Thursday 6 April 2023

દેવદાસી....ધર્મસ્થાનોના દ્વારેથી રેડલાઇટ વિસ્તારમાં પહોંચેલી સ્ત્રીઓ!!!

 

દેવદાસી....ધર્મસ્થાનોના દ્વારેથી રેડલાઇટ વિસ્તારમાં પહોંચેલી સ્ત્રીઓ!!!

Devdasi system is still exists in our society | धर्म के नाम पर मासूम  बच्चियों को नर्क में धकेल देने की प्रथा का आज भी किया जाता पालन, सच्चाई जान  कांप उठेगी

 8મી માર્ચ, 2022 ના રોજ શોભા ગસ્તી ને  કર્ણાટકની 3600 દેવદાસી સ્ત્રીઓની જિંદગીને નવી દિશા આપવા માટે   નારીશક્તિ પુરુસ્કાર આપવામાં આવ્યો એ સમાચાર સાંભળ્યા અને સવાલ થયો કે આ દેવદાસી એટલે શું? અને પછી જે જાણવા મળ્યું એ હું આજે આપ સૌની સાથે શેર કરી રહી છુ.

  દેવદાસી દક્ષિણના રાજ્યોની એક પ્રથા છે, ( જો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતમાં પણ આ પ્રથા જોવા મળે છે!) જેમાં દીકરીઓ  ભગવાનને અર્પણ થતાં થતાં રાજાઓ, સામંતો, શાહુકારો, અને ઉચ્ચ વર્ગના પુરૂષોને અર્પણ થવા લાગી અને સેક્સ-વર્કર બની ગઈ!

  આંધપ્રદેશમાં એવું માનવામાં આવે છે કે કુટુંબ કે ગામ પર કોઈ આસુરી શક્તિનો પડછાયો ના પડે તે માટે ઘરની એક દીકરીને ધર્મસ્થાનને અર્પણ કરી દેવામાં આવે છે, જેવી દીકરીઓ તરુણાવસ્થામાં પહોંચે તેઑ ગામના સામંતોની ઉપપત્નીઓ બની જતી! મહારાષ્ટ્રમાં દેવદાસી બનતી સ્ત્રીઓને પોતાની પહેલી દીકરી ખંડોબા સાથે પરણાવવી પડતી!

 કર્ણાટકમાં એવું માનવામાં આવતું કે જ્યારે દુકાળ કે મહામારી રાજ્યમાં આવતી તો Huligamma નામના દેવને રીઝવવા દીકરીઓને તેઓને અર્પણ કરી દેવામાં આવતી! મધ્યપ્રદેશની આદિવાસી જાતિઓમાં પણ આ પ્રથા હતી! આ પ્રથાની શરૂઆત છઠ્ઠી સદીમાં થઈ હતી, કે જ્યારે યુવાન છોકરીઓને ભગવાન સાથે પરણાવી દેવામાં આવતી. આવી સ્ત્રીઓ એકવાર દેવદાસી બન્યા બાદ કોઈ સાથે લગ્ન ના કરી શકતી. તેઓ મંદિરમાં નૃત્ય કરતી અને પૂજારીઓ અને ધર્મસ્થાનોમાં કામ કરતાં બીજા લોકો બધુ જ કામ એ દેવતા ને અર્પણ કરતાં! છઠ્ઠી સદીથી 13મી સદી સુધી આવી સ્ત્રીઓનું સ્થાન સમાજમાં બહુ ઊંચું ગણાતું પણ ત્યારબાદ રૂઢિવાદીઓએ આ પ્રથાને એકદમ ક્રૂર પ્રથામાં ફેરવી નાખી!

  તામિલનાડુમાં મદુરાઈના વેલ્લુર ગામમાં દેવતાઓ પોતાની દેવદાસી પસંદ કરી શકે એ માટે પંદર દિવસનો તહેવાર ઉજ્વવામાં આવે છે, જેમાં પૂજારી 7 તરુણ દીકરીઓને ( 7 થી 14 વર્ષની) પસંદ કરે છે. આ દીકરીઓએ પંદર દિવસ સુધી ધર્મસ્થાનમા ટોપલેસ રહેવાનુ હોય છે!  તેઓ પોતાની છાતી ફૂલો કે આભૂષણો થકી જ ઢાંકી શકે છે! તહેવારના છેલ્લા દિવસે ગામની સ્ત્રીઓ અને આ દીકરીઓને ટોપલેસ હાલતમાં બેડામાં પાણી લઈ દેવતા પાસે જવાનું હોય છે!

 આ દીકરીઓ જ્યારે પિરિયડસમાં થવા લાગે, ત્યારે તેઓની વર્જિનિટી વેચવામાં આવે છે! જે સૌથી સારી કિંમત આપે તેને! તેઓના માલિક દ્વારા તેઓનો ઉપયોગ થઈ ગયા બાદ આવી સ્ત્રીઓને તેઓ તરછોડી દેતાં હોય છે, અગર તો રખાત તરીકે રાખતા હોય છે! તરછોડાયેલી સ્ત્રીઓ કા તો ફૂલ-ટાઈમ સેક્સ-વર્કર બની જતી હોય છે કા તો ભીખ માંગીને પોતાનું જીવન ગુઝારતી હોય છે.

 

    આવી જ એક સ્ત્રી રૂપા તહેવારમાં બંગડી ખરીદવા ગઇ હતી અને દેવદાસી તરીકે સિલેક્ટ થઈ ગઈ! Yellamma નામની દેવીને તેણીને અર્પણ કરી દેવામાં આવી, એવું કહીને કે તે દેવી તારું રક્ષણ કરશે. જો કે દેવી રક્ષણ ના કરી શકી અને તેણી આજે પોતાના ગામ નજીક વેશ્યા બનીને પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરી રહી છે! પ્રથમવાર જે માણસ સાથે મે રાત વિતાવી હતી, તેણે મારી વજાઈના ફરતે બ્લેડ મારી હતી!

     ચેન્નાવા, 65 વર્ષની એક અંધ સ્ત્રી છે, જે ભીખ માંગીને પોતાની જિંદગી વિતાવી રહી છે. હું બાર વર્ષની હતી, ત્યારે મને પરાણે મારી માતાએ અને બીજા કુટુંબીજનોએ દેવીને સમર્પિત થવા કોઈ પુરુષ સાથે સુવાનું કહ્યું હતું!  મારી માતા જે પોતે દેવદાસી હતી, તેણે મને શેરીઓમાં હડધૂત થવા, માર ખાવા અને વારંવાર બીજા સાથે સુવા રખડતી મૂકી દીધી!

   પરવતમ્મા આવી જ એક દેવદાસી છે, જેને પણ આ દેવીને સમર્પિત થવા 10 વર્ષની ઉંમરે  સિલેક્ટ કરાઈ હતી. તેણી જ્યારે 14 વર્ષની થઈ અને એક દીકરીની માં બની ગઈ તો તેણીને મુંબઈ રેડ-લાઇટ વિસ્તારમાં મોકલી દેવામાં આવી! તે નિયમિત પણે ઘરે પૈસા મોકલે છે. હમણાં જ 36 વર્ષની ઉંમરે તેણીને એઇડ્સ થયો છે. હવે તે પોતાના ગામ પાછી આવી ગઈ છે. તેના મૃત્યુ બાદ તેની દીકરીનું કોણ? પેલી દેવી આનો જવાબ આપશે ખરી?

   જુદા જુદા સર્વે મુજબ ઘણા બધા રાજ્યોમાં આજે પણ હજારોની સંખ્યામાં સ્ત્રીઓ દેવદાસી બનીને જીવી રહી છે. 45 વર્ષ બાદ આ સ્ત્રીઓ માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે, કેમ? એ હવે મારે તમને સમજાવવું પડશે ખરા! આવી સ્ત્રીઑ આજે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે મથી રહી છે. ભારતમાં આ પ્રથાને રોકવા ઘણા કાયદાઓ ઘડાયા છે, છતાં આ પ્રથા નાબૂદ કરી શકાઈ નથી!

No comments:

Post a Comment

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

  પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!                          આજકાલ પરિણામોની ઋતુ ચાલી રહી છે. મોટા ભાગના લોકોનુ...