Monday 29 April 2019

એકલા ચાલો, અને આપણે,


એકલા ચાલો, અને આપણે,



                                  
 ekla chalo re images के लिए इमेज परिणाम










 અટલ બિહારી વાજપાઈ, દશરથ માંઝી, અન્ના હઝારે, બાબા રામદેવ, હેનરી ફોર્ડ,રાજા રામ મોહનરાય, આ બધા જ મહાનુભાવોમાં કયું સામ્ય રહેલું છે, કોઈ પૂછે તો સૌનો જવાબ તેમણે મેળવેલી સફળતાને આધારે અલગ અલગ હશે. પણ જો મારા આજના આર્ટીકલના શીર્ષક ને ધ્યાનમાં લઈએ તો હું કહીશ આ બધા અને જેણે આ વિશ્વને બદલવામાં પોતાનો અદ્વિતીય ફાળો આપ્યો છે, એ બધા જ લોકોએ જયારે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે તેઓ એકલા હતા. એક વિચાર સાથે તેઓ વિશ્વમાં આવ્યા અને આજે એ વિચાર સમગ્ર દુનિયા માટે પ્રેરણા આપનારો બની રહ્યો છે. આ લોકોએ જયારે ચાલવાની શરૂઆત કરી સમગ્ર સંઘર્ષ દરમિયાન તેઓ એકલા હતા પણ જયારે એ સંઘર્ષ સફળતામાં ફેરવાયો ત્યારે તેઓ સાથે આખી દુનિયા હતી. આપણે સૌ હમેંશા એવું વિચારતા હોઈએ છીએ જયારે કોઈ નવી શરૂઆત કરવી હોય ત્યારે કે મારા એકલાથી શું થશે, મને કોણ સાંભળશે અને હું એકલો/એકલી આ સંઘર્ષ કેવી રીતે પાર કરી શકીશ. આપણે જયારે એવું વિચારતા હોઈએ છીએ ત્યારે આપણને આપણામાં રહેલી શક્તિઓ પર વિશ્વાસ હોતો નથી અગર તો આપણે આપણી જાતને ‘અન્ડરએસ્ટીમેટ’ કરતા હોઈએ છીએ. પણ ઈશ્વરે આપણને મોટીવેટ કરવા એવા એવા ઉદાહરણો આપણી સમક્ષ મુક્યા છે, જેના થકી પ્રેરણા લઇ આપણે આપણી શક્તિઓને ઓળખી કોઇપણ રસ્તે ‘એકલા’ ચાલી સફળ થઈએ કે ના થઇએ પણ આગળ વધી શકીએ છીએ. યાદ રાખવું સફળ થવું એ કોઈપણ પ્રયત્નોનો માપદંડ નથી. આપણે જે પ્રકારનું જીવન જીવવા ઈચ્છતા હોઈએ એ જીવવા મળે એ પણ સફળતા જ છે.પણ એના માટે પણ એકલા એકલા જીવનના રસ્તાઓ પર ચાલવું જ પડે છે, આમપણ જીવનનો સંઘર્ષ જેટલા એકલે હાથે લડીશું, એટલા જ પરિણામો વધુ મીઠા લાગશે.
   આગળના ફકરામાં જેટલા જેટલા મહાનુભાવોની વાત કરી છે, એ બધાને આજે આખી  સલામ કરે છે, પણ તેઓએ જયારે શરૂઆત કરી હશે, કેટલા મજબુત મનોબળ સાથે કરી હશે. અટલ બીહારી વાજપાઈએ જયારે જનસંઘ વિખેરી ૬ એપ્રિલ ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી તેઓ સાવ એકલા હતા.૧૯૮૪માં તેઓની પાર્ટીએ માત્ર બે જ બેઠકો જીતી હતી. એકવાર તો તેઓ હાર્યા પણ ખરા.પણ હાર માને એ વ્યક્તિત્વ જ તેઓનું નહોતું. અને આજે એ ભારતીય જનતા પાર્ટી ભારતની સૌથી મોટી પોલીટીકલ પાર્ટી છે. તેઓ ભારતનાં પ્રથમ બીનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા. ૧૯૮૦ માં પાર્ટીની સ્થાપના બાદ તેઓએ  આખા ભારતમાં ભ્રમણ કર્યું અને લાખો કાર્યકર્તાઓને બીજેપી તરફ વાળ્યા. આજે ભલે આ પાર્ટી નરેન્દ્ર મોદીના ના નામે ઓળખાય છે, પણ એની સ્થાપના અને વિકાસનો સંપૂર્ણ શ્રેય અટલજી  ને જ મળવો રહ્યો.અટલજી એ વિચાર્યું હોત કે  હું એકલો શું કરી શકું? તો આજે આ પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ ના હોત! આ લેવલે પાર્ટીને પહોચાડવા તેમણે અનેક સંઘર્ષોનો સામનો કર્યો હશે. જેઓ સંઘર્ષ કરતા રહે છે,તેઓ જ કઈક અલગ રસ્તો કંડારતા રહે છે. હકીકત તો એ છે કે “ હું એકલો/એકલી શું કરી શકું એ ભાવના જ આપણામાં નકારાત્મકતા જન્માવે છે. આવું વિચારીએ છીએ ત્યારે આપણે દુનિયા જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ અને આપણા સપનાઓ અધૂરા રહી જાય છે.

બીજું ઉદાહરણ લઈએ દશરથ માંઝીનું જેને લોકો ‘mountain man’ તરીકે ઓળખે છે.પત્ની ફાલ્ગુની દેવીને સમયસર સારવાર ના મળવાથી મૃત્યુ પામી કારણકે નજીકમાં કોઈ હોસ્પિટલ નહોતી. તેઓએ નક્કી કર્યું કે હવે કોઈ આ અસુવિધાને લીધે મરણને શરણ થવું જોઈએ નહિ. અને એકલા હાથે તેણે ૧૧૦ મી લાંબો, ૭.૭ મી.ઊંડો અને ૯.૧ મી પહોળો રસ્તો બનાવી લીધો. એ પણ પર્વતો અને ખડકોની વચ્ચેથી! એના આ પ્રયત્નોને લીધે તેઓના ગામ ગેહલર (બિહાર) ના લોકોનું જીવન આજે સરળ બની રહ્યું છે. શરૂઆતમાં ગામના લોકોએ તેનો વિરોધ પણ કરેલો પણ પછી મદદ પણ કરી. છે ને એકલા ચાલવાની મજા! એમાં જેવી લક્ઝરી મળે બીજામાં ના મળે. શરૂમાં કોઈ સાથે ના  હોય પણ છેલ્લે બધા સાથે જોડાય જાય છે.વિરોધ કરનારા સાથે જોડાય એનાથી વધુ આનદ-દાયક પ્રવાસ કયો હોવાનો! આવો પ્રવાસ જ જીવનને વધુ સારા કાર્યો કરવાની પ્રેરણા આપતો રહે છે.
રાજા-રામ મોહનરાય નામ સાંભળ્યું હશે, જેમણે એકલે પંડે પહેલીવાર ‘સતીપ્રથાના’ રિવાજનો વિરોધ કર્યો. શું તેમણે એવું વિચાર્યું કે હું એકલો શું કરી શકીશ?  મારા એકના વિરોધથી આ કાળો રીવાજ કેવી રીતે બદલાશે? સદીઓથી ચાલ્યા આવતા અ ગલત રિવાજનો તેમણે એકલા હાથે સામનો કર્યો. વળી વિચારો કે એ સમયે સમાજ પણ કેટલો રૂઢીચુસ્ત હતો.છતાં તેમણે પ્રયાસો કર્યા અને એ રીવાજ  બદલાવ્યો. તેઓના થકી આ ક્રૂર રિવાજનો અંત આવ્યો. એકલે હાથે આવા ચમત્કારો પણ થઇ શકે છે.
 સાલુમરાદા થીમક્કા (કર્ણાટક) છે ને કઈક અલગ નામ! તેઓનું કામ પણ તેમના નામ જેવું જ અલગ છે. તેઓને આ વર્ષે પદ્મશ્રીનો એવાર્ડ મળ્યો છે. જો આ એવાર્ડ તેમને મળ્યો એમાં એવોર્ડની ગરિમા વધી ગઈ! તેઓએ પર્યાવરણની સુરક્ષા કાજે હજારો વૃક્ષો એકલા હાથે ઉગાડ્યાં અને ઉછેર્યા પણ ખરા! તેઓએ સ્કૂલનું ઔપચારિક શિક્ષણ પણ લીધું નથી. પણ જેણે એકલા હાથે સમાજના ભલા માટે કામ કરવું જ છે, એને કશું નડતું નથી. નડે છે, તેઓને જ જેણે માત્ર ફરિયાદો જ કરવી છે. પર્યાવરણ માટે એકલે હાથે વૃક્ષો ઉગાડવાની તેમની જીદ આજે તેઓને ક્યાં સુધી લઇ ગઈ? માત્ર વાતો કર્યા કરવી અને કામ કરતા રહેવું એમાં ધરતી-આકાશનો ફર્ક હોય છે.
હેનરી ફોર્ડ જેને અમેરિકન ઉધોગોના ‘કેપ્ટન’ માનવામાં આવે છે. તેમણે એકલા હાથે ફોર્ડ કંપનીની સ્થાપના કરી. અને કંપનીને સફળતાના શિખરે પહોચાડી. તેઓએ પોતાના કર્મચારીઓને ઊંચા પગાર આપી કંપનીને એક નવી ઓળખ આપી. તેઓના એકલા હાથના પ્રયાસોને જ લીધે દુનિયા તેઓને ‘ફોરડીઝમ’ તરીકે ઓળખે છે. એકલા પંથે ચાલી અમેરિકાના ઉધોગોને નવી દિશા આપનારા આ સાહસિકની ઓળખને કોણ વળી ભૂલી સકે?
મિત્રો આવા તો કેટલાયે ઉદાહરણો છે, દરેક ક્ષેત્રમાં આપણને આવી એકલા પંથે ચાલી સફળ વ્યક્તિઓ મળી આવશે. ભારતમાં ફિલ્મ ઉધોગની શરૂઆત કરનાર દાદા સાહેબ ફાળકે ને વળી કોણ ભૂલી સકે. હકીકત તો એ છે મિત્રો આ દુનિયા આવા એકલ પ્રવાસીઓને લીધે જ બદલાતી અને વિકસતી રહે છે. આ વ્યક્તિઓ જ આપણને સમજાવી શકી છે, કે એકલે હાથે દ્રઢ નિશ્ચયતાથી લડનાર જ વિશ્વને નવો રાહ ચિંધનાર બની શકે છે. આવા લોકો જ પોતાના સપનાઓ સાકાર કરી શકે છે. કોઈ કામને ક્રેડીટ આપે કે નાં આપે એકલા એકલા લડતા રહેવું એ જીવનમંત્ર અપનાવવા જેવો ખરો. હવે ક્યારેય એવું ના વિચારતા કે હું એકલો/એકલી શું કરી શકું? જે કંઈપણ નવું કરવું છે, એના માટે મુહુર્ત જોવાની જરૂર નથી માત્ર આપણા દ્રઢ સંકલ્પો જ કાફી છે. 


                                                                                                                       
ekla chalo re images के लिए इमेज परिणाम 

Monday 22 April 2019


અકસ્માતો અને આપણે,



Image result for accidents in india 
 દેશ ક્યારેય સરહદોથી બનતો નથી. સરહદ એ તો કોઈપણ દેશની રાજકીય અને પ્રાદેશિક મર્યાદા બતાવે છે. કોઈપણ દેશનું નકશામાં સ્થાન સરહદ નક્કી કરી આપે છે. આમ તો સરહદો લોકોને તોડવાનું અને વહેચવાનું કામ કરે છે. પણ આજે આપણે સરહદ નહિ સરહદોથી દોરાયેલા આપણા દેશની વાત કરવી છે. એનો ભવ્ય ઈતિહાસ, એની ભવ્ય સંસ્કૃતિ આપણે બહુ વાગોળતા રહીએ છીએ, એના ઉજવવળ ભવિષ્યની આપણે કલ્પનાઓ કરતા રહીએ છીએ. પણ એનો વર્તમાન કદી આપણી સમક્ષ રહેતો નથી. હા આપણી વાતોમાં,ચર્ચાઓમાં, આપણો દેશ કેન્દ્રસ્થાને હોય છે, પણ આપણે દેશ વિશે માત્ર વાતો કરતા રહીએ છીએ. દેશ વિષે જયારે કશું કરવાનું આવે આપણે આઘા ખસી જઈએ છીએ.( જે લોકો દેશ માટે કશું કરતા હોય એણે ખોટું ના લગાડવું) જેને લાગૂ પડતું હોય એની જ વાત અહી થાય છે. આપણે બધા માત્ર ત્યારે જ જાગીએ છીએ જયારે કોઈ સમસ્યા આપણને નડે કે આપણા ઘર સુધી પહોંચે. અન્યથા આપણે સુતા જ રહીએ છીએ. આપણે ઉઠીએ છીએ રોજ પણ જાગીએ છીએ ત્યારે જ જયારે કોઈ દુર્ઘટના આપણી સાથે કે આપણા કુટુંબ સાથે બને. આ દેશમાં એક સામાન્ય સમસ્યા લઇએ. દેશમાં સડક અકસ્માતો નિયમિત થતા રહે છે.અરે આપણે સેકન્ડો કે મીનીટોમાં આંકડા કાઢીએ તો મળી આવે, એવી રીતે અહી લોકો વિહિકલ ચલાવતા રહે છે. દારૂ પીકે ડાન્સ કરેગા નહિ દારૂ પીકે ગાડી ચલાયેંગે એ આપણું સુત્ર છે. નશામાં તરબત્તર વ્યક્તિ જયારે અકસ્માત કરી બેસે છે,નિર્દોષ લોકો એનો ભોગ બને છે, કોઈ ફેમીલી અધૂરું થઇ જાય છે. કોઈ બાળક પોતાના માતા-પિતા કે કોઈ પત્ની પતિ ગુમાવી બેસે કે કોઈ માતા-પિતા પોતાનો વહાલસોયો દીકરો ગુમાવી દે છે. પણ આપણે નથી નશો કરવાનું છોડતા કે નથી ટ્રાફિકના નિયમોનું પાલન કરી આપણી જિંદગી બચાવવાનું વિચારતા. આપણે ટ્રાફિકના નિયમોને તોડવામાં બહાદુરી સમજીએ છીએ. અતિ ટ્રાફિક વાળા શહેરોમાં તો વ્યક્તિ ઘરે પહોંચે, ત્યારે સમજવાનું કે આજે તે જીવતા પાછા આવ્યા.પણ છતા આપણે અકસ્માતો ટાળવાનો જરાપણ પ્રયાસ કરતા નથી!  







Image result for accidents in india
આપણે ત્યાં ૪થાકે પાચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ વિહિકલ ચલાવતા થઇ જાય છે. લીટરલી ઘણા માતા-પિતા ગર્વ અનુભવતા હોય છે કે મારું સંતાન નાનું હોવા છતાં વિહિકલ ચલાવે છે.એ બાળકોને ટ્રાફિકના નિયમોનું જરાપણ જ્ઞાન હોતું નથી, આગળ થઇ જવાની ઉતાવળમાં તેઓ ગમે તેમ ઓવર ટેક કરે છે અને અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવતા રહે છે. પછી અફસોસ સિવાય આપણી પાસે કશું રહેતું નથી. જીવન ઝડપ કરતાયે સસ્તું બની રહે છે. એક જ વાહનમાં કેપેસીટી કરતા જાજા ભરવાની આપણી પોલીસી પણ ક્યારેક સેંકડોના મૃત્યુનું કારણ બની રહે છે.પણ આપણે કેપેસીટી કરતા વધુ મુસાફરો બેસાડી સૌનો જીવ જોખમમાં મુકતા જ રહીએ છીએ. બાઈકની કેપેસીટી ૨ વ્યક્તિની જ છે, છતાં આપણે ૪/૫ એમ બેસાડતા જ રહીએ છીએ. તમે વિચારો ક્યારેક તો સામસામાં બાઈક ભટકાય તો પણ ૪/૫ લોકો મૃત્યુ પામે છે. કેવી બેદરકારી! આપણી એસ.ટી. બસો તો જાણે ગમે તેટલા મુસાફરો સમાડવાની બસો  હોય એવું જોતા લાગે. અમુક રાજ્યોમાં તો લોકો બસની ઉપર પણ બેસતા હોય છે. આપણી ટ્રેનો પણ આ જ પરીસ્થીતીમાં હોય છે. એક ડબામાં કેપેસીટી કરતા વધુ મુસાફરો ભરી આપણે લોકોની જિંદગીને સસ્તી બનાવી મુકીએ છીએ. અહી વાહનમાં લોકો અંદર બહાર ઉપર જ નહિ પણ બારણે લટકીને પણ પોતાનું જીવન મુસીબતમાં મુક્તા રહે છે. ચાલુ વિહીકલે ચડવું કે ઉતરવું પણ અહી એકદમ કોમન ગણાય છે. ટૂંકમાં અહી લોકોને પોતાની જાતની સલામતી કરતા વધુ ઝડપ વહાલી હોય છે. દરેકને ઝડપી ક્યાંક પહોચવું છે. એ ઝડપમાં તેઓ પોતાની જિંદગીને પણ દાવ પર લગાવી દે છે.ક્યાંક ઉતાવળમાં પહોંચમાં આપણે સીધા ઈશ્વરના ધામમાં પહોચી જતા હોઈએ છીએ.
આવું બધું જયારે વાંચીએ કે સાંભળીએ આપણને પ્રવચન જેવું લાગે, પણ જયારે આપણા પર વીતે ત્યારે જ અમુક બાબતો સમજાતી હોય છે. ઘરમાંથી વિહિકલ લઈને ગયેલું કોઈ જયારે પાછું નાં આવે, ત્યારે આ બધી બાબતોની ગંભીરતા આપણને સમજાતી હોય છે.સરકાર કડક કાયદા કરે, હેલ્મેટ પહેરવાનું કહે, રસ્તા પર સુત્રો મુકે, પણ આપણે તો માનવાનું નહિ એ નક્કી જ કરી લીધું છે. અને જયારે અકસ્માત થાકી આખી જિંદગીની વિકલાંગતા ભોગવવી પડે ત્યારે સમજાય કે આડેધડ વાહન ચલાવવું કેટલું ખતરનાક છે. આપણા દેશમાં કદાચ વસ્તી બહુ છે, એટલે મૃત્યુનું મુલ્ય નહિ સમજાતું હોય! મુંબઈની ટ્રેનોમાં મુસાફરી  આખા વિશ્વમાં સૌથી વધુ એડવેન્ચરીયસ ગણવી પડે લોકો એટલી ઝડપથી જીવનાં જોખમે ચડતા હોય, ટીંગાતા હોય આપણને લાગે વિશ્વમાં આનાથી વધુ સાહસિક કાર્ય કોઈ છે જ નહિ! લોકો ચડતા ચડતા થાંભલા સાથે ભટકાય જાય કે પડી જાય તો માત્ર જોઈ લેવાનું જીવ્યો કે મર્યો? માનવ જીવનનું કશું મહત્વ જ નહિ!
તમને શરૂઆત નું લખાણ જોઈ એવું લાગતું હશે ગાડી પાટા પરથી ઉત્તરી ગઈ કે શું? અરે એ અકસ્માત તો ચર્ચવાના જ રહી ગયા! બેદરકારી ને લીધે દર વર્ષે આપણા દેશમાં બે-ત્રણ મોટા અકસ્માતો થતા જ રહે છે અને સેંકડો લોકો જીવ ગુમાવતા રહે છે. અમુક અકસ્માતો તો સાવ નજીવી બેદરકારીને લીધે થાય છે. પછી તપાસ થાય પણ છેલ્લે કોની બેદરકારી હતી એ નક્કી નાં થાય! અને આપણે પ્રજા તરીકે બહુ ટૂંકી યાદ-શક્તિ ધરાવીએ છીએ. બે-ત્રણ દિવસ હો-હા કરી આપણે ભૂલી જઈએ છીએ. મિત્રો વિહિકલ આપણી સરળતા અને સગવડતા માટે છે,પણ આપણે જ એને આપણા મૃત્યુનું કારણ બનાવી મુકીએ છીએ. યાદ છે,મિત્રો હમણાં દશેરા પર રાવણ દહન દરમિયાન લોકો એટલા મગ્ન થઇ ગયા કે ક્યારે ટ્રેન આવી અને ઘણા લોકોને કચડી ગઈ એ પણ કોઈને ખબર ના રહી. આપણે ત્યાં હજી એક સ્થળ એવું છે, જ્યાં આવા અકસ્માતો થાય છે અને એ છે ધર્મસ્થાનો દર વર્ષે એકાદ ધર્મસ્થાનમાં એવી ઘટના તો બને જ છે, જેમાં ધક્કા-મુક્કી માં સેંકડો લોકો મૃત્યુને શરણે જતા રહે છે. ઈશ્વર પાસે જવાની ઉતાવળ એટલી કે સીધા ઈશ્વર પાસે જ પહોંચી જાય! ઝડપની લાયમાં જિંદગીને આપણે સાવ સસ્તી બનાવી દીધી છે. ખબર નહિ આપણને સૌને ક્યાં પહોચવાની ઉતાવળ હોય છે. કેમ ખરું ને?
એક પ્રજા તરીકે આવી બાબતો પ્રત્યે આપણે કેટલા જાગૃત છીએ, એ ખ્યાલ આવે એટલે લખ્યું. દરેક સમસ્યા સામે આપણો એક જ ઉકેલ હોય છે, ‘સરકાર કઈ કરતી નથી’ ઓવર ક્રાઉડ આપણો પ્રશ્ન છે, પણ એનો ઉકેલ પણ છે અને એ છે, આપણામાં સ્વયમ શિસ્ત હોવી જોઈએ. બેદરકારીથી વાહન  ચલાવતા પકડાય જઈએ તો દંડ ભરાય કે પછી ટ્રાફિક પોલીસના ખિસ્સા ભરાય એ આપણે નક્કી કરવાનું છે. હેલ્મેટ પહેરવાથી આપણી સુરક્ષા જળવાય તો પહેરવું કે ના પહેરવું એ આપણે નક્કી કરવાનું છે. ટ્રાફિકના નિયમો આપણી સુરક્ષા માટે છે, એ પાળવા કે ના પાળવા એ આપણે નક્કી કરવાનું છે, નહિ તો કોઈ સ્કૂલ-વાન વધુ બાળકોને લઇ જતી હશે અને ઉથલી પડશે, પ્રવાસની કોઈ બસ વિદ્યાર્થીઓ સહીત ગમે ત્યારે અકસ્માત નોતરી બેસશે.જેટલી કાળજી આપણે રાખીશું અમુલ્ય જિંદગીઓ બચાવી શકીશું. હવે તો ફોર ટ્રેક બની રહ્યા છે, સૌનો પોતાનો અલગ ટ્રેક છે, જો આપણે આપણા ટ્રેકને વળગી રહીશું તો અકસ્માત નહિ થાય. બાકી જો દરેક વખતે કોઈ વાહનને ઓવર-ટ્રેક કરવાનો પ્રયાસ કરીશું તો જિંદગી આપણી આઉટ ઓફ ટ્રેક થઇ જશે. નિર્યણ આપણે લેવાના છે, આખરે જિંદગી પણ આપણી જ છે ને? અને યાદ રાખો આપણી જિંદગી માત્ર આપણી એકલાની નથી એની સાથે કેટલાયે અન્ય લોકો સંકળાયેલા છે. એના માટે પણ સલામતી અપનાવીએ.
અકસ્માતો થકી વાહનો તો કાટમાળમાં ફેરવાય જ છે, પણ જિંદગીઓ પણ કાટમાળ બની રહે છે.

Be Cautions, Life Is Precious.
                                                                                                          

Monday 17 December 2018

લોકશાહી,પ્રજા,સરકાર અને આપણે,






 

    લોકશાહી એટલે શું? આ પ્રશ્નનો સૌથી પહેલો જવાબ આપણને નાગરિક-શાસ્ત્ર ભણતા ત્યારે મળ્યો. અબ્રાહમ લિંકન ની એક બહુ જાણીતી વ્યાખ્યા આપણે શીખી ગયા છીએ. “ લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું રાજ્ય.”  બીજી લોકશાહી વિષે એ માહિતી આપણી પાસે છે કે ભારત સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. પણ આપણે એ ના શીખી શક્યા કે લોકોને શીખવી શક્યા કે લોકશાહીની સફળતા માટે ત્રણ બાબતો સૌથી અગત્યની છે,૧) લોકો ભણેલાં હોવા જોઈએ. ૨) લોકોએ પોતાના તમામ પ્રશ્નોના ઉકેલ માટે કે ના ઉકેલાય તે માટે માત્ર સરકારને જ જવાબદાર ના ગણવી. અને ૩) આપણે પ્રજા તરીકે જે પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ તેની પસંદગી કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના થવી જોઈએ. હવે એ કહો કે આમાંથી આપણે કઈ બાબતને ભારતની લોકશાહીને સફળ બનાવવા અપનાવી છે? હા આપણે પ્રથમ બાબત પ્રત્યે થોડા આગળ જરૂર વધ્યા છીએ આપણે સાક્ષર બન્યા છીએ પણ શું આપણે સમજુ બન્યા છીએ ખરા? હકીકતે સાક્ષરતા બાબતે આપણને માત્ર આંકડા સાથે જ વધુ સંબંધ છે, પણ એ સાક્ષરતા થકી જે સમજણ આપણામાં આવવી જોઈએ એ આપણે કેળવી શકયા નથી. આઝાદ થયા ત્યારે એવું હતું સાક્ષરતા વધશે તો લોકશાહી પણ આગળ વધશે.પણ એવું થયું કે ના થયું? જવાબ તમારા પર છોડું છું, ત્રીજી બાબતને ધ્યાનમાં લઈએ તો આપણે જે કોઈ પ્રતિનિધીઓને સરકાર ચલાવવા ચૂંટીએ છીએ એને આપણે સમજણ સાથે ચૂંટીએ છીએ કે માત્ર ને માત્ર જ્ઞાતિને આધારે? ઈલેકશન સમયે માત્ર આ એક જ મુદ્દો આપણા ધ્યાનમાં રહે છે, અને આપણે સૌ આપણા કીમતી મતને સાવ કોડીનો કરી મુકીએ છીએ. જે મત વડે આપણે આપણું અને આપણા દેશનું ભાવી ઘડી શકીએ છીએ એ મતને આપણે જ્ઞાતિવાદ ના નામે સાવ ફ્રીમાં આપી દઈએ છીએ. જે મત આપીને આપણે આપણો દેશ આપણા પ્રતિનિધીઓને સોપીએ છીએ એ મતને આપણે સાવ મૂલ્યવિહીન બનાવી દીધો છે. લોકશાહીમાં પ્રજા સૌથી અગત્યનું પરિબળ હોય છે. હકીકત તો એ છે કે લોકશાહી એટલે પ્રજાનું જ રાજ્ય! પણ આપણે એ વ્યાખ્યાને સાવ ખોટી સાબિત કરી દીધી છે. આપણે તો એવું માની લીધું છે કે મત આપી આવીએ એટલે આપણી જવાબદારી પૂરી! પણ આપણને ખબર નથી કે મત આપી દઈએ એટલે જ આપણી જવાબદારી શરુ થાય છે.
   આઝાદી સમયે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું, કે “ દેશના વિકાસ માટે પ્રજાનો સહયોગ સૌથી મહત્વનો છે,”  કોઈપણ રાષ્ટ્ર મહાન ત્યારે જ બને જયારે પ્રજા પુરેપુરો સહકાર આપે. આપણે કોઈ પણ દેશનો ઈતિહાસ તાપસીસું તો જાણી શકીશું કે કોઈપણ દેશ મહાન અને વિકસિત ત્યારે જ બન્યો છે,જયારે ત્યાની પ્રજાએ સરકારની સાથે કદમ થી કદમ મિલાવીને દેશ માટે કામ કરેલું છે. જાપાન ૧૯૪૫માં અણુ-હુમલાનો ભોગ બનેલું અને આપણે ૧૯૪૭માં ગુલામીના અણુ બોમ્બમાંથી આઝાદ થયા. બંને દેશો સમાંતર ચાલ્યા છતાં આજે આપણે જાપાનને વિકસિત અને ભારતને વિકાસશીલ રાષ્ટ્ર તરીકે જોઈએ છીએ. ફર્ક શા માટે? ત્યાની પ્રજાએ પોતાના દેશનાં વિકાસ માટે સરકાર સાથે રહીને કામ કર્યું અને પરિણામ આપણી સામે છે. તેઓ કોઈ પણ બાબતનો વિરોધ કરવા હડતાલ પાડે તો તે દિવસે ૨ કલાક વધુ કામ કરે અને આપણે હડતાલ પાડીએ તો કામ ના કરીએ અને જે લોકો રાજ કમાય રોજગારી મેળવતા હોય એને નુકસાન પહોચાડીએ, એટલું જ નહિ તોફાનો કરીએ, સરકારી મિલકતોને નુકસાન પહોચાડીએ! જયારે આપણને પણ ખબર છે કે આ મિલકતો આપણા કરના પૈસામાંથી જ ઉભી થયેલી છે! શાંતિથી વિરોધ કરતા આપણને આવડતું જ નથી. જાપાન ના લોકોએ માત્ર પોતાના જ દેશમાં બનતી વસ્તુઓ વાપરવાની નીતિ અપનાવી ને પરિણામ આપણી સામે છે. નાના હતા ત્યારથી શીખતા આવ્યા છીએ કે તાળી હમેંશા બે હાથે જ પડે, પણ આપણને એ ગળે ઉતરતું જ નથી. વાંક કાઢવા અને સલાહ આપવા બધા તૈયાર થઇ જઈએ છીએ પણ સહકાર આપવાનો વારો આવે ત્યારે હતા ત્યાં ને ત્યાં! લોકશાહીમાં લોકો જ જો રાજા ગણાતા હોય તો રાજાએ પોતાના દેશના વિકાસ માટે બનતું કરી છૂટવું જોઈએ.
   પ્રજા એ લોકશાહીનો સૌથી મહત્વનો આધાર સ્તંભ છે. જો એ નબળો હશે તો લોકશાહીની ઈમારત ક્યારેય મજબુત નહિ બને. એ આપણે સૌએ સમજવું જ રહ્યું! જનતાને જનાર્દન કહી છે, તો આપણે પણ આપણી જવાબદારીઓ સમજવી પડશે અને નિભાવવી પડશે. આપણે જ્ઞાતિવાદ,ભાષાવાદ,કોમવાદ, ધર્મના નામે ઝઘડા,પ્રાંતવાદ,અનામતને નામે આંદોલનો, આ બધું બંધ કરવું પડશે. આપણે આ બધા વચ્ચે વહેચાઈ જવાને બદલે સંગઠિત રહેવું પડશે. સૌથી અગત્યની વાત એ છે કે કોઈપણ પક્ષ આપણો ‘વોટબેંક’ તરીકે ઉપયોગ ના કરી જાય એ જોવું પડશે. સમજવું પડશે. આપણને મોટા મોટા વાયદાઓ આપી છેતરી ના જાય એ સમજવું પડશે. ચૂંટણી સમયે થતી લોભામણી જાહેરાતોમાં ના આવી તટસ્થ મતદાન કરવું પડશે. આપણે આપણો નેતા નિષ્પક્ષ રહી પસંદ કરવો પડશે. આપણા મતનો વ્યવસ્થિત ઉપયોગ જ આપણને સાચી લોકશાહી તરફ દોરી જશે. આપણે મત માટે કિમતી અને પવિત્ર એવો શબ્દ વાપરીએ છીએ. એ પવિત્રતા જાળવવી પડશે. સરકારની ગલત બાબતોનો શાંતિથી વિરોધ કરવો પડશે. અને એની સાચી બાબતો સ્વીકારી અને સહકાર આપવો પડશે. સરકારની લોકઉપયોગી યોજનાઓનો ગલત નહિ પણ સાચો ઉપયોગ કરવો જ રહ્યો! જે લાભો જે વર્ગ માટે હોય તેના સુધી પહોચાડવાની જવાબદારી આપણી સૌની છે. સબસીડીનો ગેસનો બાટલો કલાબઝારમાં વેચાય ના જાય એ આપણે જોવાનું છે. કોઈપણ સરકારી કર્મચારી વ્યવસ્થિત કાર્ય કરે તે જોવાની જવાબદારી આપણી સૌની છે. ભ્રષ્ટાચાર ત્યારે જ થાય છે જયારે આપણે સામેથી ઓફર આપીએ છીએ. આપણી પાસે હવે સોસીયલ મીડિયા જેવું મજબુત સાધન છે, જેનો ઉપયોગ કરી આપણે કોઈપણ પ્રકારના ભષ્ટાચારને ખુલ્લો પાડી શકીએ છીએ.
  ગરીબી, બેકારી,ભૂખમરો, દારૂની આદત,બળાત્કાર,ભ્રૂણહત્યા,વસ્તી-વધારો,વગેરે જેવી આફતો સામે આપણે સૌએ સાથે મળીને લડવું પડશે. એક પ્રજા તરીકે આપણે રાષ્ટ્રના વિકાસમાં પુરેપુરો સહકાર આપવો પડશે. જાપાન તો એક ઉદાહરણ છે, વિશ્વના એવા કેટલાયે રાષ્ટ્રો છે, જે પ્રજા થકી જ વિકસ્યા છે. ઇઝરાયેલ,ડેનમાર્ક,જર્મની,વગેરે રાષ્ટ્રો આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. તો આપણે પણ પ્રજા તરીકેની ફરજો બજાવવી જ રહી. આપણે જો દુષણોમાંથી બહાર આવી જઈશું તો રાષ્ટ્રને પણ બહાર લાવી શકીશું. “ be the change you wish to see in the world.” 
તમને થશે સરકાર વિષે કશું ના લખ્યું પણ મિત્રો જો પ્રજા જાગશે તો એને જાગવું જ પડશે! અને આમપણ સરકાર તો આપણે જેને પસંદ કરીએ એની જ બને છે ને? યથા પ્રજા તથા રાજા! આપણા પ્રતિનિધિઓ આપણામાંથી જ આવે છે ને? તો ચાલો એક તટસ્થ અને સ્વચ્છ સરકાર પસંદ કરીએ અને દેશના વિકાસમાં યથાયોગ્ય ફાળો આપીએ. માત્ર વાતો નહિ કામ પણ કરીએ.
  in democracy People shouldn't be afraid of their government. Governments should be afraid of their people.”
― Alan Moore,
તેં શું કર્યું?
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો, એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના, કાળા બજારો, મોંઘવારી: ના સીમા!’ -
રોષથી સૌ દોષ ગોખ્યા, ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાનેય શિર આવે ન, જો! તેં શું કર્યું?
આપબળ ખર્ચ્યું પૂરણ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે; સ્વાતંત્ર્યના ગઢકાંગરા: કરવત ગળે. ગાફેલ, થા હુંશિયાર! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે?
શી સ્વર્ગદુર્લભ મૃતિકાનો પુણ્યમય તુજ પિંડ છે.
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ:
એ સ્વાતંત્ર્યદિનની બંદગી.
(ઉમાશંકર જોશી)
 


Tuesday 23 October 2018

MEE TOO, અને આપણે,


MEE TOO, અને આપણે,





Image result for mee too


 ટી.વી.માં એક સ્પ્રેની જાહેરાત આવે છે, કદાચ બધાએ જોઈ હશે, “ આજકલ ક્યાં ચલ રહા હે? અરે ફોગ ચલ રહા હે. એવો જવાબ પૂછનાર વ્યક્તિને મળે છે. મારો ઈરાદો આ સ્પ્રેની જાહેરાત કરવાનો જરાયે નહિ, હું તો માત્ર અત્યારે ચાલી રહી ( આમ તો શરુ ૨૦૧૭ માં થઇ હતી,પણ આપણા દેશમાં હમણાં હમણાં બહુ ચાલી રહી છે) આ mee too ની ચળવળની વાત કરી રહી છું. અત્યારે કોઈને ભી પૂછો જવાબ મળશે, mee too ચલ રહા હે,. એક સરસ ચળવળ છે, અને એ પણ એક સ્ત્ર્રી એ શરુ કરી છે, એટલે વિશેષ સારી છે, પણ મને એ નથી સમજાતું કે આપણે કોઈપણ ચળવળને જાણ્યા સમજયા વિના શા માટે એટલી બધી ચગાવી દઈએ છીએ? સોસીયલ મીડિયામાં જે કઈ પણ શરુ થાય તરત વાયરલ થઇ જાય છે. અને વાયરલ પણ એટલું થઇ જાય કે રાતોરાત લોકો એ સાઈટને લાખો કરોડો કમેન્ટ્સ આપી દે, like કરી દે અને લોકો જોડાવા પણ માંડે ફટાફટ!  લોકો ફોલો પણ કરવા માંડે. પછી એમાં બીજા પોતાના અનુભવો જોડે, અને પછી એમાં સેલીબ્રેટી પણ જોડાય, અને પછી રાજકારણીઓ, અને અંતે બાકી રહેલું કામ મીડિયા અને છાપાવાળા પૂરું કરી આપે. એ mee too જેવી ચળવળને બ્રેકીંગ ન્યુઝ બનાવી બધા રેકોર્ડ બ્રેક કરાવી દે. છાપાવાળા ફ્રન્ટ પેજ પર છાપી એને ગામડા સુધી પહોચાડી દે. અને આમ એક ચળવળ ખુબ જ થોડા સમયમાં દેશની ચળવળ બની જાય છે. અને એમાં કોઈ ક્ષેત્રની સેલીબ્રેટીને એવું લાગે કે આપણે આઉટડેટ થઇ ગયા છીએ, કે આવનાર મુવી માટે કોઈ ફિલ્મ-સ્ટાર એવું વિચારે કે પબ્લીસીટી સ્ટંટ કરવા જેવો છે, તો તેઓ તરત જ આ તકનો લાભ લઇ લે છે અને દસ કે પંદર વર્ષ પહેલા પોતાની સાથે થયેલો કિસ્સો જાહેરમાં મૂકી દે છે. બસ પછી તો એ ચળવળ એટલી વાયરલ થઇ જાય કે દેશની દરેક મહિલાને એવું લાગવા માંડે કે યાર આવું તો ....આટલા અને આટલા વર્ષો પહેલા મારી સાથે પણ થયેલું! લોકો ગુગલ પર સર્ચ કરતા રહે આ mee too છે શું? અને બસ ચર્ચાઓ ચાલુ. આમાંથી કોઈ એવું નહિ વિચારે કે સમજે કે આ ચળવળ જેના માટે શરુ થઇ છે, એ જાતીય સતામણી ની સમસ્યા દુર કરવા ખરેખર શું કરવું જોઈએ? જે બાળકીઓ કે મહિલાઓ આનો ખરેખર ભોગ બની છે કે હજી બની રહી છે, એની માનસિક સ્થિતિ સુધારવા શું કરવું જોઈએ? યાદ છે, પેલી ૮ મહિનાની છોકરી પર થયેલા દુષ્કર્મની? એનો આરોપી પકડાયો કે નહિ એના માટે આપણે ગુગલ પર સર્ચ કરીશું ખરા અથવા તો કોઈ ચળવળ ચલાવીશું ખરા? એવા તો રોજ છાપામાં કેટલા કિસ્સા આવે છે, આપણે થોડા દિવસ અરેરાટી કરી બધું ભૂલી જઈએ છીએ. રૂટીનમાં ગોઠવાઈ જઈએ છીએ!  “કોઈપણ ગલત સિસ્ટમનો વિરોધ કરવાને બદલે આપણે એનો ભાગ બની જઈએ છીએ અને એટલે જ એ ગલત સીસ્ટમ સુધરવાને બદલે વધુ ને વધુ બગડતી જાય છે.”  એ હેવાનિયતનો ભોગ બનનાર એ ઘટનાને કદી નથી ભૂલી શકતા પણ આપણે એક –બે દિવસમાં બધું જ ભૂલી જઈએ છીએ! આપણે સૌએ એ યાદ રાખવું રહ્યું માત્ર like આપવાથી કે comment આપવાથી કે શેર કરી દેવાથી કોઈ સીસ્ટમ ક્યારેય સુધરતી નથી એના માટે તો આપણે સાથે મળી લડવું પડે છે.
        હવે વાત કરીએ આપણે એ લોકોની અગર તો એ મહિલાઓની જેમણે આ mee too ને ટેકો આપી પોતાની પર થયેલા જાતીય શોષણના આરોપ જે તે વ્યક્તિઓ પર મુક્યા અને આપણા દેશમાં જાણે ભૂકંપ આવી ગયો. આ આરોપો સાચા છે કે ખોટા એ તો સમય કહેશે.( આપણા દેશમાં કોર્ટ આરોપો નક્કી કરવામાં એટલો બધો સમય લે છે કે ...) બાકીનું વાક્ય તમે જ પૂરું કરી લેજો...પણ જાણવા સમજવા જેવી વાત એ છે કે mee too ચળવળ ચાલુ થઇ ત્યારે જ આ બધાને પોતાની પર થયેલા જાતીય શોષણો યાદ આવ્યા! આ બધી મહિલાઓ એ લેવલની છે, જેઓ ક્યારેય પણ આવા આરોપો કરે તો લોકો તેઓને સપોર્ટ કરે જ. તો પછી અત્યારે જ કેમ? જે મહિલાઓ mee too ,mee too કરી અત્યારે કુદી રહી છે, સોરી પણ હું પણ અત્યારે મારો મત જ રજુ કરું છું. એ મહિલાઓને mee too નો બીજો અર્થ નહિ ખબર નથી લાગતી. mee too એટલે” હું પણ”  અગર તો ‘મારી સમંતિ પણ છે’ એવો અર્થ પણ થાય છે. કારકિર્દી ઘડવા કે જીવનમાં સફળ થવા કે હોદો મેળવવા કે રોલ મેળવવા કે માર્ક્સ મેળવવા કે અન્ય કોઇપણ કારણોસર મહિલાઓ mee too કહી દે છે ને પછી mee too નો અર્થ બદલાવી પોતાની રીતે અર્થઘટન ફેરવી નાખતી હોય છે. એક સ્ત્રી તરીકે મને એટલી ખબર પડે કે, તમે થવા ના દયો ત્યાં સુધી કોઈ તમારો ઉપયોગ કરી સકે નહિ! બળાત્કાર જેવી અત્યાચારી ઘટનાની વાત અહી નથી થતી પણ માત્ર એવી મહિલાઓની વાત કે જેઓ પેલા પોતાનો ઉપયોગ થવા દે છે અને પછી આરોપો લગાવી દે છે. મજબુરીથી આવા લોકોને શરણે જતી સ્ત્રીઓની આ વાત નથી, પણ પોતાના શોખો પુરા કરવા જે મહિલાઓ સંબંધોનો દુરુપયોગ કરે છે, તેની વાત છે.
      mee too mee too કરી માત્ર પબ્લીસીટી સ્ટંટ કરનાર મહિલાઓ mee too નો સાચો અર્થ કદી નહિ સમજી સકે. જેને ન્યુઝ ચેનલો માટે મસાલો બનવું છે કે જેણે છાપામાં ફ્રન્ટ પેજ પર સ્ટોરી બની ચમકવું છે, એ આવી ચળવળો ને કદી નહિ સમજી શકે. mee too પાછળનું દર્દ એ કદી નહિ સમજી શકે. જે લોકો આ શોષણથી પીડાતા હોય છે, તેઓનું દર્દ જ અસહ્ય હોય છે. આમપણ આપણા દેશમાં લોકોને ચાલતી ગાડીએ ચડી જવાની આદત છે. ટોળું ચાલતું હોય તો આપણે સાથે જોડાય જઈએ છીએ, એ પણ જાણવાની કોશિશ નથી કરતા કે એ ક્યાં જાય છે? અને શેના માટે જાય છે? વિરોધ કરવો સારી બાબત છે,પણ એ વિરોધ વ્યાજબી હોવો જોઈએ. આટલા વર્ષો સુધી આ તનુશ્રી ને આ બધા ક્યાં હતા?  અને જો આ આરોપો ખોટા નીકળ્યા તો આપણે mee too નો કયો અર્થ કરવો? સ્ત્ર્રીઓ તરફી કાયદાઓનો સૌથી ગલત ઉપયોગ પણ મહિલાઓ જ કરે છે. એવું પણ ના બને કે જીવનમાં આગળ વધવા આ મહિલાઓએ સામેવાળાનો સી.ડી, તરીકે ઉપયોગ કર્યો હોય? બધી સ્ત્રીઓની વાત નહિ, પણ જેમ દરેક પુરુષ ખોટો નથી હોતો,એમજ દરેક સ્ત્રી પણ સાચી ના હોય સકે!  
            જે લોકો સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે, એને કડકમાં કડક સજા થવી જોઈએ અરે તેઓને તો જાહેરમાં ફાંસી થવી જોઈએ, પણ પેલા આપણે સૌએ mee too નો સાચો અર્થ સમજવો પડશે. કેમ ખરું ને?  જે સ્ત્રીઓ પોતાની પ્રતિભા,આવડતને લીધે આગળ આવે છે,તેઓ કદી આવી કોઈ ફરિયાદ કરતી નથી. તેઓ આ ચળવળને ટેકો આપે તો સાચું. તો મિત્રો ટોળા પાછળ જવાને બદલે શાંતિથી વિચારો, આ સમસ્યાને દુર કરવા ખરેખર આપણે કરવું શું જોઈએ. દરેક વખતે સલાહ નહિ ક્યારેક સહકાર પણ આપતા રહો. અને હા mee too નો અર્થ સમજાય તો કેજો OK. જેને આ ચળવળ ચાલુ કરી હશે એ સાચા હશે.પણ આપણા દેશમાં જે મહિલાઓએ એને ટેકો આપ્યો છે, એ ટોળું ક્યાં? 
 છેલ્લા સમાચાર મુજબ રાહુલ ગાંધીએ પણ mee too ને ટેકો આપ્યો છે. ક્યાં ઓલું ટોળું!


                                                               

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...