Saturday 15 July 2017

સલાહ સાથે સહકાર તો આપો!





આજે એસ.વાય.બી.એ.માં ડેન્માર્કની શ્વેત-ક્રાંતિ ભણાવી અને ઉપરનું શીર્ષક યાદ આવી ગયું.ડેન્માર્ક આજે યુરોપનું ડેરીનું ખેતર ગણાય છે.વિશ્વનું પ્રથમ નંબરનું “ડેરી ઉદ્યોગ” નું કેન્દ્ર એટલે ડેન્માર્ક.એમ કહેવાય છે કે ડેન્માર્કમાં દુધની નદીઓ વહે છે.આ ક્રાંતિ પાછળ સૌથી અગત્યની વાત હોય તો એ દેશમાં ડેરી-ઉદ્યોગ કેમ અને કેવી રીતે વિકાસ પામ્યો તે છે! ઈ.સ.૧૮૬૧ માં ડેન્માર્કના જટલેન્ડ નામના ગામમાં એક પાદરી ખ્રિસ્તી સદગુણો વિશે પ્રવચન આપી રહ્યા હતા, સભામાંથી એક વૃદ્ધે ઉભા થઇ કહ્યું કે, “સદગુણો બહુ સરસ છે,પણ એ આપણને રોટલો આપી શકતા નથી.રોટલાનો ટુકડો જીવવા માટે વધુ અગત્યનો છે!” પાદરીને બહુ દુ:ખ થયું. તે ઇંગ્લેન્ડ ગયા અને સહકારી સ્ટોર્સ વિશે જાણી લાવ્યા.તેણે ફરી એ જ સ્થળે પ્રથમ સહકારી સ્ટોર્સની રચના કરી. ને આજે ડેન્માર્ક સહકારી પ્રવૃતિઓનું હાર્દ બની ગયું છે.હવે એ વિચારજો આપણા દેશમાં પ્રવચન આપનારાઓ અને પ્રેરણાદાયી સ્પીચ આપનારોમાંથી કોણ આવું કાર્ય કરે છે કે કોણ આવી પહેલ કરે છે?
   આપણા દેશમાં સલાહ આપનારા ઘણા મળી રહે છે, પણ સહકાર આપનાર મળતા નથી.હકીકત તો એ છે કે સહકાર આપનાર દુર દુર સુધી મળતા નથી.સરકાર ની કોઈ પણ યોજના કે જાહેરાત આપણા સુધી પહોચે, આપણે સાંભળીએ ને તાત્કાલિક સૂચનો આપવા માંડીએ છીએ. સલાહ આપનારા ની ફોજ થઇ જાય છે,પણ મદદ કરનાર એક મળતો નથી.જયારે જરૂર પડે ત્યારે સલાહ આપનારા પણ આઘા-પાછા થવા માંડે છે.આ વાત જેટલી વ્યક્તિગત સંબંધોમાં સાચી છે,એટલી જ દેશના પ્રશ્નોના ઉકેલમાં પણ સાચી પડે છે.દેશના પ્રશ્નો ના જવાબમાં પણ બધા સલાહ,મંતવ્યો,ને comment જ આપ્યા કરે છે.પ્રશ્નોના ઉકેલમાં સહકાર આપવાને બદલે આમ કરવું જોઈએ અને આમ ના કરવું જોઈએ એ જ ચર્ચા કરતા રહીએ ‘ છીએ પણ સાથે મળીને એ સમસ્યાઓ સામે લડવાનું કોઈને સૂઝતું નથી. કેટલું બધું સાહિત્ય રોજ આ સંદર્ભે કેટ-કેટલુય બહાર પડતું રહે છે.કેટલાયે સેમિનારો,સભાઓ,ચર્ચાઓ થતી રહે છે,પણ કશું નક્કર થતું નાથે. ગરીબી દુર કરવાના સેમિનારો ફાઈવસ્ટાર હોટેલોમાં થતા રહે છે. બોલો ફાઈવસ્ટારમાં રહીને કોઈ ગરીબીને કેવી રીતે સમજી શકે કે પછી દુર કરવામાં મદદરૂપ કેવી રીતે થઇ સકે? હકીકત તો એ છે કે ગરીબી દુર કરવાના ભાષણો આપનાર પોતે ‘ધનિક’ બની ગયા! ગરીબી દુર કરવાના પ્રયત્નો નહિ માત્ર વાતો થાય. ચર્ચામાં બધા ભાગ લે ને,ભાગ લેનાર ની ગરીબી દુર થઇ જાય ને ગરીબો હતા ત્યાં ને ત્યાજ. એટલેજ આપણા દેશમાં ગરીબી આજે પણ ઘટી નથી. ગમે તે સમસ્યા હોય જેમ કે પ્રદુષણ, બેકારી, બળાત્કાર, શિક્ષણનું નીચું સ્તર વગેરેમાં લોકો માત્ર દુર કરવાની કે સુધારવાની વાતો કરે છે સલાહો આપતા રહે છે જે તે દિવસો ઉજવાતા રહે છે પણ તેને દુર કરવાના પ્રયાસો થતા નથી.
 ડેન્માર્ક ના પાદરીને લાગી આવ્યું એવું કોઈને થતું નથી.ઘણી સંસ્થાઓ કામ કરે છે, પણ એને પણ લોકોનો પૂરો સહકાર મળી રહેતો નથી.તમે જ કહો આપણે કેટલી મદદ કરીએ છીએ સરકારની કોઈ પણ સારી યોજનાને સફળ બનાવવાની કે પછી કોઈ નવા કાયદાને અપનાવવાની? મોદી સરકારે સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરી આપણે કેટલા સ્વચ્છતાના પાઠો શીખ્યા? કેટલી સારી યોજનાઓ જેવી કે ગેસનું ઓનલાઈન બુકિંગ,બાળકોને ભણાવવા સારી સરકારી નિશાળો,સ્ત્રી કેળવણી બાબતે મદદ,શિષ્ય-વૃતિના નાણા સીધા જે તે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવા,મેક ઇન ઇન્ડિયા,વગેરે.આમાંથી આપણે કેટલામાં સરકારને સપોર્ટ આપ્યો? અગર તો કેટલાને આનો યોગ્ય ઉપયોગ કરતા શીખવ્યો?આપણે માત્ર કોઈ નવી યોજના કે કાયદાની સમિક્ષા કરતા રહીએ છીએ પણ એને સફળ બનાવવામાં સરકારને સહકાર આપતા નથી.કોઈ પણ બાબતે સમજ્યા વગરના મંતવ્યો આપતા રહેવા એ આપણી આદત બની ગઈ છે.બોલે છે બધા પણ કામ કરવાનું આવે ત્યારે બધા ભાગતા રહે છે.બસ કાર્યક્રમો કાર્ય, સેલ્ફી લીધી, થોડા ફોટા પડાવ્યા whatsapp કે facebook પર અપલોડ કર્યા, થોડા likes કે comment મળી એટલે આપણું કામ કે પછી દેખાડો પુરા! આવું દરેક બાબતે અને દરેક સારી યોજના બાબતે થઇ જાય છે. જેમ અમુક સંબંધો માત્ર વ્યવહાર બની જાય એમ આવા સારા કાર્યકમો વ્યવહાર બની રહી જાય છે.
કોઈ પણ સારું કામ માત્ર ઉજવણી બની રહી જાય છે.એ બાબત પ્રત્યેની જાગૃતિ ગૌણ બની જાય છે.દરેક પ્રશ્નો સંદર્ભે લોકોને જાગૃત કરવા આપણે દિવસ કે સપ્તાહ ઉજવીએ છીએ પણ એ દિવસ પૂરતા લોકો જાગે છે ને પાછા સુઈ જાય છે! આપણે ત્યાં એટલે જ કોઈ બાબતે નક્કર પરિણામો મળતા નથી.ડેન્માર્ક,,ઇઝરાયેલ,સ્વીડન, જાપાન જેવા દેશો આજે આપણા કરતા આગળ છે તે માટે એક જ બાબત જવાબદાર છે અને તે છે “ત્યાના લોકો સલાહ સાથે સહકાર પણ આપે છે” બધા કામો માત્ર સરકાર જ કરે એવું વિચારતા નથી.ને વળી સરકારની દરેક યોજનાઓ અપનાવે છે અને કાયદાઓનું પાલન પણ કરે છે. હમણાં તમે વાચ્યું હશે ઈઝરાયેલના વડાપ્રધાનનો દીકરો લશ્કરમાં જોડાયો.ને માં-બાપ બંને હસતા મુખે તેને જવાની રજા આપી રહ્યા હતા.હવે વિચારો કયો દુશ્મન દેશ આવા દેશનો વાળ પણ વાંકો કરી શકે.કોઈ પણ દેશ ક્યારેય માત્ર વાતો કરતા રહેવાથીભાષણો,પ્રવચનોઆપતા કે સંભાળતા રેવાથી વિકસતો નથી પણ એના માટે ભરપુર પ્રયત્નો કરતા રેવાથી વિકસે છે. આદર્શો, સિદ્ધાંતોની મોટી મોટી વાતો કરનારે એને અમલમાં પણ મુકવી જોઈએ, તો જ બીજાઓ સ્વીકારે છે એમ જ આપણે પણ સલાહો આપવાને બદલે સહકાર આપવો પડશે.સરકારની સાથે કદમ થી કદમ મિલાવતા રહેવા પડશે.એટલું જ 
નહિશાળાઓ,મહાશાળાઓ,વિદ્યાપીઠો,મંદિરો,મસ્જીદો,ચર્ચો,ધનિકો,ગરીબો,દરેકે મદદ કરવા આગળ આવવું પડશે.એકલા નેતાઓ નહિ પણ
 ખેડૂતો,ઉદ્યોગપતિઓ,નોકરિયાતો,ધંધાદારીઓ,વ્યવસાયિકો વગેરે એ મહેનત કરવી પડશે. તો જ આપણે વિકસી શકીશું.



3 comments:

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...