પોતાના હિન્દુ પતિ સામે પણ આવી જ ફરિયાદ કરેલી.

  ઇ.સ. 1995માં સરલા મુદગલે પોતાની અસીલને ન્યાય અપાવવા યુનિફોર્મ સિવિલ કોડનો સહારો લીધેલ. તેમણે દલીલ કરેલી કે જ્યારે કોઈ દેશની વસ્તીનો 80% હિસ્સો એક જ સમાન કાયદા હેઠળ આવતો હોય તો બાકીની 20% વસ્તી માટે અલગ કાયદો શા માટે? ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે, આપણે જ્યારે ભારતીય બંધારણની વાતો કરીએ છીએ તો એક વાત તો આપણે બાળકોને પણ શીખવીએ છીએ કે આ દેશનો દરેક નાગરિક બંધારણની દ્રષ્ટિએ એકસમાન છે, તો પછી તો અમુક લોકોને આ કાયદો લાગુ પડે અને અમુકને પેલો એવું ના હોવું જોઈએ.

 આપણે ધર્મ આધારિત બંધારણ નથી ઘડ્યું, તો પછી કાયદાઓ ધર્મ આધારિત કેમ? યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરતાં પહેલા કે તેના વિષે બિનજરૂરી ચર્ચાઓ કરતાં પહેલા એકવખત એ શું છે? એ સમજી લેવાની જરૂર છે.

 

 

 

 

 

 

Sunday 16 July 2023

ક્લાઇમેટ ચેન્જ’ બધુ બદલાઈ રહ્યું છે, બસ આપણે નથી બદલાઈ રહ્યા!

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...