Thursday, 3 July 2025

માર્કેટિંગ ગઇકાલ, આજ અને આવતીકાલ

 

      માર્કેટિંગ ગઇકાલ, આજ અને આવતીકાલ

 Creative Marketing Campaign Ideas That Work

 

 

 

  તમે ઘરમાં હોવ કે ઓફિસમાં કે પછી વિદ્યાર્થી તરીકે તમે સ્કૂલમાં હોવ કે કોલેજમાં કે બીજા કોઈ ફિલ્ડમાં તમારી આસપાસ તમે નજર કરશો તો સમજાશે કે આજે આપણી પાસે દરેક વસ્તુઓ અને સેવાઓનું સ્પેશ્યલાઈઝ બજાર છે. આપણને સૌને એ માર્કેટ સુધી લઈ જનાર માર્કેટિંગના બદલાતા માધ્યમોના ફ્લેશબેકમાં આજે આપણે જવું છે.

  સમય વિતતો ગયો તેમ માર્કેટિંગના માધ્યમો પણ બદલાતા ગયા. એમાં પણ  છેલ્લા કેટલાક દાયકાઓમાં માર્કેટિંગમાં ઝડપી પરિવર્તન આવ્યું છે. પ્રિન્ટ જાહેરાતો અને બિલબોર્ડના યુગથી લઈને સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગના યુગ સુધી, માર્કેટિંગના ઉત્ક્રાંતિને ટેકનોલોજીકલ પ્રગતિ અને બદલાતા ગ્રાહક વર્તન દ્વારા વેગ મળ્યો છે. ઇન્ટરનેટની આપણાં સૌના જીવનમાં એન્ટ્રી પહેલાં, માર્કેટિંગ મુખ્યત્વે પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન, રેડિયો અને ડાયરેક્ટ મેઇલ જેવી પરંપરાગત ચેનલો પર જ આધારિત હતું. ભારતમાં માર્કેટિંગની ઓફિસિયલ શરૂઆત ઇ.સ. 1959માં થયેલી.

    ઇ.સ. 1950ની આસપાસ એક ઠંડા પીણાની એક કંપનીએ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે મેગેઝિન અને છાપામાં રંગબેરંગી છાપેલી જાહેરાતોનો ઉપયોગ કર્યો, જેને ગ્રાહકોએ હસતાં હસતાં અપનાવી લીધી. તો ફૂડનું વેચાણ કરતી એક કંપનીએ હાઇવે પર કલરફૂલ હોડિંગસ દ્વારા ગ્રાહકો સુધી પોતાની પ્રોડકસને પહોંચાડી. જો કે આ હોડીગ્સ તો આજે પણ વસ્તુઓના માર્કેટિંગનું અસરકારક માધ્યમ ગણાય છે.

   તો ઇ.સ. 1983માં ભારતમાં સૌપ્રથમ બોમ્બે-ડાઇંગે ટી.વી. પર સૌથી પહેલી રંગીન જાહેરાત 100 સેકંડની બનાવેલી. ઇ.સ. 1980-2000 ના દસકાઓ દરમિયાન ટી.વી. પર એટલી રસપ્રદ જાહેરાતો આવતી કે Z-જનરેશનને અમુક જાહેરાતો જેવી કે હમારા બજાજ, કુછ ખાસ હે જિંદગી મે, મેગીની એડ, પારલે-જી, ફેવિકોલ,લાઈફ-બોય, નટરાજ પેન્સિલ, ફિલિપ્સ, ઓનીડા ટી.વી., થમ્સ-અપ, વગેરે વગેરે આજે પણ યાદ છે. અને જો ક્યાંક જોવા મળી જાય તો ફરીથી જોવા થંભી પણ જવાય છે.

  1990 ના દાયકામાં ઇન્ટરનેટની એન્ટ્રીથી માર્કેટિંગમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ. વેબસાઇટ્સ, ઇમેઇલ માર્કેટિંગ અને સર્ચ એન્જિન ગ્રાહકો સુધી પહોંચવા માટે નવા માધ્યમો બન્યા. એમેઝોને ઇ.સ. 1995માં સૌપ્રથમ પોતાના ઓનલાઇન બૂક-સ્ટોરની શરૂઆત કરી. અને આજે ઓનલાઈન માર્કેટિંગ અને શોપિંગ આપણાં સૌની ખરીદીનો અતૂટ હિસ્સો બની ચૂક્યું છે. 2000ની આસપાસ ડેલ કંપનીએ પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ માટે ડાયરેક્ટ ગ્રાહકના ઇ-મેઈલના ઈનબોક્સનો ઉપયોગ કર્યો. 2000 ના દાયકાની શરૂઆતમાં ગૂગલ ગુરુએ ગ્રાહકોને પટાવવા SEOને(સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન) ને જોરદાર માર્કેટિંગ વ્યૂહરચના તરીકે લોન્ચ કર્યું.

 

     2000 ના દાયકાના મધ્યમાં ફેસબુક, ટ્વિટર અને લિંક્ડઇન જેવા સોશિયલ મીડિયા પ્લેટફોમ્સે દુનિયામાં ધૂમ મચાવી દીધી. જેણે બ્રાન્ડ્સના માર્કેટિંગ અને ગ્રાહકોને 360 ડિગ્રીએ ફેરવી નાખ્યા. સોશિયલ મીડિયા માર્કેટિંગે વ્યવસાયોને વાસ્તવિક સમયમાં તેમના ગ્રાહકો સાથે સરળતાથી અને ઝડપથી જોડી દીધા. અને આજે લગભગ દરેક વ્યવસાયિકો ગ્રાહકો સુધી પહોંચવા આ સોસિયલ મીડિયાઝના સહારે છે.

    ઇનસ્ટાની રીલથી લઈને યુ-ટ્યુબ વિડિયોઝ સુધી કે પછી ફેસબૂક એક લિંકડેન થકી મોટા ભાગના ધંધાદારીઓ પોતાના સંભવિત ગ્રાહકો સુધી પહોંચી ગયા છે. સ્ત્રીઓમાં રહેલા હિડન ટેલેન્ટ અને આપણી પ્રાચીન સંસ્કૃતિને લગતી પ્રોડકટ્સ આ જ માધ્યમો થકી વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચી શકી છે.

 

  ફેસબુક પર ઠંડા પીણાની એક કંપનીએ શરૂ કરેલું શેર અ ડ્રિંક’, ટ્વિટર પર ઓરિયોએ શરૂ કરેલ ‘dunk in the dark’ અને આઈ.બી.એ. મે અપનાવેલું લિંકડેન માર્કેટિંગ આના શ્રેસ્ઠ સફળ ઉદાહરણો છે. સોસિયલ મીડિયા અને મોબાઈલે સાથે મળીને આપણી આસપાસ માર્કેટિંગનું એક એવું જાળું રચી દીધું છે કે જાહેરાતોને હવે આપણે આપણાં જીવનમાથી દૂર કરી શકીએ એમ નથી. વિશ્વની અડધી પ્રજાના ખીસ્સામાં રહેલા મોબાઈલ પણ મોબાઈલ કંપનીઓની માર્કેટિંગ સ્કીલને જ આભારી છે.

       માર્કેટિંગનો વિકાસ પરંપરાગત પદ્ધતિઓથી અદ્યતન ડિજિટલ વ્યૂહરચના સુધીની એક રસપ્રદ સફર રહી છે. આ સતત બદલાતા વાતાવરણમાં ગ્રાહકો સુધી પહોંચવાનો શ્રેસ્ઠ રસ્તો એ છે કે  નવી ટેકનોલોજી અપનાવવી, ગ્રાહક વર્તણૂકને સમજવી અને સતત નવીનતા લાવવી.

 

 

Sunday, 15 June 2025

યુદ્ધ... રોજ ક્રેશ થતી જિંદગીઑ અને માનવતા!!

 

યુદ્ધ... રોજ ક્રેશ થતી જિંદગીઑ અને માનવતા!!

Conflict in Israel and Gaza, in Photos - The New York Times

 

             પ્લેન ક્રેશ થયું, સેંકડો લોકો માર્યા ગયા. જેઓ પ્લેનમાં નહોતા બેઠા એવા પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા. વર્ષો સુધી આપણે સૌ આ દુર્ઘટનાને ભૂલી નહી શકીએ. એમાં પણ જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેઓ તો આ દુર્ઘટનાને ક્યારેય નહી ભૂલી શકે. ચારે તરફ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, તે આપણને અંદરથી હચમચાવી દે, તેવા છે. મોટા ભાગના લોકોની સમાચારો જોયા બાદ કે વાંચ્યા બાદ આંખો ભીની થઈ રહી છે. આંખોના ખૂણા લૂંછતા લૂંછતા આપણાં બધાથી આકાશ તરફ જોવાય જાય છે અને ઈશ્વરને પુંછાય જાય છે કે હે પ્રભુ આ શું થઈ ગયું?

      પણ જ્યાં છેલ્લા બે-ત્રણ વર્ષોથી રોજ જ્યાં માનવતા અને જિંદગી બંને ક્રેશ થઈ રહી છે, સેંકડો લોકો રોજ મોતને ઘાટ ઉતરી રહ્યા છે. આકાશમાથી કે પછી સૈનિકોની બંદુકોમાથી ગમે ત્યારે મોત વરસી રહ્યું છે, અને હવે નવા બે રાષ્ટ્રો વળી પાછા યુદ્ધના ઓછાયા હેઠળ આવી રહ્યા છે, ત્યારે આપણે કોની તરફ જોઈ પૂંછવાનું કે આ શું થઈ રહ્યું છે?’ યુક્રેન અને રશિયા વચ્ચે અને ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધો હજી સમાપ્ત નથી થયા, ત્યાં તો ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.

  આ બધા રાષ્ટ્રો છેલ્લા ત્રણ ત્રણ વર્ષોથી રોજ એક જ સમાચાર વાંચી રહ્યા છે. આજના યુદ્ધમાં કેટલા મર્યા અને કેટલા ઘાયલ થયા. ક્યો પ્રદેશ કોના કબજામાં આવ્યો? અને કોને ક્યો પ્રદેશ ગુમાવ્યો? પણ આ બધા વચ્ચે રોજ સેંકડો બાળકો પોતાના માતા-પિતા અને સેંકડો માતા-પિતા પોતાના બાળકો ગુમાવી રહ્યા છે? તેનો હિસાબ કોઈ નથી કરી રહ્યું? આ પ્લેન ક્રેશની હ્રદયદ્રાવક તસ્વીરો આપણે બે-ત્રણ દિવસોથી જોઈ રહ્યા છીએ, અને ઘણા તો જોઈ પણ શકતા નથી. ને આપણે ધ્રુજી જઈએ છીએ, તો જેઓ રોજ આવા દ્રશ્યો જોઈ રહ્યા છે, તેઓની સંવેદનાઓનું શું? તેઓના આંસુઓનું શું?

  ખબર નથી ક્યારે કોના શરીરના ટુકડે-ટુકડા વિખેરાઈને અલગ અલગ જગ્યાએ પડશે? ઘરમાં બેઠા છે, લોકો અને ધડ દઈને બોમ્બ કે મિસાઇલ ઝીંકાય છે અને હસતું-રમતું ઘર થોડી જ ક્ષણોમાં સુમશાન ખંડેરમાં ફેરવાઇ જાય છે. જે શેરીઓમાં રમીને મોટા થયા હોય છે, તે શેરીઓ સુની સુની થઈ જતી હોય છે. કાટમાળ નીચે દટાયેલી જિંદગીઓ શ્વાસ માંગે છે, પણ એ શ્વાસ પૂરવા વાળું કોઈ મળતું નથી. જ્યાં જિંદગીઓ રોજ કચડાય રહી છે, ત્યાં એ કચડાતી જિંદગીઓને કાંધો આપનાર પણ કોઈ નથી! યુદ્ધને લીધે સેંકડો લોકો હેંડિકેપ્ટ થઈ જતાં હોય છે.

   શેરીઓ અને ગલીઓમાં ભૂખ્યા બાળકોની ચીસ સાંભળવાવાળું કોઈ નથી. આપણે રોટલીને બદલે તેઓને ગોળીઓ અને દારૂગોળો આપી રહ્યા છીએ. છેલ્લા એક દસકામા યુદ્ધને લીધે 20 લાખ બાળકો મૃત્યુ પામ્યા છે. ઈશ્વરે માણસો પર શ્રદ્ધા રાખી આ પૃથ્વી પર મોકલેલા બાળકોને આપણે રક્તથી રંજિત દુનિયા આપી રહ્યા છીએ. એ ફૂલો ખીલે એ પહેલા જ આપણે તેઓને મૂરઝાતા જોઈ રહ્યા છીએ. રોજ નવી સવાર તેઓ માટે માત્ર ને માત્ર મૃત્યુ લઈને આવે છે.

        લોકોને પોતાના વતનને છોડીને જવું પડી રહ્યું છે. હવે એ માતૃભૂમિમાં બીજીવાર આવવા મળશે કે કેમ? એ પ્રશ્નનો જવાબ તેઓની ઉદાસ આંખો માંગી રહી છે. રશિયન સૈનિકો દ્વારા યુક્રેનની સ્ત્રીઓ પર રેપ થઈ રહ્યા છે. આવું દરેકે દરેક યુદ્ધ વખતે થાય છે. આ બળાત્કારીઓને કોણ સજા આપશે? મહાભારત થી લઈને આજના આ યુદ્ધો સુધી મુઠ્ઠીભર લોકોની મહત્વાકાંક્ષાઓનો ભોગ કરોડો લોકો બની રહ્યા છે.

  શું આપણે વિશ્વશાંતિનો મંત્ર ભૂલી ગયા છીએ? યુદ્ધોથી વેરાન થઈ ગયેલી આ ધરતીને ફરીથી સજીવન કોણ કરશે? યુદ્ધમાં અનાથ થયેલા બાળકોને માતા-પિતાનું સુખ કોણ આપશે? રોજ દારૂગોળાના ધુમાડામાં મૂંઝાતી જિંદગીઓને નવા શ્વાસો કોણ આપશે? કોણ આ યુદ્ધોને સ્ટોપ કરાવશે? કે પછી આપણા પછીની પેઢીઓને પણ યુદ્ધ અને યુદ્ધની અસરો વાળું સાહિત્ય જ ભણવું પડશે?

 

Friday, 13 June 2025

જીવી લઈએ, જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!

 

જીવી લઈએ, જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!  

Smiling Selfie On Ill-Fated Plane: A Doctor Couple And Their 3 Young  Children

 

          પ્લેન ક્રેશ થયું, સેંકડો લોકો માર્યા ગયા. જેઓ પ્લેનમાં નહોતા બેઠા એવા પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા. વર્ષો સુધી આપણે સૌ આ દુર્ઘટનાને ભૂલી નહી શકીએ. એમાં પણ જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેઓ તો આ દુર્ઘટનાને ક્યારેય નહી ભૂલી શકે. ચારે તરફ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, તે આપણને અંદરથી હચમચાવી દે, તેવા છે. મોટા ભાગના લોકોની સમાચારો જોયા બાદ કે વાંચ્યા બાદ આંખો ભીની થઈ રહી છે. આંખોના ખૂણા લૂંછતા લૂંછતા આપણાં બધાથી આકાશ તરફ જોવાય જાય છે અને ઈશ્વરને પુંછાય જાય છે કે હે પ્રભુ આ શું થઈ ગયું?

   એક કુટુંબ જે વર્ષો બાદ સેટલ થવા લંડન જઇ રહ્યું હતું, તે આખું કુટુંબ આગની જવાળાઓમાં બળીને રાખ થઈ ગયું. તેઓની પ્લેનમાં બેઠા ત્યારની સેલ્ફી સોસિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. રાજસ્થાનનું એ કુટુંબ પતિ-પત્ની અને ત્રણ બાળકો કાયમ માટે ભારત છોડીને લંડન શિફ્ટ થઇ રહ્યા હતા, જેનું ઈશ્વરે સ્વર્ગમાં શિફ્ટિંગ કરી દીધું. છેલ્લી સેલ્ફીમાં આખું કુટુંબ એકદમ ખુશખુશાલ દેખાય રહ્યું છે. નવી જીંદગીની શરૂઆત કરવા જનારને મૃત્યુ આંબી ગયું.

  આજે ફરી સાબિત થઈ ગયું કે આપણે ગમે તેટલું પ્લાનિંગ કરીએ પણ જો ઉપરવાળો નથી ઈચ્છતો તો બધા જ પ્લાનિંગ ઉંધા વળી જતાં હોય છે. બંને પતિ-પત્ની અલગ-અલગ રહેતા હતા, કૌમી વ્યાસ કે જેણી એક ડોકટર હતી, તે એક ખાનગી દવાખાનામા કામ કરતી હતી, જ્યારે કૌમીનો પતિ લંડનમાં કામ કરતો હતો. અલગ-અલગ રહી કમાઈ લઈએ, પૈસા બનાવી લઈએ પછી મોજથી સાથે જીવીશું એ માન્યતાને આ દુર્ઘટનાએ ધક્કો પહોંચાડ્યો છે.

   આપણી આસપાસ આજકાલ જે કઈ થઈ રહ્યું છે, તે જાણીને, જોઈને એવું ફીલ થવા લાગ્યું છે કે આપણી પાસે જીવવા માટે જે કઈ પણ છે, તે છે, આજ! અત્યારે આપણે જે જીવી શકીશું એ જ જિંદગી છે. જે ક્ષણોને આપણે પેન્ડિંગ રાખીએ છીએ, તે જીવી જ શકીશું એની કોઈ ગેરંટી નથી. ભવિષ્યના પ્લાનિંગમાં આજની અમૂલ્ય અને અતુલ્ય ક્ષણોને આપણે વેડફી નાખતા હોઈએ છીએ.

     બસ થોડા વર્ષો હજી થોડા વર્ષો હજી.... અલગ અલગ રહી લઈએ, પછી તો જિંદગી સેટ જ છે ને! પણ હકીકત તો એ છે કે જિંદગી છેક છેલ્લા શ્વાસ સુધી સેટલ થતી જ નથી. અને એટલે જ આજે જે મળે એ ક્ષણોને જીવી લઈએ. મોજ કરી લઈએ. હું એમ નથી કહેતી કે ભવિષ્યનું પ્લાનિંગ ના કરવું જોઈએ. બસ મારુ એટલું જ કહેવું છે કે જિંદગી સાવ ટાઈમ-ટેબલ મુજબ ગોઠવેલી ના હોવી જોઈએ. આપણી જીંદગીની ડાયરી અપોઇનમેંટ ડાયરી જેવી ના હોવી જોઈએ.

   પછી જીવી લઈશું એ શબ્દથી બને તેટલા દૂર રહીએ. ભલે થોડી ઓછી વસ્તુઓ સાથે જીવવું પડે, પણ આજે જે કઈ મળે છે, તેને માણી લઈએ. શું છે? ખુશીની પરિભાષા આપણાં સૌ માટે? બસ શાંતિથી જીવન જીવીએ અને મોજ-મસ્તી કરતાં રહીએ. આપણે મોટા બંગલામાં રહેવા, કે ફાઇવ-સ્ટાર હોટેલમાં જમવા કે પછી લેટેસ્ટ બ્રાન્ડની વસ્તુઓ ખરીદવા કે પછી હાઇ-ફાઈ લાઈફ જીવવા નથી જન્મ્યા. અરે આપણે કરોડપતિ થવા પણ નથી જન્મ્યા. આપણે તો યાર જીવવા માટે જન્મ્યા છીએ.

  અને જીવવાથી જ મોટા ભાગની ખુશીઓ આપણાં જીવનમાં એન્ટ્રી લેતી લઈ લેતી હોય છે. દરેક ક્ષણોની સેલ્ફી લેવી જરૂરી નથી પણ દરેક ક્ષણોમાં સેલ્ફને જોડવો જરૂરી છે. દુર્ઘટનાઓ પર આપણો કોઈ જ કંટ્રોલ નથી, ખુદની બીજા સાથે સરખામણી ના કરવા પર આપણો કંટ્રોલ છે જ...

  કોની કેટલી મિનિટમાં કેટલી આવક છે? તેઓની એક સેકન્ડ કેટલી કિંમતી છે? એ માત્ર આંકડાઓ છે. અગત્યનું તો એ છે કે આપણે એ ક્ષણોમાં જીવ્યા કેટલું? જે કઈ ભેગું કર્યું છે, તેને પામ્યા કેટલું? અમુક બાબતો ક્યારેય માપી શકાતી નથી, બસ પામી જ શકાય છે. જીવનનું પણ એવું જ છે. જીવી લઈએ, જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!  

 જે આપણે જીવતા નથી, એ વેડફાય જતું હોય છે. રીટાયર્ડ થઈને જીવી લઈશું, જીવનની છેલ્લી ક્ષણો સાથે જીવી લઈશું. આજે નહી કાલે જીવી લઈશું. સાલું આ ગણિત જ ખોટું છે. અને ગણિતનો તો નિયમ છે, પહેલું સ્ટેપ ખોટું, તો આખો દાખલો ખોટો....

Saturday, 7 June 2025

કોઈને મદદ કરતાં પહેલા......

કોઈને મદદ કરતાં પહેલા...... 

 What the dark side of helping people who have a serious health issue is  like – Part 1

 

 

            થોડા દિવસો પહેલા એક દુકાનેથી વસ્તુ લેતા સમયે એક લઘર-વઘર અને ગંદુ બાળક દુકાનમાથી ખરીદી કરી રહેલા લોકો પાસે ભીખ માંગી રહ્યો હતો. ઉભેલા લોકોમાથી એક-બે જણાએ તેને થોડા પૈસા આપ્યા. મને એમ હતું કે તે ભૂખ્યો હશે, એટલે સામે રહેલી ખાણી-પીણીની લારીમાથી કશુંક લઈને ખાશે. પણ એવું ના થયું. તે તો એ પૈસાથી ગુટકા લઈને ખાવા માંડયો. એવી જ રીતે કોઈ મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને આપણે ખાવા માટે બિસ્કીટના પેકેટસ આપીએ તો તેઓ એ પેકેટ્સ વેચીને એમાથી જે પૈસા મળે, તેમાથી પોતાનું વ્યસન સંતોષતા હોય છે.

   આપણાં દેશમાં ખરેખર કેટલીક વસ્તી એવી છે, જે કારમી ગરીબીમાં જીવે છે, તો સાથે સાથે મધ્યમ વર્ગમાં પણ એવા ગરીબ લોકો છે, જેઓને અમુક પ્રકારની મદદની જરૂર હોય છે. પણ તેઓ કોઈ પાસે માંગી શકતા નથી. હકીકત તો એ  છે કે ગરીબો માટે સરકારની અનેક યોજનાઓ છે, અને ધનીકો પાસે પૈસા. સૌથી વધુ જો આ દેશમાં કોઈ પિંસાતું હોય તો એ મધ્યમ વર્ગ છે. જેઓ માટે કોઈ જ સરકારી યોજનાઓ પણ નથી કે પૂરતા પૈસા પણ નથી.

   છેલ્લા કેટલાક વર્ષોથી આપણાં દેશમાં સમાજસેવા પ્રત્યેનું વાતાવરણ એકદમ હકારાત્મક બની ગયું છે. ગરીબ લોકોને મદદ કરવા આગળ આવનારી સંસ્થાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. જરૂરિયાતવાળા લોકોને કપડાંથી માંડીને શિક્ષણ સુધીનું, તેમજ ખોરાકથી માંડીને આરોગ્ય સુધીની સેવાઓ મફતમાં મળી રહે એવી વ્યવસ્થાઓ જુદી જુદી સંસ્થાઓ દ્વારા થતી હોય છે. પણ સૌથી મોટી સમસ્યા એ છે કે ખરેખર જે લોકો સુધી આ બધુ પહોંચવું જોઈએ, તે લોકો સુધી પહોંચતું નથી.

 અથવા તો તે એવા લોકોને પહોંચે છે, જેઓને મન આ સુવિધાઓનું મૂલ્ય રોકડી કરી લેવા સિવાય કશું હોતું નથી. તેઓ પોતાને મળતી આ સુવિધાઓનો ગલત ફાયદો ઉઠાવતા રહે છે. સોસિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મળી રહે એ માટે પણ લોકો હવે બીજાને મદદ કરી, ફોટા પડાવી એ ફોટા સોસિયલ મીડિયા પર મૂકી સંતોષનું સુખ પ્રાપ્ત કરી લેતા હોય છે. સરકારી યોજનાઓ હોય કે પછી એન.જી.ઓ. થકી મળતી મદદ હોય, આવા લે-ભાગુઓ જાજા છે, જેઓ આ મદદનો ગેરફાયદો ઉઠાવતા રહે છે.

  સોસિયલ મીડિયાના આ દેકારામા ખરેખર જેઓને જરૂર છે, તેવા લોકોનું મૌન દટાઇ જતું હોય છે. મદદ કરનારી સંસ્થાઓએ પણ પહેલા સર્વે કરાવવો જોઈએ કે અમે જે પ્રકારની મદદ કરીએ છીએ તે ખરેખર જેઓને જરૂર છે, તેવા લોકો સુધી પહોંચે છે ખરી.... જો સંસ્થાઓ આવું કશું જ કર્યા વિના મદદ કરતી રહેશે તો એ મદદનો કોઈ અર્થ જ નહી રહે. આવી સંસ્થાઓનો ઉદેશ સારો હોય છે, બસ હવે તેમણે ટાર્ગેટ સાચો નકકી કરવાનો છે.

  સેવાઓ ખરેખર જરૂરી હોય તેવા લોકો સુધી પહોંચશે તો એ સેવાઓનો સાચો અર્થ સરશે. જો કરેલી સેવાથી કોઈના ચહેરા પર ઓરિજિનલ હાસ્ય આવશે તો એ પ્રાર્થના સીધી ઈશ્વર સુધી પહોંચશે. અને આખરે તો આ બધુ આપણે એટલા માટે જ તો કરતાં હોઈએ છીએ. સામેવાળાની જરૂરિયાત સમજીને જો આપણે ચીજવસ્તુઓ પૂરી પાડીશું તો એને પણ એ વસ્તુઓ મદદરૂપ થઈ પડશે. ના જોઈતી હોય એવી વસ્તુઓના ઢગલા કરીને આપણે શું કરીશું?

  વળી મફતમાં મળતી વસ્તુઓનો ઘણીવાર બહુ બગાડ થતો હોય છે. તો આવી કોઈ વ્યક્તિઓને મદદ કરતી વખતે વિડિયોગ્રાફી કે ફોટોગ્રાફીનો આગ્રહ ના રાખીએ. કોઇની મજબૂરીને આપણાં સોસિયલ મીડિયાની પોસ્ટ બનાવીને આપણે બહુ મોટી ભૂલ કરતાં હોઈએ છીએ. દેખાડો કરીને કરેલું દાન તો ઈશ્વરના ચોપડે પણ લખાતું નથી. માટે જેને જરૂર છે, તેને જ આપીએ અને છાનું છાનું આપીએ. આપને કરેલી સેવાનો કોઈ દુરુપયોગ ના કરી જાય એ ધ્યાન આપણે રાખવાનું છે.

  વળી આવા લોકો મફતમાં વસ્તુઑ મેળવીને આળસુ પણ થઈ જતાં હોય છે. ને ઘણા લોકો તો કામધંધો છોડીને આવી વસ્તુઓનો લાભ લેવા ગોઠવાઈ જતાં હોય છે. જ્યાં જ્યાં અન્નક્ષેત્રો ચાલુ હોય છે, ત્યાં આવા લોકો જમી લેતા હોય છે. અને વ્યસનો માટે પૈસા માંગી લાવતા હોય છે. 

  હકીકત તો એ છે કે કોઈને આત્મનિર્ભર બનાવવા એ જ સૌથી મોટી સેવા છે. આવા લોકોને પગભર કરીએ અને જિંદગીમાં આગળ વધતાં શીખવીએ.

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...