Sunday 24 September 2023

‘હ્રદય’ બહુ ઝડપથી બંધ પડી રહ્યું છે, કારણ કે આપણે જીવી નથી રહ્યા, દોડી રહ્યા છીએ.....

 

‘હ્રદય’ બહુ ઝડપથી બંધ પડી રહ્યું છે, કારણ કે આપણે જીવી નથી રહ્યા, દોડી રહ્યા છીએ.....

 Structure and Function of the Heart

   છેલ્લા કેટલાક મહિનાઓમાં 15 થી 40 વર્ષના યુવાનોમાં હાર્ટ-એટેક આવવાનું પ્રમાણ વધી રહ્યું છે! કોઈ વર્ક-આઉટ કરતાં કરતાં તો કોઈ રમતના મેદાનમાં દમ તોડી રહ્યું છે. અરે નિશાળમાં ભણતા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ પણ હાર્ટ-એટેક ને લીધે જિંદગીને અલવિદા કહી રહ્યા છે. હમણાં બે દિવસ પહેલા દિલ્હીમાં બસ ચલાવતા ચલાવતા ડ્રાઈવરને એટેક આવી ગયો. કોઈ ઓફિસમાં આજે કામ કરી રહી રહ્યું છે, અને બે મિનિટમાં તો તે હતું, ના હતું, થઈ રહ્યું છે.  થોડા મહિના અગાઉ જામનગરના પ્રખ્યાત ડોકટર કે જેમણે અનેક હાર્ટ-સર્ઝરી કરી હતી, તેઓ જ આ એટેકનો શિકાર બની ગયા!

 એક દસકા પહેલા 40 વર્ષની ઉંમરની આસપાસની વ્યક્તિને હાર્ટ-એટેકને લીધે ઈમરજન્સી સારવાર આપવી પડે, તેવા કિસ્સાઓ ભાગ્યે જ બનતા, પણ આજકાલ તો 30 થી 40 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં આ પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છાપાઓના જુદા જુદા પાને આવા કિસ્સાઓ છપાતાં જ રહે છે.

  આ હાયપરટ્રોફિક કાર્ડિયોમાયોપથી (HCM) નામની ક્લિનિકલ સ્થિતિને કારણે થાય છે, જેના કારણે રમતગમતના મેદાનમાં ઘણા અકસ્માતો થયા છે, જેમાં યુવા જીવન સ્ટેડિયમમાં અથવા તો જીમમાં વર્કઆઉટ કરતી વખતે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામે છે. આ સ્થિતિ, જે હૃદયના સ્નાયુને જાડી બનાવે છે,તે સામાન્ય રીતે અસામાન્ય જનીનોને કારણે થાય છે. જાડા હૃદયના સ્નાયુ હૃદય માટે રક્ત પંપ કરવાનું મુશ્કેલ બનાવી શકે છે. હૃદયના ચેમ્બરની દીવાલો જાડી અને કડક બને છે, જેનાથી દરેક ધબકારા સાથે શરીરમાં લઈ શકાય અને બહાર પમ્પ કરી શકાય તેવા લોહીની માત્રામાં ઘટાડો થાય છે. સામાન્ય રીતે,હજારમાંથી એક વ્યક્તિમાં તે હોય છે.

    નાના હતા, ત્યારથી આપણે વિજ્ઞાનમા શિખતા આવ્યા છીએ કે હ્રદય એ શરીરનું સૌથી અગત્યનું અંગ છે. હ્રદય સાથે જોડાયેલા રહીશું તો મસ્ત જીવન જીવી શકીશું. પણ આધુનિક જીવન-શૈલીએ આપણી પાસેથી હ્રદયનો ઓરિજિનલ ધબકાર છીનવી લીધો છે. હ્રદય જે રીતે આપણાં શરીરમાં કામ કરે છે, તે જાણીશું તો લાગશે કે દુનિયાની તમામ અજાયબીઓ આપણી અંદર જ સચવાયેલી છે.

  હ્રદયનું સૌથી અગત્યનું કામ લોહીને આપણાં આખા શરીરમાં ફરતું રાખવાનું છે. રુધિરાભિસરણ તંત્રના મુખ્ય ભાગ તરીકે હ્રદય લોહીના પમ્પિંગનું, ઑક્સીજન અને પોષકતત્વો પૂરા પાડવાનું અને શરીરની તમામ પેશીઓમાંથી કાર્બન ડાયોક્સાઈડ જેવા મેટાબોલિક કચરાને દૂર કરવાનું કામ કરે છે. આપણે જો આજે અત્યારે જીવી રહ્યા છીએ, તો તેનું બહુ મોટું કારણ આપણાં હ્રદયનું ધબકતું રહેવું છે. જે સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે. પણ જો એ અટકી ગઈ તો આપણે પણ કાયમ માટે અટકી જતાં હોઈએ છીએ.

  નોર્મલ એટેક પછી સ્ટેન્ડ બેસાડી કે બાયપાસ સર્ઝરી કરાવી આપણે જીવી તો શકીએ છીએ, પણ પછી એ જિંદગી નોર્મલ રહેતી નથી! એ જિંદગી બહુ ઝડપથી હાંફી કે થાકી જતી હોય છે. ડોક્ટર્સના અને રીસર્ચના કહેવા પ્રમાણે આપણી આધુનિક બેફામ અને ફેશન આધારિત જિંદગીને લીધે આજથી 30વર્ષો પહેલા હાર્ટ-એટેક નું જોખમ 50 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં વધુ રહેતું, જે આજે  20 થી 45 વર્ષના યુવાનોમાં વધી રહ્યું છે. 

  શારીરિક શ્રમનું ઘટતું પ્રમાણ એટેલે કે બેઠાડું જીવન, સ્મોકીંગ, શરાબનું વધુ પડતું સેવન, ડાયાબિટીસ, જાડાપણું, હાઇપર-ટેન્શન, ખોરાક લેવાની ખરાબ ટેવો, જંકફૂડનું વધુ પડતું પ્રમાણ, સ્ટ્રેસ, વગેરે કારણોને લીધે આ જીવલેણ રોગનું અને તેને લીધે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધતી જ જાય છે. આધુનિક જીવનશૈલીએ આપણને ઘણી ઘણી નવી નવી ટેક્નોલૉજી આપી છે, પણ સાથે સાથે આપણી પાસેથી નિરાંત નામની ફીલિંગને છીનવી લીધી છે.

 બાળકો પણ આજકાલ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. આપણે સૌ જીવી નથી રહ્યા, બસ દોડી જ રહ્યા છીએ. બાળકોથી માંડીને મોટી ઉંમરના દરેક જાણે કે કોઈને કોઈ દબાણમાં જીવતા હોય એવું લાગી રહ્યું છે. અને જીવનશૈલી એમાં તો આપણે કાલિદાસની જેમ જે ડાળ પર બેઠા છીએ એ જ ડાળને નુકસાન પહોંચાડી જાતે જ મૃત્યુનો રસ્તો પસંદ કરી રહ્યા છીએ. હૃદય  છાતીની મધ્યમાં  ફેફસાંની વચ્ચે,બ્રેસ્ટબોન (સ્ટર્નમ) ની પાછળ અને સહેજ ડાબી બાજુએ આવેલું છે. બસ તેને ધબકતું રાખવા માટે જેવુ જીવવું જોઈએ એવું જીવીએ...

 

 

 

 

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...