Wednesday 1 November 2017

.............................................................................!

...................................................


                   કેટલાક લેખોને કોઈ શિર્ષકની જરૂર હોતી નથી.કેટલાક કાર્યોનું કોઈ મુલ્ય નથી હોતું.કેટલાક વ્યક્તિત્વો એટલા અદભુત હોય છે કે તેઓના સંપર્કમાં આવનાર સૌને પ્રભાવિત કરતા રહે છે. જેમ ફૂલ તેના સંપર્કમાં આવનાર પ્રત્યેકને સુગંધ આપતા રહે છે, તેમજ આવા વ્યક્તિઓ પોતાના સંપર્કમાં આવનાર સૌને પ્રેરણા આપતા રહે છે.સરળ વ્યક્તિત્વ ઈશ્વર સૌને નથી આપતો. ઘણા થોડું કરીને પણ પોતાની જાતને એક વર્તુળમાં કેદ કરી લેતા હોય છે, જેનો પરિઘ બહુ સાંકડો હોય છે.જયારે કેટલાક એવા હોય છે,જે વિરાટ કાર્યો કરવા છતાં પોતાની જાતને સરળ રાખી સકતા હોય છે. તેઓને મળીને હમેશા એવું ફીલ થાય કે તેઓ આપણા છે.ગમે તેટલા આગળ વધી જાય તેઓ પાછળ જોવાનું ચુકતા નથી. પોતાના કાર્યોનો નહિ કોઈ શો, કે નહિ કોઈ માર્કેટિંગ. બસ “કાર્ય એ જ તેઓનો જીવન મંત્ર હોય છે.” ભગવદગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, “કર્મ કરો પણ ફળની ચીંતા ના કરો.” છતાં મોટા ભાગના લોકો કર્મને ફળ સાથે જોડી દુખી થતા રહે છે. જયારે કેટલાક આ મંત્રને સંપૂર્ણ અનુસરતા હોય છે. તેઓ પોતાનું  કાર્ય એટલી શ્રેષ્ઠતાથી કરતા હોય છે કે એવું લાગે ઈશ્વર આસપાસ છે જ આપણને ઓળખતા આવડતું હોતું નથી.
 હમણાં જ આવા બે વ્યક્તિત્વોને મળવાનું થયું. જેઓ તેઓનું કાર્ય જીવનમંત્ર માની કરી રહ્યા છે.એક એવું દંપતી જે ગ્રામ્ય વિસ્તારના લોકોના વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યું છે.એક એવી સંસ્થા જે બાળકોને સર્જનાત્મક કેમ બનવું તે શીખવી રહ્યું છે, જ્યાં પહેલ,સંગઠન,આયોજન,સહભાગિતા,ક્ષમતાવર્ધન,ગ્રામોત્થાન જેવી અનેક અગત્યની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.તમારામાંથી ઘણા સમજી ગયા હશે અને ઘણાએ તો એ સંસ્થા જોઈ પણ હશે! એ સંસ્થા છે, જસદણ થી ૨૫ કીમી દુર આવેલું એક ગામ જ્યાં ચેતન્યભાઈ અને સોનલ બેન આ યજ્ઞ ચલાવી રહ્યા છે, જેનું નામ છે, “ઢેઢકી’ અને સંસ્થાનું નામ ‘લોકમિત્રા’ સુંદર સંસ્થા, શાંત વાતાવરણ કુદરત સાથે વાત કરતા હોય એવું લાગ્યું. આવી સાદગી મેં કદી જોઈ નથી. અમે તેઓને અમારા એક કાર્યક્રમ માટે સન્માન લેવાનું આમંત્રણ આપવા ગયેલા. પણ તેઓએ કહ્યું સન્માન ન લેવું એવું અમે નક્કી કર્યું છે, અને આપણે સૌ નામ પાછળ કેવા દોડતા હોઈએ છીએ. જેઓ સતત કામ કરતા રેતા હોય છે, તેઓ માટે પોતાનું કાર્ય જ સૌથી મોટું સન્માન હોય છે.ઈશ્વરને ધન્યવાદ મારી મુલાકાત આવી સુંદર વ્યક્તિઓ સાથે કરાવી.
  મને સૌથી વધુ ગમી ત્યાની હોસ્ટેલ જે એકદમ કુદરતી રીતે બનાવેલી હતી.વાંસથી બનાવેલુ સુંદર ઘર! એક સીડી ચડવાની અને અંદર સંપૂર્ણ કુદરતી ઘર. જોવાની મજા આવી ગઈ.વિદ્યાર્થીઓ જાતેજ રસોઈ બનાવી જમેં. છે ને અદભુત વાત! આપણે તો આપણા બાળકો માટે એ.સી. નિશાળો અને હોસ્ટેલો શોધતા ફરીએ છીએ, જયારે અહી તો અગવડો અને અભાવો વચ્ચે કેમ જીવવું એ શીખવવામાં આવે છે.અમે સોનલ બેનને થોડા પ્રશ્નો પૂછ્યા કે તેઓ અહી કેવી રીતે આવ્યા અને આજ ગામ કેમ પસંદ કર્યું, તેઓએ કહ્યું, અમે ૨૮ વર્ષ થી અહિયાં છીએ, આ સંસ્થાની સ્થાપના કરી ૧૯૮૯માં. તેમણે કહ્યું ગામ પસંદ કરવાના અમારા કેટલાક ક્રાયટેરિયા હતા એ મુજબ સાયકલ પર પ્રવાસ કરી અમે આ સ્થળ પસંદ કર્યું. ને છેલ્લા ૨૮ વર્ષ થી અમે આ કાર્ય કોઈપણ જાતના માર્કેટિંગ વિના કરીએ છીએ.હજી વધુ રહેવું હતું પણ સમયના અભાવે શકય ના બન્યું. તેમના ઘરે સરબત પી અમે પાછા ફર્યા, પણ મનમાં એક વાત ગુંજતી રહી, “ જેને કામ કરવું જ છે, તેને રસ્તો હમેંશા મળી જ રહે છે.” એ સંસ્થાના થોડાક સુત્રો તમારા માટે લખું છું.

ભણવું એટલે વિકસવું
સાહેબ થઇ મ્હાલવું
નગર-મહાનગરે વિચરવું
વતન-ગામડું વિસરવું

માનવ હમેંશા ઉર્ધ્વગામી છે
તેવા દ્રઢ વિશ્વાસ સાથે.


No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...