Friday 29 April 2022

આ તો ‘ધર્મ’ કે ‘બ્રેઇન-વોશિંગ?

 

આ તો ‘ધર્મ’ કે ‘બ્રેઇન-વોશિંગ?

A.C. Grayling Quote: “Religions survive mainly because they brainwash the  young.”

      અમારી સ્કૂલમાં અગિયારમાં ધોરણમાં એક હોશિયાર છોકરો પહેલા સત્ર બાદ ભણવામાં એકદમ નીરસ થઈ ગયો. એકદમ નિયમિત વિદ્યાર્થી અનિયમિત થઈ ગયો. બહુ સમજાવ્યો પણ તે ભણવામાં નિયમિત ના જ થયો. ઊલટું તેણે સ્કૂલે આવવાનું પણ બંધ કરી દીધું. ઘરે માતા-પિતાને જાણ કરી તો તેમણે કહ્યું કે અમારું પણ માનતો નથી. અરે તેણે વાર્ષિક પરીક્ષા પણ ના આપી! છેલ્લી વાર માતા-પિતાને ફોન કરી કહ્યું કે એને લઈ સ્કૂલે લઈ આવો, તેને ભણવાનું સમજાવીએ. આવો હોશિયાર છોકરો પોતાની કારકિર્દીના અગત્યના વર્ષો આમ બગાડે એના કરતાં તેને એક વખત સમજાવી જોઈએ. અમને એમ હતું કે મોબાઇલને લીધે તે આવી કરી રહ્યો હશે, પણ તેના પપ્પાએ જે જવાબ આપ્યો તે સાંભળીને અમે આશ્ચર્યમાં મુકાઇ ગયા!

     એમણે લાચાર થઈને કહ્યું કે, “ અમુક ધર્મ-સ્થાનોના લોકોએ એને એવું સમજાવ્યું છે કે ભણવા કરતાં ધર્મ-સ્થાનમા જઈ સેવા-પૂજા કરવી વધુ જરૂરી છે.” ભણવા કરતાં તે સંપ્રદાયમાં પોતાનું સઘળું સમર્પિત કરી દેવું વધુ જરૂરી છે! અને એ છોકરો એટલો બધી એ લોકોની વાતોમાં આવી ગયો છે કે તે ત્યાં જતો રહ્યો છે, ઘરના બધાની મનાઈ છતાં! અમે બધા જ એને સમજાવી રહ્યા છીએ કે આવું ના કરાય પણ એ માનવા તૈયાર જ નથી! એ અમારી સાથે બોલતો પણ નથી. એના મનમાં એ લોકોની વાતો એટલી બધી ઠસાઈ ગઈ છે કે એ માતા-પિતાનું પણ માનવા તૈયાર નથી! અમારા ઘરમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું છે.

   જે દિકરા કે દીકરીના ઉછેરમાં માતા-પિતાએ પૂરેપૂરી કાળજી લીધી હોય, જેઓના ઉછેર પાછળ પોતાનું સર્વસ્વ આપી દીધું હોય, એ સંતાન જ્યારે આવી રીતે છોડીને ચાલ્યા જાય એ પણ કોઇની વાતોમાં આવીને, ત્યારે કુટુંબની શું હાલત થાય? ખબર નહી આપણાં દેશમાં મોટા ભાગના ધર્મો સંસાર છોડવાનું શા માટે શીખવે છે? તેઓ પોતાના સંપ્રદાયની વાતો તેઓના મનમાં એવી રીતે ભરી દેતા હોય છે કે તેઓ કાંચી ઉંમરે બધુ છોડીને ચાલ્યા જાય છે અને પછી જ્યારે અમુક આવેગો ઉછળે ત્યારે મોટા મોટા કાંડો થતાં હોય છે.

     સંસાર છોડીને બધુ મળી જતું હોત તો ઉપરવાળાએ આ સંસાર જ ના બનાવ્યો હોત. આવું બ્રેઇન-વોશિંગ આપણે ત્યારે લગભગ દરેક સંપ્રદાયોમાં થતું હોય છે. દરેક સંપ્રદાય પોતાનું મહત્વ વધારવા અને ભક્તોની સંખ્યા વધારવા આવું કરતાં હોય છે. ખબર નહી, આ લોકોને ફોલોઅર્સ વધારવાની એવી તો શી ઘેલછા હોય છે? આપણે સોસિયલ મીડિયામાં વારંવાર એવા કિસ્સા વાંચતાં હોઈએ છીએ કે જોતાં હોઈએ છીએ કે બહુ નાની ઉંમરે છોકરાએ કે છોકરીએ સંસાર છોડી અમુક સંપ્રદાય અપનાવી લીધો! જેઓ અંદરથી આ બધુ અપનાવે છે, સમજીને અપનાવે છે, તેઓ ધર્મને સમજી શકે છે, પણ જેઓ કોઇની વાતોમાં આવીને આંધળું અનુકરણ કરતાં હોય છે, તેઓ નથી ધર્મને સમજી શકતા કે નથી સંપ્રદાયને ઇચ્છવા છતાં છોડી શકતા!

    આવા બ્રેઇન-વોશિંગને લીધે જ આંતકવાદીઓ ઊભા થયા છે. કોરા મનમાં આ લોકો એવું ઝેર ભરી દે છે યુવાનો કે યુવતીઓ પોતાનો જીવ આપવા પણ તૈયાર થઈ જતાં હોય છે. ધર્મ જીવતા શીખવે કે મરતાં કે મારતાં? આ પ્રશ્ન આપણે સૌએ ખુદને પૂંછવાની જરૂર છે. આ બ્રેઇન-વોશિંગ એટલું ખતરનાક હોય છે કે લોકો માનવતા ભૂલી જતાં હોય છે. આવું થવાને લીધે ઘણા ક્ષમતાવાળા યુવાનો અને યુવતીઓની ક્ષમતાનો લાભ દેશને મળતો નથી. પ્રાચીન ભારતમાં સંસારમાં રહીને પણ લોકો અગાઢ શક્તિઓ પ્રાપ્ત કરી શકતા હતા, અને આજે એના માટે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ બ્રેઇન-વોશિંગે જ તેઓના હાથોમાં હથિયારો પકડાવી દીધા છે! જે આંખોમાં ઉજ્જવળ ભાવિના સપના હોવા જોઈએ એ આંખોમાં અંગારા આ લોકોએ જ ભરી દીધા છે.

    ઘણા સંપ્રદાયો પોતાની સંસ્થાઓ ઊભી કરીને આ કામ કરી રહી છે. તેઓ નાનપણથી બાળકોના મનમાં અમુક બાબતો એવી ઠસાવી દેતાં હોય છે કે બાળકો એ સંપ્રદાય તરફ એવા વળી જતાં હોય છે કે તેઓ ધર્મને સાચી રીતે સમજી જ શકતા નથી. આવી રીતે જ આપણો સમાજ આજે જુદા જુદા સંપ્રદાયોમાં વહેંચાઈ રહ્યો છે. અને પછી એ સંપ્રદાયોમાં શું થાય છે? એ આપણે હમણાં હમણાં છાપામાં વાંચી રહ્યા છીએ, ટી.વી. માં જોઈ રહ્યા છીએ.

       ધર્મ દ્વારા બાળકોમાં સંસ્કારોનું ઘડતર કરવાનું હોય છે, શું સારું છે? શું ખરાબ છે? એ નક્કી કરતાં તેઓને શિખવવાનું હોય છે. પણ જો આવી જ રીતે તેઓનું બ્રેઇન-વોશિંગ થતું રહેશે તો ધર્મના આ હેતુઓ ક્યારેય પણ મેળવી શકાશે નહી. શું આપણે આવા બ્રેઇન-વોશિંગ થકી ભાવિ પેઢીઓનું નિર્માણ કરવા માંગીએ છીએ? એક સર્વે મુજબ આવું ધાર્મિક બ્રેઇન-વોશ લોકોમાં રહેલી સર્જનાત્મકતા, જિજ્ઞાસાવૃતિ અને સ્વ-તંત્ર રીતે વિચારવાની બાળકોની અને યુવાનોની શક્તિને ઓછી કરી દે છે. આવી ધાર્મિક માન્યતાઓ તેઓના મનમાં સવાલો જ ઉઠવા દેતી નથી. તેઓનું મગજ એટલું બ્લેન્ક થઇ જાય છે કે તેઓ મુક્ત જ થઈ શકતા નથી.

    જિંદગી એ ઈશ્વરે આપણાં પર મૂકેલી શ્રદ્ધા છે, તેનું બ્રેઇન-વોશિંગ નહી, પણ બ્રેઇન-સ્ટ્રોમિંગ થવું જોઈએ.

લાઈક,કમેંટ,શેર.......

           The biggest damage religion does is brainwashing children'

Read more at:
http://timesofindia.indiatimes.com/articleshow/11618814.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

 

  

   

Sunday 24 April 2022

છુટ્ટા-છેડા–પતિ-પત્ની ભલે છુટ્ટા થાય, પણ માતા-પિતા સંતાનો સાથે રહેવા જોઈએ!!!

 

છુટ્ટા-છેડા–પતિ-પત્ની ભલે છુટ્ટા થાય, પણ માતા-પિતા સંતાનો સાથે રહેવા જોઈએ!!!

 How Divorce Affects the Children's Future | California Divorce Attorneys

મણાં એક માતા-પિતાને મળવાનું થયું, જેઓને છુટ્ટા પડવું હતું. કોઈપણ રીતે હવે સાથે રહી શકાય એવું નહોતું. બે સંતાનો છે અને બંને એવું ઈચ્છે છે કે સંતાનો સાથે રહે. સંતાનો માટે બંને વચ્ચે સ્પર્ધા જાણે કે થઈ રહી હતી. સંતાનો નાના હોવાથી હજી પરિસ્થિતિને સમજી શકે એમ નહોતા. માટે પિતાએ એવા પ્રયાસો કર્યા કે તે માંગે એટલું લઈ દેવાનું. તેઓની માંગણીઑ સારી હોય કે ખરાબ બસ પૂરી કરવાની ! માતાએ બળાપો કાઢતા કહ્યું, હું તો ગરીબ છુ ક્યાથી તેઓની બધી જરૂરિયાતો પૂરી કરી શકું? માટે બંને સંતાનો પિતા સાથે રહે છે, એના પિતાએ વસ્તુઓથી એટલા ભરી દીધા છે કે તેઓ મારી પાસે પણ આવતા નથી!

    સંતાનોને પૂછ્યું કે મમ્મી યાદ નથી આવતી? તો કશું બોલ્યા નહી, તેઓ માતાની સામે જોવા પણ તૈયાર નહોતા. અલબત નફરતને લીધે નહી, પણ જરૂરિયાતો પૂરી થઈ રહી હતી, તેના દબાણમાં! છુટ્ટા થતાં માતા-પિતા માટે પોતાના સંતાનોની કસ્ટડી ગમે તે ભોગે લેવી એ જ એકમાત્ર ધૂન સવાર થઈ જતી હોય છે. તેના માટે તેઓ ગમે તે હદ સુધી જવા તૈયાર થઈ જતાં હોય છે. પતિ-પત્ની ભલે છૂટા થાય પણ શું માં-બાપ સાથે મળીને સંતાનોને સારી જિંદગી ના આપી શકે? સાથે રહ્યા વિના પણ સંતાનોને લાગણી-સભર રીતે ઉછેરી શકાય છે. તેના માટે આવી હરિફાઇઓ કરી સંતાનોના ભવિષ્યને બગાડવાની કોઈ જ જરૂર નથી હોતી.

   કોઈપણ લગ્ન તૂટે ત્યારે એની સૌથી ઊંડી અસર સંતાનો પર પડતી હોય છે. તેઓને એક વિકલ્પ આપવામાં આવે છે કે તારે કોની સાથે રહેવું છે?’ આ પ્રશ્નનો જવાબ કદાચ એ સંતાન ત્યારે તો આપી દે છે, પણ માતા/પિતા એ બંનેમાથી કોઈ એકને તે ગુમાવી દેતાં હોય છે. સંતાનોના વિકાસ માટે માતા-પિતા બંનેનો પ્રેમ જરૂરી હોય છે. સંતાનનું અસ્તિત્વ જ બંને થકી હોય છે. અને ઉછેર કોઈ એક દ્વારા થાય તો તેની અસરો સંતાનોના મનમાં આખી જિંદગી રહી જતી હોય છે.

   માતા-પિતાનું સુખી લગ્ન-જીવન સંતાનો માટે હુંફ બની રહેતું હોય છે. એવી હુંફ જે તેના જીવનને લાગણીઓથી ભરી દેતું હોય છે. સંતાનોની માનસિક તંદુરસ્તી માટે કુટુંબના બંને આધાર-સ્તંભો જરૂરી છે. પણ જ્યારે એ સંબંધો તૂટે છે, ત્યારે  સંતાનો સૌથી પહેલા તૂટતાં હોય છે.  ઘણીવાર તો તેઓ લગ્ન-વ્યવસ્થાથી દૂર ભાગતા થઈ જતાં હોય છે. તેઓને એ જ નથી સમજાતું કે સાથે રહેનાર બે લોકો પાસે કેમ ના રહી શક્યા? તેઓના જુદા થવાના કારણો જે હોય પણ તેઓ પાસે ભેગા રહેવા માટે એક સબળ કારણ તો હતું ને! છતાં તેઓ કેમ જુદા થઈ ગયા?

   હવે બંને સાથે અલગ અલગ રહેવાનુ છે, એ વિચાર જ તેઓને ધ્રૂજવી દેતો હોય છે. એ ધરતીકંપથી પડતી તિરાડો ક્યારેય પુરાઈ શકતી નથી. જીવન આગળ વધે છે, પણ ખાલીપો ત્યાં ને ત્યાં જ રહી જાય છે. છુટ્ટા-છેડા હવે આપણા સમાજમાં પણ કોમન ઘટના બની ગઈ છે. છુટ્ટા-છેડા કોઈ સેલિબ્રેટીના હોય કે કોઈ સામાન્ય માણસોના કારણો લગભગ સરખા જ હોય છે. અને સંવેદનાઓ પણ સરખી જ હોય છે. એમ જ સંતાનોની લાગણીઓ પણ માતા-પિતા પ્રત્યે એકસરખી જ હોય છે.

    છુટ્ટા-છેડા લેતા માતા-પિતાએ સંતાનોને તેના કારણો વહેલી તકે સમજાવી દેવા જરૂરી છે. ભલે છુટ્ટા પડયા પણ ગૌરવપૂર્ણ રીતે છૂટા પડીએ. સામસામે બ્લેમિંગગેમ નહી પણ જુદા થવું જરૂરી હતું એટલે એમ થયું! સંતાનો કારણો શોધતા ફરે એના કરતાં તો માતા-પિતાએ પોતે જ કહી દેવાનું કે શા માટે છુટ્ટા પડ્યા?  ભલે એ કારણો સમજતા સંતાનોને સમય લાગશે પણ એની સંવેદનાઓને ધક્કો ઓછો લાગશે. એ કારણો તેઓને કોઈ બીજા પાસેથી શા માટે જાણવા મળવા જોઈએ? વળી ઘણીવાર બીજા લોકો પાસેથી કારણો સાથે ઘણું બધુ બીજું પણ ઉમેરાતું રહે છે, જે સંતાનોના જીવનમાં ઊંડા ઘાવ કરી શકે છે.

   સાથે રહીને ભલે સંતાનોને હુંફ અને પ્રેમ ના આપી શકીએ પણ તેઓના પ્રેમ અને હુંફ વિશેના વિચારો પર કોઈ ખરાબ અસર ના પડવી જોઈએ. માતા-પિતાનો તૂટેલો સંબંધ તેઓની માટે જખમ ના બની જવો જોઈએ.તેઓને એવી સ્મૃતિઓ આપીએ કે તેઓની લાગણીઓને ઠેસ ના લાગે. તેઓનું જીવન કાયમ ડિસ્ટર્બ થતું રહે એવું ના કરીએ. તેઓને કહીએ કે દરેક લગ્નોમાં આવું નથી થતું. છૂટા પડીને પણ એકબીજા સાથે જોડાઈ શકીએ છીએ. અમે અલગ અલગ રહીને પણ તમારો ઉછેર કરી શકીએ છીએ. તેઓ આગળની જિંદગી પ્રત્યે નકારાત્મક ના બની જવા જોઈએ. ભલે છુટ્ટા થયા પણ સંતાનો મેળવવા સ્પર્ધા તો ના કરીએ!!! લાગણીથી તેઓને ઉછેરીએ........

   જે કશુંક તેઓની અંદર સતત ટૂંટતું રહે છે, તેને માતા-પિતાએ જ સાંભળવાનું હોય છે અને પુરવાનું પણ તેઓને જ હોય છે.


A study published in 2013 suggested that mothers are often less supportive and less affectionate after divorce. Additionally, their discipline becomes less consistent and less effective.5

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...