Thursday 6 May 2021

એ એ દોડો ઉદ્ધારક આવ્યા,

 

 

એ એ દોડો ઉદ્ધારક આવ્યા

 


 

Christian Reflections: Blindly Following Man Will Make You Miss the Chance  to Welcome the Lord

 

 

                             રજનીકાંતનું મુવી કબાલીબહાર પડ્યું. ને નેટ પર તેની ઘણી બધી વાતો વાયરલ થઇ. ઘણા સંવાદો વાયરલ થયા ને ઘણી વાતો તેના વિશે વાયરલ થઇ તો વળી એવા સમાચાર પણ મળ્યા કે તેઓનું મુવી જોવા લોકોએ ખુબ ધસારો કર્યો,સરકારી કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓએ રજા લીધી ને મુવી જોવા ગયા તો વળી જેને ટીકીટ ના મળી તેઓ વિદેશ પણ મુવી જોવા ગયા.તો વળી કોઈએ ફેશબુક કે વોટ્સએપ પર તેઓની ખાન બંધુઓ સાથે સરખામણી કરતા પોસ્ટરો વાયરલ કર્યા. આ બધામાં એક સમાચાર સૌથી ચોકાવનાર હતા, ને એ હતા કે સાઉથ ના લોકો પોતાના કલાકારોને દેવ ની જેમ પૂજે છે ,તેઓના મંદિરો બનાવે છે, ને બ્રેકીંગ ન્યુજ તો હવે આવે છે મિત્રો કે જે દિવસે સાઉથ માં રજનીકાંતનું મુવી રીલીઝ થાય તેઓના હોડિંગને દૂધ ચડાવવામાં આવે છે. એ દિવસે એ વિસ્તારમાં દૂધ મળતું નથી. કારણ કે ૫૦૦૦૦ લીટર દૂધ ચડાવવામાં જતું રેહે છે! લ્યો બોલો કેવી ટેકનો એજ ને કેવી આપણી ચંદ્ર પર કે અન્ય અવકાશી પદાર્થો પર જવાની વાત ને ક્યા આવી વ્યક્તિપૂજા ની સાથે સંકળાયેલી અંધશ્રદ્ધા.કઈ સદીમાં છીએ આપણે. આટલા ઉપગ્રહો છોડ્યા પણ પૂર્વગ્રહો હતા ત્યાં ને ત્યાજ!

                          એકવીસમી સદીમાં આવી વાતો જાણવા મળે એટલે સમજી લેવાનું આપણે હજી જૂની સદીઓમાં જ જીવી રહ્યા છીએ હતા ત્યાં ના ત્યાં જ છીએ ને આપણા વિચારોમાં જરાયે પરિવર્તન આવ્યુ નથી.નવા વિચારોને હજી આપણે સ્વીકાર્યા નથી. આપની અંદર રહેલો રૂઢીઓનો જીન્સ હજી બદલાયો નથી ને એમાંનો એક જીન્સ તો વાયરસ બની એવો ઘુસી ગયો છે કે નથી એની દવા કે નથી એની રસી શોધાઈ. ને એ જીન્સ છે, ‘વ્યક્તિપૂજાવ્યક્તિઓને ઈશ્વરની જેમ પૂજવાની આપણી કુટેવે જ આપણને રૂઢીવાદી, જડવાદી ને પ્રારબ્ધવાદી બનાવી દીધા છે.કોઈ વ્યક્તિ આપણને ગમતી હોય કે તેના વિચારો ગમતા હોય કે તેની એક્ટિંગ ગમતી હોય તો આપણે તેઓનું આંધળું અનુકરણ કરતા થઇ જઈએ છીએ, ને એને જ આપણા ઉદ્ધારક માનવા લાગીએ છીએ. ને પછી શરુ થઇ જાય છે મંદિરો બાધા, માનતાઓ નો ના અટકે તેવો સિલસિલો. આપણે એવું માનવા લાગીએ છીએ કે આપણા જીવનના તમામ દુખો એ વ્યક્તિ જ ઉદ્ધારક બની નીવારશે. આપણી દરેક સમસ્યાનો ઉકેલ એ વ્યક્તિ જ લાવશે ને સમગ્ર જીવન તેના ચરણે ધરી દઈએ છીએ.આ નબળાઈ થી જ આપણે ઈશ્વર, અલ્લાહ,જીસસ કે અન્ય ધર્મગુરુઓ ને જન્મ આપીએ છીએ ને એના વિષે પુસ્તકોના ના પુસ્તકો લખી નાખીએ છીએ.સ્તુતીઓ રચતા રહીએ છીયેને કરવાનું કરતા નથી. શરણે જવાની આ આદતેજ આપણને સ્વાવલંબીબનતા રોક્યા છે.

                                                  વ્યક્તિપૂજા એ આપણને ઉદ્ધારક્પ્રેમીબનાવી દીધા ને આપણે આપણા દરેક પ્રશ્નો ઈશ્વરના શરણે ધરી દીધા. આજે પણ આપણે નડતી સમસ્યાઓ ઉકેલવાને બદલે એ વ્યક્તિ આધારિત છીએ! હું મારા પ્રશ્નો સ્વયં ઉકેલી સકું છું એવો આત્મવિશ્વાસ મારામાં રહ્યો નથીઆ વ્યક્તિપૂજાની  ટેવે જ સમાજમા આશારામ, નિર્મલબાબા કે રાધે માં જેવા ધૂતારાઓને વિકસાવ્યા છે. તેઓને એ સ્થાન આપનાર જ આપણે છીએ, ને પછી વિશ્વાસ અંધવિશ્વાસ માં તબદીલ થાતા વાર લાગતી નથી.વિદેશના લોકો પોતાને નડતા પ્રશ્નોના ઉકેલ માટે સંશોધનો, પ્રયોગો કરે છે ને આપણે સીધા ઈશ્વર પાસે કે ઉદ્ધારક્ના ચરણે દોડ્યા જઈએ છીએ! આને લીધે જ તો ઈશ્વર સાથેનો આપણો સંબંધ પણ એક વેપાર બની ગયો છે. સૌ એક એવા કાદવમાં ફસાયા છીએ કે સૌને એવું લાગે છે કે કોઈ આવશે ને આપણને ઉગારશે, ત્યાં સુધી પડ્યા રહીએ એમાં! કે  કોક હાથ આપશે તો ઉભા થઈશું બાકી કાદવ સ્વીકારી તો લીધો જ છે.આ વ્યક્તિપૂજા ની આદતે જ તો તમને અને મને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ ભુલાવી દીધો છે. લોકો બાળકો પેદા કરવા કે દીકરીને બદલે દીકરો આવે એટલા માટે પણ બાબાઓ પાછળ દોડતા રહે છે. પગ પખાળવાની આપણને એટલી તો આદત પડી ગઈ છે કે એ પગ માં ચોંટેલી અસત્યાતાની કે ઢોંગ ની ધૂળ પણ આપણને દેખાતી નથી.

                                              વ્યક્તિને દેવ બનાવી પૂજવાની આપણી કુટેવે જ તો આજે પણ આપણને  વરસાદ આધારિત બનાવી રાખ્યા છે. આપણી ખેતી આજે પણ સારા કે ખરાબ ચોમાસાની અસર હેઠળ નભે છે. આઝાદીના ૬૯ વરસે પણ આપણે ખેતી ના પાક માટે વરસાદ આધારિત છીએ ને ઇઝરાયેલ જેવા દેશોએ ટપકસિંચાઇપદ્ધતિ અપનાવીને રણ જેવા પોતાના દેશને અરણ્યબનાવી દીધુ! વ્યક્તિપૂજા એ જ આપણને કૃષ્ણયુગ, રામયુગ કે ગાંધીયુગ માંથી કદી બહાર આવવા દીધા નથી. આ બાબતને લીધે જ કોઈ એક ક્ષેત્રમા એક વ્યક્તિનું સ્થાન એટલું ઊંચું બની જાય છે કે અન્ય વ્યક્તિઓ જીવનભર રાષ્ટ્ર માટે સમર્પિત થઇ જાય છતાં તે ગૌણ બની જાય છે. વ્યક્તિપૂજાની આ પૂજા એ જ સચિનને ક્રિકેટના ભગવાન બનાવી દીધા ને ટીમગેમમાં જાણે એક જ પ્લેયર હોય તેવું વાતાવરણ ઉભું કરી દીધું.નો-ડાઉટ સચિન એક સારા ખેલાડી છે પણ પ્રશ્ન એ છે કે શું એના જેવો બીજો કોઈ ખેલાડી છે જ નહિ! હકીકત તો એ છે કે એના કરતા પણ સારી ઈન્નીગ્સ રમી અન્ય ખેલાડીઓ એ ભારત ને મેચ માં જીતાડ્યા છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે ક્રિકેટની મેચોમાં સૌથી અગત્યનું ટીમસ્પીરીટહોય છે એમાં કોઈ વન મેન આર્મીહોતું નથી. એ જ રીતે આઝાદીની લડતોની વાત થાય ત્યારે આપણે સૌથી વધુ મહત્વ ગાંધીજીને જ આપીએ છીએ જાણે અન્ય સ્વતંત્રસેનાનીઓ એ કઈ બલિદાન આપ્યું જ ના હોય તેમ તેઓની નોંધ જ લેવાતી નથી.જ્યાં જુઓ ત્યાં ગાંધીજી સિવાય બીજી વાત જ નહિ! આપણે એ ભૂલી જઈએ છીએ કે લાખો શહીદોના રક્તથી આ આઝાદી મળી છે. ક્યાં સુધી ચાલુ રાખીશું આ કુટેવ................

                       આ આદત આપણે છોડવી જ પડશે. આપણી સમસ્યાઓ દુર કરવા જાતે જ લડવું પડશે. સ્વયંમાં રહેલા આત્મવિશ્વાસને જગાડવો પડશે. નવા વિચારો સમાજમાં લાવવા પડશે. સંશોધનને મહત્વ આપવું પડશે. દરેક ક્ષેત્રોમાં સાથે મળી વિકલ્પો વિચારવા પડશે. જેમ દર વરસે ગણેશ-વિસર્જનકરીએ છીએ આપણી વ્યક્તીપુજાની આદતને વિસર્જિત કરવી પડશે.(બવ બધું કરવું પડે તેમ છે કેમ?) તો જ આપણે આપણને નડતા પ્રશ્નો ના ઉકેલો મેળવી શકીશું. કોઈ એક વ્યક્તિ ક્યારેય આપણી ઉદ્ધારક બનવાની નથી આપને જ આપણા ઉદ્ધારક બનવાનું છે. આપણને નડતી મુશ્કેલીઓના ઉપાયો શોધવા નવેસરથી પ્રયત્નો કરવાના છે. નવા વિચારો ને આવકારવા તૈયાર રેવાનું છે ને એના માટે કોઈની પણ પાછળ ભાગવાનું નથી પણ નવો રસ્તો કંડારવાનો છે. આંધળા બની અનુકરણ કરનાર ઘેટા નથી બનવાનું પણ જંગલમાં મુક્ત ફરતા સાવજબનવાનું છે. કોઈ એક વ્યક્તિ જ્ઞાતિના જોરે કુદી આંદોલનો કરવાનું કહે એટલે આંદોલનો કરવા નથી નીકળી પડવાનું પણ આપણી અંદર એક આંદોલન ઉભું કરવાનું છે, જેથી આપણે વિકાસના પંથે આગળ વધી દેશની સમસ્યાઓના ઉકેલ માટે લડી શકીએ. બોલો આમીન!

 

એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.

 

ગાડરિયા પ્રવાહમાં વહી જવું એના કરતા સામા પ્રવાહે લડી લેવું સારું.

ACCORDING TO YOUR FAITH” – Matthew 9:27-31 » Bethany Bible Church

 

 

 

 

 

 

 

 

 

1 comment:

  1. ધારદાર શબ્દો દ્વારા સચોટ રજુઆત.. અભિનંદન..

    ReplyDelete

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...