Thursday 12 August 2021

----------------------------------------------------------------------,,,,,

Pramukh Swami Status & Quotes - Google Play પર ઍપ્લિકેશનો

 કેટલાક લેખોને કોઈ શીર્ષક આપવાની જરૂર હોતી નથી. વાંચો એટલે શીર્ષક આપોઆપ સમજાય જાય. ને એવું બને ત્યારે શબ્દો નથી લખતા પણ કોઈના પ્રત્યેની આપણી લાગણી આપણો સ્નેહ ને આપણી શ્રદ્ધા રચાતી હોય છે. કાલે s.y.b.com.ના વર્ગમાં એક ‘group-discussion’ રાખેલું, ટોપિક હતો, “શ્રાવણ માસ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા.વિધાર્થીયોએ મસ્ત રજૂઆત કરી. બંને પક્ષોએ સુંદર રજૂઆત કરી. સૌથી અગત્ય તો એ વાતનું હતું કે આ બાબતે યંગ-જનરેશન નાં વિચારો જાણવા મળ્યા ને થયું શ્રદ્ધા પરનો વિશ્વાસ આજે પણ એટલો જ કાયમ છે. સાર લખું તો શ્રદ્ધા થકી દરેક કાર્યો પાર પડે ને અંધશ્રદ્ધા થકી કશું જ ના થાય.સાચું ને મિત્રો શ્રદ્ધા ને કદી પુરાવાની જરૂર પડતી ને જ્યાં પુરાવા દેવા પડે એ અંધશ્રદ્ધા ! જ્યારે હૃદયના ઊંડાણથી કોઈ એક બાબતને આપણે વળગી રહીએ છીએ ને સારા ઉદેશથી કોઈ કાર્ય ને સ્વીકારીએ છીએ શ્રદ્ધા આપોઆપ પ્રગટ થઇ જાય છે.આવા સંજોગો માં ઈશ્વરને શોધવા જવા નથી પડતા તેઓ હાજર જ હોય છે, ને સાંજે જ ૬.૩૦ વાગ્યે ટી.વી. પર પ્રમુખ સ્વામીબ્રમ્હલીન થયાના સમાચાર જોયા ને આંખમાં આંસુ સાથે સમજાય ગયું આજે ઈશ્વર ખુશ ને આપણે દુખી થવાનો વારો છે.શ્રદ્ધા જ રહી મનમાં ને થયું કશુક લખું ચાલો.

            પ્રમુખ સ્વામીએ કોઈ અસ્તિત્વ કે વ્યક્તિત્વ નહોતા પણ એક સંસ્થા સમાન હતા જેઓના અંદરથી કાર્યોનો પ્રવાહ વહેતો જ ગયો ને એ પ્રવાહે જ આજે સૌને ભીંજવી દીધા. તેઓ માત્ર કોઈ એક ધર્મના નહિ પણ સમ્રગ ધર્મોના સ્વામી છે.(હતા એવું નહિ માનવાનું સદેહે ભલે તેઓ આપણી વચ્ચે નથી પણ વિચારો ને કાર્યો થકી આપણી સાથે જ રહેવાના છે.) તેઓ એક એવા સંત છે જેઓમાં તમે મુસ્લિમ હોવ તો ખુદાના, હિંદુ હોવ તો ઈશ્વરના, ખ્રિસ્તી હોવ તો જીસસના, શીખ હોવ તો ગુરુનાનકનાં, બૌદ્ધ હોવ તો બુધના, જૈન હોવ તો મહાવીરના ને કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા હોવ તમારા ગુરુના દર્શન થશે! ને એ જ તેઓના વ્યક્તિત્વ ની વિશેષતા છે. એટલું સરળ વ્યક્તિત્વ કે સ્વીકાર આપોઆપ જ થઇ જાય ને એટલે જ તેઓ આટલા વિશાળ સમુદાય ને તારી શક્યા. હકીકત તો એ છે કે આવા સંતો ના જ આધારે આ વિશ્વ ટકી રહ્યું છે. ઈશ્વર નો વિશ્વાસ પણ આ દુનિયા પર એટલેજ ટકી રહ્યો હોય એવું લાગે છે. ચહેરા પર એટલી શાંતિ ને સરળતા કે જોતા જ એવું લાગે એમનું કહીએ માનીએ. એક સંસ્થા જેટલું કાર્ય એમણે એકલાએ જ કર્યું ને આપણને સમજાવ્યું કે વ્યક્તિ ધારે તો શું ના કરી સકે! ઈશ્વરે મનુષ્યને આપેલી શક્તિનો ઉપયોગ યોગ્ય દિશામાં થાય તો કેટલી વ્યક્તિઓના જીવન સુધરી શકે ને સ્વયં ઈશ્વર પણ નિરાંત નો શ્વાસ લઇ શકે.કેટલી વ્યક્તિઓના જીવન એમને ઘડ્યા ને જીવન ઘડવૈયા બની સૌના જીવનને ઉગારતા રહ્યા.

                 ૧૭ વર્ષની ઉમરે જ તેઓને સંકેત મળી ગયા મારો જન્મ અસાધારણ કાર્યો માટે થયો છે ને ઈશ્વરને સમર્પિત થઇ ગયા. એ ઉમરે શરુ કરેલ કાર્યો નો યજ્ઞ આજે પણ ચાલુ છે. વ્યક્તિના કાર્યો જ તેઓના અંતિમ શ્વાસ બાદ તેઓના અસ્તિત્વને જીવતું રાખે છે ને પ્રમુખસ્વામીના કાર્યો તો અવરણીય છે. હજારો લોકોના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથરનાર, લાખો વ્યસનીઓને વ્યસનમુક્ત કરનાર, વિદ્યાર્થીયોમાં સંસ્કાર નું સિંચન કરનાર, કુદરતી આફતો સમયે લોકોને સહાય કરનાર, પ્રત્યેક ધર્મના લોકોને સ્વીકારનાર,ઈશ્વરના દરેક કાર્યો કરનાર આ સ્વામીજી માટે આજે આ દેશના પી.એમ.થી માંડી સામાન્ય માણસ પણ દુખ અનુભવે છે. સમાચાર જ એવા કે લોકોને એવું લાગે કે ઈશ્વરે આપણી પાસેથી એક રાહ દેખાડનાર દીપક લઇ લીધો ખુદના સ્થાનને દિપાવવા.તેઓના અનુયાયી ના હોય તેવા લોકોને પણ ઘરમાંથી કોઈ સદસ્ય જતું રહ્યું હોય એવું લાગી રહ્યું છે ને એજ એમના અસ્તિત્વ ની વિશેષતા છે.

            હવે આપણે તેઓના ચિંધેલા માર્ગે આગળ વધીએ તેઓની સત્કર્મોની જ્યોત જાળવી રાખીએ એ જ તેઓને સાચી શ્રધ્ધાંજલી! તેઓએ શરુ કરેલા કાર્યોને આપણે to be continue રાખવાના છે.સાચી શ્રદ્ધાંજલિ પુષ્પો થકી કે તેઓના દર્શન થકી તો આપીએજ પણ સાથે સાથે તેઓના વિચારો ને કાર્યોને પણ જીવનમાં ઉતારીએ તો તેમને શ્રેષ્ઠ સમર્પણ કહેવાશે. ગરીબોને મદદ કરો, દરેક ધર્મના લોકોને સ્વીકારો, વ્યસનમુક્તિ અભિયાનમાં મદદ કરો, મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરો. ટૂંકમાં તેઓના ચિંધેલા માર્ગે આગળ વધી જ તેઓને સાચી રીતે આપણી સાથે રાખી શકીશું.કોઈ પણ એક સત્કાર્ય માં જોડાઈ તેઓને આકાશમાં હસતા જોઈ શકીશું. જુઓ નભ ભણી તેઓ પણ એ જ કહી રહ્યા છે.

                           મને તમારા વિચારોમાં, કાર્યોમાં, જીવતા રાખજો હું ક્યાય નહિ તમારી સાથે જ છું. Keep me in your heart and I will be always there with you! મને શોધસો નહિ કાર્યો થકી પામવાની કોશિશ કરજો. ને અંતમાં જેઓનો આત્મા જ પરમાત્મા હોય તેઓની આત્માની શાંતિ માટે પ્રાથના ના હોય એ તો ખુદ બધાને આત્મા ની શાંતિ બક્ષે! કેમ ખરુંને?  

                

 

43 Pramukh Swami Maharaj ideas | neelkanth, gujarati quotes, nilkanth

Sunday 8 August 2021

ઓલમ્પિક, મેડલ અને આપણે.....

 

ઓલમ્પિક, મેડલ અને આપણે.....

25 Game quotes and humor ideas in 2021 | quotes, game quotes, humor

   કાલ સાંજથી ‘નીરજ ચોપડા’  એ નામ ભારતના ઘરે ઘરે ગુંજતું થઇ ગયું છે. આપણે સોસોયલ મીડિયા તેના પરાક્રમના સમાચારથી ફૂલ છે. દેશની પ્રત્યેક વ્યક્તિ તેમનાં માટે ગર્વ લઇ રહી છે. લોકો પોતાના વોટ્સ-એપ સ્ટેટસમાં તેઓને અપડેટ કરી રહ્યા છે. કાલ સુધી જે નામને આપણે જાણતાં નહોતા એ આજે સમગ્ર વિશ્વમાં જાણીતું થઇ ગયું છે. ભારતે આઝાદી પછી પ્રથમવાર એથ્લીટમાં ‘ગોલ્ડ-મેડલ’ જીત્યો અને આપણે સૌ એ જીતનું ગર્વ લઇ રહ્યા છીએ. આજે ગૂગલ પર સૌથી વધુ સર્ચ ‘નીરજ ચોપડા’ વિષે થશે. ઘણાને આજે ખબર પડશે કે ‘જવેલીન-થ્રો’ એટલે શું? એથ્લીટ એટલે શું? એ પણ આજે ઘણાને સમજાશે! એક નજર તેમને મળેલા ઇનામોની યાદી પર કરી લઈએ. અત્યાર સુધીમાં તેમને મળેલા ઇનામોની યાદી જોઈએ,

   હરિયાણા સરકાર ૬ કરોડ અને ક્લાસ-૦૧ જોબ

   bcci ૧ કરોડ

ભારત ઓલમ્પિક સમિતિ ૭૫ લાખ

 મહિન્દ્રા કંપની ૧કાર

મોરારીબાપુ ૨૫૦૦૦ રૂ.

તેમના જીવન પર એક મુવી પણ બનશે.

   વગેરે વગેરે આ તો હજી શરૂઆત છે, પણ મિત્રો આપણે જે સફળતા જોઈએ છીએ ને તેની પાછળ અપ્રિતમ સાહસ અને સંઘર્ષ રહેલો હોય છે. વર્ષોની મહેનત હોય છે. કઠોર પરિશ્રમ હોય છે. અનેક નિષ્ફળતાઓ હોય છે, કેટલીયે ઈજાઓ હોય છે, ૨૦૧૯ માં તેમને કોણીમાં ઈજા થઇ હતી અને ઓપરેશન પણ કરાવ્યું હતું! તેઓ લાઈમલાઈટમાં આવ્યાં ઓલમ્પિકને લીધે બાકી ઘણા બધા મેડલ્સ તેઓના નામે છે. એશિયન જુનિયર ચેમ્પીયનશીપથી ચાલુ કર્યું અને પછી એ પ્રવાસ કદી અટક્યો નથી! કોમન-વેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પીયનશીપમાં તેઓ મેડલ્સ જીતી ચુક્યા છે. અર્જુન એવોર્ડ પણ તેઓને મળી ચુક્યો છે. આ બધી સિદ્ધિ પાછળ જો સૌથી વધુ કોઈ મદદરૂપ બન્યું હોય તો એ છે, તેઓના માતા-પિતા!

  આ જ બાબત મારે આજે તમને પૂછવી છે, આ દેશમાં એવા કેટલા માતા-પિતા મળી આવશે? જે પોતાના સંતાનોને ‘રમતમાં’  કારકિર્દી બનાવવા દેશે? આપણે ત્યાં શારીરિક શિક્ષણને જરાપણ મહત્વ આપવામાં આવતું નથી. શાળાઓમાં અને મહાશાળાઓમાં શારીરિક શિક્ષણને માત્ર એક વિષય તરીકે ગણી લેવામાં આવે છે! એમાં પાસ થવું સરળ હોય એટલે વિદ્યાર્થીઓ એ વિષય પસંદ કરી લેતા હોય છે. તેની પ્રેક્ટીકલ પરિક્ષા કેવી રીતે લેવાય છે? આપણે સૌ જાણીએ છીએ. ભણતરના ભાર નીચે રમતો દબાઈ ગઈ છે. અને જે બાકી કામ હતું એ ‘ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ’ એ પૂરું કર્યું. આપણા બાળકો વર્ગ-ખંડોમાંથી નવરા જ નથી પડતાં કે આપણે તેઓને રમતના મેદાન પર રમતા નિહાળીએ. રમતના મેદાનો સાવ સુમ-શાન બની રહ્યા છે.

  આપણે કેળવણીને પૈસા સાથે જોડીને તેનું મૂળ મહત્વ ભૂલી ગયા છીએ. રમતોમાં પૈસો નથી એટલે આપણે વિદ્યાર્થીઓને એ તરફ વળવા દેતા નથી. માતા-પિતા માટે એ સ્વીકારવું અને સમજવું જ મુશ્કેલીભર્યું બની ગયું છે કે રમતમાં પણ સંતાનોને આગળ વધારી શકાય છે. આપણે આપણા બાળકોને નાનપણથી જ વર્ગખંડો તરફ ધકેલી દેતા હોઈએ છીએ. રમતો નું સ્થાન જ આપણે તેઓના જીવનમાંથી છીનવી લીધું છે. રમતના મેદાનમાં સંતાનો પરસેવો પાડે એ માતા-પિતાને ગમતું જ હોતું નથી. એમાં પણ બાળક દસમાં કે બારમાં ધોરણમાં આવે એટલે તો તેના રમવા પર જાણે પ્રતિબંધ જ આવી જાય છે. અમુક ઉંમર બાદ રમતો જાણે આપણા સૌના જીવનમાંથી વિદાય જ લઇ લેતી હોય છે!

             આપણે યાદ રાખીએ કે પૈસા મળ્યા એટલે તેમણે મેડલ્સ નથી જીત્યા, પણ તેઓ મેડલ્સ જીત્યા એટલે પૈસા મળ્યા! આપણા માતા-પિતાએ સમજી લેવાની જરૂર છે કે શારીરિક વિકાસ પણ જીવનના વિકાસ માટે એટલો જ જરૂરી છે. આપણે પણ સંતાનોને રમતના મેદાન પર દોડવા દઈએ અને રમવા દઈએ. તેને જે રમતમાં રસ હોય તે રમતમાં જવા દઈએ. યોગ,મેડીટેશન,રમત બધું જ જીવન માટે જરૂરી છે, તે નાં ભૂલીએ. વળી તેઓ કદાચ રમતને કારકિર્દી બનાવવા નાં માંગતા હોય તો કઈ નહિ, પણ તેઓના સર્વાંગી વિકાસ માટે તેઓને રમવા દઈએ.

  નીરજ ચોપરા, સાઈના નેહવાલ, પી.વી.સંધુ, મીરાં ચાનું, બજરંગ પુનિયા, અદિતિ, મેરી કોમ, રવિ દહિયા, વગેરે રમતવીરોની સફળતા આજે આપણને સમજાવી રહી છે, પ્રેરણા આપી રહી છે કે આપણે પણ આપણા સંતાનોને રમતો તરફ વાળીએ. રમતોમાં તેઓને આગળ વધવા દઈએ. તેઓના માતા-પિતાએ પણ જો આવું વિચાર્યું હોત તો આપણા દેશને ઓલમ્પીકમાં આટલી સફળતા નાં મળી હોત! ઘણા લોકો એવું કહે છે કે આપણા દેશમાં ક્રિકેટ સિવાય એકેય રમતમાં પૈસો જ નથી, પણ આ ખોટું છે. દરેક રમતમાં પૈસો, પ્રસિદ્ધિ રહેલા જ છે. હવે આપણે પણ એ જાણી લેવાની જરૂર છે કે આપણે દરેક રમતને પ્રોત્સાહન આપીએ.

  ઘણા એવું કહે છે કે મેડલ જીતે ત્યારે ચારે તરફથી પ્રશંશા થાય છે, પણ પછી... અરે એવું તો દરેક ક્ષેત્રોમા થતું હોય છે. આપણે અપડેટ કેમ રહેવું? એ આપણે નક્કી કરવાનું હોય છે. દરેકની સફળતાનો સમય નિશ્ચિત જ હોય છે. પછી જે તે રમતોમાં યોગદાન આપીને આપણે દેશને મદદ કરી શકીએ છીએ. માતા-પિતાએ રમતોને પણ સંતાનોના જીવન સાથે જોડવી પડશે. જો આપણે ઓલમ્પીકમાં આનાથી પણ વધુ સારું પરફોર્મન્સ કરવા ઇચ્છતા હોઈશું તો રમતોમાં રોકાણ કરવું પડશે. આપણા રમતવીરોને વધુ ને વધુ પ્રોત્સાહન આપવું પડશે. તેઓને ક્રિકેટના ખેલાડીઓ જેટલું મહત્વ આપવું રહ્યું. શિક્ષણમાં રમતોને પણ સ્થાન આપવું પડશે. જો આપણે રમતના મેદાનો ધમધમતા કરવા હશે તો બાળકોને ભણતરના ભારથી મુક્ત કરવા પડશે.  તેઓને શેરીની ધૂળમાં આળોટવા દેવા પડશે, તેઓને વડના ઝૂલે ઝૂલવા દેવા પડશે અને નદીઓના પાણીમાં કુદવા પણ દેવા પડશે. તેઓને ઝાડ અને પહાડ પર ચડવા દેવા પડશે.

    You will be nearer to heaven playing football than studying the Bhagavad-Gita.?  સ્વામીવિવેકાનંદનું આ વાક્ય જ આપણને સૌને રમતોનું મહત્વ સમજાવી જાય છે. માતા-પિતા જાગશે તો આપણે વધુ ને વધુ રમતવીરો મેળવી શકીશું. ભલે સૌને આ નિર્ણય અઘરો લાગતો હોય પણ જો આપણા બાળકોને એ તરફ જવું હોય તો એ નિર્યણ જરૂરથી લઈએ. તેઓને પૂરેપૂરું પ્રોત્સાહન આપીએ, તેઓ પાછળ  એક તાકાત બનીને ઊભા રહીએ. દરેક સફળતા પાછળ સંઘર્ષ હોય છે, એ સંઘર્ષ આપણા સંતાનોને કરવા દઈએ. એવું પણ જરૂરી નથી કે તેઓને તમામ સગવડો પૂરી પાડવી જરૂરી છે. જેઓને આગળ વધવાની ઈચ્છા છે, તેઓ માટે માતા-પિતાનો સપોર્ટ જ સૌથી જરૂરી છે. તે તેઓને આપીએ અને ઓલમ્પિક અને અન્ય રમતોત્સવની મેડલ ટેલીમાં આપણું સ્થાન વધુ ને વધુ આગળ લઇ જઈએ!

    65 Best Quotes About Success in Sports - Quotes Yard

 

Sunday 1 August 2021

મિત્રતા ૨૪*૩૬૫

 

મિત્રતા ૨૪*૩૬૫

 Happy Friendship Day 2021: Images, Wishes, Quotes, Messages and WhatsApp  Greetings to Share

 

                          માણસને કેટલાક સંબંધો જન્મથી મળેલા હોવાને લીધે વહાલા લાગે છે, કેટલાક સંબંધો સમાજમાં ચાલતી પ્રથા કે રીતરીવાજોને લીધે બાંધવા પડે છે તો કેટલાક સંબંધો બીઝનેસ ને લીધે નિભાવવા પડે છે. પણ એક સંબંધ એવો છે જે લાગણી, સંવેદનાને લીધે નિભાવવો ગમે છે. અરે યાર કશા જ કારણ વિના ગમે છે અને એ છે ‘મિત્રતા’, ‘દોસ્તી’, કે friendship’. જે કહો તે આમ પણ ગમે તે કહીએ ગમે તેટલા ઝઘડીએ છતાં સાથે ને સાથે હોય તે મિત્ર. મિત્રતા એવું બંધન છે, જેને તમે કોઈ સંબંધોની પરિભાષામાં ગોઠવી કે સમજાવી શકો નહિ એ તો જે બાંધે અને નિભાવે એને જ ખબર પડે. બાકી બધા સંબંધો આપણે મેળવીયે છીએ પણ ‘મિત્રતા’ તો કમાવવી પડે છે. એના માટે સ્વયં સારા મિત્ર બનવું પડે છે. સુદામાનો સાદ સંભળાય ને દ્વારકાનો નાથ રાજાપણું ભૂલી તેને ભેટવા દોડી પડે એનું નામ મિત્રતા. કશુજ કહ્યા વિના સઘળું આપી સુદામાની દરિદ્રતા દુર કરી દે એનું નામ મિત્રતા. કાર્લ માર્ક્સ ને જિંદગીના દરેક સંઘર્ષો માં સાથ આપી મહાન માણસ બનાવનાર ‘friedrich engels’ ની મિત્રતા. તો વળી આપણા શોલે ના જાય-વીરુ ની કાલ્પનિક મિત્રતા એ સ્કૂટર એ તોફાન ને એ ગીત, ‘ ये दोस्ती हम नहीं छोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ न छोड़ेंगे ‘ છે ને મિત્રો મિત્રતાની અલગ દુનિયા haर एक फ्रेंड जरुरी होता हे’.

                           મિત્રતા ઊંચ,નીચ, જ્ઞાતિ,જાતી, ધર્મ, કોમ આ બધી બાબતોથી પર હોય છે. આ માણસને મળેલો સૌથી મૌલિક સંબંધ છે. પસંદગી કરવાની છૂટ હોય છે મિત્રની, ને માટે આ સંબંધ સાચા કે ખોટા ની પરીક્ષાથી મુક્ત હોય છે. મિત્રતા એટલે  જે બીજા માટે વરસી પોતે ખાલી થઇ જાય એવું વાદળ ને  પછી એકદમ સ્વચ્છ બની જતું આકાશ જે એકદમ નિખાલસ અને માસુમ લાગે છે. એટલે જ તો આપણે મિત્ર પાસે જેવા હોઈએ તેવા પ્રગટ થઇ જઈએ છીએ. નહિ કોઈ દંભ નહિ કોઈ વ્યવહાર કે નહિ કોઈ વેપાર પ્યોર સંબંધ ને પ્યોર બંધન. જિંદગીના સમગ્ર દુખો જેના ખભે મૂકી આપણે નિરાતનો શ્વાસ લઇ શકીએ તે મિત્ર, જેને જિંદગીની નાનામાં નાની બાબત કે ઘટના કહ્યા વિના ના રહી શકાય તે મિત્ર ને જેની સાથે ઝઘડો કર્યા બાદ પણ બોલ્યા વિના ના રહી શકાય તેનું નામ મિત્ર.

     ‘મિત્રતા’ ની સમજણ દરેક સંબંધોનો પાયો છે. જો માતા-પિતા ને સંતાનો વચ્ચે મિત્રતા હોય તો જનરેશન ગેપ ના પ્રશ્નો જ ઉભા ના થાય. દાદા-દાદી તો હોય જ છે પૌત્ર-પૌત્ર્રીઓના મિત્ર. તેઓની સાથે રમી તેઓ પણ નાનપણ જીવી લે છે. કુટુંબના દરેક સંબંધોમાં મિત્રતા જળવાય તો મકાન ‘ઘર’ બની જાય ને કુટુંબો કદી તૂટે નહિ. અરે યાર લગ્નજીવનમાં પણ મિત્રતા જરૂરી છે. પતિ-પત્ની એકબીજાના મિત્ર બની રહે તો લગ્ન આ પૃથ્વી પરનો સૌથી અલૌકિક સંબંધ બની રહે. એટલે જ તો સપ્તપદી ના સાત વચનો માં એક વચન માં મિત્ર બનવાનું પણ આવે છે. આપણે બંને એકબીજાના મિત્રો બની રહીએ. એટલે મિત્રો, દોસ્તી થકી જ દરેક સંબંધો નિભાવવા લાયક બને છે. મિત્રતા થકી જ જીવનના દરેક પ્રશ્નો ઉકેલી શકાય છે.

           ‘મિત્રો’ સાથેની મિત્રતા એટલે શેરીની ધૂળમાં રમવું, વરસાદના પાણીથી ભરાયેલા ખાબોચિયામાં સાથે નાહવું, શિયાળા ની ઠંડીમાં ના ઉઠતા મિત્રોની ચાદર ખેચી લેવી,ને ઉનાળામાં ભર બપોરે મિત્ર બોલાવે તો રમવા દોડી જવું,ને માં બોલાવતી રહી જાય તોય ગલીઓમાં રમવા દોડી જવું તેનું નામ મિત્રતા.ને વળી સ્કૂલમાં બેંચ પર ઠેકડા મારવા કે રિશેષ માં એકબીજાના નાસ્તા શેર કરવા કે પછી કદિ સ્કૂલે થી સ્વેચ્છિક રજા લઇ ગામ ની ગલીઓમાં ફરવા નીકળી જવું કે પછી ગામ ના પાદરે વડની ડાળીએ ઝૂલવું કે નદીમાં ભૂસકા મારવા એનું નામ પણ છે મિત્રતા. કદી સ્કૂલમાં તોફાન કરતા શિક્ષક પકડી લે ને એકાદાને માર પડે ને સોળ બધાને ઉઠી આવે કે કદી હાથે કરીને કોઈ મિત્રને માર ખવડાવવાની મજા જ કઈ ઓર હોય છે. તો વળી કદી ઘર આસપાસ ની ગાળિયો માં ટોળી બનાવી પાડોશીઓને હેરાન કરવાના પ્લાન બનાવે તે પણ મિત્રો સિવાય કોણ હોય! નાનપણની મિત્રતા નિખાલસ સંબંધો ની દોરીએ બંધાયેલી હોય છે ,જેમાં લડવું, ઝઘડવું,પાછા ભેગા થવું કોમન હોય છે , પણ એની સ્મૃતિઓ જીવનભર સચવાય રહે છે આપણે જિંદગીમાં આગળ વધી જઈએ છીએ પણ એ નાદાનિયત કદી ભુલાતી નથી. એટલેજ તો બાળપણમાં મિત્રો સાથે કોઈના ખેતરમાં ઘુસી ખાધેલી શેરડીનો સ્વાદ પછી ગમે તેવી કંપનીના coldrinks કે જ્યુસ માં આવતો નથી.

        કોલેજ ની મિત્રતા એટલે કાર્ડ્સ ને ગીફટ ને days ને બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ ને ફેસબુક ને whatsapp ને party વગેરે વગેરે .............પણ છે એ પણ જકાસ.કોલેજ ની મિત્રતામાં ટીનએજ ની મુગ્ધતા ભળે ને જીંદગીમાં જોશ આવી જાય.પુરપાટ બાઈક ચલાવવાનું જોશ, ખુલ્લી છાતીએ પવન જીલવાનું જોશ, મિત્રો માટે કોઈ સાથે લડી લેવાનું જોશ, તો વળી વરસતા વરસાદમાં સાથે મળી લોંગ drive પર જવાનું જોશ તો કદી કોલેજ માંથી બંક મારી પીચર જોવા જવું કે પકડાઈ જઈએ તો પ્રોફેસર કે પ્રિન્સીપાલ ને ઉલ્લુ બનાવવા કે પછી સજા થાય તો સાથે ભોગવવાનો આનંદ! કે કદી ક્લાસમાં છેલ્લી બેન્ચે બેસી પ્રોફેસરો ના કાર્ટૂન દોરવા કે વાતો કરવી. તો વળી પરિક્ષા દરમિયાન એકબીજાને મદદ કરવા બને એટલા નુસખા કરવા. આ મિત્રતા કોલેજ ના કેમ્પસ કે હોસ્ટેલ ના રૂમ થી શરુ થાય છે ને જિંદગીભર જળવાય રહે છે. હોસ્ટલમાં મિત્ર એ પોતાની માટે બહાર જવા તૈયાર કરેલા કપડા પેરી બહાર જતું રહેવું, તેની ગર્લફ્રેન્ડ ને તેના સિક્રેટ કેવા કે પછી હોસ્ટેલ ની પાળી પર બેસી એકબીજા સાથે જીંદગી શેર કરવી એ મોજ પછી આગળ જતા મોટા મોટા બંગલામાં પણ આવતી નથી. એટલે જ તો મિત્રો કોલેજની મિત્રતામાં unlimited મસ્તી મોજ ને આનંદ હોય છે.

                  लगे मुझे यारी तेरी एसी जेसे दारू देशी खट्टी मीठी बाते तेरी नशे सी.

               ને છેલ્લે મિત્રો એક અનોખી મિત્રતાની વાત કરવી છે ને એ છે સ્ત્રી-પુરુષ મિત્રતાની. હા દોસ્તો એક સ્ત્રી અને પુરુષ પણ મિત્રો હોય શકે છે. પ્રેમ, લગ્ન સિવાય પણ તેઓની વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ હોય સકે છે.ને એ આપણે સ્વીકારવો જ જોઈએ ખુલ્લા મન અને હૃદય થી. શ્રીકૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે સખા ભાવ જ હતોને દુનિયા દરેક સંબંધોથી અલગ એ બંધન હતું. એટલેજ તો દ્રૌપદી ના દરેક દુઃખમાં માધવે તેને પૂરો સાથ આપ્યો હતો. તેઓનો સખાભાવ અલૌકિક હતો, આત્મીય હતો.આપણે પણ આ સંબંધને મિત્ર ભાવે જ જોવાનો છે. એક છોકરા અને એક છોકરી વચ્ચે મિત્ર હોય શકે છે. એ બાબત આપણે સ્વીકારવી રહી. આમ પણ દરેક સંબંધો જેનું કોઈ નામ નથી હોતું તેને આપને દોસ્તી નું જ નામ આપીએ છીએ ને! તો..........

                ને એક વાત યાદ રાખજો તમારો મિત્ર જેવો હોય તેવો તેને તેની મર્યાદા સાથે સ્વેકારજો. એકવાર મિત્રતા કર્યા બાદ જિંદગીભર નીભાવજો. ને યાદ રાખજો મિત્ર-દિવસ એટલે માત્ર ઓગષ્ટ મહિનાનો પેલો રવિવાર એવું જ નહિ પણ એ તો ૨૪*૩૬૫ આપણી સાથેજ હોય. જે દોરી આ દિવસે બાંધો  એને જીવનભર નીભાવજો.

                               “happy friendship day”

International Friendship Day 2019: 10 timeless quotes on friendship by  popular personalities

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

\

 

 

 

 

 

 

 

 

 

 

                                                               

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...