બાળકની દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું?
હેડિંગ:
हम अपने अपने खेतों में, गेहूँ की जगह चावल की जगह
ये बन्दूकें क्यों बोते हैं?
जब दोनों ही की गलियों में, कुछ भूखे बच्चे रोते हैं
છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ જુદા જુદા યુદ્ધોની અસર હેઠળ સિસકીઓ લઈ રહ્યું છે. આશરે 250 મિલિયન જેટલા બાળકો આજે છેલ્લા કેટલાક વર્ષોના યુદ્ધોને લીધે અનાથોની પીડા સહન કરી રહ્યા છે. આપણો દેશ પણ યુદ્ધથી થોડાક અંતરે છેટો રહી ગયો. પણ જે દેશો પોતાની વચ્ચેના અંતરને ઘટાડી ના શકયા, તેઓ આજે લડી રહ્યા છે અને તે યુદ્ધોની સૌથી ખરાબ અસરો બાળકો પર થઈ રહી છે. દારૂ-ગોળાના ધુમાડા વચ્ચે તેઓનું ભવિષ્ય ધૂધળું તો શું પણ દેખાતું જ બંધ થઈ ગયું છે. યુદ્ધના ઘોંઘાટે તેઓના જીવનમાં એવો ખાલીપો ભરી દીધો છે, જેને તેઓ જીવશે ત્યાં સુધી નથી ભૂલી શકવાના! કારણકે આ યુદ્ધોએ તેઓની પાસેથી તેઓનું સઘળું જ છીનવી લીધું છે, તેઓના બાળપણ સહિત...
આપણી આસપાસના 50% બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગને લીધે શારીરિક અને માનસિક રીતે ખતમ થઈ રહ્યા છે, અને બાકીના 50% બાળકો યુદ્ધ અને ભૂખમરાને લીધે પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છે. આપણે બાળકોને કેવી દુનિયા આપી રહ્યા છીએ? રવિન્દ્રનાથ ટાગોરના પ્રખ્યાત વાક્ય, "દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી." પણ આજના બાળકો માણસોથી ખરેખર નિરાશ થઈ ગયા છે!
જે ઘરોમાં માતા-પિતા સાથે તેઓ મસ્ત મજાનું જીવન જીવી રહ્યા હતા, તે ઘરોના કાટમાળ નીચે તેઓની જિંદગી દટાઇ ગઈ છે. સવારે ઊઠે છે, તો માતા-પિતાની એ હુંફ મિસિંગ છે, જેના સહારે તેઓનું બાળપણ એકદમ સલામત વીતી રહ્યું હતું. આવા અનાથ બાળકોના આંકડાઓ જાણીને પણ આપણે શું કરીશું? જ્યારે આપણે તેઓની વેદના-સંવેદનાને સમજી શકતા નથી. ભૂખમરો,ગરીબી, એકલતા તેઓના સાથીદારો બની રહે છે. રાહતકેમ્પમાં ઉછરતા આ બાળકોને એ પણ નથી ખબર કે ઈશ્વર તેઓને કઈ વાતની સજા દઈ રહ્યો છે? માતા-પિતા સાથેની તેઓની કલરફૂલ દુનિયા એકદમ બ્લેક & વાઇટ બની જાય છે.
ઘણીવાર આવા બાળકો યુદ્ધ દરમિયાન શારીરિક અપંગ પણ બની જાય છે. તેઓ શરીરનું કોઈ અંગ, દ્રષ્ટિ અથવા જ્ઞાનાત્મક ક્ષમતા ગુમાવવા ઉપરાંત, શાળા અને સામાજિક જીવનની તક ગુમાવી શકે છે. આવા બાળકોની સ્થિતિ સૌથી વધુ કપરી બની રહે છે. આવા બાળકોને કૃત્રિમ અંગો મળતા 10 વર્ષો કે તેથી વધુ સમય લાગે છે. ઘણા તો કૃત્રિમ અંગો મેળવી પણ શકતા નથી અને આખી જિંદગી અપંગ તરીકે ઠોકર ખાતા રહે છે. યુદ્ધમાં બાળકોના સ્વાસ્થ્ય પણ જળવાતું નથી. પોષણ, પાણીની સલામતી, સ્વચ્છતા, રહેઠાણ, આરોગ્ય સેવાઓની પહોંચ. વસ્તીના સ્થળાંતર સાથે રોગના વાહકો સામે રોગપ્રતિકારક શક્તિ ગુમાવી શકે છે. શરણાર્થી બાળકો ખાસ કરીને કુપોષણ અને ચેપી બીમારીના ભોગ બને છે. યુદ્ધને કારણે વસ્તી રસીકરણ કાર્યક્રમોમાં પણ વિક્ષેપ પડે છે જે બાળ મૃત્યુદરમાં વધારો કરે છે.
યુદ્ધ દરમિયાન નાની દીકરીઓ સાથે બળાત્કાર પણ થાય છે. બળાત્કારનો ભોગ બનેલી આવી દીકરીઓનો સમાજિક બહિષ્કાર થાય છે, તેણી ક્યારેય સુખી લગ્નજીવન મેળવી શકતી નથી. આવી દીકરીઓ મોટા ભાગે સેક્સ-વર્કર બની જાય છે, અને એઈડઝ જેવા રોગોની ભોગ બને છે. લાંબો સમય એકલા રહેવાને લીધે આવી દીકરીઓની જિંદગીમાથી લાગણીઓની બાદબાકી થઈ જાય છે. આવી બાળકીઓ આખી જિંદગી યુદ્ધની માનસિક અસરોમાથી બહાર આવી શકતી નથી.
આવા બાળકો માતા-પિતા ગુમાવીને સગા-સંબંધીઓના સહારે ઉછરે છે, જ્યાં તેઓનું શારીરિક અને માનસિક શોષણ થાય છે. તેઓ માટે યુદ્ધ બાદનું જીવન ક્યારેય યુદ્ધ પહેલાના જીવન જેવી સંભાવનાઓ લાવી શકતું નથી! આવા બાળકોનું ચારિત્ર્યઘડતર થઈ શકતું નથી. આસપાસની દુનિયા તરફથી ઉદાસીનતાનો અનુભવ, અથવા તેનાથી પણ ખરાબ દુષ્ટતા અને બાળકોનું નૈતિક અધ:પતન પણ થાય છે. તેઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જૂઠું બોલવું, ચોરી કરવી અને ક્યારેક પોતાનું શરીર પણ વેચી દેવું પડે છે.
સતત ડર હેઠળ ઉછરતું આ બાળપણ આજે આપણી પાસે શાંતિ અને સલામતી માંગી રહ્યું છે. યુદ્ધથી થયેલું આર્થિક નુકસાન તો આપણે ભરપાઈ કરી દઇશું, પણ બાળકોએ ગુમાવી દીધેલી હુંફ, પ્રેમ અને માતા-પિતાનું સુખ આપણે તેઓને ક્યારેય પાછું આપી શકવાના નથી.
બાળકોની દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું?
હેડિંગ:
हम अपने अपने खेतों में, गेहूँ की जगह चावल की जगह
ये बन्दूकें क्यों बोते हैं?
जब दोनों ही की गलियों में, कुछ भूखे बच्चे रोते हैं
છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ જુદા જુદા યુદ્ધોની અસર હેઠળ સિસકીઓ લઈ રહ્યું છે. આશરે 250 મિલિયન જેટલા બાળકો આજે છેલ્લા કેટલાક વર્ષોના યુદ્ધોને લીધે અનાથોની પીડા સહન કરી રહ્યા છે. આપણો દેશ પણ યુદ્ધથી થોડાક અંતરે છેટો રહી ગયો. પણ જે દેશો પોતાની વચ્ચેના અંતરને ઘટાડી ના શકયા, તેઓ આજે લડી રહ્યા છે અને તે યુદ્ધોની સૌથી ખરાબ અસરો બાળકો પર થઈ રહી છે. દારૂ-ગોળાના ધુમાડા વચ્ચે તેઓનું ભવિષ્ય ધૂધળું તો શું પણ દેખાતું જ બંધ થઈ ગયું છે. યુદ્ધના ઘોંઘાટે તેઓના જીવનમાં એવો ખાલીપો ભરી દીધો છે, જેને તેઓ જીવશે ત્યાં સુધી નથી ભૂલી શકવાના! કારણકે આ યુદ્ધોએ તેઓની પાસેથી તેઓનું સઘળું જ છીનવી લીધું છે, તેઓના બાળપણ સહિત...
આપણી આસપાસના 50% બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગને લીધે શારીરિક અને માનસિક રીતે ખતમ થઈ રહ્યા છે, અને બાકીના 50% બાળકો યુદ્ધ અને ભૂખમરાને લીધે પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છે. આપણે બાળકોને કેવી દુનિયા આપી રહ્યા છીએ? રવિન્દ્રનાથ ટાગોરના પ્રખ્યાત વાક્ય, "દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી." પણ આજના બાળકો માણસોથી ખરેખર નિરાશ થઈ ગયા છે!
જે ઘરોમાં માતા-પિતા સાથે તેઓ મસ્ત મજાનું જીવન જીવી રહ્યા હતા, તે ઘરોના કાટમાળ નીચે તેઓની જિંદગી દટાઇ ગઈ છે. સવારે ઊઠે છે, તો માતા-પિતાની એ હુંફ મિસિંગ છે, જેના સહારે તેઓનું બાળપણ એકદમ સલામત વીતી રહ્યું હતું. આવા અનાથ બાળકોના આંકડાઓ જાણીને પણ આપણે શું કરીશું? જ્યારે આપણે તેઓની વેદના-સંવેદનાને સમજી શકતા નથી. ભૂખમરો,ગરીબી, એકલતા તેઓના સાથીદારો બની રહે છે. રાહતકેમ્પમાં ઉછરતા આ બાળકોને એ પણ નથી ખબર કે ઈશ્વર તેઓને કઈ વાતની સજા દઈ રહ્યો છે? માતા-પિતા સાથેની તેઓની કલરફૂલ દુનિયા એકદમ બ્લેક & વાઇટ બની જાય છે.
ઘણીવાર આવા બાળકો યુદ્ધ દરમિયાન શારીરિક અપંગ પણ બની જાય છે. તેઓ શરીરનું કોઈ અંગ, દ્રષ્ટિ અથવા જ્ઞાનાત્મક ક્ષમતા ગુમાવવા ઉપરાંત, શાળા અને સામાજિક જીવનની તક ગુમાવી શકે છે. આવા બાળકોની સ્થિતિ સૌથી વધુ કપરી બની રહે છે. આવા બાળકોને કૃત્રિમ અંગો મળતા 10 વર્ષો કે તેથી વધુ સમય લાગે છે. ઘણા તો કૃત્રિમ અંગો મેળવી પણ શકતા નથી અને આખી જિંદગી અપંગ તરીકે ઠોકર ખાતા રહે છે. યુદ્ધમાં બાળકોના સ્વાસ્થ્ય પણ જળવાતું નથી. પોષણ, પાણીની સલામતી, સ્વચ્છતા, રહેઠાણ, આરોગ્ય સેવાઓની પહોંચ. વસ્તીના સ્થળાંતર સાથે રોગના વાહકો સામે રોગપ્રતિકારક શક્તિ ગુમાવી શકે છે. શરણાર્થી બાળકો ખાસ કરીને કુપોષણ અને ચેપી બીમારીના ભોગ બને છે. યુદ્ધને કારણે વસ્તી રસીકરણ કાર્યક્રમોમાં પણ વિક્ષેપ પડે છે જે બાળ મૃત્યુદરમાં વધારો કરે છે.
યુદ્ધ દરમિયાન નાની દીકરીઓ સાથે બળાત્કાર પણ થાય છે. બળાત્કારનો ભોગ બનેલી આવી દીકરીઓનો સમાજિક બહિષ્કાર થાય છે, તેણી ક્યારેય સુખી લગ્નજીવન મેળવી શકતી નથી. આવી દીકરીઓ મોટા ભાગે સેક્સ-વર્કર બની જાય છે, અને એઈડઝ જેવા રોગોની ભોગ બને છે. લાંબો સમય એકલા રહેવાને લીધે આવી દીકરીઓની જિંદગીમાથી લાગણીઓની બાદબાકી થઈ જાય છે. આવી બાળકીઓ આખી જિંદગી યુદ્ધની માનસિક અસરોમાથી બહાર આવી શકતી નથી.
આવા બાળકો માતા-પિતા ગુમાવીને સગા-સંબંધીઓના સહારે ઉછરે છે, જ્યાં તેઓનું શારીરિક અને માનસિક શોષણ થાય છે. તેઓ માટે યુદ્ધ બાદનું જીવન ક્યારેય યુદ્ધ પહેલાના જીવન જેવી સંભાવનાઓ લાવી શકતું નથી! આવા બાળકોનું ચારિત્ર્યઘડતર થઈ શકતું નથી. આસપાસની દુનિયા તરફથી ઉદાસીનતાનો અનુભવ, અથવા તેનાથી પણ ખરાબ દુષ્ટતા અને બાળકોનું નૈતિક અધ:પતન પણ થાય છે. તેઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જૂઠું બોલવું, ચોરી કરવી અને ક્યારેક પોતાનું શરીર પણ વેચી દેવું પડે છે.
સતત ડર હેઠળ ઉછરતું આ બાળપણ આજે આપણી પાસે શાંતિ અને સલામતી માંગી રહ્યું છે. યુદ્ધથી થયેલું આર્થિક નુકસાન તો આપણે ભરપાઈ કરી દઇશું, પણ બાળકોએ ગુમાવી દીધેલી હુંફ, પ્રેમ અને માતા-પિતાનું સુખ આપણે તેઓને ક્યારેય પાછું આપી શકવાના નથી.
No comments:
Post a Comment