Sunday 8 August 2021

ઓલમ્પિક, મેડલ અને આપણે.....

 

ઓલમ્પિક, મેડલ અને આપણે.....

25 Game quotes and humor ideas in 2021 | quotes, game quotes, humor

   કાલ સાંજથી ‘નીરજ ચોપડા’  એ નામ ભારતના ઘરે ઘરે ગુંજતું થઇ ગયું છે. આપણે સોસોયલ મીડિયા તેના પરાક્રમના સમાચારથી ફૂલ છે. દેશની પ્રત્યેક વ્યક્તિ તેમનાં માટે ગર્વ લઇ રહી છે. લોકો પોતાના વોટ્સ-એપ સ્ટેટસમાં તેઓને અપડેટ કરી રહ્યા છે. કાલ સુધી જે નામને આપણે જાણતાં નહોતા એ આજે સમગ્ર વિશ્વમાં જાણીતું થઇ ગયું છે. ભારતે આઝાદી પછી પ્રથમવાર એથ્લીટમાં ‘ગોલ્ડ-મેડલ’ જીત્યો અને આપણે સૌ એ જીતનું ગર્વ લઇ રહ્યા છીએ. આજે ગૂગલ પર સૌથી વધુ સર્ચ ‘નીરજ ચોપડા’ વિષે થશે. ઘણાને આજે ખબર પડશે કે ‘જવેલીન-થ્રો’ એટલે શું? એથ્લીટ એટલે શું? એ પણ આજે ઘણાને સમજાશે! એક નજર તેમને મળેલા ઇનામોની યાદી પર કરી લઈએ. અત્યાર સુધીમાં તેમને મળેલા ઇનામોની યાદી જોઈએ,

   હરિયાણા સરકાર ૬ કરોડ અને ક્લાસ-૦૧ જોબ

   bcci ૧ કરોડ

ભારત ઓલમ્પિક સમિતિ ૭૫ લાખ

 મહિન્દ્રા કંપની ૧કાર

મોરારીબાપુ ૨૫૦૦૦ રૂ.

તેમના જીવન પર એક મુવી પણ બનશે.

   વગેરે વગેરે આ તો હજી શરૂઆત છે, પણ મિત્રો આપણે જે સફળતા જોઈએ છીએ ને તેની પાછળ અપ્રિતમ સાહસ અને સંઘર્ષ રહેલો હોય છે. વર્ષોની મહેનત હોય છે. કઠોર પરિશ્રમ હોય છે. અનેક નિષ્ફળતાઓ હોય છે, કેટલીયે ઈજાઓ હોય છે, ૨૦૧૯ માં તેમને કોણીમાં ઈજા થઇ હતી અને ઓપરેશન પણ કરાવ્યું હતું! તેઓ લાઈમલાઈટમાં આવ્યાં ઓલમ્પિકને લીધે બાકી ઘણા બધા મેડલ્સ તેઓના નામે છે. એશિયન જુનિયર ચેમ્પીયનશીપથી ચાલુ કર્યું અને પછી એ પ્રવાસ કદી અટક્યો નથી! કોમન-વેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પીયનશીપમાં તેઓ મેડલ્સ જીતી ચુક્યા છે. અર્જુન એવોર્ડ પણ તેઓને મળી ચુક્યો છે. આ બધી સિદ્ધિ પાછળ જો સૌથી વધુ કોઈ મદદરૂપ બન્યું હોય તો એ છે, તેઓના માતા-પિતા!

  આ જ બાબત મારે આજે તમને પૂછવી છે, આ દેશમાં એવા કેટલા માતા-પિતા મળી આવશે? જે પોતાના સંતાનોને ‘રમતમાં’  કારકિર્દી બનાવવા દેશે? આપણે ત્યાં શારીરિક શિક્ષણને જરાપણ મહત્વ આપવામાં આવતું નથી. શાળાઓમાં અને મહાશાળાઓમાં શારીરિક શિક્ષણને માત્ર એક વિષય તરીકે ગણી લેવામાં આવે છે! એમાં પાસ થવું સરળ હોય એટલે વિદ્યાર્થીઓ એ વિષય પસંદ કરી લેતા હોય છે. તેની પ્રેક્ટીકલ પરિક્ષા કેવી રીતે લેવાય છે? આપણે સૌ જાણીએ છીએ. ભણતરના ભાર નીચે રમતો દબાઈ ગઈ છે. અને જે બાકી કામ હતું એ ‘ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ’ એ પૂરું કર્યું. આપણા બાળકો વર્ગ-ખંડોમાંથી નવરા જ નથી પડતાં કે આપણે તેઓને રમતના મેદાન પર રમતા નિહાળીએ. રમતના મેદાનો સાવ સુમ-શાન બની રહ્યા છે.

  આપણે કેળવણીને પૈસા સાથે જોડીને તેનું મૂળ મહત્વ ભૂલી ગયા છીએ. રમતોમાં પૈસો નથી એટલે આપણે વિદ્યાર્થીઓને એ તરફ વળવા દેતા નથી. માતા-પિતા માટે એ સ્વીકારવું અને સમજવું જ મુશ્કેલીભર્યું બની ગયું છે કે રમતમાં પણ સંતાનોને આગળ વધારી શકાય છે. આપણે આપણા બાળકોને નાનપણથી જ વર્ગખંડો તરફ ધકેલી દેતા હોઈએ છીએ. રમતો નું સ્થાન જ આપણે તેઓના જીવનમાંથી છીનવી લીધું છે. રમતના મેદાનમાં સંતાનો પરસેવો પાડે એ માતા-પિતાને ગમતું જ હોતું નથી. એમાં પણ બાળક દસમાં કે બારમાં ધોરણમાં આવે એટલે તો તેના રમવા પર જાણે પ્રતિબંધ જ આવી જાય છે. અમુક ઉંમર બાદ રમતો જાણે આપણા સૌના જીવનમાંથી વિદાય જ લઇ લેતી હોય છે!

             આપણે યાદ રાખીએ કે પૈસા મળ્યા એટલે તેમણે મેડલ્સ નથી જીત્યા, પણ તેઓ મેડલ્સ જીત્યા એટલે પૈસા મળ્યા! આપણા માતા-પિતાએ સમજી લેવાની જરૂર છે કે શારીરિક વિકાસ પણ જીવનના વિકાસ માટે એટલો જ જરૂરી છે. આપણે પણ સંતાનોને રમતના મેદાન પર દોડવા દઈએ અને રમવા દઈએ. તેને જે રમતમાં રસ હોય તે રમતમાં જવા દઈએ. યોગ,મેડીટેશન,રમત બધું જ જીવન માટે જરૂરી છે, તે નાં ભૂલીએ. વળી તેઓ કદાચ રમતને કારકિર્દી બનાવવા નાં માંગતા હોય તો કઈ નહિ, પણ તેઓના સર્વાંગી વિકાસ માટે તેઓને રમવા દઈએ.

  નીરજ ચોપરા, સાઈના નેહવાલ, પી.વી.સંધુ, મીરાં ચાનું, બજરંગ પુનિયા, અદિતિ, મેરી કોમ, રવિ દહિયા, વગેરે રમતવીરોની સફળતા આજે આપણને સમજાવી રહી છે, પ્રેરણા આપી રહી છે કે આપણે પણ આપણા સંતાનોને રમતો તરફ વાળીએ. રમતોમાં તેઓને આગળ વધવા દઈએ. તેઓના માતા-પિતાએ પણ જો આવું વિચાર્યું હોત તો આપણા દેશને ઓલમ્પીકમાં આટલી સફળતા નાં મળી હોત! ઘણા લોકો એવું કહે છે કે આપણા દેશમાં ક્રિકેટ સિવાય એકેય રમતમાં પૈસો જ નથી, પણ આ ખોટું છે. દરેક રમતમાં પૈસો, પ્રસિદ્ધિ રહેલા જ છે. હવે આપણે પણ એ જાણી લેવાની જરૂર છે કે આપણે દરેક રમતને પ્રોત્સાહન આપીએ.

  ઘણા એવું કહે છે કે મેડલ જીતે ત્યારે ચારે તરફથી પ્રશંશા થાય છે, પણ પછી... અરે એવું તો દરેક ક્ષેત્રોમા થતું હોય છે. આપણે અપડેટ કેમ રહેવું? એ આપણે નક્કી કરવાનું હોય છે. દરેકની સફળતાનો સમય નિશ્ચિત જ હોય છે. પછી જે તે રમતોમાં યોગદાન આપીને આપણે દેશને મદદ કરી શકીએ છીએ. માતા-પિતાએ રમતોને પણ સંતાનોના જીવન સાથે જોડવી પડશે. જો આપણે ઓલમ્પીકમાં આનાથી પણ વધુ સારું પરફોર્મન્સ કરવા ઇચ્છતા હોઈશું તો રમતોમાં રોકાણ કરવું પડશે. આપણા રમતવીરોને વધુ ને વધુ પ્રોત્સાહન આપવું પડશે. તેઓને ક્રિકેટના ખેલાડીઓ જેટલું મહત્વ આપવું રહ્યું. શિક્ષણમાં રમતોને પણ સ્થાન આપવું પડશે. જો આપણે રમતના મેદાનો ધમધમતા કરવા હશે તો બાળકોને ભણતરના ભારથી મુક્ત કરવા પડશે.  તેઓને શેરીની ધૂળમાં આળોટવા દેવા પડશે, તેઓને વડના ઝૂલે ઝૂલવા દેવા પડશે અને નદીઓના પાણીમાં કુદવા પણ દેવા પડશે. તેઓને ઝાડ અને પહાડ પર ચડવા દેવા પડશે.

    You will be nearer to heaven playing football than studying the Bhagavad-Gita.?  સ્વામીવિવેકાનંદનું આ વાક્ય જ આપણને સૌને રમતોનું મહત્વ સમજાવી જાય છે. માતા-પિતા જાગશે તો આપણે વધુ ને વધુ રમતવીરો મેળવી શકીશું. ભલે સૌને આ નિર્ણય અઘરો લાગતો હોય પણ જો આપણા બાળકોને એ તરફ જવું હોય તો એ નિર્યણ જરૂરથી લઈએ. તેઓને પૂરેપૂરું પ્રોત્સાહન આપીએ, તેઓ પાછળ  એક તાકાત બનીને ઊભા રહીએ. દરેક સફળતા પાછળ સંઘર્ષ હોય છે, એ સંઘર્ષ આપણા સંતાનોને કરવા દઈએ. એવું પણ જરૂરી નથી કે તેઓને તમામ સગવડો પૂરી પાડવી જરૂરી છે. જેઓને આગળ વધવાની ઈચ્છા છે, તેઓ માટે માતા-પિતાનો સપોર્ટ જ સૌથી જરૂરી છે. તે તેઓને આપીએ અને ઓલમ્પિક અને અન્ય રમતોત્સવની મેડલ ટેલીમાં આપણું સ્થાન વધુ ને વધુ આગળ લઇ જઈએ!

    65 Best Quotes About Success in Sports - Quotes Yard

 

Sunday 1 August 2021

મિત્રતા ૨૪*૩૬૫

 

મિત્રતા ૨૪*૩૬૫

 Happy Friendship Day 2021: Images, Wishes, Quotes, Messages and WhatsApp  Greetings to Share

 

                          માણસને કેટલાક સંબંધો જન્મથી મળેલા હોવાને લીધે વહાલા લાગે છે, કેટલાક સંબંધો સમાજમાં ચાલતી પ્રથા કે રીતરીવાજોને લીધે બાંધવા પડે છે તો કેટલાક સંબંધો બીઝનેસ ને લીધે નિભાવવા પડે છે. પણ એક સંબંધ એવો છે જે લાગણી, સંવેદનાને લીધે નિભાવવો ગમે છે. અરે યાર કશા જ કારણ વિના ગમે છે અને એ છે ‘મિત્રતા’, ‘દોસ્તી’, કે friendship’. જે કહો તે આમ પણ ગમે તે કહીએ ગમે તેટલા ઝઘડીએ છતાં સાથે ને સાથે હોય તે મિત્ર. મિત્રતા એવું બંધન છે, જેને તમે કોઈ સંબંધોની પરિભાષામાં ગોઠવી કે સમજાવી શકો નહિ એ તો જે બાંધે અને નિભાવે એને જ ખબર પડે. બાકી બધા સંબંધો આપણે મેળવીયે છીએ પણ ‘મિત્રતા’ તો કમાવવી પડે છે. એના માટે સ્વયં સારા મિત્ર બનવું પડે છે. સુદામાનો સાદ સંભળાય ને દ્વારકાનો નાથ રાજાપણું ભૂલી તેને ભેટવા દોડી પડે એનું નામ મિત્રતા. કશુજ કહ્યા વિના સઘળું આપી સુદામાની દરિદ્રતા દુર કરી દે એનું નામ મિત્રતા. કાર્લ માર્ક્સ ને જિંદગીના દરેક સંઘર્ષો માં સાથ આપી મહાન માણસ બનાવનાર ‘friedrich engels’ ની મિત્રતા. તો વળી આપણા શોલે ના જાય-વીરુ ની કાલ્પનિક મિત્રતા એ સ્કૂટર એ તોફાન ને એ ગીત, ‘ ये दोस्ती हम नहीं छोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ न छोड़ेंगे ‘ છે ને મિત્રો મિત્રતાની અલગ દુનિયા haर एक फ्रेंड जरुरी होता हे’.

                           મિત્રતા ઊંચ,નીચ, જ્ઞાતિ,જાતી, ધર્મ, કોમ આ બધી બાબતોથી પર હોય છે. આ માણસને મળેલો સૌથી મૌલિક સંબંધ છે. પસંદગી કરવાની છૂટ હોય છે મિત્રની, ને માટે આ સંબંધ સાચા કે ખોટા ની પરીક્ષાથી મુક્ત હોય છે. મિત્રતા એટલે  જે બીજા માટે વરસી પોતે ખાલી થઇ જાય એવું વાદળ ને  પછી એકદમ સ્વચ્છ બની જતું આકાશ જે એકદમ નિખાલસ અને માસુમ લાગે છે. એટલે જ તો આપણે મિત્ર પાસે જેવા હોઈએ તેવા પ્રગટ થઇ જઈએ છીએ. નહિ કોઈ દંભ નહિ કોઈ વ્યવહાર કે નહિ કોઈ વેપાર પ્યોર સંબંધ ને પ્યોર બંધન. જિંદગીના સમગ્ર દુખો જેના ખભે મૂકી આપણે નિરાતનો શ્વાસ લઇ શકીએ તે મિત્ર, જેને જિંદગીની નાનામાં નાની બાબત કે ઘટના કહ્યા વિના ના રહી શકાય તે મિત્ર ને જેની સાથે ઝઘડો કર્યા બાદ પણ બોલ્યા વિના ના રહી શકાય તેનું નામ મિત્ર.

     ‘મિત્રતા’ ની સમજણ દરેક સંબંધોનો પાયો છે. જો માતા-પિતા ને સંતાનો વચ્ચે મિત્રતા હોય તો જનરેશન ગેપ ના પ્રશ્નો જ ઉભા ના થાય. દાદા-દાદી તો હોય જ છે પૌત્ર-પૌત્ર્રીઓના મિત્ર. તેઓની સાથે રમી તેઓ પણ નાનપણ જીવી લે છે. કુટુંબના દરેક સંબંધોમાં મિત્રતા જળવાય તો મકાન ‘ઘર’ બની જાય ને કુટુંબો કદી તૂટે નહિ. અરે યાર લગ્નજીવનમાં પણ મિત્રતા જરૂરી છે. પતિ-પત્ની એકબીજાના મિત્ર બની રહે તો લગ્ન આ પૃથ્વી પરનો સૌથી અલૌકિક સંબંધ બની રહે. એટલે જ તો સપ્તપદી ના સાત વચનો માં એક વચન માં મિત્ર બનવાનું પણ આવે છે. આપણે બંને એકબીજાના મિત્રો બની રહીએ. એટલે મિત્રો, દોસ્તી થકી જ દરેક સંબંધો નિભાવવા લાયક બને છે. મિત્રતા થકી જ જીવનના દરેક પ્રશ્નો ઉકેલી શકાય છે.

           ‘મિત્રો’ સાથેની મિત્રતા એટલે શેરીની ધૂળમાં રમવું, વરસાદના પાણીથી ભરાયેલા ખાબોચિયામાં સાથે નાહવું, શિયાળા ની ઠંડીમાં ના ઉઠતા મિત્રોની ચાદર ખેચી લેવી,ને ઉનાળામાં ભર બપોરે મિત્ર બોલાવે તો રમવા દોડી જવું,ને માં બોલાવતી રહી જાય તોય ગલીઓમાં રમવા દોડી જવું તેનું નામ મિત્રતા.ને વળી સ્કૂલમાં બેંચ પર ઠેકડા મારવા કે રિશેષ માં એકબીજાના નાસ્તા શેર કરવા કે પછી કદિ સ્કૂલે થી સ્વેચ્છિક રજા લઇ ગામ ની ગલીઓમાં ફરવા નીકળી જવું કે પછી ગામ ના પાદરે વડની ડાળીએ ઝૂલવું કે નદીમાં ભૂસકા મારવા એનું નામ પણ છે મિત્રતા. કદી સ્કૂલમાં તોફાન કરતા શિક્ષક પકડી લે ને એકાદાને માર પડે ને સોળ બધાને ઉઠી આવે કે કદી હાથે કરીને કોઈ મિત્રને માર ખવડાવવાની મજા જ કઈ ઓર હોય છે. તો વળી કદી ઘર આસપાસ ની ગાળિયો માં ટોળી બનાવી પાડોશીઓને હેરાન કરવાના પ્લાન બનાવે તે પણ મિત્રો સિવાય કોણ હોય! નાનપણની મિત્રતા નિખાલસ સંબંધો ની દોરીએ બંધાયેલી હોય છે ,જેમાં લડવું, ઝઘડવું,પાછા ભેગા થવું કોમન હોય છે , પણ એની સ્મૃતિઓ જીવનભર સચવાય રહે છે આપણે જિંદગીમાં આગળ વધી જઈએ છીએ પણ એ નાદાનિયત કદી ભુલાતી નથી. એટલેજ તો બાળપણમાં મિત્રો સાથે કોઈના ખેતરમાં ઘુસી ખાધેલી શેરડીનો સ્વાદ પછી ગમે તેવી કંપનીના coldrinks કે જ્યુસ માં આવતો નથી.

        કોલેજ ની મિત્રતા એટલે કાર્ડ્સ ને ગીફટ ને days ને બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ ને ફેસબુક ને whatsapp ને party વગેરે વગેરે .............પણ છે એ પણ જકાસ.કોલેજ ની મિત્રતામાં ટીનએજ ની મુગ્ધતા ભળે ને જીંદગીમાં જોશ આવી જાય.પુરપાટ બાઈક ચલાવવાનું જોશ, ખુલ્લી છાતીએ પવન જીલવાનું જોશ, મિત્રો માટે કોઈ સાથે લડી લેવાનું જોશ, તો વળી વરસતા વરસાદમાં સાથે મળી લોંગ drive પર જવાનું જોશ તો કદી કોલેજ માંથી બંક મારી પીચર જોવા જવું કે પકડાઈ જઈએ તો પ્રોફેસર કે પ્રિન્સીપાલ ને ઉલ્લુ બનાવવા કે પછી સજા થાય તો સાથે ભોગવવાનો આનંદ! કે કદી ક્લાસમાં છેલ્લી બેન્ચે બેસી પ્રોફેસરો ના કાર્ટૂન દોરવા કે વાતો કરવી. તો વળી પરિક્ષા દરમિયાન એકબીજાને મદદ કરવા બને એટલા નુસખા કરવા. આ મિત્રતા કોલેજ ના કેમ્પસ કે હોસ્ટેલ ના રૂમ થી શરુ થાય છે ને જિંદગીભર જળવાય રહે છે. હોસ્ટલમાં મિત્ર એ પોતાની માટે બહાર જવા તૈયાર કરેલા કપડા પેરી બહાર જતું રહેવું, તેની ગર્લફ્રેન્ડ ને તેના સિક્રેટ કેવા કે પછી હોસ્ટેલ ની પાળી પર બેસી એકબીજા સાથે જીંદગી શેર કરવી એ મોજ પછી આગળ જતા મોટા મોટા બંગલામાં પણ આવતી નથી. એટલે જ તો મિત્રો કોલેજની મિત્રતામાં unlimited મસ્તી મોજ ને આનંદ હોય છે.

                  लगे मुझे यारी तेरी एसी जेसे दारू देशी खट्टी मीठी बाते तेरी नशे सी.

               ને છેલ્લે મિત્રો એક અનોખી મિત્રતાની વાત કરવી છે ને એ છે સ્ત્રી-પુરુષ મિત્રતાની. હા દોસ્તો એક સ્ત્રી અને પુરુષ પણ મિત્રો હોય શકે છે. પ્રેમ, લગ્ન સિવાય પણ તેઓની વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ હોય સકે છે.ને એ આપણે સ્વીકારવો જ જોઈએ ખુલ્લા મન અને હૃદય થી. શ્રીકૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે સખા ભાવ જ હતોને દુનિયા દરેક સંબંધોથી અલગ એ બંધન હતું. એટલેજ તો દ્રૌપદી ના દરેક દુઃખમાં માધવે તેને પૂરો સાથ આપ્યો હતો. તેઓનો સખાભાવ અલૌકિક હતો, આત્મીય હતો.આપણે પણ આ સંબંધને મિત્ર ભાવે જ જોવાનો છે. એક છોકરા અને એક છોકરી વચ્ચે મિત્ર હોય શકે છે. એ બાબત આપણે સ્વીકારવી રહી. આમ પણ દરેક સંબંધો જેનું કોઈ નામ નથી હોતું તેને આપને દોસ્તી નું જ નામ આપીએ છીએ ને! તો..........

                ને એક વાત યાદ રાખજો તમારો મિત્ર જેવો હોય તેવો તેને તેની મર્યાદા સાથે સ્વેકારજો. એકવાર મિત્રતા કર્યા બાદ જિંદગીભર નીભાવજો. ને યાદ રાખજો મિત્ર-દિવસ એટલે માત્ર ઓગષ્ટ મહિનાનો પેલો રવિવાર એવું જ નહિ પણ એ તો ૨૪*૩૬૫ આપણી સાથેજ હોય. જે દોરી આ દિવસે બાંધો  એને જીવનભર નીભાવજો.

                               “happy friendship day”

International Friendship Day 2019: 10 timeless quotes on friendship by  popular personalities

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

\

 

 

 

 

 

 

 

 

 

 

                                                               

Friday 30 July 2021

મારા એકલાથી શું ફેર પડશે? અને આપણે,....

મારા એકલાથી શું ફેર પડશે? અને આપણે,...

attitude quotes inspirational quotes change your attitude toward life

  કોરોના મહામારી સામે લડવા બધાને માસ્ક પહેરવાનું, સોસીયલ-ડીસ્ટટન્સ રાખવાનું, અને ઘરની બહાર નહિ નીકળવાનું કહેલ. લોકોના ભલા માટે આ નિયંત્રણો હતા છતાં લોકો પાસેથી આ બાબતે દંડ વસુલ કરવો પડતો! ઘણા લોકો એવી દલીલ કરતા કે ‘ હું એકલો/એકલી આ નિયંત્રણોનું પાલન કરીશ તો શું ફેર પડી જવાનો?’

 ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે કે હેલ્મેટ પહેરવાનું કહેવામાં આવે. ભારતમાં અકસ્માતોમાં સૌથી વધુ યુવા લોકો મૃત્યુ પામે છે, જાણવા છતાં! આ પ્રશ્ન રીપીટ થતો રહે છે.

 

આપણે બધા ખરીદી કરવા જઈએ ત્યારે કાપડની થેલી લઈને નથી જતા, પ્લાષ્ટિક પર્યાવરણ માટે ખુબ જ નુકસાનકારક છે, આપણે સૌ જાણીએ છીએ, છતાં આપણે તેના વપરાશ પર કાંપ મુકતાં નથી! દરેક વ્યક્તિ એવું વિચારે છે કે ‘હું એકલો/એકલી કાપડની થેલી લઈને જઈશ, તો શું ફેર પડી જવાનો?’ પ્લાષ્ટિકના ઉપયોગ બાબતે આપણને વારંવાર ચેતવણી આપવા છતાં આપણે ધ્યાને લેતા નથી. આપણે એક નાની એવી શરૂઆત પણ કરતા નથી.

    આપણે વિકાસની આંધળી દોડમાં વ્રુક્ષોનો, જંગલોનો સોથ વાળી નાખ્યો છે, વ્રુક્ષો વિના આપણું પર્યાવરણ અને વાતાવરણ એકદમ સુનું સુનું થઇ જશે, પક્ષીઓનો કલરવ અટકી જશે, પશુઓનો વિસામો ખોવાય જશે, જંગલમાં વસતા જીવોનો આશરો છીનવાય જશે, કેટલાયે જીવોનું અસ્તિતવ સમાપ્ત થઇ ગયું છે, અને કેટલાયનું થઇ જશે, પણ આપણે વળી પાછા એ જ વિચાર સાથે આગળ વધીએ છીએ! ક્યા? એમ,,,,,, ‘ હું એકલો/એકલી વ્રુક્ષ ઉછેરીશ તો શું થઇ જવાનું? કે પછી મારા એકલાથી જંગલોનાં રક્ષણ અને સંવર્ધનમાં શું ફેર પડી જવાનો?’

     સ્વચ્છતા બાબતે પણ આપણા સૌના વિચારો આવા જ છે! આપણે આપણું ઘર એકદમ સાફ-સુથરું રાખીએ છીએ, અને એ ઘર સ્વચ્છ રહે એવા દરેક પ્રયાસો કરીએ છીએ, પણ આપણે શેરી, મહોલ્લો, ગામ,કે શહેર બાબતે આવી ચોકસાઈ નથી રાખતા. કેવી ગંદકીમાં આપણે રહીએ છીએ? ક્યારેક આજુબાજુમાં નજર કરજો! જ્યાં-ત્યાં થૂંકવું, ગાડી કે બસમાંથી કચરો બહાર ફેંકવો, ઘરનો કચરો શેરીમાં ફેંકવો, આપણી શેરીઓ,ગામો કે શહેરો રેપર્સ અને પેપર્સથી સજાવેલી રહે છે, બહાર ફરવા જઈએ ત્યારે સારા વોશ-રૂમ કે ટોઇલેટ ગૂગલ પણ સર્ચ કરવાથી પણ મળતા નથી! અરે આપણે તો જે બસમાં પ્રવાસ કરીએ છીએ, એ બસોને પણ બેસીએ એટલી વારમાં ગંદી કરી દેતાં હોઈએ છીએ. વળી એજ પ્રશ્ન, ‘ હું એક કચરો નહિ ફેંકુ તો શું ફેર પડી જવાનો?’ જ્યાં ફરવા જઈએ છીએ, એ સ્થળની સુંદરતાને પણ આપણે કદરૂપી કરી દેતા હોઈએ છીએ. જ્યાં જ્યાં આપણે, ત્યાં ત્યાં કચરો! હજી આજે પણ આપણને ‘ઘરમાં સૌચાલય બનાવવા માટે સમજાવવા પડે છે!’ વળી એજ પ્રશ્ન, ‘ મારા એકના ઘરમાં સૌચાલય બનાવવાથી શું ફેર પડી જવાનો?’

      હવે વાત કરીએ મનની સ્વચ્છતાની, મનને સ્વચ્છ રાખવા મૂલ્યોનું પાલન કરવું પડે છે, સત્ય,પ્રામાણીકતા, માનવતા, અહિંસા, નૈતિકતા વગેરે મૂલ્યોનું આચરણ કરવું પડે છે. ભ્રષ્ટાચાર સામે લડવા આ મુલ્યો જ કામમાં આવે છે. આપણે બધા જ જાણીએ છીએ, કોઇપણ કામ કરાવવા કામની અગત્યતા અને જરૂરીયાત મુજબ જુદા જુદા ટેબલ પર સોરી નીચે, કોઇપણ સ્વરૂપે લાંચ કે રિશ્વત મુકવી પડે છે! અને આપણે મૂકી પણ દઈએ છીએ! બધાને બધા કામ ગમે તે રીતે કરાવી જ લેવા છે! આપણા દેશમાં વગ અને લાગવગ બે અમોઘ શસ્ત્રો છે, જેના થકી ગમે તેવા અઘરા કામો પાર પડી જતાં હોય છે! કોઈએક ઓફિસમાં કામ કરાવવા જઈએ એટલે નીચેથી લઈને ઉપર સુધી દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ આપણી પાસેથી ‘પૈસા-વસુલ’ કરે છે. આપણે જ્યાં જ્યાં કામ માટે જઈએ છીએ, ભ્રષ્ટાચારને સાથે લઈને જઈએ છીએ. ધર્મ,શિક્ષણ અને આરોગ્ય જેવા અગત્યના ક્ષેત્રો પણ ભ્રષ્ટાચારની અડફેટે ચડી ગયા છે! અમુક લોકો છે, પ્રામાણિક અને નૈતિક, પણ ત્યાં પણ એ જ પ્રશ્ન છે, ‘ હું એકલો/એકલી સાચું બોલીશ કે પ્રામાણિક રહીશ, તો શું ફેર પડી જવાનો?’

      હવે વાત કરીએ સામજિક દુષણોની, દહેજ, ભ્રૂણહત્યા, બાળ-લગ્નો, જ્ઞાતિવાદ, કોમવાદ,અશ્પૃશ્યતા,ગરીબી, નીરક્ષરતા વગેરે વગેરે........ આપણો સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આ દુષણો સમાજને નડી રહ્યા છે! પણ આપણે તેનાથી દુર નથી થતા કે તેને આપણાથી દુર થવા દેતા નથી! આપણે સૌ નવા ભારતની વાતો કરી રહ્યા છીએ, પણ નવા ભારતની અંદર એક જુનવાણી ભારત હજી ત્યાં ને ત્યાં જ ઉભું રહી ગયું છે! આ દુષણો દુર કરીશું તો જ આપણે નવું ભારત રચી શકીશું, સૌને ખબર છે, પણ વળી એ જ પ્રશ્ન, ‘ હું એકલો/એકલી આ દુષણો સામે લડીશ તો શું ફેર પડી જવાનો?’ દીકરીઓ પેટમાં જ મરતી રહે છે, દહેજ આજે પણ ચલણમાં છે, બાળ-લગ્નો તો આપણે ભૂલ્યા જ નથી, જ્ઞાતિવાદ આપણા લોહીમાં ભળી ગયો છે, અસ્પૃશ્યતા હજી આજે પણ ગામ કે શહેર બહાર થઇ નથી! ગરીબીનાં આંકડા વધતાં જ જાય છે, હજી લોકો પોતાના સંતાનોને શિક્ષણ આપવામાં સક્ષમ નથી બની શક્યા! આપણે મોટો મોટી ચર્ચાઓ કરીએ છીએ, સેમિનારોમાં સારું સારું સાંભળીએ છીએ, લાંબા લાંબા નિબંધો લખીએ છીએ, વકતૃત્વ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ આ વિષયો પર સુંદર બોલે છે,સોસીયલ મીડિયા પર પોસ્ટ મુકીએ છીએ,  પણ વળી એ જ પ્રશ્ન, ‘ હું એકલો/એકલી આ દુષણો સામે લડીશ તો શું ફેર પડી જવાનો?’

    એ જ રીતે ધર્મને આપણે સંપ્રદાયોમાં વહેંચી લીધો છે, શિક્ષણને સગવડો સાથે જોડતા રહીએ છીએ, શિક્ષણનાં માધ્યમ તરીકે માતૃભાષાને બદલે અન્ય ભાષાને મહત્વ આપતા રહીએ છીએ, ડોકટર કે એન્જીનીયર સિવાય કોઈ અન્ય વિકલ્પો છે જે નહિ, તેવું માનતા રહીએ છીએ, ધર્મ માનવતા કરતા પણ મહાન છે એ પૂર્વગ્રહને છોડતાં નથી, વગેરે વગેરે..... કોઇપણ સમસ્યાના ઉકેલ વિચારવાને બદલે આપણે આ જ વિચારતા રહીએ છીએ કે, ‘ હું એકલો/એકલી આ બધા સામે લડીશ તો શું ફેર પડી જવાનો?’

  હવે થોડા ઉદાહરણો જોઈએ, અને પછી સમજીએ કે શું ફેર પડી જવાનો?

        ગાંધીજી, સરદારપટેલ, રાણી લક્ષ્મીબાઈ કે રાણાપ્રતાપે એવું વિચાર્યું હોત તો, કે ‘ હું એકલો/એકલી સ્વતંત્રતાની લડાઈમાં જોડાઇશ તો શું ફેર પડી જવાનો?’

  કોઈ વૈજ્ઞાનીકે એવું વિચાર્યું હોત કે ‘હું એકલો/એકલી સંશોધનમાં જોડાઇશ તો શું ફેર પડી જવાનો?’

    જેટલા લોકોએ ઉપર જણાવેલી બાબતોમાં પહેલ કરીને આપણા માટે કઈ ને કઈ સારું કર્યું છે, એ બધા જો આ પ્રશ્ન સાથે બંધાઈ ગયા હોત તો?  

         બીરુબાલારાધા એ એકલે હાથે જંગલમાં થતાં શિકાર સામે લડવાનું શરુ કર્યું,

         શાંતિદેવી એ આદિવાસી જાતિની સ્ત્રીઓ અને બાળકો માટે કામ કર્યું,

        કેટલાયે લોકો સમાજ, પર્યાવરણ અને દેશના વિકાસ માટે આ પ્રશ્ને એક બાજુ મૂકી કામ શરૂ કરી દેતા હોય છે. આ તો ખુબ જ થોડા ઉદાહરણો છે, જેને પ્રેરિત થવું છે, તેઓ એક નાની ઘટના થકી પણ પ્રેરિત થઇ જતા હોય છે! જે લોકોએ દુનિયાને બદલાવવી છે, તેઓ કદી ખુદને આ પ્રશ્ન પૂછતાં નથી હોતા!

 આપણે પણ નક્કી કરી લઈએ કે

હું પર્યાવરણને સ્વચ્છ રાખીશ, ભ્રષ્ટાચારને દુર કરવાનાં પ્રયાસો કરીશ, ભ્રુણ-હત્યા નહિ કરું, સ્વચ્છતા રાખીશ, સામાજિક દુષણો સામે લડાઈ ચાલુ રાખીશ, માનવતાને જ સૌથી મોટો ધર્મ માનીશ, મુલ્યો સાથે જીવીશ,....... વ્રુક્ષો ઉછેરીશ તો આપણે પણ આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકીશું.

 ફેર પડતો જ હોય છે, કોઈકે તો શરૂઆત કરવી જ પડતી હોય છે. શરૂઆત અઘરી હોય છે, પણ અશક્ય નથી હોતી!

 જેમણે જેમણે શરૂઆત કરી છે, એક નવો રસ્તો બનાવ્યો છે, જ્યાંથી થઇ માનવ જાત નવી ઉંચાઈ સુધી પહોંચી શકી છે.

 આપણી વિકાસ-ગાથા એ સંઘર્ષોની જ ગાથા છે!

 દુનિયા લડનારને જ યાદ રાખતી હોય છે. હવે કહો, “ શું ફેર પડી જવાનો” 

Top 60 Inspirational Quotes About Change In Life

     

 

     

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

  પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!                          આજકાલ પરિણામોની ઋતુ ચાલી રહી છે. મોટા ભાગના લોકોનુ...