Thursday, 25 December 2025

આ છે કઈક નવી જ 'આત્મનિર્ભરતા' !!!

 

 આ છે કઈક નવી જ 'આત્મનિર્ભરતા' !!!

 Self-Love Is the Key to Getting Anything and Everything You Want | HuffPost  Life

 

 

 

 

જિંદગીમાં કેટલાક જખમો સતત ડંખતા રહે છે. કેટલાક સંબંધો સતત ગૂંચવાતા રહે છે, કેટલીક બાબતો હ્રદયમાં હમેંશા સચવાતી જ રહે છે. કેટલાક ચહેરાઓ ક્યારેય ભૂલાતા જ નથી. અમુક લાગણીઓ આંખમાં ઇન્સ્ટન્ટ આંસુ લાવી જ દેતી હોય છે. આપણે જે કાઇપણ ફીલ કરી છીએ, એ ક્યારેય ભૂલાતું નથી. અતિસુખ આંખોમાં પાણી અને અતિ દૂ:ખ હોઠો પર સ્માઇલ લાવી જ દે છે. જે ક્ષણો આપણને જીવંત લાગે છે, તેની જીવંતતા આપણા જીવનને કાયમ ફ્રેશ રાખતી જ રહે છે.

 મોબાઇલની જેમ આ બધી આપણા સૌના જીવનની બાય ડીફોલ્ટ સંવેદનાઓ અને વેદનાઓ છે. જે ક્ષણે આપણે કશુંક વિશિષ્ટ ફીલ કરીએ છીએ, તે ક્ષણો જીવનને છેક તળિયે જમા થતી રહે છે. તેની સ્મૃતિઓને જીંદગીની કોઈ ઓપરેટિંગ સિસ્ટમ ડિલીટ કરી શકતી નથી. ખુદ આપણે પણ મોસ્ટલી આવી બાબતોથી ડિસ્ટર્બ થતાં રહીએ છીએ. પણ એ બાબતોને આપણે અનઇન્સ્ટોલ નથી કરી શકતા.

 કારણકે આપણને ફીલ કરવું ગમે છે, આપણને ધબકવું ગમે છે. જ્યારે પણ જિંદગીમાં બ્રેકઅપની ફીલિંગ આવે, આપણે બ્રેક થઈ જ જતાં હોઈએ છીએ. અને માઇન્ડ વેલ આપણે ભલે પ્રેક્ટિકલ હોવાનો ઢોંગ કરતાં હોઈએ, પણ આપણે છીએ, ઈમોશનલ જ! જ્યારે જ્યારે આપણે એવું બોલીએ છીએ, કે તેને જે કરવું હોય તે કરે, હવે મને એનાથી કઇ જ ફર્ક પડતો નથી, ત્યારે ત્યારે આપણને ફર્ક પડતો હોય છે. એ ફર્ક પડે છે, એટલે જ આપણે અંદરથી ખાલી થઇ જતાં હોઈએ છીએ.

 આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે સ્વીકારતા નથી કે મને હર્ટ થયું છે, એ કહેવામા પણ આપણને આપણો જ ઇગો નડે છે. આ ઇગો એ ફીલિંગ છે, જેની આગળ આપણી ઈમોશનલ ફીલિંગ્સ પણ નબળી પડી જતી હોય છે. આપણે ઇમોશનલ થવામાં પણ ત્રાજવું લઈને બેસી જતાં હોઈએ છીએ. એને મારુ કઈ નથી, તો મને પણ નથી! આ કોઇ ત્રાજવે તોલવાની બાબત છે. હા કોઈ પાછળ પાગલ થઈને જીવી શકાતું નથી, કોઈ આપણને તોડીને ચાલ્યું જાય તો ફરીથી જોડાઈ જ જવાનું હોય છે. પણ નાની નાની વાતોથી જિંદગીના મસ્ત સંબંધો છૂટી ના જવા જોઈએ.

 બ્રેકઅપ જિંદગીમાં એટલા માટે આવે છે કે આપણે બ્રેક થઈને અપ જઇ શકીએ. આપણે ખુદને સાંભળતા અને સંભાળતા શીખી જઈએ. એક જગ્યાએ અટકી નથી જવાનું, પણ એ જગ્યાએ થોડીવાર ઊભા રહીને વિચારી લઈએ કે, જે તૂટે છે, એ કોઈ નજીવા કારણસર તો નથી તૂટતું ને? સંબંધોમાં ઇનસ્ટંટ જેવુ કશું નથી હોતું... એમાં પણ અખૂટ ધીરજ જોઈએ છીએ. સંબંધ તૂટે, ત્યારે આપણે તૂટી જતાં હોઈએ છીએ, ને વળી ફરીથી જે સંધાય છે, એ બરડ થઈ જતું હોય છે. માટે આપણો પ્રથમ પ્રયાસ સંબંધોની જાળવણી હોવો જોઈએ.

 પણ એ જાળવણી કરવામાં જો વધુ પડતી આપણી જિંદગી ખર્ચાઈ જતી હોય, તો એ ઈમોશનલ અત્યાચાર ને સહન કરવાની જરાપણ જરૂર નથી.  જે નજીકનો સંબંધ આપણી જિંદગીમાં નવીનતા કે વિવિધતા નથી ઉમેરી શકતો, તેનાથી દૂર થઈ જવું જોઈએ. સંબંધો ઈમોશનલ બ્લેકમેલિંગ જેવા ના હોવા જોઈએ. આ બ્લેકમેલિંગ આપણને આપણાથી જ દૂર કરી દેતું હોય છે. આપણને સ્ટ્રેસ તરફ ધકેલી દેતું હોય છે, અને ક્યારેક આપઘાત તરફ!

 બહુ ઝડપથી આવા સંબંધો તરફથી યુ-ટર્ન લઈ લેવો... જિંદગી આમપણ દરેક નવા વળાંકે, નવું કશુંક આપતી જ હોય છે. માટે આવા જુનવાણી વિચારના સંબંધો સાથે ઝકડાય રહેવાની કોઈ જ જરૂર નથી. સુખી થવા માટે કે મનને આનંદ સભર રાખવા માટે આપણે કોઈના સહારાની જરૂર નથી. સૌથી વધુ આપણે આ બાબતે આત્મનિર્ભર થવાની ખાસ જરૂર છે.

 મને તારી સાથે મજા આવે, એ હેલ્ધી રીલેશન છે, પણ મને તારી જ સાથે મજા આવેએ અનહેલ્ધી રીલેશન છે! આમપણ કોઈ સાથે એટલા બધા એટેચ ના થઈ જઈએ કે આપણી ખુશીઓ પણ તેના આધારિત થઈ જાય! જે કઈ અંદર સળવળતું રહે છે, તે જીવનને ડિસ્ટર્બ કરતું રહે છે. માટે અંદરના કનેક્શન થોડા ઢીલા રાખીએ. આ જે કઈ અંદર સળવળતું રહે છે, ને એ જ એકદિવસ જિંદગીમાં શોર્ટસર્કિટ લાવીને જિંદગીને ખાખ કરી દેતું હોય છે.

 માટે કોઈપણ રીલેશનમાં એટલા ઊંડા ના ઊતરવું કે વમળમાં ફસાઈ જઇ, ડૂબી જઈએ. જેમ વરસાદમાં ખાબોચિયામાં નહાવાનો આનંદ કઈક અલગ હોય છે, એમ જ જિંદગીમાં પણ નાના ખાબોચિયામાં જ ઠેકડા મારી લેવા. સંબંધોના દરિયામાં ડૂબકી મારવી એના કરતાં તો આવતા જતાં મોજાઓ સાથે આનંદ માણી લેવો વધારે જરૂરી છે.

  સંબંધોમાં સ્થિરતા જરૂરી છે, ઝડતા નહી.... જે ગાંઠો ઉકેલી ના શકાય તેને તોડી નાખવી એ જ સારું છે, એને ઉકેલવામાં આપણે એટલા ના ગૂંચવાઇ જવા જોઈએ કે જિંદગી એકદમ ઉલઝી જાય! અને હા એ તૂટે ત્યારે છેતરાઈ જવાની ગિલ્ટી ના ફીલ કરવી, આપણે છેતરાતા નથી, બસ એ વ્યક્તિ સાથેનું આપણું ઋણાનુબંધનપૂરું થઈ જતું હોય છે.....

 આવા સંબંધોને બને ત્યાં સુધી ડિલીટ કરી દેવા, અને હા ક્યારેક યાદ આવી જાય તો, એને હળવાશથી લઈએ, બસ એને રીસ્ટોરનથી થવા દેવાના!

જિંદગી થોડા ઇફ અને બટ સિવાય બહુ મજાની છે, બસ આપણે એને વ્યતીત નહી, ફીલ કરતાં હોવા જોઈએ. એક વ્યક્તિએ જે આપણી સાથે કર્યું, એના પરિણામો બીજી વ્યક્તિઓ પર એપ્લાય ના કરવા.... જિંદગીમાં આપણે જે બધાને મળીએ છીએ, બધા એકસરખા નથી હોતા.... અને આપણે પણ કાલે જેવા હતા, એવા આજે ક્યાં છીએ?

 

Friday, 19 December 2025

સેક્સનું સૌંદર્ય બ(બા)ળત્કારની વિકૃતિમાં શા માટે ફેરવાય જાય છે?

 

સેક્સનું સૌંદર્ય બ(બા)ળત્કારની વિકૃતિમાં શા માટે ફેરવાય જાય છે? 

 India's Kolkata rape-murder case brings the focus back to the safety of  women: India reported 1 rape case every 16 minutes in 2022, the latest year  for which data is available. | #FPCreatives

 

 

 

 

 

       આટકોટ નજીકના એક ગામમાં સાત વર્ષની બાળકી પર એક વિકૃત વ્યક્તિએ રેપ કરવાની કોશિશ કરી, જેના માતા-પિતા ખેતીમાં કામ કરી રહ્યા હતા.રેપ કરવામાં નિષ્ફળતા મળતા તે માણસે એ કુમળી દીકરીના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો ઘૂંસાડી દીધો. દીકરી ના મળતા માતા-પિતાએ શોધ આદરી અને એ લોહીલુહાણ હાલતમાં એ જગ્યાએથી મળી આવી. આરોપી પકડાય ગયો અને જેલભેગો પણ થયો. જો કે હવે તેને આ કુકર્મની સજા મળશે કયારે? તેની રાહ માતા-પિતા અને તે દીકરી સિવાય કોઈ નહી જુએ... આપણે સૌ તો થોડા દિવસો સુધી અફસોસ વ્યક્ત કરીને આ દુર્ઘટનાને ભૂલી પણ જઈશું. જેમ આ દેશમાં રોજ 86 દીકરીઓ પર બળાત્કાર થાય છે, એમાં એક આ પણ ગણાઈ જશે.

  નિર્ભયા કાંડ થી લઈને આટકોટની આ દુર્ઘટના સુધીના સમયગાળા પર નજર કરીશું તો સમજાશે કે દિન-પ્રતિદિન આવી દુર્ઘટનાઓ વધતી જ જઇ રહી છે. હવે તો આ દુર્ઘટનાઓ વધારે ઘાતકી અને ક્રૂર બની ગઈ છે. આ વિકૃતિ પાછળના કારણો આખરે શું છે? એમાં પણ દીકરીઓનો ઇજ્જત બચાવવા પ્રતિકાર જેટલો જોરદાર એટલું ઘાતકીપણું વધતું જાય છે. મરદાની મુવીમાં એક સાયકો વ્યક્તિ સ્ત્રીઓને સમાજમાં આગળ વધતી નથી જોઈ શકતો, એટલે તે સ્ત્રીઓ પર બળાત્કાર કરીને તેની સાથે પાશવી વર્તન કરે છે.

 આજે  સમાજમાં આવા સાયકોની સંખ્યા વધી રહી છે. આ સાયકોની સંખ્યા વધવાનું સૌથી મોટું કારણ છે, સેક્સ વિષેની અધુરી અને છીછરી સમજણ! છોકરો કે છોકરી ઉંમરલાયક થાય એટલે જાતિય અને હોર્મોનલ્સ ફેરફારો થવાના જ! આપણી પાસે આ ફેરફારો વિષે તેઓને સમજાવવાનો સમય જ નથી કે કોઈ એવો કાઉન્સેલર નથી કે જે તેઓને પોતાનામાં થતાં હોર્મોનલ્સ ફેરફારો વિષે સમજાવે. બાયોલોજી જેવો વિષય ભણતા વિદ્યાર્થીઓમાં પણ આ બાબતે જાજી સમજણ નથી હોતી... કારણકે જેવુ બાયોલોજીમાં એ ચેપ્ટર આવે, તેને સ્કીપ કરાવી દેવામાં આવે છે. ઘણી સ્કૂલોમાં તો એ ચેપ્ટરને પિન મારી દેવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ માટે સેક્સ અજાણ્યો વિષય જ રહી જાય છે. સેક્સ વિષે જાણવાની તેમની ઉતેજના અધૂરી જ રહી જાય છે..

  આપણા સમાજમાં ખૂલીને સેક્સ વિષે ચર્ચાઓ જ થતી નથી. જાણે કે એ કોઈ અછૂત વિષય હોય, તેવું વર્તન તેની સાથે કરવામાં આવે છે. સેક્સના લાયસન્સ માટે લગ્નો થાય છે, પણ ઘણા એવા છે કે તેઓને લગ્ન પછી  સેક્સ વિષે પ્રાથમિક બાબતોની પણ ખબર હોતી નથી. ખાનગીમાં આ વિષય કાયમ ચર્ચાતો રહે છે, પણ જાહેરમાં આ શબ્દ વિષે બોલવું અપરાધ માનવામાં આવે છે. એઝ્યુકેટેડ અને સમૃદ્ધ વાલીઓ પણ પોતાના બાળકો સાથે આ બાબતે ખૂલીને ચર્ચા કરતાં નથી..

  તો બીજી બાજુ અભણ લોકો પાસેથી તો આ બાબતે જ્ઞાનની અપેક્ષા રાખવી જ વધુ પડતી છે. એમાં પણ જે લોકો પોતાના કુટુંબના ભરણપોષણ માટે પોતાનું વતન અને કુટુંબ બંને છોડીને બીજી જગ્યાએ કામ કરતાં હોય, તેઓની સેક્સની જરૂરિયાતો સંતોષાતી નથી. જેને સંતોષવા તેઓ ભૂખ્યા વરૂની જેમ આવી માસૂમ દીકરીઓ પર તૂટી પડતાં હોય છે. સેક્સ એ ભૂખ, તરસ, વગેરેની જેમ એક અનિવાર્ય જરૂરિયાત છે. જેમ ભૂખ્યો માણસ પેટની આગ બુઝાવવા ગમે તે હદે જઇ શકે છે, એવું જ સેક્સની જરૂરિયાત બાબતે થતું હોય છે.

  એમાં અધુરામાં પૂરું ઑ.ટી.ટી. પ્લેટફોર્મે તો સેક્સ્યુઅલ કન્ટેન્ટ દેખાડવામાં બધા જ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. બાળકોથી લઈને યંગ જનરેશન અને તેનાથી વાયા આ પ્લેટફોર્મ દેશના લગભગ દરેક મોબાઈલ યુઝર્સ સુધી પહોંચી ગયું છે. જેઓ પાસે શિક્ષણ નથી તેવા લોકોના હાથમાં રહેલું આ કન્ટેન્ટ તેઓના આવેગોને વધુ વેગીલા બનાવી રહ્યું છે. અને એ આવેગો દીકરીઓ પરના રેપનું મહત્વનુ કારણ બની ગયા છે.  

 આપણા દેશમાં સૌપ્રથમ રઘુનાથ કર્વેજીએ 100 વર્ષો પહેલા સેક્સ અંગેના શિક્ષણની શરૂઆત કરેલી.  આપણા દેશમાં સેક્સ હમેંશા કંટ્રોવર્સિયલ વિષય રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છતીસગઢ, આ રાજ્યોમાં સ્કૂલોમાં સેક્સ એઝ્યુકેશન પર બેન લાગેલો છે!  હજી આપણે સેક્સ શિક્ષણની જરૂરિયાતને સમજી નથી રહ્યા!

 આપણી પ્રાચીન કલાકૃતિઓમાં સેક્સને ક્લાત્મક રીતે કોતરવામાં આવ્યું છે, પણ આપણે એ સુંદરતાને વિકૃતિમાં કન્વર્ટ કરી દીધી છે. .

Wednesday, 10 December 2025

મૃત્યુ મળે એ પહેલા જીવી લઈએ, જેની સાથે જીવવું હોય તેની સાથે જીવી લઈએ....

 

 મૃત્યુ મળે એ પહેલા જીવી લઈએ, જેની સાથે જીવવું હોય તેની સાથે જીવીલઈએ....

  

 5 moving, beautiful essays about death and dying | Vox

 

 

 

 

   હમણાં અમારા ગામ નજીક એક અકસ્માત થયો, આમ તો અકસ્માત થવા એ આ દેશમાં કોઈ નવી વાત નથી, પણ આ અકસ્માત એટલા માટે યાદ રહી ગયો કે એમાં એક એવી વ્યક્તિ મૃત્યુ પામી, જે ભટકાયેલા એકપણ વાહનમાં નહોતી બેઠી! એક જૈન સાધ્વીજી હતા, જે ચાલીને બીજે ગામ જતાં હતા, હવે અરસપરસ ભટકાયેલા બે વાહનોમાથી એક વાહન જે અનાજની ગુણોથી ભરેલું હતું, તેમાથી ગુણો તે સાધ્વીજી પર પડી, અને તેઓ મૃત્યુ પામ્યા. આશ્ચર્યની વાત એ છે કે ગાડીના જે ડ્રાઇવરની ઓવર સ્પીડે અકસ્માત સર્જ્યો હતો, એ ડ્રાઈવર બચી ગયો!

 મૃત્યુ ક્યાથી કઈ રીતે આપણને જિંદગીથી અલગ કરી દે છે? કોઈને ખબર નથી. તમને યાદ હોય તો અમદાવાદમા પ્લેન ક્રેશ થયું, ત્યારે પ્લેનમાં હતા તેમાથી એકને બાદ કરતાં બાકીના તો મૃત્યુ પામ્યા જ પણ સાથે સાથે એ પ્લેન જ્યાં ક્રેશ થયું, એ મેડિકલ કોલેજના અનેક વિદ્યાર્થીઓ અને બીજા અનેક લોકો મૃત્યુ પામ્યા...

 મૃત્યુ જીવનની સૌથી નિશ્ચિત ઘટના છે, પણ સાથે સાથે સૌથી અનિશ્ચિત પણ તે જ ઘટના છે. ક્યારે ક્યાં સ્વરૂપે એ આપણી પાસે આવે અને આપણને નવા જીવન તરફ લઈ જાય, તેની કોઇની પાસે માહિતી નથી હોતી, અને કદાચ હોત તો પણ આપણે મૃત્યુને રોકી શકતા નથી.

 આમ પણ આ બ્રહાંડમાં મૃત્યુથી વધુ રહસ્યમય કોઈ નથી. મૃત્યુ પછીના જીવન વિષે લગભગ બધાને જાણવાની જિજ્ઞાસા હોય છે, પણ કોઈ પાસે એ જીવન વિષેની સચોટ માહિતી નથી.... દરેક ધર્મની મૃત્યુ વિષેની સંકલ્પનાઓ અલગ અલગ હોય છે. માન્યતાઓ જુદી જુદી હોય છે.

 આવી રીતે એક દિવસ આપણને સૌને પણ મૃત્યુ શોધી જ લેશે. એક શ્વાસ પણ ઉછીનો મળવાનો નથી, ગમે તેટલું બાકી રહી ગયું હશે, છોડીને જવું પડશે એટલે જવું જ પડશે! ઉપરની બંને ઘટનાઓમાં એવા લોકો મૃત્યુ પામ્યા હતા કે જેઓને એ અકસ્માત સાથે કોઈ લેણ-દેણ જ નહોતી!

મૃત્યુ આપણી પાસેથી શું લઈ જાય છે? એ તો કોઈ નજીકની વ્યક્તિ છોડીને જાય ત્યારે જ સમજાતું હોય છે. ત્યારે મૃત્યુ જેટલું ક્રૂર કોઈ નથી લાગતું... વર્ષોના સંબંધો એક જ ઝાટકે દૂર થઈ જતાં હોય છે, એ સંબંધના દૂર થઈ જવાથી જિંદગીમાં જે ખાલીપો આવે છે, એ ક્યારેય ભૂલી શકાતો નથી, હા પણ પૂરી શકાય છે, ખરો!

અચાનક મૃત્યુ એકદમ ભયાનક ચિત્ર આપણી સમક્ષ ખડું કરી દેતું હોય છે. જેને યાદ કરીને આપણે જીવીએ છીએ, ત્યાં સુધી દર્દ ફીલ કરતાં રહીએ છીએ. મૌતની હાજરી કોઈ ગમે તેટલી સમજાવે પણ ઘરમાથી કોઈ કાયમ માટે ચાલ્યું જાય, ત્યારે આંસુઓને અને થોડા દિવસો સુધી એ એકલતાથી આપણે આપણી જાતને દૂર કરી શકતા નથી.

એક વ્યક્તિ કે જે આજ સુધી આપણી સાથે હતી, તે નેક્સ્ટ મોમેન્ટથી આપણી પાસે નહી હોય.... (સાથે તો એ વિચારો અને અહેસાસો રૂપે કાયમ હોય છે.) એ  ફીલિંગ જ આપણને જિંદગીમાં ખાલી ચડી ગઈ હોય તેવો અહેસાસ કરાવતી રહે છે.

 મૃત્યુ એ નવા જીવનની શરૂઆત છે, એ હવે લગભગ આપણને સૌને સમજાય ગયું છે. જે જતું રહ્યું છે, એ એવી દુનિયામાં જતું રહ્યું છે કે ત્યાથી કદી પાછું નથી આવવાનું.... એ પોતે એક એવા નવા વિશ્વમાં એન્ટર થવાનું છે, જ્યાં જૂના એકપણ સંબંધો નહી હોય.... જેટલા વર્ષો જીવ્યા એટલા વર્ષો સુધી જેની જેની સાથે જે પ્રકારના સંબંધો હતા, એ હવે તેઓ હવે ભૂલી ગયા છે.

  સ્મશાનમાં આપણે તેઓને રાખમાં ભળતા જોઈશું તો સમજાશે કે આ જીવન જેમાં આપણે ડગલે ને પગલે સ્ટેટસ અને સામાજિક માપદંડોને આધારે અહમ અને પૂર્વગ્રહોને મનમાં ભરી જિંદગીને વેડફી નાખતા હોઈએ છીએ, તે આપણી સૌથી મોટી ભૂલ છે, જો કે એ સ્મશાનવૈરાગ્ય બહુ જાજુ નથી ટકતું, થોડા દિવસો પછી વળી પાછા જિંદગીના એ જ પ્રવાહમાં આપણે ભળી જતાં હોઈએ છીએ.

મૃત્યુને જો કે બહુ નજીકથી જોવાની જરૂર નથી, કારણ કે એક દિવસ એ આપણને નજીકથી જોઈ જ લેવાનું છે, નજીકથી જોવાની જરૂર છે, જિંદગીને.... જિંદગી જ અઘરી છે, મૃત્યુ તો એકદમ સરળ છે. માટે જિંદગીને એ જ્યારે પણ આપણી પાસે આવે, જીવી લઈએ.

 જે જતાં રહ્યા, તેઓ સાથે હજી માટે જીવવાનું રહી ગયું, એ અફસોસ જીંદગીનો સૌથી મોટો અફસોસ બની જતો હોય છે. કેટલું બધુ એવું છે, જે જીવવાનું રહી જાય છે અને આપણે આપણી નજર સામે એ વ્યક્તિઓને જતાં માત્ર જોઈ રહીએ છીએ, કશું કરી શકતા નથી...

 હાથ પકડીને દૂર સુધી ચાલવું હતું, સાથે ફરવા જવું હતું, વરસાદમાં ભીંજાવવું હતું, આ યાદી લાંબી લાંબી બાકી જ રહી જાય છે. અને આપણે હજી સમય છે, એ વહેમમાં એ ક્ષણોને ટાળતા રહીએ છીએ.

 મૃત્યુ જેને લઈ જાય છે, એ વ્યક્તિ અને વીતી ગયેલો સમય ક્યારેય પાછા આવતા નથી, માટે બધુ જ છોડીને જેની સાથે જીવી લેવું છે, એ વ્યક્તિઓ સાથે જીવી લઈએ. અને જે ક્ષણોને માણવી છે, તેને માણી લઈએ.

 મૃત્યુ સ્પર્શી જાય એ પહેલા એ વ્યક્તિને સ્પર્શી લઈએ, મળેલી જિંદગીને છેક સુધી જીવી લઈએ. 

 તસ્વીરોની સામે જોઈને રડયા કરવું, એના કરતાં જીવંત વ્યક્તિઓ સાથે જીવી લઈ, એ સંવેદનાઓને સ્મૃતિઓ સ્વરૂપે યાદ કરતાં રહેવું વધુ મહત્વનુ છે.... 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...