Friday 4 June 2021

વેક્સિન,અંધ-શ્રદ્ધા,અફવાઓ અને આપણે,

 

વેક્સિન,અંધ-શ્રદ્ધા,અફવાઓ અને આપણે,

 

 age group of 18 to 44 will be vaccinated in all 33 districts from tomorrow  in gujarat | ગુજરાતમાં આવતીકાલથી તમામ 33 જિલ્લામાં 18થી 44 વય જૂથના લોકોનું  વેક્સિનેશન, 45+ને 75 હજાર

   ગામમાં ચોરે બધા બેઠા છે, કોરોનાની વાતો થઇ રહી હતી. બધા પોત-પોતાની રીતે કોરોના વિષે જ્ઞાન પીરસી રહ્યા હતા. એવામાં કોઈએ કહ્યું, હવે તો કોરોનાની વેક્સિન આવી ગઈ છે. આપણે બધાએ લઇ લેવી જોઈએ. ત્યાંતો એક ભાઈ બોલ્યાં નાં હો, વેક્સિન લેવાથી તો કોરોના થાય છે, તો બીજાએ કહ્યું વેક્સિન લેવાથી મરી જવાય, વળી કોઈ બોલ્યું એ તો વડા-પ્રધાનની ચાલ છે, વેક્સિન આપી એ બધાને મારી નાખવા માંગે છે. એ જ્ઞાન-સભાના અંતે નક્કી થયું કે કોઈ વેક્સિન નહી લે!

શાળાનાં સ્ટાફ-રૂમમાં સૌ બેઠા છે. સ્ટાફ બેઠા બેઠા વાતો કરી રહ્યો છે, કોરોનાની જ વાતો આજ-કાલ તો હોટ-ટોપિક છે. એમાં પણ એક વ્યક્તિએ કહ્યું, વેક્સિન નાં લેવાય હો, એની બહુ આડ-અસર થાય છે. મેં કાલે જ છાપામાં વાંચ્યું હતું કે એક જગ્યાએ વેક્સિન લીધા બાદ એક મહિલાનું મૃત્યુ થઇ ગયું. તો બીજાએ કહ્યું હા હો, અમારા ગામમાં પણ કાલે વેક્સિન લીધા બાદ એક ભાઈને તાવ આવી ગયો. અને દવાખાને લઇ જવા પડ્યા. ત્યાં તો કોઈકે કહ્યું એ તો વેક્સિન લીધા બાદ તો તાવ આવે જ ને! નાનાં બાળકોને નથી આવતો? વારાફરતી બધાએ પોતાના વેક્સિન વિશેના અભિપ્રાયો રજુ કરી દિધા. અને એમાંથી પણ ઘણા બધાએ વેક્સિન નહી લેવાનાં સમ ખાઈ લીધા.

 અત્યારે લોકોમાં કોરોનાની વેક્સિન વિશે, ચર્ચાઓ થતી જ રહે છે. લેવાય કે નાં લેવાય? એ રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે. સરકાર ઈચ્છે છે કે લોકો વેક્સિન લઇ લે, પણ લોકોનો એક બહુ મોટો ભાગ આ બાબત સમજવા માંગતો જ નથી! કોણ જાણે? કોણ? આવી અફવાઓ ફેલાવી રહ્યું છે. ૧૦૦૦ લોકો વેક્સિન લે ત્યારે ૩/૪ લોકોને કદાચ આડ-અસર થાય છે. એ સાજા પણ થઇ જાય છે. છતાં લોકો વેક્સિન લેવા તૈયાર નથી. અભણ, ભણેલાઓ બધા જ અત્યારે અફવાઓ અને અંધશ્રદ્ધાઓ ફેલાવવામાં મશગુલ થઇ ગયા છે. કોરોનાની બીજી લહેર આવ્યાં પહેલાં તો લોકોને સમજાવી સમજાવી થાક્યા,મોટા ભાગનાં વેક્સિન લેવા તૈયાર નાં થયા. અને બીજી લહેર પછી...... એમ હતું કે હવે લોકો હોંશે હોંશે વેક્સિન લઇ લેશે. પણ એવું નાં થયું! ખરેખર ભારત આશ્ચર્યોનો દેશ છે!

  આજે છાપું વાંચ્યું, હેડીંગમાં જ લખેલું હતું કે ગામડાઓમાં લોકો અંધ-શ્રદ્ધા અને અફવાઓને લીધે વેક્સિન નથી લઇ રહ્યા. હવે વિચારો આપણો મોટો લોક-સમુદાય ગામડાઓમાં વસે છે, અને જો તેઓ જ વેક્સિન નહી, લે તો આપણે કોરોના સામે કેમ લડી શકીશું? ખબર નહી પણ કેમ? આપણા દેશમાં કોઈપણ કુદરતી કે કૃત્રિમ આફત વખતે આવી અફવાઓ અને અંધ-શ્રદ્ધાઓ ક્યાંથી આવી જાય છે? ક્યારેય તો એવું લાગે કે આપણો દેશ અફવાઓ અને અંધ-શ્રદ્ધાનો દેશ બની રહી ગયો છે! કોઈ કશું સમજવા જ તૈયાર નથી. આજના છાપાનાં આંકડાઓ એવું કહે છે કે જિલ્લાનાં ૬૫૦ ગામોમાંથી ૯૮ ગામોમાં ૨૦% થી ઓછુ વેક્સીનેશન થયું છે. કોરોના રોકવા લોકો નાળીયેરના તોરણ બાંધે છે, પણ વેક્સિન મુકાવતાં નથી! માતાજી એ નાં પાડી છે, એટલે વેક્સિન નહી લઈએ. રોજા છે, એટલે વેક્સિન નહી લઈએ. વગેરે વગેરે...

  વળી ઘણા તો એવું કહે છે કે ‘કોરોના છે જ નહિ!’ હવે આને કોણ સમજાવે? આખું વિશ્વ આજે આ મહામારીનો સામનો કરી રહ્યું છે ને આ લોકોને કોરોનાનું અસ્તિત્વ જ દેખાતું નથી. અરે યાર અમુક ગામનાં લોકોએ તો એવું કહ્યું કે હિંદુ અને મુસ્લિમ માટેની રસી અલગ-અલગ છે, એટલે રસી નહી લઈએ. હા આપણે એકવીસમી સદીમાં જ જીવી રહ્યા છીએ, જ્યાં રસી-વિજ્ઞાન કરતા પણ વધારે અસર હજી અંધ-શ્રદ્ધાની છે! ઓશો એવું કહેતા કે “ ડર સૌથી મોટો વાયરસ છે” અને મિત્રો ખાસ યાદ રાખજો ડરમાંથી જ અંધ-શ્રદ્ધા જન્મે છે. હકીકત તો એ છે કે આપણા ડરે જ આપણને ધર્મની સાચી પરિભાષા સમજવા નથી દીધી. લોકોને તેઓના હિત માટે સમજાવવા પડે એવી વિચિત્રતા તો આ દેશમાં જ શક્ય બને!

 આપણા ગામડાઓ શા માટે અફવાઓ અને અંધ-શ્રદ્ધાઓના વિષ-ચક્રમાંથી બહાર નથી આવતાં? આ સંશોધનનો વિષય છે. હજી આજે પણ લોકો રોગોની સારવાર કરાવવા ભૂવાઓ અને બાવાઓ પાસે જતાં હોય છે. દોરા-ધાગાઓ વડે હજી આજે પણ આપણો ગ્રામ્ય-સમાજ અને અમુક માત્રામાં શહેરી સમાજ બંધાયેલો છે. વિજ્ઞાન ભલે વિશિષ્ટ જ્ઞાન આપે, પણ આપણે હજી એ વિશિષ્ટ જ્ઞાનનું મહત્વ સમજી શક્યા નથી. આપણે ટેકનોલોજીકલ રીતે ભલે ગમે તેટલા આગળ વધી ગયા હોઈએ પણ અંધ-શ્રદ્ધાઓ અને અફવાઓ બાબતે હજી એટલાં જ..... પછાત છીએ. હવે લોકો સોસીયલ-મીડિયા દ્વારા પણ આ કચરો ફેલાવી રહ્યાં છે. અને આપણે સૌ પાસ પણ કરી રહ્યાં છીએ! વિવેક-બુદ્ધિ બહુ અગત્યની બાબત છે. પણ અફસોસ આપણે એનો ઉપયોગ કરતાં હોતાં નથી.

  અંધ-શ્રદ્ધા માન્યતાઓની જેમ આપણા મનમાં ઘર કરી ગઈ છે. બિલાડીને અને આપણા જવાને કોઈ સંબંધ નથી હોતો, પણ છતાં હજી બિલાડી આડી ઉતરે તો બહાર જવાનું કે એ રસ્તેથી જવાનું ટાળતાં રહે છે. સૂર્ય-ગ્રહણ, ચંદ્ર-ગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓને પણ આપણે અંધ-શ્રદ્ધાના દાયરામાં કેદ કરી દીધી છે. પેડમેન મુવીમાં પેડમેન તેની પત્નીને પેડ લાવી આપે છે, પણ પેલી ખર્ચો વધી જવાથી એ પેડનો ઉપયોગ નથી કરતી, પણ ભગવાનના મંદિરમાં મુકવા પૈસા વાપરી શકે છે. આપણે સૌ આવા જ છીએ, આપણે સ્વાસ્થ્યને પણ અંધ-શ્રદ્ધા સાથે જોડી દેતાં હોઈએ છીએ. ધર્મ-સ્થાનોમાં જતું દાન જો જરૂરી જગ્યાએ વપરાય તો.... આપણા ઘણા આર્થિક પ્રશ્નો ઉકેલી શકાય તેમ છે. આવી ઘટનાઓ શ્રદ્ધાના દાયરામાં આવે કે અંધ-શ્રદ્ધાના! એ તમારે નક્કી કરવાનું?

 અફવાઓ અને અંધ-શ્રદ્ધાઓ પાછળ આપણે ‘માનવતા’ પણ ભૂલી જતાં હોઈએ છીએ. વેક્સિન એ બીજું કઈ નથી, પણ જે તે રોગના મૃત જીવાણુંઓ જ છે, જે આપણા શરીરમાં એન્ટી-બોડી બનાવવા આપણને આપવામાં આવે છે. વેક્સિન ને લીધે જ આજે આપણે શીતળા,મલેરિયા,પ્લેગ, પોલીયો, ફ્લુ, કોલેરા, ડીપ્થેરીયા,ક્ષય, વગેરે જેવા રોગોથી માનવ-જાતને બચાવી શક્યા છીએ. કોઈ વેક્સિન લેવા તૈયાર થતું હોય, તેને રોકતાં નહી. અને તમે પણ લઇ લેજો. કોઈને નડીએ નહી, એ પણ મોટી સમાજ-સેવા જ છે. અને હા કોઈપણ રોગની સારવાર માટે ભૂવા કે બાવા પાસે નહી, પણ ડોક્ટર પાસે જજો. 

તમે ભલે ખોટું નથી કર્યું,પણ તમારા જીવન સાથે ખોટું નાં થાય એટલા માટે પણ વેક્સિન લઇ લેજો.... 

 

આ દેશમાં વેક્સિન લેશો તો મળશે 10 લાખ રૂપિયા, જાણો શું છે ઑફર | If you get  vaccinated in this country, you will get 10 lakh rupees

વેક્સીન માટેની સાઇટ

https://www.cowin.gov.in/notfound
 વેકિસન લેવા આ સાઈટ પર રજિસ્ટ્રેશન કરો.

Monday 31 May 2021

સ્ત્રી, ચારિત્ર્ય અને આપણે,

 

સ્ત્રી, ચારિત્ર્ય અને આપણે,

165 Best strong women quotes (2021) - Minequotes

   સ્ત્રી, એક એવી ફીલિંગ છે, જેને પુરુષો પણ ફીલ કરવા માંગતા હોય છે. ઈશ્વરે સ્ત્રીઓને જે કેટલીક ખાસિયતો આપી છે, તેના થકી તે દુનિયામાં આધ્ય-શક્તિ તરીકે પૂજાય છે. પ્રાચીન સમયમાં સ્ત્રીઓને વિકસવાની પૂરતી તકો પણ મળી રહેતી. આપણી આર્ય-સંસ્કૃતિ માતૃ-પ્રધાન હતી, આપણા ઉપનિષદોએ પણ સ્ત્રીઓને સુખી રાખવાની વાત કહી છે, જો કે કેટલાક સંપ્રદાયોએ સ્ત્રીઓને મોક્ષ-પ્રાપ્તિ માટે પોતાનાથી દૂર રાખેલ છે. તેઓના માટે સ્ત્રીઓ મોક્ષ પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ બને છે. સ્ત્રીઓ સાથે હોય તો ધર્મના રસ્તે જઇ શકાતું નથી. જો કે આપણા ઋષિમુનિઓએ ક્યારેય એવું નથી વિચાર્યું કે સ્ત્રીઓને સાથે રાખીશું તો ઈશ્વર સાથે સંવાદ નહીં થઈ શકે!  પણ કેટલાક ધર્મગુરુઓએ સ્ત્રીઓને પોતાના સંપ્રદાયથી દૂર રાખી છતાં આજે જુઓ ધર્મ તરફ આજે પણ સ્ત્રીઓ જ વધુ વળેલી છે!  સ્ત્રીઓને સાથે રાખવાથી ઈશ્વર મળે કે ના મળે? આ પ્રશ્ન પણ ચર્ચા કરીએ તો ઘણા ધર્મોની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા છતી થઈ જાય. પણ આપણે વિવાદ નહીં સંવાદ જોઈ છીએ, અને એટલે જ બહુ સરળ શબ્દોમાં આપણે આજે સ્ત્રીઓના ચારિત્ર્ય બાબતે વાતો કરીશું. આમપણ ઘણા લોકો માટે આ સ્ત્રી-ચારિત્ર્ય બહુ જ ગમતો અને ચર્ચાસ્પદ વિષય છે! હકીકત તો એ છે કે સ્ત્રીઓના ચારિત્ર્યને સર્ટિફિકેટ આપવાનું કે તેને લેબલ મારવાનું કામ દરેક સમાજે પોતાની હસ્તક લઈ લીધેલું છે.

સ્ત્રી માટે ચારિત્ર્ય સૌથી અમૂલ્ય ફીલિંગ છે, એવું આપણો સમાજ માને છે, તમે ભણેલા છો, અભણ છો, તેની બહુ અસર સ્ત્રીઓ પ્રત્યેના અભિગમમાં પડતી નથી. શિક્ષિત લોકો વધુ ભ્રૂણ-હત્યાઓ કરે છે એ આ વાતની સાબિતી છે. વેલ આપણે વળી ચારિત્ર્ય તરફ વળીએ. જ્યારે પુરુષ-પ્રધાન સમાજમાં કોઈ પુરુષને એવું લાગે કે આ સ્ત્રી પોતાના કરતાં આગળ વધી જાય તેમ છે તો તેઓ માટે આ ચારિત્ર્ય વાળું લેબલ વાપરવું ખૂબ જરૂરી બની જાય છે. સ્ત્રીની શક્તિઓને રોકવા આ સર્ટિફિકેટનો ઉપયોગ થતો જ રહે છે. કોઈ સ્ત્રી બિન્ધાસ્ત છે, કે કોઈ સાથે ફ્રીલી બોલે છે તો પણ આ લેબલ વપરાતું રહે છે.

પ્રેમની પ્રથમવાર અભિવ્યક્તિ પુરુષોનો ઇજારો હોય એવું લાગી રહ્યું છે. કોઈ સ્ત્રી કોઈ પુરુષ પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરી જ કેમ શકે? જો તે એવું કરી રહી છે, તો એના ચારિત્ર્યમાં પ્રોબ્લેમ છે, એવું સૌને લાગે છે. મજાની વાત તો એ છે કે ખુદ સ્ત્રીઓ પણ સ્ત્રીઓ માટે આ લેબલ વાપરવાનું ચૂકતી નથી. કોઈ પુરુષ પોતાને ગમતી સ્ત્રીને મેળવી નથી શકતો ત્યારે તો આ સર્ટિફિકેટ ફરજિયાત બની રહે છે. પુરુષ જે સ્ત્રીને મેળવી શકતો નથી, તેના ચારિત્ર્યનો તો તે ચોકીદાર બની જાય છે. આવી સ્ત્રીઓને કેમ કરીને ચારિત્ર્યના નામે ઉતારી પાડવી એ મોકો તેઓ શોધતા જ રહે છે.

સ્ત્રીનું ચારિત્ર્ય, સ્ત્રીઓના વિકાસ આડે આવતો એટલો મોટો અવરોધ બની ચૂક્યું છે કે સ્ત્રીઓ ગમે તેટલા ઊંચા હોદ્દા પર પહોંચી જાય પણ એ અવરોધ તેને મૂકતો નથી. જે સમાજને સ્ત્રીના ચારિત્ર્યની આટલી બધી ચિંતા છે, તે જ સમાજ સ્ત્રીઓને ચારિત્ર્યના નામે બદનામ કરવાનો એકપણ મોકો મૂકતો નથી. મને ઘણીવાર એવું લાગે છે કે સ્ત્રીઓને જ ચારિત્ર્ય હશે! પુરુષોમાં ઈશ્વરે એ ફીલિંગ નહીં મૂકેલી હોય! પુરૂષોને ચારિત્ર્ય જેવુ કશું નહીં હોય! કેમ પુરુષોના ચારિત્ર્યને લઈને આપણે એટલા બધા સેન્સિટિવ નથી હોતા. જે સ્ત્રીઓના ચારિત્ર્ય વિષે લોકો બોલતા હોય છે, તેઑ પાસે જતાં સારામાં સારા ઘરના પુરુષો પણ અચકાતાં હોતા નથી. ભદ્ર સમાજના પુરુષો આવી સ્ત્રીઓથી પોતાના સમાજની સ્ત્રીઓ દૂર રહે તેવું ઇચ્છતા હોય છે, પણ પોતે દૂર રહી શકતા નથી. જે સમાજ ગણિકાઓને સ્વીકારે છે, તેઓને સ્ત્રીઓના ચારિત્ર્ય વિષે બોલવાનો કોઈ અધિકાર હોય છે ખરો! કેટલીયે સ્ત્રીઓના લગ્ન-જીવન આ સેક્સ-વર્કર્સને લીધે ટકી રહેતા હોય છે.

  રામ ભગવાને આદર્શ રાજા તરીકે સ્થાપિત થવા સીતાની લીધેલી અગ્નિપરીક્ષા એ હું માનું છુ ત્યાં સુધી સ્ત્રીઓના ચારિત્ર્યની પ્રથમ પરીક્ષા હતી, જેને આજ સુધી આપણો સમાજ અનુસરી રહ્યો છે. પોતાની પ્રજાના સુખ માટે સીતાને ત્યાગી દેનાર રામ એ પુરુષનું પ્રતિક બની ગયા જેઓ આજના સમયમાં લોકોની વાત સાંભળી સ્ત્રીઓને બદનામ કરવાનો એકપણ મોકો મૂકતાં નથી. આપણે કદી કોઈ ગ્રંથોમાં વાચ્યું કે ચારિત્ર્ય ને લીધે કોઈ સ્ત્રીએ કોઈ પુરુષનો ત્યાગ કર્યો હોય કે તેની અગ્નિપરીક્ષા લીધેલી હોય. રામરાજ્યનું ક્રેડિટ રામને મળ્યું, પણ તેના પાયામાં સિતાનો ત્યાગ હતો. દરેક સ્ત્રીઓને સીતાની જેમ ધરતીમાં સમાય જવાનું સદભાગ્ય નથી મળતું. સ્ત્રીઓએ તો પોતાના ચારિત્ર્યને સફેદ વસ્ત્રોની જેમ સાચવતા સાચવતા જ જીવવું રહ્યું. સ્ત્રી તરીકે જન્મ લેવો એ જ સૌથી પેલા સંઘર્ષની શરૂઆત છે!

ચારિત્ર્યના નામે સ્ત્રીઓ સાથે થતી છેતર-પિંડી એ જ સમાજમાં કુંવારી-માનું સર્જન કર્યું છે. એક સ્ત્રી માટે આ લેબલ કેટલું ઘાતક હોય છે, આપણે સૌ જાણીએ જ છીએ. ચારિત્ર્યને સ્ત્રીઓના પોશાક સાથે પણ જોડી દેવામાં આવે છે. અને એટલે જ સ્ત્રીઓને શું પહેરવું જોઈએ? અને શું નહીં? એ પણ આપણો સમાજ જ નક્કી કરી આપે છે. પુરુષો સ્ત્રીઓમાં શું જુએ છે? એની ચર્ચા કોઈ કરતું નથી, પણ સ્ત્રીનું ક્યૂ અંગ ક્યાં પોશાકમાં કેવું લાગે છે? એ ચર્ચાઓ થતી જ રહે છે. નોકરી કરતી સ્ત્રીઓ માટે કે કોઈ ક્ષેત્રમાં આગળ આવવા મથતી સ્ત્રીઓએ તે ડગલે ને પગલે ચારિત્ર્યની અગ્નિ-પરીક્ષા આપતી જ રહેવી પડે છે!  ઘરમાં પુરુષ કામ કરી પૈસા ના લાવતો હોય અને સ્ત્રીઓને કમાવવા નીકળવું પડે એવા સંજોગોમાં પણ આ ચારિત્ર્ય પીછો છોડતું નથી!

પોતાના કરતાં સ્ત્રીઓને આગળ જતી રોકવા માટે પુરુષો પાસે આ હથિયાર હમેંશા હાથવગું હોય છે. ઘણીવાર તો છુટ્ટા-છેડા લેવા માટે પણ આ હથિયારનો ભરપૂર ઉપયોગ થાય છે. આપણે સૌ સ્ત્રીઓને ચારિત્ર્ય અંગેનું લેબલ આપી દેવા તત્પર હોઈએ છીએ, પણ આ લેબલ કેટલીયે સ્ત્રીઓના જીવનની પ્રગતિને અટકાવી દેતા હોય છે, તે આપણે સમજતા નથી કે પછી સમજવા માંગતા નથી. દર્દ તો એ વાતનું છે કે સ્ત્રીઓ પોતે પણ બીજી સ્ત્રીઓ વિષે આવા સર્ટિફિકેટ લઈ ફરતી હોય છે. અને આ દર્દની દવા આપણે ચંદ્ર અને મંગળ પર જઈ આવ્યા તોપણ હજી મળી નથી.

આપણે વૈચારિક રીતે બહુ બદલાતા નથી ઘણીવાર એવું લાગ્યા વિના રહેતું નથી. એટલિસ્ટ સ્ત્રીના ચારિત્ર્ય વિશેના આપણા વિચારો હજી બદલાયા નથી. પ્રત્યાયન માટે આપણે લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણા વિચારો હજી લેટેસ્ટ નથી થયા! સોસિયલ મીડિયા પર થોડા સારા વાક્યો કે વિચારો મૂકી દેવાથી કશું થતું નથી. જ્યાં સુધી એ વિચારો કે વાક્યો અમલમાં મૂકાતા નથી, આપણે સ્ત્રીઓના ચારિત્ર્ય સાથે કદી સમાધાન સાધી શકવાના નથી.

બાકી સ્ત્રી તરીકે આપણે સૌ યાદ રાખીએ શું? સ્ત્રીઓ ના ચારિત્ર્ય વિષે મોટી મોટી વાતો લખી સમાજે તમામ જવાબદારીઓ સ્ત્રી પર મૂકી દીધી છે, લગ્ન-જીવન જાળવી રાખવાની, વિધવા તરીકે જીવન જીવવાની,  કુંવારી માના લેબલ સાથે જીવવાની, etc. etc. આપણે જવાબદારીઓ નિભાવીએ પણ આપણા ચારિત્ર્ય વિષે ચર્ચા કરવાની કે એ ચર્ચાને મહત્વ આપવાની છૂટ કોઈને ના આપીએ.

સ્ત્રીઓનું ચારિત્ર્ય સ્ત્રીઓની અંગત મિલકત છે, અને એના પર ટીકા કરવાનો કોઈને અધિકાર નથી. ખુદ ઈશ્વરને પણ નહીં, કે કોઈ ધર્મ અને સંપ્રદાયને પણ નહીં! 

100 Strong Women Quotes to Encourage you with Powerful Images


 

Saturday 29 May 2021

અકસ્માતો અને આપણે,

 

અકસ્માતો અને આપણે,
How do Car Accidents Compare to Motorcycle Accidents? | Adam S. Kutner  Accident & Injury Attorneys
 
    દેશ ક્યારેય સરહદોથી બનતો નથી. સરહદ એ તો કોઈપણ દેશની રાજકીય અને પ્રાદેશિક મર્યાદા બતાવે છે. કોઈપણ દેશનું નકશામાં સ્થાન સરહદ નક્કી કરી આપે છે. આમ તો સરહદો લોકોને તોડવાનું અને વહેચવાનું કામ કરે છે. પણ આજે આપણે સરહદ નહિ સરહદોથી દોરાયેલા આપણા દેશની વાત કરવી છે. એનો ભવ્ય ઈતિહાસ, એની ભવ્ય સંસ્કૃતિ આપણે બહુ વાગોળતા રહીએ છીએ, એના ઉજવવળ ભવિષ્યની આપણે કલ્પનાઓ કરતા રહીએ છીએ. પણ એનો વર્તમાન કદી આપણી સમક્ષ રહેતો નથી. હા આપણી વાતોમાં,ચર્ચાઓમાં, આપણો દેશ કેન્દ્રસ્થાને હોય છે, પણ આપણે દેશ વિશે માત્ર વાતો કરતા રહીએ છીએ. દેશ વિષે જયારે કશું કરવાનું આવે આપણે આઘા ખસી જઈએ છીએ.( જે લોકો દેશ માટે કશું કરતા હોય એણે ખોટું ના લગાડવું) જેને લાગૂ પડતું હોય એની જ વાત અહી થાય છે. આપણે બધા માત્ર ત્યારે જ જાગીએ છીએ જયારે કોઈ સમસ્યા આપણને નડે કે આપણા ઘર સુધી પહોંચે. અન્યથા આપણે સુતા જ રહીએ છીએ. આપણે ઉઠીએ છીએ રોજ પણ જાગીએ છીએ ત્યારે જ જયારે કોઈ દુર્ઘટના આપણી સાથે કે આપણા કુટુંબ સાથે બને. આ દેશમાં એક સામાન્ય સમસ્યા લઇએ. દેશમાં સડક અકસ્માતો નિયમિત થતા રહે છે.અરે આપણે સેકન્ડો કે મીનીટોમાં આંકડા કાઢીએ તો મળી આવે, એવી રીતે અહી લોકો વિહિકલ ચલાવતા રહે છે. દારૂ પીકે ડાન્સ કરેગા નહિ દારૂ પીકે ગાડી ચલાયેંગે એ આપણું સુત્ર છે. નશામાં તરબત્તર વ્યક્તિ જયારે અકસ્માત કરી બેસે છે,નિર્દોષ લોકો એનો ભોગ બને છે, કોઈ ફેમીલી અધૂરું થઇ જાય છે. કોઈ બાળક પોતાના માતા-પિતા કે કોઈ પત્ની પતિ ગુમાવી બેસે કે કોઈ માતા-પિતા પોતાનો વહાલસોયો દીકરો ગુમાવી દે છે. પણ આપણે નથી નશો કરવાનું છોડતા કે નથી ટ્રાફિકના નિયમોનું પાલન કરી આપણી જિંદગી બચાવવાનું વિચારતા. આપણે ટ્રાફિકના નિયમોને તોડવામાં બહાદુરી સમજીએ છીએ. અતિ ટ્રાફિક વાળા શહેરોમાં તો વ્યક્તિ ઘરે પહોંચે, ત્યારે સમજવાનું કે આજે તે જીવતા પાછા આવ્યા.પણ છતા આપણે અકસ્માતો ટાળવાનો જરાપણ પ્રયાસ કરતા નથી!  

Image result for accidents in india
આપણે ત્યાં ૪થાકે પાચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ વિહિકલ ચલાવતા થઇ જાય છે. લીટરલી ઘણા માતા-પિતા ગર્વ અનુભવતા હોય છે કે મારું સંતાન નાનું હોવા છતાં વિહિકલ ચલાવે છે.એ બાળકોને ટ્રાફિકના નિયમોનું જરાપણ જ્ઞાન હોતું નથી, આગળ થઇ જવાની ઉતાવળમાં તેઓ ગમે તેમ ઓવર ટેક કરે છે અને અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવતા રહે છે. પછી અફસોસ સિવાય આપણી પાસે કશું રહેતું નથી. જીવન ઝડપ કરતાયે સસ્તું બની રહે છે. એક જ વાહનમાં કેપેસીટી કરતા જાજા ભરવાની આપણી પોલીસી પણ ક્યારેક સેંકડોના મૃત્યુનું કારણ બની રહે છે.પણ આપણે કેપેસીટી કરતા વધુ મુસાફરો બેસાડી સૌનો જીવ જોખમમાં મુકતા જ રહીએ છીએ. બાઈકની કેપેસીટી ૨ વ્યક્તિની જ છે, છતાં આપણે ૪/૫ એમ બેસાડતા જ રહીએ છીએ. તમે વિચારો ક્યારેક તો સામસામાં બાઈક ભટકાય તો પણ ૪/૫ લોકો મૃત્યુ પામે છે. કેવી બેદરકારી! આપણી એસ.ટી. બસો તો જાણે ગમે તેટલા મુસાફરો સમાડવાની બસો  હોય એવું જોતા લાગે. અમુક રાજ્યોમાં તો લોકો બસની ઉપર પણ બેસતા હોય છે. આપણી ટ્રેનો પણ આ જ પરીસ્થીતીમાં હોય છે. એક ડબામાં કેપેસીટી કરતા વધુ મુસાફરો ભરી આપણે લોકોની જિંદગીને સસ્તી બનાવી મુકીએ છીએ. અહી વાહનમાં લોકો અંદર બહાર ઉપર જ નહિ પણ બારણે લટકીને પણ પોતાનું જીવન મુસીબતમાં મુક્તા રહે છે. ચાલુ વિહીકલે ચડવું કે ઉતરવું પણ અહી એકદમ કોમન ગણાય છે. ટૂંકમાં અહી લોકોને પોતાની જાતની સલામતી કરતા વધુ ઝડપ વહાલી હોય છે. દરેકને ઝડપી ક્યાંક પહોચવું છે. એ ઝડપમાં તેઓ પોતાની જિંદગીને પણ દાવ પર લગાવી દે છે.ક્યાંક ઉતાવળમાં પહોંચમાં આપણે સીધા ઈશ્વરના ધામમાં પહોચી જતા હોઈએ છીએ.
આવું બધું જયારે વાંચીએ કે સાંભળીએ આપણને પ્રવચન જેવું લાગે, પણ જયારે આપણા પર વીતે ત્યારે જ અમુક બાબતો સમજાતી હોય છે. ઘરમાંથી વિહિકલ લઈને ગયેલું કોઈ જયારે પાછું નાં આવે, ત્યારે આ બધી બાબતોની ગંભીરતા આપણને સમજાતી હોય છે.સરકાર કડક કાયદા કરે, હેલ્મેટ પહેરવાનું કહે, રસ્તા પર સુત્રો મુકે, પણ આપણે તો માનવાનું નહિ એ નક્કી જ કરી લીધું છે. અને જયારે અકસ્માત થાકી આખી જિંદગીની વિકલાંગતા ભોગવવી પડે ત્યારે સમજાય કે આડેધડ વાહન ચલાવવું કેટલું ખતરનાક છે. આપણા દેશમાં કદાચ વસ્તી બહુ છે, એટલે મૃત્યુનું મુલ્ય નહિ સમજાતું હોય! મુંબઈની ટ્રેનોમાં મુસાફરી  આખા વિશ્વમાં સૌથી વધુ એડવેન્ચરીયસ ગણવી પડે લોકો એટલી ઝડપથી જીવનાં જોખમે ચડતા હોય, ટીંગાતા હોય આપણને લાગે વિશ્વમાં આનાથી વધુ સાહસિક કાર્ય કોઈ છે જ નહિ! લોકો ચડતા ચડતા થાંભલા સાથે ભટકાય જાય કે પડી જાય તો માત્ર જોઈ લેવાનું જીવ્યો કે મર્યો? માનવ જીવનનું કશું મહત્વ જ નહિ!
તમને શરૂઆત નું લખાણ જોઈ એવું લાગતું હશે ગાડી પાટા પરથી ઉત્તરી ગઈ કે શું? અરે એ અકસ્માત તો ચર્ચવાના જ રહી ગયા! બેદરકારી ને લીધે દર વર્ષે આપણા દેશમાં બે-ત્રણ મોટા અકસ્માતો થતા જ રહે છે અને સેંકડો લોકો જીવ ગુમાવતા રહે છે. અમુક અકસ્માતો તો સાવ નજીવી બેદરકારીને લીધે થાય છે. પછી તપાસ થાય પણ છેલ્લે કોની બેદરકારી હતી એ નક્કી નાં થાય! અને આપણે પ્રજા તરીકે બહુ ટૂંકી યાદ-શક્તિ ધરાવીએ છીએ. બે-ત્રણ દિવસ હો-હા કરી આપણે ભૂલી જઈએ છીએ. મિત્રો વિહિકલ આપણી સરળતા અને સગવડતા માટે છે,પણ આપણે જ એને આપણા મૃત્યુનું કારણ બનાવી મુકીએ છીએ. યાદ છે,મિત્રો હમણાં દશેરા પર રાવણ દહન દરમિયાન લોકો એટલા મગ્ન થઇ ગયા કે ક્યારે ટ્રેન આવી અને ઘણા લોકોને કચડી ગઈ એ પણ કોઈને ખબર ના રહી. આપણે ત્યાં હજી એક સ્થળ એવું છે, જ્યાં આવા અકસ્માતો થાય છે અને એ છે ધર્મસ્થાનો દર વર્ષે એકાદ ધર્મસ્થાનમાં એવી ઘટના તો બને જ છે, જેમાં ધક્કા-મુક્કી માં સેંકડો લોકો મૃત્યુને શરણે જતા રહે છે. ઈશ્વર પાસે જવાની ઉતાવળ એટલી કે સીધા ઈશ્વર પાસે જ પહોંચી જાય! ઝડપની લાયમાં જિંદગીને આપણે સાવ સસ્તી બનાવી દીધી છે. ખબર નહિ આપણને સૌને ક્યાં પહોચવાની ઉતાવળ હોય છે. કેમ ખરું ને?
એક પ્રજા તરીકે આવી બાબતો પ્રત્યે આપણે કેટલા જાગૃત છીએ, એ ખ્યાલ આવે એટલે લખ્યું. દરેક સમસ્યા સામે આપણો એક જ ઉકેલ હોય છે, ‘સરકાર કઈ કરતી નથી’ ઓવર ક્રાઉડ આપણો પ્રશ્ન છે, પણ એનો ઉકેલ પણ છે અને એ છે, આપણામાં સ્વયમ શિસ્ત હોવી જોઈએ. બેદરકારીથી વાહન  ચલાવતા પકડાય જઈએ તો દંડ ભરાય કે પછી ટ્રાફિક પોલીસના ખિસ્સા ભરાય એ આપણે નક્કી કરવાનું છે. હેલ્મેટ પહેરવાથી આપણી સુરક્ષા જળવાય તો પહેરવું કે ના પહેરવું એ આપણે નક્કી કરવાનું છે. ટ્રાફિકના નિયમો આપણી સુરક્ષા માટે છે, એ પાળવા કે ના પાળવા એ આપણે નક્કી કરવાનું છે, નહિ તો કોઈ સ્કૂલ-વાન વધુ બાળકોને લઇ જતી હશે અને ઉથલી પડશે, પ્રવાસની કોઈ બસ વિદ્યાર્થીઓ સહીત ગમે ત્યારે અકસ્માત નોતરી બેસશે.જેટલી કાળજી આપણે રાખીશું અમુલ્ય જિંદગીઓ બચાવી શકીશું. હવે તો ફોર ટ્રેક બની રહ્યા છે, સૌનો પોતાનો અલગ ટ્રેક છે, જો આપણે આપણા ટ્રેકને વળગી રહીશું તો અકસ્માત નહિ થાય. બાકી જો દરેક વખતે કોઈ વાહનને ઓવર-ટ્રેક કરવાનો પ્રયાસ કરીશું તો જિંદગી આપણી આઉટ ઓફ ટ્રેક થઇ જશે. નિર્યણ આપણે લેવાના છે, આખરે જિંદગી પણ આપણી જ છે ને? અને યાદ રાખો આપણી જિંદગી માત્ર આપણી એકલાની નથી એની સાથે કેટલાયે અન્ય લોકો સંકળાયેલા છે. એના માટે પણ સલામતી અપનાવીએ.
 
અકસ્માતો થકી વાહનો તો કાટમાળમાં ફેરવાય જ છે, પણ જિંદગીઓ પણ કાટમાળ બની રહે છે.

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

  પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!                          આજકાલ પરિણામોની ઋતુ ચાલી રહી છે. મોટા ભાગના લોકોનુ...