Thursday 13 January 2022

ડોકટર્સ, ઉદ્યોગપતિઓ, અને શિક્ષકો જલસા કરે છે, એવું માની બધા બળતરા કરે છે, પણ……………………

 

ડોકટર્સ, ઉદ્યોગપતિઓ, અને શિક્ષકો જલસા કરે છે, એવું માની બધા બળતરા કરે છે, પણ……………………

 Doctor pictured in viral photo hugging elderly Covid patient speaks out: 'I  was feeling sad just like him' | The Independent

 

 અત્યારે કોરોનાને કારણે જે લોકોએ પોતાની રોજગારી નથી ગુમાવી તેમાં ઉપરના ત્રણ વ્યવસાયિકો સૌથી આગળ છે. ઘણા લોકોને પોતાના વ્યવસાયો અને ધંધાઓમાં ઘરમૂળથી ફેરફાર કરવો પડ્યો છે. જ્યારે આ લોકોને માત્ર કામ કરવાની રીત જ બદલાવવી પડી છે. વળી મોટા ભાગના લોકો એવું માને છે કે કોરોના આવવા છતાં આ લોકોની આવકમાં કોઈ ઝાઝો ફેરફાર નથી પડ્યો ઉલ્ટાનું તેઓને ફાયદો થયો છે. જો કે આ ત્રણ એવા ક્ષેત્રના લોકો છે, જેઓની આવક વધે એટલે આખો દેશ ચર્ચાના ચગડોળે ચડી જાય છે. હા હા તેઓને તો જલસા જ છે ને! કામ ઓછું કરવાનું અને આવક કેવડી? હવે તો જ્યારે જ્યારે આ વર્ગના લોકોની આવક વધે ઘણા લોકોને એ.સી.ડી.ટી. થઈ જતી હોય છે. આ લોકો તો બેઠા બેઠા જ આવક મેળવે છે, તેવું મોટાભાગના લોકોનું માનવું હોય છે. પણ એકવાર આ મુકામ પર પહોંચવાના વર્ષો અને મહેનત જાણી લઈએ તો કદાચ આપણો તેઓ પ્રત્યેનો પૂર્વગ્રહ દૂર થઈ જશે.

 જ્યારે જ્યારે કોઈ મહામારી આવે, ડોકટર્સ આપણને યાદ આવે. આમ તો કોઈપણ રોગ આવે કે આપણને કશું વાગે કે અકસ્માત થાય એટલે ડોકટર્સ તરત યાદ આવે છે. પણ મહામારીમાં આપણને ડોક્ટર્સ પ્રત્યે ઊંડો પ્રેમ જાગી જાય છે. કોરોના સમયે આપણને તેઓમાં રહેલા ભગવાન દેખાય જ ગયા છે. આપણે ત્રીજી લહેર સુધી પહોંચી ગયા છીએ. છેલ્લા બે વર્ષથી તેમણે જે કામ કર્યું છે. આપણી નજર સામે જ છે. ઘણા ડોકટર્સે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ઘણા હજી ગુમાવી રહ્યા છે. ઘણા ડોકટર્સે પોતાના કુટુંબોથી દૂર રહીને મહિનાઓ સુધી દિવસ-રાત આપણી પડખે ઊભા રહીને કાર્ય કર્યું છે. બહુ થોડાએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાની કોશીશ કરી છે, પણ આપણી ખરાબ બાબતો પર એકાગ્ર થવાની જૂની આદત હજી બદલાઈ નથી. આપણે કાળા-બજાર કર્યા એટલે તેમણે એવું કર્યું. વિચારજો આપણને જ ઉતાવળ હતી બધુ ખરીદી લેવાની, રજવાડી સગવડો સાથે કોરોનાનો સામનો કરવાની. આપણે જ્યારે કોઈપણ બાબતે અધીરા કે લોભી બની જતાં હોઈએ છીએ ત્યારે જ આવું બધુ બનતું હોય છે. નહોતી જરૂર છતાં આપણે દવાઓ અને ઈંજેકશનોનો સ્ટોક કર્યો અને પછી શું થયું હતું? તેની આપણને સૌને ખબર જ છે. બધા ડોકટર્સ સારા નથી હોતા,એમ બધા જ ખરાબ પણ નથી હોતા.’ ઈમરજન્સી શબ્દ ડોકટર્સની જિંદગી સાથે વણાઈ ગયેલો હોય છે. તેઓને જરૂર પડ્યે રાત્રે પણ દોડવું પડતું હોય છે.

હવે આ લોકોની એકેડેમીક મહેનત જોઈશું તો ખ્યાલ આવશે કે ડોકટર બનવા માટે કેટલી મહેનત કરવી પડે છે? કેટલા વર્ષોના અથાક પરિશ્રમ બાદ ડોક્ટરની પદવી મળે છે? તેઓના એકેડેમીક વર્ષ ગણજો, એ વર્ષોનું માનસિક દબાણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઈંટરવ્યુઝ, બધુ પસાર કરવામાં જિંદગીનો એક આખો ભાગ પસાર થઈ જતો હોય છે. તે લોકો જ્યારે કમાવવાનું શરૂ કરે અને કમાવવા લાગે, ઘણાના પેટમાં બળતરા ઉપડી જતી હોય છે. ડોક્ટર્સ પોતાની ફી જેટલી વાર નહી ગણતાં હોય, એટલીવાર એવા ઇર્ષ્યાળૂ લોકો ગણતાં રહેતા હોય છે.  તેઓ પાસે તો નોટો છાપવાના મશીન્સ હોય છે, એવું મોટાભાગના માને છે. પણ જેઓ પોતાની ડીગ્રીને આટલા બધા વર્ષો અને આટલું મોટું મૂડી-રોકાણ આપે છે, તેઓ કમાણીમાં બીજા કરતાં આગળ રહેવાના જ! તેઓની કમાણી પર ઈર્ષ્યા કરવાને બદલે ખુદની કમાણી વધારવા પર ધ્યાન આપીશું તો એ વધુ સારું રહેશે. બાકી તમારી મરજી.....

  હવે કરીએ ઉદ્યોગપતિઓની વાત! આ એ લોકો છે, જેના લીધે દેશનું અર્થતંત્ર ધમ-ધમતું રહે છે. તેઓ જોખમ ઉઠાવે છે, એટલે આપણને નવી નવી વસ્તુઓ અને ટેકનૉલોજિ વાપરવા મળી રહે છે. તેઓ નવા નવા ઉદ્યોગ સ્થાપે છે, એટલે દેશમાં રોજગારીની તકો વધતી રહે છે. એ ઉદ્યોગ સ્થાપે છે, ત્યારે તેઓને ખબર નથી હોતી કે તેઓ સફળ થશે કે નિષ્ફળ? છતાં તેઓ સતત નવા નવા ક્ષેત્રોમાં ખેડાણ કરી પોતાની અને દેશની પ્રગતિનો માર્ગ બનાવતા રહે છે. તમે જ વિચારો કોઈપણ નવા ઉદ્યોગની સ્થાપના અને સફળતા માટે કેટલા વર્ષો સુધી અથાક પ્રયત્નો કરવા પડતાં હોય છે? કોઈ સફળ ઉદ્યોગપતિની સંઘર્ષ-કથા વાંચીશું કે જાણીશું તો સમજાશે કે કેવા કેવા અઘરા દિવસો તેમણે પસાર કરેલા હોય છે. કેટ-કેટલી નિષ્ફળતાઓનો તેમણે સામનો કરેલો હોય છે. તેઓ પણ ફૂટ-પાઠ પર સૂતેલા હોય છે. ભૂખ-તરસ તેમણે પણ વેઠી હોય છે. પોતાની પેદાશને સફળ બનાવવા એ લોકો રાત-દિવસ એક કરતાં હોય છે. પોતાના માલની ગુણવત્તા જાળવવા તેઓ પોતાના ધંધાને સતત અપડેટ કરતાં રહેતા હોય છે. જે લોકો પોતાના ધંધાને પોતાની જિંદગી આપી દેતા હોય તે લોકો જલસા કરે કે નહી? વિચારજો.....

કોરોના સમયે કે બીજી કોઈપણ આફત વખતે આ લોકો સૌથી વધુ દાન આપતા હોય છે. સરકારને મદદ કરવા તેઓ રાહત ફંડ છલકાવી દેતાં હોય છે. કોરોના સમયે તેમણે જ સૌથી વધુ દાન આપેલું. વળી દેશના ટેલેંટેડ યુવાનોને રોજગારીની તકો તેઓ જ પૂરી પાડતા હોય છે. દેશના આર્થિક, સામાજિક અને ટેક્નોલોજિકલ વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. અને અભિપ્રાયો આપી દેવાવાળાઓ તેઓ વિષે ગમે તેમ બોલતા રહે છે.

શિક્ષકો ( આમાં આપણે પ્રાથમિક, માધ્યમિક, કોલેજ એમ દરેક ક્ષેત્રના શિક્ષકોની વાત કરીએ છીએ) શિક્ષકો બેઠા બેઠા પગાર લે છે, એવું સૌને લાગે છે. પણ એકવાર તેઓ સ્કૂલે કે કોલેજો કે ક્લાસીસમાં આવીને જુએ તો સમજાશે કે વિદ્યાર્થીઓને ભણાવવા તેઓ કેટલા કેટલા પ્રયાસો કરતાં હોય છે. કોરોના વખતથી બધાને સમજાય ગયું છે કે બાળકોને ઘરે રાખવા કેટલા અઘરા છે. એ અઘરું કામ શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ રહ્યું છે. આ લોકોને ભણાવવા સિવાય પણ બીજું કેટલું કામ હોય છે, બધાને ખબર જ છે. આ દેશનું એકપણ ગાણિતિક કામ શિક્ષકો વગર થતું નથી. જુદા જુદા વિચારો અને જુદી જુદી શીખવાની રીત ધરાવતા વિદ્યાર્થીઓને ભણાવવા એ કામ વિશિષ્ટ આવડત માંગી લેતું હોય છે. અને જ વ્યવસાય માનસિક શ્રમ સાથે જોડાયેલો હોય તેને તમે કામના કલાકો સાથે કેવી રીતે જોડી શકો?

તે લોકો પણ કેટલું કેટલું ભણતા હોય છે, ત્યારે નોકરીઓ મળતી હોય છે. કેટલો પરિશ્રમ કરતાં હોય છે, ત્યારે એ મુકામ પર પહોંચતા હોય છે. એકવાર કોલેજના પ્રોફેસર બનવા જે ડીગ્રીઓ જોઈતી હોય છે, તેનું લિસ્ટ વાચજો. એટલે સમજાઈ જશે કે એ કક્ષાએ પહોંચવું કેટલું અઘરું છે! શિક્ષકનું કામ દુનિયાનું સૌથી સર્જનાત્મક કાર્ય છે અને જ્યાં સર્જનાત્મકતા હોય ત્યાં વળતર તો ઊંચુ રહેવાનુ જ. કોરોના સમયે તેમણે જલસા નથી કર્યા,પણ કામ કર્યું છે.

હવે જો આ બધા એટલી બધી મહેનત કરતાં હોય તો આર્થિક સદ્ધરતા તેઓના આંગણે હોવાની અને તેઓ જલસા કરવાના જ! એમાં બાકીનાએ બેઠા બેઠા તેઓની આવકની ચર્ચા કરવાને બદલે તેઓને થોડું પ્રોત્સાહન પણ આપવાની જરૂર છે. થોડો એવો વર્ગ ખરાબ હોય એટલે આખો વર્ગ એવો જ હોય એવું માની લેવાની જરૂર નથી. આપણને બધાને એક જ લાકડી વડે હાંકવાની ટેવ પડી ગઈ છે. જેઓ પોતાની જીંદગીનો એક આખો હિસ્સો કમાવવા પાછળ વિતાવી દેતા હોય છે, તેઓને પણ જલસા કરવાનો અધિકાર હોય છે. કેમ ખરું ને?

લાઈક,કમેંટ અને શેર......

એક રીક્ષા પાછળ લખેલું હતું, “ઈર્ષાળુ ને આશીર્વાદ

 

 

 

 

 

 

Tuesday 28 December 2021

ફૂટતા પેપર તૂટતાં યુવાનો અને યુવતીઓ!!!

 

ફૂટતા પેપર તૂટતાં યુવાનો અને યુવતીઓ!!!

 બિનસચિવાલય પરીક્ષા વિવાદ : પેપર ફોડવાનું કૌભાંડ બહાર કેવી રીતે આવ્યું? -  BBC News ગુજરાતી


             આજના યુવાનો અને યુવતીઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા, બોર્ડની પરીક્ષા કે યુનિવર્સિટીની પરીક્ષા આપીને આવે, એટલે એ પેપર સોલ્વ કરવાને બદલે પેલો પ્રશ્ન એ પૂછે છે કે “પેપર ફૂંટયુ તો નથી ને?’’

   પેપર દઈને ઘરે પહોંચી વિદ્યાર્થીઓ માર્ક્સ ગણે, તેને એવું લાગે કે આ વખતે મારૂ સીલેકશન થઈ જશે, એ ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોવા લાગે, ત્યાં તો સોસિયલ-મીડિયામાં પેપર ફૂંટયાના સમાચાર વાંચીને કે સાંભળીને કે જોઈને તે ઊંડા અંધારામાં જતાં રહે છે. ઘણા વિદ્યાર્થીઓ તો હતાશ કે નિરાશ થઈને આત્મ-હત્યા સુધી પણ પહોંચી જતાં હોય છે. જે પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીઓ રાત-દિવસ એક કરતાં હોય છે, સખત પરિશ્રમ કરતાં હોય છે, એ પરીક્ષાનું પેપર ફૂંટી જતાં તેઓ કેટલું કેટલું ગુમાવી દેતાં હોય છે, એ તો તેઓ જ જાણી શકે છે!

  વહેલી સવારે ઊઠીને કડકડતી ઠંડીમાં દોડવાથી લઈને આખી આખી રાતના ઉજાગરા કરીને યુવાનો અને યુવતીઓ એ પરીક્ષાની તૈયારી માટે પોતાના બધા મોજ-શોખને થોડા સમય માટે બ્રેક મારી દેતાં હોય છે. તેઓના અથાક પરિશ્રમ બદલ જ્યારે તેઓને આવું પરિણામ મળે છે, એ પણ કેટલાક અસામાજિક કે વગ ધરાવતા લોકોને લીધે, ત્યારે તેઓનું મોરલ એકદમ તળિયે આવી જતું હોય છે. તેઓનો ઉત્સાહ તૂટીને રાખ થઈ જતો હોય છે. એમાં પણ વિચારો જેઓનું પેપર સારું ગયું હોય છે અને જેઓને મેરિટમાં આવી ગયાનો પૂરેપૂરો વિશ્વાસ છે, એ લોકોનું શું?

નીટ, ટેટ,એલ.આર.ડી. હેડ-ક્લાર્ક, યુનિવર્સિટીની પરિક્ષાના પેપર્સ, બોર્ડની પરિક્ષાના પેપર્સ, લિસ્ટ હજી લાંબુ છે. કેટલાક લોકો જે ટૂંકા રસ્તા દ્વારા સફળ થઈ જવા માંગે છે, તેઓ પૈસા અને લાગવગના જોરે આવી મહત્વની પરિક્ષાના પેપર્સ લીક કરીને લાખો વિદ્યાર્થીઓના ભાવીને અંધકારમાં ધકેલી દેતાં હોય છે. એક એક પ્રશ્ન માટે મથતા વિદ્યાર્થીઓ અને એક જ ઝાટકે આખું પેપર મેળવી લેતા વિદ્યાર્થીઓ.... ઘણીવાર જ્યારે પેપર ફૂંટયાની કોઈને ખબર ના પડે, અને પેલા વગ અને પૈસાદાર પિતાજીઓના સંતાનો એ પદ માટે પસંદ થઈ જાય તો પછી આપણે ભ્રષ્ટાચાર સામે લડી શકીશું એ જ ભૂલી જવાનું! એ લોકો આવા અગત્યના સ્થાન પર પસંદ થઈ પછી શું કરવાના? મને નથી લાગતું કે આ પ્રશ્નનો જવાબ મારે અહી લખવો પડે. આપણને બધાને ઘણીવાર કોઈ વ્યક્તિને અમુક ઊંચા સ્થાને જોઈને સવાલ થતો જ હોય છે કે “ આની પસંદગી કોણે કરી?”

છાપામાં પેપર ફૂંટયા બાદ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ વાંચીએ કે ટી.વી. પર જોઈએ ત્યારે ખ્યાલ આવે તેઓ કેવા હતાશ થઈ જતાં હોય છે. જે શિક્ષણ પાછળ તેઓ પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો રોકે છે, એ શિક્ષણ જ તેઓ માટે હતાશા અને નિરાશાનું કારણ બની રહે છે! એક પરીક્ષા પાસ કરવા હોશિયાર અને પ્રમાણિક વિદ્યાર્થી રોજના સરેરાશ 10થી12 કલાક વાંચન અને લેખન કરતો હોય છે, એ બધુ જ પેપર ફૂંટી જવાથી વ્યર્થ થઈ જતું હોય છે. પોતાના ખિસ્સા ભરવા જે લોકો આવું કામ કરે છે. તેઓને સજા કરવાની કોઈ ઠોસ જોગવાઇઓ આપણા કાયદાઓમાં છે ખરી? હકીકત તો એ છે કે આમાં એવા મોટા મોટા માથા ફસાયેલા હોય છે, કે આવી રીતે પેપર ફૂંટયાની જાણ થતાં જ તેઓ તો જાણે ક્યાંક ખોવાઈ જ જતાં હોય છે.

 આ બધુ કરવામાં ઘણા લોકો ફસાયેલા હોય છે, પણ સજા માત્ર થોડા લોકોને અને એ પણ નજીવી જ થતી હોય છે. આથી જ તો એક પછી એક એમ જુદી જુદી પરીક્ષાઓના પેપર્સ ફૂટયે જ જાય છે. થોડા દિવસો સોસિયલ મીડિયામાં હોબાળો થાય છે અને પછી પરીક્ષાની નવી તારીખો આવતા બધુ જ થાળે પડી જાય છે. જેમણે પેપર ફોડયા તેઓને શું સજા થઈ? એમાથી કેટલાને આકરી સજા થઈ? એ બાબત જ આપણે ભૂલી જતાં હોઈએ છીએ. કોઈપણ ક્ષેત્રમાં નવી દાખલ થયેલી પરીક્ષા તેઓ માટે કમાવાનું જાણે કે માધ્યમ બની ગઈ છે! એક એક પેપર કેટલામાં વેચાયું? તેના આંકડા જાણીએ ત્યારે આશ્ચર્ય થાય કે આવી પરીક્ષાઓ પણ કેટલી લક્ઝરીયસ બની ગઈ છે!

છેલ્લી કેટલીક પરીક્ષાઓમાં તો જાણે પેપર ફૂંટવું એ રૂટિન ઘટના બની ગઈ છે. પરીક્ષાખંડમાથી સારું પેપર ગયું છે, એવી આશાએ બહાર આવનાર વિદ્યાર્થીને જ્યારે આ સમાચાર મળે છે, તે સાવ તૂટી જતાં હોય છે. ઘણા તો હવે પરીક્ષા આપવી જ નથી, એવું પણ નક્કી કરી લેતા હોય છે. તેઓનો આપણી સિસ્ટમ પરથી વિશ્વાસ જ ઉઠી જાય છે. તેઓ માનસિક મજબૂતાઈ ગુમાવી દેતા હોય છે. ફરીથી તૈયારી કરવી એ બાબત તેઓ માટે અત્યંત અઘરી બની જતી હોય છે.

જે લોકો આ કામ કરે છે, તેઓ માટે કડક સજાની જોગવાઈ હોવી જોઈએ. એમાં ગમે તેટલા મોટા માથા સંડોવાયા હોય આવી ઘટનાઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આપણે પણ આવા લોકોને સજા થાય એ માટે અવાજ ઉઠાવતા રહીએ. એકબીજા પર દોષારોપણ કરવાને બદલે આનો કોઈ સચોટ ઉપાય મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પેપર ફોડનારને અને જેણે પેપર ફોડનારને લાલચ આપી એ બંનેને સજા થવી જોઈએ. જે યુવાનો અને યુવતીઑ થકી આપણા દેશનું ભાવી ઘડાવાનું છે, તેઓનું જ ભાવી જો આવી રીતે અંધકારમય બની રહેશે, તો દેશનું ભાવી કેવું ઘડાશે? પેપર ફોડનાર વ્યક્તિઓ ધન કમાઈ લેવાની લાલચે, આપણા યુવાધનને અંધકારમાં ધકેલી રહી છે. આ અપરાધ બીજા કોઈ પણ અપરાધ કરતાં નાનો ના ગણાવો જોઈએ.

આવા લોકો પર ચાલતા કેસો પણ એટલા લાંબા ચાલે છે, કે વર્ષો નીકળી જતાં હોય છે. અને અંતે બધા પુરાવાઓની વ્યવસ્થા થઈ જાય એટલે તેઓને ક્લીનચીટ મળી જતી હોય છે. અને લોકોની યાદશક્તિ તો હોય જ છે, નબળી તેઓ બધુ ભૂલી જાય એટલે આવા લોકોને સજા થઈ કે નહી? એ સવાલ પણ ભુલાઈ જતો હોય છે!

આપણે જ્યારે આપણાં સંતાનોને સ્કૂલમાં ભણવા મૂકીએ છીએ, ત્યારે એ સ્કૂલે જવા તૈયાર ના થાય તો આપણે તેને કહીએ છીએ કે નહી ભણે તો નોકરી નહી મળે, તું આગળ નહી વધી શકે. સંતાનો ચાલવાનું શીખે ત્યારથી આપણે તેઓને ભણાવવા પાછળ પડી જતાં હોઈએ છીએ. તેઓ સ્કૂલે જાય અને ભણે એ માટે આપણે અથાક પ્રયત્નો કરતાં હોઈએ છીએ. જે વિસ્તારમાં શિક્ષણ ઓછું છે, ત્યાં આપણે માતા-પિતાને વારંવાર સમજાવીએ છીએ કે તમારા બાળકોને ભણાવો. 

કહે છે “શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્રમાં પરીવર્તન લાવવામાં સૌથી ઉપયોગી સેવા છે.” આજના માતા-પિતા પોતાના બાળકોને ભણાવવા પાછળ ખર્ચાય જતાં હોય છે. તેઓ પેટે પાટા બાંધીને સંતાનોને સારું શિક્ષણ અપાવવા મથતા હોય છે. આજે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે, પણ શિક્ષણ એવા લોકોના હાથમાં જતું રહ્યું છે, જ્યાં એ જરાપણ પવિત્ર રહ્યું નથી. 

વર્ષો નોકરી માટે ભણ્યા પછી નોકરી મેળવવાની પરીક્ષા આપવા જાય ત્યારે એ પરીક્ષાના પેપર ફૂટી જાય છે! ' it happens only in India!'

   લાઈક કમેંટ,શેર.....

pepr-nhiin-maannso-phuutte-che

    

Friday 3 December 2021

धन के हाथों बिके हैं सब क़ानून अब किसी जुर्म की सज़ा ही नहीं!!! નિદા ફાજલી

 

             

 

 

 

 

 

 

 

 

 .. धन के हाथों बिके हैं सब क़ानून अब किसी जुर्म की सज़ा ही नहीं!!! નિદા ફાજલી

 

The Law-Money Nexus | The Modern Money Network

   14 જૂન, 2020 ના રોજ બોલિવૂડમાં કોઈએ વિચાર્યું ના હોય એવું કશુક બની ગયેલું. જે લોકોએ બપોરે પોતાના ટી.વી. સેટ. કે સોસિયલ મીડિયા ઓન કર્યું હતું તેઓ એ સામાચાર જોઈને આઘાતમાં ગરકાવ થઈ ગયેલા. ઘણાને એવું લાગેલું કે આ ફેક ન્યૂઝ છે. લોકો એકબીજાને ફોન કરીને પૂછી રહ્યા હતા કે શું આ સમાચાર સાચા છે? પણ સાંજ પડતાં સુધીમાં તે સમાચાર સાચા છે, તેની ખરાઈ થઈ ગયેલી. તે દિવસે રડેલા ઘણાને આજે એ બનાવ ભૂલાય ગયો હશે. આમ પણ કહે છે કે લોકોની યાદશક્તિ બહુ ઓછી હોય છે. તેઓ કોઈપણ ઘટનાને થોડા જ સમયમાં ભૂલી જતાં હોય છે. આજે આપણે સૌ પણ એ ઘટનાને ભૂલી ગયા છીએ. તમને થતું હશે કે એ દિવસે એવું તો શું થઈ ગયેલું? ઘણા તો ગૂગલ પર એ તારીખ સર્ચ પણ કરવા લાગ્યા હશે. પણ થોભો હું જ કહી દઉં......

 એ દિવસે બોલિવૂડના ઇમર્જિંગ સ્ટાર અને થોડા જ મુવીઝ દ્વારા પોતાની અમીટ છાપ છોડી જનાર શુશાંતસિંગ રાજપૂતે આપઘાત કરેલો. આજે એ વાતને 1.5વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. એ દિવસ બાદ તેના મૃત્યુએ ઘણા વળાંકો લીધેલા. કેટલીક એવી બાબતો જે સામે આવી, તો લાગ્યું કે શુશાંતસિંગે આપઘાત નહોતો કરેલો પણ તેની હત્યા કરવામાં આવી હતી. થોડા દિવસો સુધી સોસિયલ મીડિયા તેમના મૃત્યુના સમાચારોથી જ છવાયેલા રહ્યા. કેટ-કેટલા સત્યો સામે આવ્યા! કેટલી અફવાઓએ બજારને ગરમ રાખ્યું! 

આપણે સૌ એવું માનતા હતા કે શુશાંતસિંગની હત્યા કે આત્મહત્યા? એ પ્રશ્નનો જવાબ આપણને મળશે. તેમના પિતા અને ઘરના બીજા સભ્યોએ પણ આ કેસ સી.બી.આઈ. ને સોંપવાની માંગણી કરી. આપણને સૌને એમ હતું કે આવા જાત-મહેનત કરીને આગળ આવેલ અને છેક સુધી લડી લેનાર અભિનેતા આવી રીતે આપઘાત કરે જ નહી. કેટલા બધા લોકોને તપાસ કરવા બોલાવેલા. રોજ નવા નવા નામો બહાર આવતા પણ ખરેખર શું થયું હતું? તે ક્યારેય આપણી સામે ના આવ્યું!

ચારે બાજુ વિરોધ થતાં સરકારે તપાસ તો શરૂ કરાવી, પણ એ તપાસને ડ્રગ્સ સાથે જોડી, બે-ત્રણ મોટી મોટી અભિનેત્રીઓને તપાસ માટે બોલાવવાના નાટક કરીને આ આખા કેસને નબળો કરી દેવામાં આવ્યો. આજે હવે આ કેસ વિષે કોઈ જાણવાની કોઈ માંગણી પણ કરતું નથી. શરૂઆતની લડત બાદ તેમના કુટુંબીજનોએ પણ કશો અવાજ ના ઉઠાવ્યો. અને આપણે સૌએ આ વર્ષની 14મી જૂને તેમની પ્રથમ પુણ્યતિથિ ઉજવીને સંતોષ માની લીધો! એ કેસમાં ઘણા મોટા માથા સંડોવાયેલા હતા પણ અંતે કશું આપણને જાણવા ના મળ્યું! 

  એ જ રીતે સલમાનખાન હિટ & રન કેસમાં પણ આપણને એમ હતું કે દોષીને સજા મળશે. એ કેસ 13 વર્ષ સૂધી ચાલ્યો પણ આપણને તેના ચુકાદાથી ન્યાય થયો હોય એવું ના લાગ્યું. તે જ રીતે હરણ મારવાના કેસમાં પણ સલમાનખાન, સેફખાન, સોનાલી બેન્દ્રે, કરિશ્માકપૂર વગેરે છૂટી ગયા. લાગે છે કે આપણાં દેશમાં અદાલતની દેવીને એટલે પટ્ટી બાંધવામાં આવે છે, જેથી તે આવા વગવાળા લોકોના દોષ ના જોઈ શકે. અને તે લોકો છૂટી જાય! છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોઈશું તો ખબર પડશે કે એવા કેટલા મર્ડર અને બીજા કેસો છે, જેમાં ન્યાય થયો નથી અને એ બધા કેસ સાથે કોઈને કોઈ વગ ધરાવતી વ્યક્તિ સંકલાયેલી છે! આરૂષિ મર્ડર કેસ, સીના બોરા મર્ડર કેસ, પ્રદ્યુમન ઠાકોર મર્ડર-કેસ,અમરસિંગ ચમકીલા મર્ડર કેસ, સુનંદા પુષ્કર મર્ડરકેસ, નીરજ ગ્રોવર મર્ડર કેસ, અદનાન પટારવાલા, હજી તો લિસ્ટ લાંબુ છે.... લખતા લખતા થાકી જવાય એટલું. આ બધા જ કેસમાં દોષીને સજા મળેલ નથી!

 આપણે ત્યાં હાલતા કોઈ ધનિક કુટુંબના નબીરાઓ હિટ & રન કેસમાં છૂટી જવા જોતાં મળે છે, જાણે કે ફૂટપાથ પર સૂતેલા કે ચાલી રહેલા લોકોની જિંદગીનું કોઈ મુલ્ય જ નથી!

   નિર્ભયા ગેંગરેપ કેસમાં પણ જો આટલો હોબાળો ના થયો હોત તો દોષીઓને સજા મળેત ખરી? આ સવાલ પણ આપણે આપણી જાતને પૂછવા જેવો ખરો!! જેવુ મર્ડર કેસમાં થાય છે, એવું જ રેપના કેસોમાં પણ થાય છે. બહુ થોડી સ્ત્રીઓને ન્યાય મળે છે. ભારતમાં જ્યાં સ્ત્રીઓને નવરાત્રિ દરમિયાન માતા તરીકે પૂજવામાં આવે છે, ત્યાં સ્ટેટ-વાઇઝ રેપના આંકડા જાણીએ ત્યારે ખબર પડે કે આપણે હજી સ્ત્રીઓને સલામતી નથી આપી શક્યા! હમણાં મૂંબઈમાં કુર્લામાં 24 વર્ષની મહિલા સાથે થયેલા રેપની વિગતો જાણીએ તો ખબર પડે કે રેપ કરનાર સ્ત્રીઓ સાથે કેવી બર્બરતા આચરવામાં આવે છે. હવે તો નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓ પણ આ દૂષણનો ભોગ બની રહી છે. જેમ આપણાં દેશમાં અનેક મર્ડર કેસ વણ-ઉકેલાયેલા રહી ગયા છે, એમ જ રેપ કેસિઝનું પણ એવું જ છે!

  વગદાર આરોપીઓ બહુ સિફત-પૂર્વર્ક છટકી જતાં હોય છે. હકીકત તો એ છે કે જ્યારે આવા વગદાર લોકોના કેસ આવે, મીડિયા અને પોલીસ બંને શરૂ-શરૂમાં બહુ કવરેજ આપે છે, પણ પછી એ કવરેજ ધીમે ધીમે ઘટતું જાય છે! આની પાછળ ક્યૂ પરિબળ જવાબદાર છે? એ આપણને સૌને ખબર જ છે. આવા કેસો અમુક વર્ગના લોકો માટે મોટી કમાણીનું માધ્યમ બની રહેતા હોય છે. 

અમુક કિસ્સાઓમાં તો પોલીસે ખુદ પુરાવાઓના નાશ કર્યાના પુરાવાઑ હોય છે! સૌ પોત-પોતાના હિસ્સા માટે દોડવા લાગે છે. અને હિસ્સો મળી જાય એટલે કેસ ક્યાક બીજી દિશામાં જ ફ્ંટાઈ જતાં હોય છે. આવા કેટલાયે રેપ કેસીઝ છે, જેમાં આરોપીને સરળતાથી જામીન મળી જતાં હોય છે. અને તેઓ નિર્દોષ પણ છૂટી જતાં હોય છે. હાથરસ ગેંગરેપ કેસ, કઠુઆ રેપ-કેસ, ઉન્નાવ રેપ કેસ, બદાઉન રેપ કેસ.... અહી પણ લિસ્ટ લાંબુ છે.

 ઘણા કિસ્સાઓમાં તો ફરિયાદ કરનારની એફ.આઈ.આર. પણ નોંધવામાં આવતી નથી! પછી એ કેસ કોઈ મંત્રી કે મુખ્ય-મંત્રી પાસે જાય ત્યારે તેની વિષે માહિતી મેળવવા પૉલિસ દોડા-દોડી કરી મૂકે છે. શું કોઈ સામાન્ય વ્યક્તિ આવીને ફરિયાદ કરે તો તેના આધારે પગલાં લેવાની પોલીસની ફરજ નથી હોતી? 

આપણાં દેશમાં બે કાયદાઓ છે, ધનિક અને વગદાર માટે અલગ અને ગરીબ અને લાગવગ વગરના માટે અલગ! વળી ઘણા કિસ્સાઓમાં જેઓને ફાંસીની સજા થઈ હોય છે, તેઓની સજાને જન્મ-ટીપની સજામાં ફેરવી નાખવામાં આવે છે. સમય વીતે એટલે શું અપરાધની કક્ષા બદલાઈ જતી હશે? આવા લોકોની સજા ઓછી કરવાથી તેઓ તો બદલાતા નથી, પણ જે લોકો આવા કૃત્યો કરે છે, તેઓના મનમાથી સજાનો ડર નીકળી જતો હોય છે.

   આપણાં દેશમાં નાના નાનાં ગુનાઓ માથી લોકોને આબાદ છટકવા મળી જાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન ના કરનારને કે પછી સ્કૂલ કે કોલેજની પરીક્ષામાં ચોરી કરનારને, લાંચ લેતા પકડાઈ જનાર ઓફિસરને, કોઈના ઘરમાં કે દુકાનમાં ચોરી કરનારને, પૈસાના જોરે નિર્દોષ જાહેર થવાનું બળ મળી રહે છે. તમને થશે જે રાજકારણીઓ મોટા મોટા કોભાંડોમાં પકડાય અને છૂટી જાય છે, તેમના વિષે કઈ નહી, અરે યાર તેઓ માટે એક અલગ આર્ટીકલ ફાળવવો પડે! જો આ જ રીતે આપણી વ્યવસ્થાઓ નાણાંના જોરે ચાલતી રહેશે તો, આપણે માત્ર કુદરતના ન્યાય પર જ આધાર રાખવો પડશે.

લાઈક, કમેંટ,શેર.............

 Money equals power, power makes the law, and law makes government. Kim Stanley

   

 

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...