Saturday 17 February 2018

વી.i.પી.કલ્ચર, આપણા ધર્મસ્થળો અને આપણે,


વી.i.પી.કલ્ચર, આપણા ધર્મસ્થળો અને આપણે,






ગયા મહીને અમે મધ્ય-પ્રદેશ પ્રવાસમાં ગયેલા.ત્યાં ઉજ્જૈનમાં ‘મહાકાલેશ્વર’ નું જ્યોર્તિલિંગ આવેલું છે. ત્યાં અમે દર્શન કરવા ગયેલા.કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી અમારો દર્શન કરવાનો વારો આવ્યો.પણ અમારે શિવલિંગથી દસ-બાર ફૂટ દુર રહી દર્શન કરવા પડ્યા.ત્યાના અમલદારો સાથે અમે ઘણું ઝઘડ્યા પણ નજીકથી દર્શન કરવા ન મળ્યા.( આટલું કષ્ટ વેઠ્યા બાદ પણ શિવલિંગના દર્શન કરવા ના મળ્યા!) છેલ્લે અમારા ગ્રૂપ માંથી માત્ર એક વ્યક્તિને દર્શન કરવાનો મોકો મળ્યો. એ અમારું મીની-આંદોલન બંધ કરવાનું મહેનતાણું હતું! એક સામાન્ય માણસ માટે ‘ઈશ્વર’ કેટલો દુર હોય છે, એ તે દિવસે ખબર પડી. એવું લાગે છે આ દેશમાં સામાન્ય માણસ માટે જ લાઈનો બનાવવામાં આવી છે. ત્યાં ઉભેલા ભાઈએ એવું કહ્યું. અમે શું કરિએ ઉપર ફરિયાદ કરો. આ ઉપર એટલે ક્યાં ઉપર? સમજી જજો યાર..અધિકારીઓ પૈસા લઇ પૈસાદાર માણસોને અને વગ વાળી વ્યક્તિઓને કોઈપણ જાતની લાઈન વિના દર્શન કરાવી રહ્યા હતા. જે લોકો કલાકોથી લાઈનમાં હતા એ બહાર અને જેઓ વી.i.પી.હતા તેઓ અંદર! શોલેના ગબ્બરસિંગની જેમ ડાયલોગ મારવાનું મન થઇ આવે, “ बहोत ना-इन्साफी हे” પણ ખરેખર તે દિવસથી નક્કી કર્યું કોઈ પણ મોટા મંદિરે દર્શન કરવા જવું નહિ. એના કરતા આપણી અંદર રહેલ ઈશ્વર સારા. લાઈનમાં તો ઉભા ના રાખે. એ મંદિર ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાનું એક મંદિર છે. એવું માનવામાં આવે છે કે એ સર્વશક્તિમાન ‘શિવ’નો વાસ એમાં હોય છે. ‘શિવ-મહાપૂરાણ’ મા એની પૂરી વાર્તા છે. અને આપણા ગૂગલ-ગુરુ પાસે પણ છે.વાંચજો. અરે યાર  જ્ઞાન સાથે ગમ્મત! ok મૂળ વાત પર આવીએ. જેમાં શિવનો વાસ હોય એ ઘર સૌને જોવું જ હોય ને! નાનપણથી જે ઈશ્વરની વાત સાંભળતા આવ્યા હોય એનું ઘર જોવાની કુતુહુલતા તો હોવાની જ ! પણ અફસોસ અમેં એ ઘર નજીકથી ના જોઈ શક્યા. અને એનાથી પણ વધુ દુખ અમારી સાથે થયેલા ભેદભાવનું છે.
 મંદિર હિંદુ ધર્મમાં અતિ પવિત્ર ધર્મસ્થળ ગણાય છે. તમામ લોકો જે ઈશ્વરમાં માને છે, તેઓની શ્રદ્ધા આ સ્થળ સાથે સંકળાયેલી હોય છે.અને આ સ્થળોએ પણ જો આવો ભેદભાવ અને વી.i.પી. કલ્ચર જોવા મળે તો લોકોનો એ સ્થળ પર વિશ્વાસ ઉઠી જાય. અત્યારે દેશમાં દરેક ધર્મસ્થાનોમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને જે ધર્મસ્થાનો અતિ પ્રસિદ્ધ હોય તે સ્થળોએ આવું ખાસ જોવા મળે છે. જાણે એવું લાગે ઈશ્વર પણ લોકોનો હોદો,પૈસો જોઇને દર્શન આપતા હશે.એના દરબારમાં બધા સરખા એવું આપણે હમેંશા સાંભળતા આવીએ છીએ, પણ ખરેખર એવું જોવા મળતું નથી.ખાસ કરીને કોઈ મોટા નેતા કે સેલેબ્રેટી દર્શને આવે ત્યારે પ્રોટોકોલના નામે સામાન્ય માણસોને હાલાકી ભોગવવી પડે છે.જાણે એ લોકોને જ દર્શન કરવાનો અધિકાર હોય એવું લાગે છે! ભગવાન માત્ર તે લોકો માટે જ ધર્મસ્થાનોમાં બેઠા હોય એવું લાગતું રહે છે. એક તો ઈશ્વરનો કોન્સેપ્ટ જ આપણા સૌના મગજમાં અધુરો છે, ને એમાં વળી આપણે એવું અનુભવીએ એટલે એ કોન્સેપ્ટ વધુ અસ્પષ્ટ બની રહે છે.જેની પાસે કોઈ વગ ના હોય એને લાઈનમાં ઉભા રહેવા છતાં દર્શન કરવાનો અધિકાર મળતો નથી. આ તો કેવું વી.i.પી. કલ્ચર કે માત્ર થોડા લોકોના લીધે મોટા વર્ગને નુકસાન ભોગવવાનું. જાણે સામાન્ય માણસોના સમય, હોદા નું કઈ મહત્વ જ ના હોય એવું લાગે છે. શું ઈશ્વર પણ આ બધું જોઇને જવાબ આપતો હશે. કે પછી એના ચોપડામાં પણ કોઈ વી.i.પી. લીસ્ટ હશે. આપણા દેશમાં દરેક સ્થળે આ પરિસ્થતિ જોવા મળે છે. જેની પાસે પૈસો અને વગ હોય એ હમેંશા આવા વધારાના લાભો મેળવતા રહે છે. તમે જ વિચારજો કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ કોઈ વચ્ચેથી આગળ જતું રહે તો આપણી સૌની શું હાલત થાય? સ્કૂલ,કોલેજના એડમિશનના ફોર્મ ભરવાના હોય કે કોઈ અન્ય જગ્યાની લાઈન હોય આવા વી.i.પી. લોકોનો ત્રાસ હમેંશા સામાન્ય માણસોને સતાવતો રહે છે.અને આપણે ગુસ્સો સિવાય કશું કરી શકતા નથી.


જે મંદિરોનું મહત્વ વિશેષ છે, એવા ધર્મસ્થાનોમાં લોકો સૌથી વધુ શ્રદ્ધા સાથે દર્શન કરવા આવતા હોય છે. ઘણા લોકોનું નાનપણનું સપનું હોય છે, આવા સ્થળોની મુલાકાત લેવાની અને લોકો કેટલી અપેક્ષા સાથે આવા સ્થળોની મુલાકાતે આવતા હોય છે. અને કોઈ વી.i.પી. ને લીધે તેઓને દર્શન કરવા ના મળે તો શું થાય કદી તમને પણ આવો અનુભવ જરૂર થશે.હકીકત તો એ છે કે જે ધર્મસ્થળો પર લોકોને આટલો વિશ્વાસ હોય, ત્યાંથી એને એવું ફિલ થવું જોઈએ કે અહી તો બધા એકસરખા જ ગણાય છે.એને બદલે અહી પણ તેને અસમાનતાનો અનુભવ થાય છે. જે ઈશ્વરને એ સર્વસ્વ માને છે, એની પાસેથી જયારે આવી ઉપેક્ષા મળે તે કોના પર વિશ્વાસ રાખે.મહાભારતમાં એક પ્રસંગ છે, જયારે કૃષ્ણ ભગવાન યુદ્ધ ના થાય એની સંધી માટે આવે છે, ત્યારે દુર્યોધનના મહેલોમાં રહેવાને બદલે વિદુરના ઘરે રહે છે. આ પ્રસંગ વાંચતી કે જોતી વખતે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વર તો ભાવનો ભૂખ્યો હોય છે, પણ વાસ્તવિકતા કઈક અલગ જ જોવા મળે છે. અત્યારના ધર્મસ્થાનોમાં ભગવાન જાણે ભોગ અને પૈસાને આધારે જ દર્શન આપતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ઘણા ધર્મસ્થાનોમાં તો આવી રીતે દર્શન કરાવવા ખાસ માણસો કામ કરતા હોય છે,જે કમીશન લઇ દર્શન કરાવતા હોય છે. હવે વિચારો આ સ્થળ અને ધંધાના સ્થળમાં ફેર શું રહી ગયો? જયારે ઘણા ધાર્મિક સ્થળોએ વી.i.પી. દર્શન ની અલગ લાઈનો જોવા મળે છે, એ લાઈનમાં ઉભા રહેલા લોકોને સૌથી પેલા દર્શન કરવા મળે છે. તો જે લોકો કલાકો સુધી એક અખૂટ શ્રદ્ધાથી લાઈનમાં ઉભા રહે છે કે ઈશ્વર ક્યારે જોવા મળે એનું શું?
આપણા ધાર્મિક સ્થાનોએ તમને એક મેનુ પણ જોવા મળશે.જેમાં જુદા-જુદા પ્રસાદ માટે અને પૂજા કે કર્મકાંડના ભાવો લખેલા હોય છે. જેઓ એ મેનુમાંથી કોઈ item પસંદ કરે છે, તેઓને પણ વી.i.પી. સવલતો મળે છે.ઘણા મંદિરોમાં એટલી ભીડ હોય છે કે લોકોને માંડ માંડ દર્શન કરવા મળતા હોય છે, અને એમાં કોઈ લાઈન તોડી આગળ જતું રહે, ત્યારે થાય આના કરતા કોઈ ધાર્મિક ચેનલ પર દર્શન કરી લેવા સારા. જે લોકો પાસે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ છે, એને શું કરવાનું? થોડી વાર ઝઘડી પછી હતા ત્યાં ને ત્યાં. હકીકત તો એ છે કે જેટલો હક વી.i.પી. લોકોને દર્શન નો હોય છે, એટલો સામાન્ય માણસોને પણ છે અને એ હક તેઓને મળવો જોઈએ. દરેક ધાર્મિક સ્થળોએ એક જ લાઈન હોવી જોઈએ.કોઈ વ્યક્તિ ગમે તેટલી વગ ધરાવતી હોય કે ધનવાન હોય દરેક માટે એક જ લાઈન હોવી જોઈએ.અને દરેક માટે એ લાઈનમાં ઉભું રહેવું ફરજીયાત હોવું જોઈએ. જો ખરેખર ઈશ્વર માત્ર હૃદય નું જ સાંભળે છે, તો આ ઉત્તમ વ્યવસ્થા છે. અને જો એ પણ વગ જોઈ કે પૈસો જોઈ દર્શન આપે છે, તો એ આપણા થી અલગ નથી અને એ ભગવાન કે અલ્લા કે ઈશુ કે કોઈ અન્ય પંથના ઈશ્વર નથી.કેમ ખરું ને? કોઈ સજેશન હોય આ વ્યવસ્થા સુધારવા તો જરૂર કહેજો.ok અને આપણે પણ એકવાત યાદ રાખીએ ઈશ્વર કદી કોઈને સ્ટેટસ કે પૈસો જોઇને દર્શન નથી આપતો એવી શ્રદ્ધા રાખીએ અને આનો વિરોધ કરીએ.જરૂર નથી આવી બાબતોમાં પણ બીજાને અનુસરવું જ પડે. કોઈ ગરીબ કે જરૂરિયાત વાળાને મદદ કરજો એની ‘હોટલાઈન’ તમારા માટે કાયમ માટે ખુલી જશે.  અને એ જ ઈશ્વર સુધી પહોચવાની વી.i.પી. લાઈન બની રહેશે. જે લોકો વી.i.પી. ની યાદીમાં આવે છે, તેઓ ખાસ યાદ રાખે તેઓ ઈશ્વરના દરબારમાં ક્યારેય વી.i.પી. નથી બનવાના!
“Anyone who thinks sitting in church can make you a Christian must also think that sitting in a garage can make you a car.”
― Garrison Keillor










Wednesday 31 January 2018

ઓનર કિલિંગ અને આપણે,

ઓનર કિલિંગ અને આપણે,



        આજનો માણસ આધુનિક માણસ ગણાય છે.ભણેલો, ગણેલો,સુસભ્ય અને સુવિકસિત એ આજના માણસની ખાસિયત ગણાય છે. આજે આપણી પાસે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી છે.એટલી સોસીયલ સાઈટસ છે કે માણસને એકલું ના લાગે.( છતાં લાગે છે એ કૌંસમાં રાખું છું) આપણે બીજા ગ્રહો પરના જીવનને સમજવામાં પડ્યા છીએ. ક્યાં ગ્રહ પર વસવાટ હતો કે વાતાવરણ છે કે નહિ? વગેરે કોયડાઓ ઉકેલવા માટે આપણે અબજો રૂપિયા ખર્ચી કાઢીએ છીએ. સતત નવા સંસોધનો માનવજીવનને વધુ ને વધુ સુખ અને સગવડ આપવાની સ્પર્ધામાં ઉતર્યા છે. અને હજી એ પ્રવાહ ચાલુ જ છે. રોજ કઈક નવું શોધતું રહે છે, મને લાગે છે ભવિષ્યમાં લાગણીઓ અને સ્નેહ માપવાના મશીન પણ આવશે. જેમ મશીનથી આપણે બી.પી. અને ડાયાબીટીસ જેવા રોગો માપીએ છીએ, સંવેદનાઓ માપવાનું પણ મશીન આવશે! રોબોટ ટેકનોલોજી પણ આપણા જીવનમાં આવવા થનગની રહી છે.કૃત્રિમ બુદ્ધિ વિકસાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.ટુકમાં આપણે સઘળું મશીનને સોપી દેવાના મૂડમાં આવી ગયા છીએ.ટેકનો એજમાં બધું જ આપણે ટેકનોલોજીને શરણે ચડાવી દીધું છે,એક ટેકનોલોજી વાપરીએ અને સમજીએ ત્યાં બીજી આવી જાય છે. બજાર તમામ પ્રકારની ચીજોથી ઉભરાય રહ્યું છે,પણ એક ક્ષ્રેત્ર એવું છે, જ્યાં આ ટેકનોલોજી પ્રવેશી નથી. તમને થશે હજી પણ કોઈ એવું ક્ષ્રેત્ર બાકી છે ખરું જ્યાં આધુનિકતા નથી આવી! માન્યમાં નથી આવતું ને? પણ છે એવું ક્ષેત્ર જ્યાં હજી આપણે જૂની સદીઓમાં જૂની પરંપરાઓ સાથે જીવી રહ્યા છીએ. જ્યાં હજી ઝડતા જોવા મળે છે. જ્યાં હજુ ઘણું બદલાવવાનું બાકી છે, જ્યાં આધુનિકતા પ્રવેશી નથી.જ્યાં પરિવર્તનો આવતા નથી. જ્યાં રીતી-રીવાજો બદલાતા નથી. ગમે તેવી ટેકનોલોજી પણ જ્યાં અસ્તિત્વ ધરાવતી નથી. એ ક્ષ્રેત્ર છે, આપણા વિચારોનું ક્ષ્રેત્ર, આપણી જૂની-પૂરાણી પરંપરાઓનું ક્ષ્રેત્ર અને જેમાં આપણે વસીએ છીએ એ સમાજનું ક્ષ્રેત્ર! વૈચારિક રીતે આજે પણ આપણે ત્યાં જ છીએ,જ્યાં સદીઓ પેલા હતા. આપણા વિચારોનું time-મશીન એ જુના સમયમાં જાણે સ્થગિત થઇ ગયું છે.
 હું એક સવાલ પૂછું તમને સૌને, શું નવા વિચારો આપણને કદી આવતા જ નથી? આપણે ગ્રહો,લઘુગ્રહો,ઉપગ્રહોને સમજી શક્યા છીએ,પણ આપણા પૂર્વગ્રહો ખોટા છે એ સમજી શકતા નથી.ને હવે બીજો સવાલ પૂછું છું, માતા-પિતાને સૌથી વધુ પ્રેમ કોના પ્રત્યે હોય છે? તમે કહેશો, પોતાના સંતાનો પ્રત્યે. સરળ જવાબ છે. પણ ઘણા માતા-પિતા માટે આ સાચું નથી. કારણ તેઓ માટે સૌથી અગત્યની તેઓની આબરૂ હોય છે. અને એટલે જ કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને ‘ઓનર-કિલિંગ’ ના નામે પોતાની કહેવાતી આબરૂ જાળવવા પોતાના જ સંતાનોને મારી નાખતા હોય છે.મને તો એ જ નથી સમજાતું કે કિલિંગ આગળ ઓનર શબ્દ ફીટ જ કેવી રીતે બેસી સકે? અમુક જ્ઞાતિઓ અને કુટુંબોમાં જેવી ખબર પડે દીકરી કોઈ ઈત્તર જ્ઞાતિના છોકરાને પ્રેમ કરે છે, માં-બાપ દીકરીને મારી નાખવા ઈચ્છે છે અને મારી પણ નાખે છે.શું પ્રેમ એ એવડી મોટી ભૂલ છે, કે માતા-પિતાએ પોતાના સંતાનોને મારી નાખવા પડે. હકીકત તો એ છે કે આપણા સમાજમાં કુટુંબની આબરુને સંતાનોના પ્રેમ કરતા પણ ઉંચી ગણવામાં આવે છે.કુટુંબની આબરુથી ઊંચું જાણે કોઈ છે જ નહિ એવું જોવા મળે છે. દરેક માતા-પિતા એવું ઈચ્છે કે મારા સંતાનો માત્ર મારી જ્ઞાતિમાં જ લગ્ન કરે.અહી પણ જ્ઞાતિ ને ઊંચ-નીચનો સવાલ આવી ઉભો રહી જાય છે. શું આપણે ધર્મ જ્ઞાતિ વગેરેની સ્થાપના માણસ માટે કરી છે કે પછી માણસ માટે આ બધું છે? દરેક બાબતમાં માણસને નિમ્ન ગણી તેની સાથે આવો ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. શું ઘરની આબરૂ દીકરી કરતા પણ ઉંચી હોય છે? હરિયાણા જેવા રાજ્યોમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. જેન NH-૧૦ મુવી જોયું હશે આ સમસ્યા જોઈ હશે. ક્યાં સુધી આપણે આવી ખરાબ બાબતોને સ્વીકારતા રહીશું? શું નવા વિચારો કદી આપણને આવું કૃત્ય કરતા નહિ રોકે? જ્ઞાતિના વાડા એટલા મજબુત કરી ક્યાં સુધી આપણે દીકરીઓ સાથે અન્યાય કરતા રહીશું? જો દીકરી જ ઘરની આબરૂ ગણાય તો પછી શા માટે એની આબરૂ લુંટાતી હોય ત્યારે આપણે ચુપ હોઈએ છીએ? એ બાબતમાં તો કોઈનું ઓનર કદી ઘવાતું નથી.
Image result for honour killing images
  ઘણા માં-બાપ દીકરીને મારી નાખવા ઝેર કે એસીડ જેવા પદાર્થોનો ઉપયોગ કરતા પણ અચકાતા નથી. ફાંસી આપી દેવી. અને ઘણી જ્ઞાતિઓમાં તો છોકરા-છોકરી બંને ને મારી નાખવામાં આવે છે.જો છોકરા-છોકરીએ ભાગીને લગ્ન કરેલા હોય તો એને પકડીને મારી નાખવામાં આવે છે,. આવો ન્યાય કરનાર સમાજ કદી પ્રગતિના પંથે જઈ શકે નહિ. જે સંતાનોને નાનપણમાં દૂધ પીવડાવી મોટા કર્યા હોય તેને ઝેર કે એસીડ પાય મારી નાખતા શું માં-બાપનું કાળજું નહિ કંપતું હોય? જે હાથ માત્ર સંતાનોના ભલા માટે પ્રાર્થના કરતા હોય એ એને મારી નાખવા કેમ ઉપડતા હશે.એવી તો માં-બાપને શી મજબૂરી હશે કે ઓનર-કિલિંગ કરવું પડે! હકીકત તો એ છે કે સમાજ, જ્ઞાતિ, વગેરે એ માણસને સાવ ઝાડ બનાવી દીધો છે.એને એક એવા ઊંડા કુવામાં નાખી દીધો છે, જ્યાંથી તે બહાર આવી શકતો નથી.
 નાના ગામડાઓમાં તો ઓનર-કિલિંગ એક ફેશન થઇ ગઈ છે. હાલતા છાપામાં આવા કિસ્સાઓ વાચવા મળતા રહે છે. કેટલાય તો બહાર પણ નહિ આવતા હોય. માતા-પિતા જેને આપણી સંસ્કૃતિએ ઈશ્વરની ઉપમા આપી છે, એ જયારે આવું કૃત્ય કરતા ના અચકાય તો બીજા પાસેથી શું અપેક્ષા રાખવાની? માત્ર સમાજની બીકે ખુદના સંતાનોને મારી નાખવા એ કેટલા અંશે વ્યાજબી ગણાય! વિચારજો અને કહેજો. સંતાનોને એ રસ્તેથી વાળી શકાય,સમજાવી શકાય. પણ એના માટે એને મારી નાખવા એ કોઈ કાયમી ઉકેલ નથી. માત્ર સમાજની બીકે આવું કરનાર હત્યારા જ ગણાય અને તેઓને પણ ગુનેગારની જેમ સજા આપવી જોઈએ.જેથી કોઈ બીજું આવું ના કરે.ચાલો સૌ સાથે મળી આ ખરાબ બાબતનો વિરોધ કરીએ. માતા-પિતાને અને સમાજને અને જ્ઞાતિના મહાનુભાવોને સમજાવીએ કે ‘ઓનર-કિલિંગ’ બંધ કરે. અને ખાસ તો સરકારને કહીએ કે આવા કૃત્ય વિરોધ એવો કડક કાયદો ઘડે કે લોકો સપને પણ આવું કરવાનો વિચાર ના કરે!
 Image result for honour killing images


Saturday 13 January 2018

વસ્તી અનામત અને આપણે,

વસ્તી અનામત અને આપણે,




  અત્યાર સુધી જુદા-જુદા વિષયોમાં આપણે એવું શીખતા રહ્યા કે, “વસ્તી-વધારો” કોઈ પણ દેશમાં દરેક સમસ્યાનું મૂળ હોય છે. જે દેશમાં વસ્તી ઓછી હોય તે દેશ વધુ વિકાસ કરી શકે છે.અને અતિ-વસ્તી ધરાવતા દેશો કદી વિકસિત થઇ શકતા નથી કારણકે વિશાળ વસ્તીની જરૂરિયાતો પૂરી કરવી કોઈ પણ રાષ્ટ્ર માટે અઘરું કામ થઇ પડે છે, અને એમાં પણ જો દેશમાં આપણા જેટલી વિવિધતા અને વિચિત્રતા હોય તો દેશ માટે વિકાસ સાધવો હમેંશા મુશ્કેલ થઇ પડે છે.આપણને ઘણીવાર એક પ્રશ્ન થાય કે એવું કયું પરિબળ છે, કે આપણને આઝાદી પછી શા માટે એવું લાગે છે કે આપણો વિકાસ થયો જ નથી. દેશની કુલ વસ્તીનો ૨૬% હિસ્સો હજી આજે પણ ગરીબી-રેખા નીચે જીવી રહ્યો છે. દેશનું આંતરમાળખું આજે પણ નબળું ગણાય છે. અનામત જેવી સમસ્યાઓ આજે પણ ક્યાય સરકાર ઉથલાવવા સક્ષમ ગણાય છે. ધર્મના નામે ઝઘડા હજી શમ્યા નથી. દહેજ-પ્રથા, ભ્રૂણ-હત્યા,બળાત્કાર,સ્ત્રી-શોષણ,જેવી સમસ્યાઓ આજે પણ હતી ત્યાં ને ત્યાં જ છે. ને વળી પ્રદુષણ,આંતકવાદ,જેવી નવી સમસ્યાઓ તો એન્ટર થતી જ રહે છે.અત્યાર સુધી એવું લાગતું કે આ બધી સમસ્યાઓ આપણી મુખ્ય સમસ્યાઓ છે, પણ ખરેખર આ બધી સમસ્યાઓને જન્મ આપનાર એક મુખ્ય સમસ્યા છે, જે ચૂંટણી સમયે જ બહાર આવે છે.અને એ છે. “ વસ્તી-અનામત” જેને આપણે બીજા શબ્દોમાં “જ્ઞાતિવાદ” તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગના વાહનો પાછળ જ્ઞાતિનું લેબલ મારેલું હોય છે, પણ ક્યાય “ હું ભારતીય છે” એવું લખેલું હોતું નથી. જે બતાવે છે, આપણે બધા ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદના અને વસ્તી-અનામતના ચક્કરમાં ફસાયેલા છીએ. અને આપણા નેતાઓ એ મુદ્દાને “વોટબેંક” માં ફેરવી પોતાનું કામ કઢાવતા રહે છે. અને એમાં વાંક નેતાઓનો નહિ પણ આપણો જ છે, જે આવી નકામી બાબતોને મહત્વ આપી મત આપતા રહીએ છીએ.
હકીકત તો એ છે કે જ્ઞાતિવાદ ને લીધે ઘણીવાર લાયક ઉમેદવાર હારી જાય છે અને જે લાયક ના હોય તે જીતી જાય છે. જેનું પરિણામ જે તે વિસ્તારના લોકોએ લાંબા સમય સુધી ભોગવવું પડે છે. એ વિસ્તારનો વિકાસ જ થતો નથી. મત આપવા જઈએ ત્યારે આપણે આ બધું સમજતા હોઈએ છીએ, પરંતુ સ્વીકારતા નથી અને મતદાન માત્ર જ્ઞાતિને આધારે જ કરીએ છીએ. આપણે જ્યાં સુધી આ ‘વસ્તી અનામત’ ને ખતમ નહિ કરીએ લાયક વ્યક્તિઓ નહિ ચૂંટાય અને આપણા દેશને સારા નેતાઓ નહિ મળે. અને જો નેતાઓ જ સારા નહિ મળે તો દેશને સારા અને સાચા માર્ગે કોણ લઇ જશે? આપના મતાધિકારનો ઉપયોગ આપણે કરવાનો હોય છે, ને વળી એ ગુપ્ત પણ હોય છે. તો એ અધિકારનો આપણે યોગ્ય ઉપયોગ કરવો જ રહ્યો.ઘણા વિસ્તારોમાં તો માં-બાપ પોતાના સંતાનોને સ્કૂલ કે કલાસીસમાં પણ જ્ઞાતિ’ જોઈને ભણવા મોકલે છે.મારું સંતાન માત્ર મારી જ્ઞાતિના શિક્ષક પાસે જ શીખે! આ માન્યતા જ કેટલી ખોટી છે. ને છતાં માં-બાપ પોતાના બાળકોને ભણાવનાર શિક્ષકોની પ્રતિભા જોવાને બદલે માત્ર ‘જ્ઞાતિ’ જ જુએ છે.હવે તો એવું થઇ ગયું છે કે જ્ઞાતિ જ વ્યક્તિનું સૌથી મોટું સર્ટીફીકેટ બની ગયું છે.જે તે જગ્યાએ જગ્યાએ રજુ કરતો રહે છે ને ખોટી રીતે આગળ વધતો રહે છે. જે લોકો પાસે જે વિસ્તારમાં વસ્તી વધુ છે તે વિસ્તારમાં તેઓ પોતાનું ધાર્યું કરાવતા રહે છે, પછી તે સાચુ હોય કે ખોટું હોય! ઘણીવાર તો વસ્તીના જોરે સાવ નકામી બાબતોને પણ તેઓ મહત્વ આપી તોફાનો, રમખાણો, કરાવતા રહે છે. ને સાવ નિર્દોષ લોકો તેનો ભોગ બનતા રહે છે.
  આપણે દરેક વખતે એવું કહી છટકી જતા હોઈએ છીએ કે ‘દેશના રાજકારણીઓ’ વસ્તી-અનામતનો ઉપયોગ કરી આપણને ઉલ્લુ બનાવી મત લય જાય છે.પણ આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? હવે તો દેશમાં શિક્ષણ વધવાને લીધે એવું કહેવાય અને મનાય છે કે લોક-જાગૃતિમાં વધારો થયો છે.તો પછી શા માટે નેતાઓ આપણો ઉપયોગ ‘જ્ઞાતિવાદના’ નામે કરી જાય! કારણ આપણામાં શિક્ષણ વધ્યું છે, પણ સમજણ વધી નથી. દરેક ચૂંટણીમાં આ શબ્દ સૌથી મોટો મુદ્દો બની ગમે ત્યાંથી આવી જાય છે ને આપણે કશું કરી શકતા નથી. અભણ, તો ઠીક પણ ભણેલા પણ આ વિષચક્ર માંથી ના તો પોતે બહાર આવે છે, ના અન્યને બહાર આવવા સમજાવે છે. હકીકત તો એ છે કે ચૂંટણી આવે એટલે ‘જ્ઞાતિવાદ’ સૌને સરમાં આવી જાય છે. ને આ ભૂત જે પાંચ વર્ષથી શાંત હતું તે પાછુ જીવતું થાય છે, ને બધાને વળગી જાય છે. આના પરિણામો સૌએ ભોગવવા રહ્યા. વળી ઘણી સંસ્થાઓમાં નોકરી માટે જ્ઞાતિવાદ સૌથી મોટી લાયકાત ગણાય છે. ઘણી સંસ્થાઓમાં તમને નીચેથી ઉપર દરેક સ્થાન પર એક જ જ્ઞાતિના લોકો જોવા મળશે. શું છે આ બધું? કોઈ સમજાવશે ખરા.આપણને સૌને ખબર છે, આ “ભાગલા પાડો અને રાજ કરો” એ અનીતિ એ જ આપણા દેશને ભૂતકાળમાં વિખંડિત કર્યો હતો. અને અંગ્રેજોએ આ જ નીતિ થકી આપણા પર વર્ષો સુધી રાજ કર્યું હતું. છતાં આપણે આપણા ઈતિહાસમાંથી બોધપાઠ લઇ આવું કશું જ શીખતા નથી ને હજુ પણ એ જ રસ્તે ચાલી રહ્યા છીએ. ક્યારે આપણને સાચા માઈલ-સ્ટોન દેખાશે અને ક્યારે આપણે સાચી મંઝીલે પહોચીશું.આવું ત્યારે જ શક્ય બનશે જયારે આપણે જ્ઞાતિ ભૂલી માત્ર દેશના વિકાસને મહત્વ આપીશું. જયારે આપણે વસ્તી અનામતને ભૂલી જઈશું પછી કોઈપણ પ્રકારની અનામત ને સ્થાન નહી આપવું પડે!

India is the land of democracy,
Not the land of autocracy,
But autocracy is still there,
Law is not believed where.

Caste system is a way,
Used to divide people on their have,
Such as Brahmins, kshatriyas,
Shudras, chandellas and vaishyas.

Brahmins, kshatriyas, vaishyas live an honoured life,
But shudras, chandellas live an honourless life.
It is bad to see shudras in the morn,
Chandellas are not even insane.

In India, caste system is touristy,
Used only by the people dirty,
Who want laws from autocracy,
Not the laws from democracy.

Law is against caste system,
Ban is put on caste system,
But still it is not abolished,
Rather it is being polished.

We have to stop this practice,
Government has given us some tactics.
Equality is becoming touristy,
Opposed by the people dirty.



Elections have equality,
Healthcare has equality,
At offices, there is equality,
At many places, there is equality.

Caste system is a problem, with which we are fighting,
On which in this poem I am writing.
We have to remove this problem and remove autocracy,
And then store democracy. 
Poems by Siddhant Sharma : 2 / 17




Tuesday 5 December 2017

બાળકો,મુલ્યો અને આપણે







 આ વખતે અમારી સ્કૂલમાં ૧૧માં ધોરણમાં એક નવો વિદ્યાર્થી આવેલ છે, જે ડોક્ટરની ભૂલને લીધે જોઈ શકતો નથી. એના માતા-પિતાએ અલગ સ્કૂલમાં ભણાવવાને બદલે નિયમિત સ્કૂલમાં ભણાવવા મુક્યો. છોકરો હોશીયાર છે, બધું સમજે છે. શિક્ષકો જે ભણાવે, તે શીખે પણ છે.પણ મારે તમને વાત કરવી છે,ક્લાસના એવા વિદ્યાર્થીઓની જે તેને દરેક કામમાં પુરેપુરી મદદ કરે છે.હમણાં તેના ક્લાસમાં મારે પ્રોક્ષી હતો,બધા છોકરા ટેસ્ટ લખતા હતા,આ છોકરો બોલતો હતો અને તેની બાજુમાં બેઠેલો છોકરો તે જવાબ આપે તેમ લખતો હતો.એ છોકરો હમેંશા તેને સ્કૂલના દરેક કાર્યમાં મદદ કરે છે.રીસેસમાં પણ તેની સાથે રહે છે,ને ક્યારેક પ્રાર્થના હોલમાં કોઈ કાર્યક્રમ હોય તો તેનો હાથ પકડીને લઇ આવે. એ છોકરો તેનો સાચો મિત્ર બની રહે છે. આવી જ રીતે હું જયારે આ પેલા બીજી સ્કૂલમાં ભણાવતી ત્યારે પણ નવમાં ધોરણમાં એક છોકરો, તેના દિવ્યાંગ મિત્રને આવી જ રીતે મદદ કરતો.તે ચાલી ના શકતો,તો હમેંશા એની સાથે રહી તેને પગથીયા ચડવામાં મદદ કરતો, જ્યાં સુધી એને ક્લાસમાં પહોચાડી ના દે એની સાથે ને સાથે જ રહેતો.હમણાં સ્કૂલમાં ઉપરા-ઉપરી બે દિવસ બે છોકરાઓએ તેમણે મળેલા પાકીટ પરત કર્યા,જેમાં મોટી રકમ હતી. અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ એકદમ ગરીબ કુટુંબમાંથી આવે છે,જેઓના માતા-પિતા કાળી મજુરી કરી પોતાના બાળકોને ભણાવે છે.છતાં પ્રામાણિકતા તેઓમાં સચવાય રહી છે. ઉપરના બધા દાખલા સૂચવે છે,કે જો બાળકોને આપણે સારા કામ સોપીએ તો તેઓ હોશે-હોશે કરે છે. તો પછી એવી કઈ ઉમર છે, જયારે બાળકો ગલત રસ્તે વળી જાય છે?
હકીકત તો એ છે કે બાળકો કોરી સ્લેટ જેવા હોય છે,જેવું આપણે લખીશું એવું લખાશે. કોઈપણ નાના બાળકને અસત્ય કોને કહેવાય? ચોરી એટલે શું? અપ્રમાણિકતા એટલે શું? વગેરે બાબતોની ક્યાં ખબર હોય છે,એ તો આ સમાજમાંથી જ શીખે છે,ને આમપણ કોઈપણ નાનું બાળક નિરીક્ષણ સૌથી વધુ કરી અનુકરણ પણ સૌથી વધુ કરે છે. હવે એ કોનું અને કેવું અનુકરણ કરે એ આપણે જાણવાનું અને સમજવાનું હોય છે.કોઈપણ બાળક તેના ઘરના સંસ્કારનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ કરતો હોય છે.સારું શીખવીએ તો સારું અને ખરાબ શીખવીએ તો ખરાબ! હવે એને શીખવવું શું એ આપણે નક્કી કરવાનું હોય છે.આપણે બાળકને ના પાડીએ કે તારે ખોટું નહિ બોલવાનું, ને પછી બે જ મીનીટમાં કોઈક નો કોલ આવે તો આપણે ખોટું બોલીને સામેવાળાને ટાળતા હોઈએ છીએ. એ બાળક જુએ છે ને ખોટું બોલતા શીખે છે. આવી નાની નાની બાબતો આપણે ઇગ્નોર કરીએ છીએ,પણ બાળક એને ઈમીટેટ કરતુ રહે છે.અને ધીમે ધમેં ખોટું બોલતા શીખી જાય છે. અને અંતે એ ટેવમાં બદલાઈ જાય છે.સ્કૂલે પરીક્ષા હોય ત્યારે ચોરી કરીને પાસ થવાનું શું બાળકો ટ્રેનીંગ લઇ શીખે છે,નહે આપણે જ શીખવીએ છીએ. કે ના આવડે તો બાજુમાં જોઈ લેવાનું કે ચોરી કરી લખી લેવાનું. એ જ બાબત આગળ જતા એને “ ભ્રષ્ટાચાર” કરતા શીખવે છે, જીંદગીમાં જે ના મળે ગલત રસ્તે મેળવી લેવું એવી ગ્રંથી બાળકોના મગજમાં ભરાઈ જાય છે.આવી જ રીતે તે બાકીના તમામ ખોટા રસ્તા પર ચાલતા શીખી જાય છે.
અને મેં ઘણીવાર જોયું છે,સાધન-સંપન ઘરના બાળકો પણ ચોરી કરતા હોય છે. જેઓના ઘરમાં સઘળું હોય,છતાં તેઓ નાની નાની વસ્તુઓની ચોરી કરતા હોય છે.બધું હોવા છતાં શા માટે તેઓ આવું કરતા હશે? કારણ માતા-પિતા તેઓની તમામ જરૂરિયાતો પૂરી કરતા હોય છે, એથી જયારે જરૂરિયાતો પૂરી ના થાય ત્યારે તેઓ ચોરી અને અપ્રામાણિકતા શીખી જાય છે.બહુ નાની નાની વાતો હોય છે, જેને કારણે બાળકો દુર્ગુણો તરફ વળી જાય છે,પણ આપણે ધ્યાન આપતા હોતા નથી.આપણે એ સમજવું પડશે કે બાળકોની અમુક જરૂરિયાતો પૂરી ના થાય તો કઈ નઈ,પણ સંસ્કારોની જરૂરિયાતો ચૂકાવી જોઈએ નહિ.માતા-પિતા સંતાનોને મોંઘી વસ્તુઓ નહિ આપે તો ચાલશે,પણ મોંઘા સંસ્કારો આપવા પડશે.હકીકત તો એ છે કે બાળકોમાં મૂલ્યોનું ઘડતર “ઘરશાળા” માં જ સૌથી વધુ થઇ શકે તેમ છે.જો કુટુંબમાં બાળકોને સારા મૂલ્યોનું શિક્ષણ મળી રહેશે તો એ બાળક એક સુઘડ અને સંસ્કારી નાગરિક બની દેશના ઉજવવળ ભવિષ્ય માં પોતાનો ફાળો આપી શકશે. જો આપણે બાળકોને પ્રામાણિકતાના રસ્તે ચાલતા શીખવવું હશે તો પહેલા આપણે એ રસ્તે ચાલવું પડશે.આપણે એ રસ્તે તેઓના પથદર્શક બનવું પડશે. આપણે ખુદ આપણા ઉદાહરણો સેટ કરી તેઓને સમજાવવું પડશે.બાકી બાળકો તો સાચું શીખવા તૈયાર જ હોય છે,માત્ર આપણે શીખવવાનું હોય છે.એ કોરી સ્લેટ પર મૂલ્યોનું લખાણ કેવી રીતે લખવું એ આપણે શીખવાનું છે.કુટુંબે શીખવેલા મુલ્યો બાળક આગળ શાળામાં કેરી ફોરવર્ડ કરી વધુ સારો જિંદગીનો દાખલો ગણી શકશે.બાળકોને તમે કયો ધર્મ પાળવો એ નહિ શીખવો તો ચાલશે પણ ‘મુલ્યો’ તો શીખવવા જ રહ્યા.
એને એ નહિ શીખવો તો ચાલશે, કે ભગવાનને દૂધ,ભોગ,કે અન્ય વસ્તુઓ ધરવી જોઈએ, પણ ભૂખ્યા અને ગરીબને ભોજન આપતા શીખવવું રહ્યું. એને કોઈ ધર્મગુરુના ચરણ-સ્પર્શ નહિ કરતા શીખવો તો ચાલશે,પણ એને વડીલોને આદર આપતા ખાસ શીખવજો. એને કોઈ ધર્મ-સ્થાનોની મુલાકાત કરતા પણ વધુ અગત્યનું વડીલો અને માતા-પિતા ની સેવા છે,એમ સમજાવજો.યાદ છે ને ગણેશના અડસઠ તીર્થો વાળી વાર્તા. એને સ્વચ્છતા,સત્ય,સ્નેહ,માનવતા જેવા ગુણોને અપનાવતા શીખવજો. કોઈને મદદ કરવી એ ઈશ્વર સુધી પહોચવાનો સૌથી નજીકનો રસ્તો છે,એવું શીખવજો. એને શેરીંગ ખાસ શીખવજો, કારણ એકલું ખાઈ લેવું એ આપણી સંસ્કૃતિ નથી.અને એક બાબત તો કહેવાની રહી જ ગઈ, ‘દેશપ્રેમ’ એની ગળથુથીમાં નાખજો,જેથી એ સૌથી ઉપર રાષ્ટ્રને રાખતા શીખે. આનાથી પણ આપણા દેશની ઘણી બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે. સમાજમાં અત્યારે મૂલ્યોનો ક્રાઈસીસ સૌથી વધુ અનુભવાય છે, ત્યારે આપણે એવા કુટુંબો અને શાળાઓ બનાવવી પડશે જે બાળકોને સદગુણો શીખવી સકે.એક પ્રયાસ તો કરી જોઈએ મુલ્ય-ઘડતર દ્વારા દેશ-ઘડતરનો!

                                                                                                                            

                                                                                                                             

Thursday 30 November 2017

સરદાર,ગાંધી,સ્વાતંત્રસેનાનીઓ અને આપણે

સરદાર,ગાંધી,સ્વાતંત્રસેનાનીઓ અને આપણે























જો અત્યારે સરદાર,ગાંધી અને અન્ય નેતાઓ જેણે દેશને આઝાદીની લડતમાં ભાગ લીધો હશે,તેઓની જો સ્વર્ગમાં મિટિંગ ભરાતી હશે, તો તેઓને દેશની હાલત જોઈ એમ થતું હશે કે “ આ દેશને આઝાદ કરાવી અમે બહુ મોટી ભૂલ કરી નાખી.” આ એ જ દેશ છે,જેના કાજે અમે અમારા બધા સુખ-દુ:ખ છોડ્યા હતા., જેલમાં ગયા હતા,અને વર્ષો સુધી લડ્યા હતા.લાઠીચાર્જ પણ વેઠ્યા અને અનેક અત્યાચારો પણ સહન કર્યા. અમે જે કઈ પણ આ દેશ માટે કર્યું એના પર આ દેશના લોકો પાણી ફેરવી રહ્યા છે. સાચું બોલજો થતું હશે ને? ચૂંટણીઓ લોકશાહીનો સૌથી મોટો માપદંડ છે,પરીક્ષા છે, ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે,જ્યાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ લડાય છે,જેથી આપણે સક્ષમ ઉમેદવારો ચૂંટી શકીએ. એવી સરકાર લાવી શકીએ જે જ્ઞાતિવાદ,કોમવાદ,અનામત કે ધર્મ જેવા ઇસ્યુ સાથે નહિ પણ દેશની સાચી સમસ્યાઓ સમજી શકે અને એનો ઉકેલ લાવી શકે.હવે તમે જ કહેજો શું આપણી ચૂંટણીઓ વખતે સાચા ઇસ્યુ ચર્ચાય છે ખરા? ઉધોગોનો વિકાસ કેમ કરવો? કૃષિ ક્ષેત્રે વિકાસ કેમ કરવો? બળાત્કાર કેમ રોકવા? ક્રાઈમ કેમ અટકાવવો? ધર્મના નામે થતા ઝઘડા કેમ રોકવા? શિક્ષણ-વ્યવસ્થામાં શું ફેરફાર જરૂરી છે? ભ્રષ્ટાચાર કેમ અટકાવવો? હમણાં જ ટી.વી.માં જોયું, ભારતમાં દર પંદર મીનીટે એક બળાત્કાર થાય છે, અને દર ત્રણ મીનીટે એક ખૂન થાય છે. હવે તમે જ વિચારો ક્યાં મુદ્દાઓ પર ચૂંટણીઓ લડાવી જોઈએ? લોકશાહીમાં પસંદગી જનતાની જ હોય છે. ગુજરાતની આ વખતની ચૂંટણીમાં મુખ્ય મુદ્દા સિવાયના દરેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ રહી છે.ખરેખર જે મુદ્દાઓ પર ચૂંટણી થવી જોઈએ એ મુદ્દાઓ તો કોસો દુર રહી ગયા છે.ક્યાય પણ ચર્ચાઓ થાય દેકારામાં અને બુમરાળમાં સાચી વાતો અને મુદ્દાઓ તો બિચારા થઇ એકબાજુ ધકેલાઈ ગયા છે.
એટલું જ નહિ આ વખતની ચૂંટણીમાં એક મુદ્દો બહુ ચાલી રહ્યો છે અને એ છે જ્ઞાતિ વાઈસ નેતાઓને વેચી લેવાનો. શું સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર કોઈ એક જ્ઞાતિના હતા? શું આંબેડકર કોઈ એક જ્ઞાતિના હતા? શું ગાંધીજી કોઈ એક જ્ઞાતિના હતા? તો પછી આજે શા માટે આ નેતાઓને કોઈ એક જ્ઞાતિ સાથે જોડવામાં આવી રહ્યા છે? શું આ બધા નેતાઓ હવે માત્ર ચૂંટણી લડવાનું અને જીતવાનું કોઈ સાધન માત્ર બની ગયા છે? તમેજ વિચારજો જે લોકો આજે આ નામોનો ઉપયોગ કરી આંદોલનો ચલાવી રહ્યા છે,શું તેઓ ખરેખર સત્ય,અહિંસા,કે એકતાના રસ્તે ચાલી રહ્યા છે ખરા? આ બધા નેતાઓ જેટલા ત્યારે નહોતા ચર્ચાયા એટલા અત્યારે ચર્ચાય રહ્યા છે. શું આ નેતાઓ “વોટબેંક” મજબુત કરનાર ડીપોઝીટ માત્ર છે આપણી માટે! મને સૌથી મોટો વાંધો એ વાતનો છે કે આ નેતાઓ કોઈ એક જ્ઞાતિના નહી પણ ગ્લોબલ છે.તેઓ સૌના છે. તેમણે આ દેશને મજબુત કરવાના સૌથી વધુ પ્રયાસો કર્યા છે. માટે તેઓ આ સમ્રગ દેશના છે.આજે આપણો દેશ અને ચૂંટણીઓ જે રસ્તે જઈ રહી છે,એ શું સાચો રસ્તો છે? જો આમાંથી કોઈપણ નેતા કોઈ ચોક્કસ જ્ઞાતિનું પ્રતિનિધત્વ કરતા હોત તો તેઓ ગ્લોબલ ના હોત.પણ આપણે જઈ જ રહ્યા છીએ ગલત રસ્તે, જ્યાં કોઈપણ રસ્તેથી જેને જે મુદ્દો મળે ઉઠાવી તેના વિશે ચર્ચાઓ કરવામાં લાગી જાય છે.દેશના તમામ સ્વતંત્રસેનાનીઓ જેમણે દેશને આઝાદ કરાવવા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા એ બધા જ સમ્રગ દેશના છે.
સરદાર પટેલ લોખંડી પુરુષ હતા પણ આપણે તેમને ખંડોમાં વહેચી નાખ્યા છે. એમના ફોટાઓ એવી જગ્યાએ લગાવવામાં આવે છે,જાણે તેઓ માર્કેટીંગ નું કોઈ પોસ્ટર હોય! મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ મારા જેવા કરોડો નાગરિકોના ફેવરીટ નેતા છે.ગુજરાતના લગભગ તમામ લેખકો અને કલાકારો તેમના વિશે વાતો કરતા રહે છે,તેઓ એટલા પ્રસ્તુત છે,જેટલા ગાંધીજી કે આંબેડકર છે. તેમની હાજરી તેમના કર્યો થકી આજે પણ આપણી સાથે છે. આ દેશમાં વસતા પ્રત્યેક દેશભક્તના તેઓ હૃદયસ્થ છે., તો પછી શા માટે “ જય સરદાર પાટીદાર” માત્ર એવું લખવાનું! એવું ના લખી શકાય “જય સરદાર સૌના સાથીદાર” સાચું કેજો આમાંથી તમને કયું વાક્ય વધુ સાચું લાગે છે. હકીકત તો એ છે કે આવા મહાન નેતાઓ કદી કોઈ કોમ કે જ્ઞાતિના નથી હોતા તેઓ સમ્રગ દેશના હોય છે.તેઓ એટલા વિશાળ હોય છે કે તેમને કોઈ એક દાયરામાં કલ્પી જ શકાતા નથી. આવું વિરાટ વ્યક્તિત્વ પૂજનીય હોય નહિ કે ચર્ચનીય! આપણે જેને અખંડ ભારતના ઘડવૈયા કહીએ છીએ એ ગર્વ એક ભારતીય નો છે.નહિ કે કોઈ એક જ્ઞાતિનો.
અત્યાર સુધી આપણે ધર્મના નામે માત્ર ભગવાનના ભાગ પાડતા, પણ હવે તો નેતાઓના પણ ભાગ પાડવા માંડ્યા છીએ. કોણ પહોચશે? આપણને.આપણા ભગવાનો મંદિર,મસ્જીદ,ચર્ચ,ગુરુદ્વારામાં ,વગેરેમાં સમાય ગયા અને આપણે ઝઘડતા થઇ ગયા. કોઈપણ ધર્મ પાળતી પ્રજા તે ધર્મનો મૂળ ઉદેશ અને ઉપદેશ જેમ ભુલાતી જાય છે,એમ આપણે પણ આઝાદી સમયે આ નેતાઓએ જે સપનાઓ જોયેલા તે ભૂલી રહ્યા છીએ.પછી એ રામરાજ્યનું હોય કે અખંડ ભારતનું કે પછી અસ્પૃશ્યતા મુક્ત ભારતનું હોય! આ સઘળું ભૂલી આપણે એવા રસ્તે જઈ રહ્યા છીએ જે પ્રગતિનો નહિ પણ અધોગતિનો છે.ઘણા અત્યારે એવું કહે છે કે આના કરતા આપણે ગુલામ હોત તો વધુ પ્રગતી કરી હોત! અરે ભાઈ લોકશાહી છે,સૌને અભિવ્યક્તિની છૂટ હોય છે.પણ ખરેખર ઘણીવાર એવું લાગે છે આપણને આ લોકશાહી સમજ્યા વગરની મળી ગઈ છે.વધુ દુખ તો એ વાતનું છે કે ભણેલા લોકો પણ એ સમજતા નથી.જો આ બધું આમને આમ ચાલતું રહ્યું તો આપણે વિકાસના પંથે કદી નહિ જઈ શકીએ.દેશને આગળ વધારવા માટે પણઓ આ રસ્તાઓ બ્લોક કરવા જરૂરી છે.કોઈપણ દેશના વિકાસનો પાયો આવા પરિબળો કદી ના બની શકે.હમણાં એ.સ.વાય. ની બુકમાં ઇઝરાયલ દેશ વિષે એક વાક્ય વાચ્યું “ કોઈપણ દેશે વિકાસ કરવા માતૃભૂમિમાં ‘પરસેવાનું’ મૂડીરોકાણ કરવું પડે છે.” આપણે આ બાબત ક્યારે સમજીશું?
જો હવે આપણે નહિ જાગીએ તો દરેક ચૂટણીમાં આવા જ બિનજરૂરી મુદ્દાઓ ચર્ચાતા રહેશે અને ઉપર બેઠેલા આપણા નેતાઓના આત્મા દુભાતા રહેશે.અને હા એક મજાક જો આ બધા નેતાઓ કોઈ એક કોમના હોય તો પછી ગાંધીજી માત્ર વાણિયાના હો! અને તો પછી એના દરેક ફોટા માત્ર વાણિયાના. જેને સમજાય હસી લેવાની છૂટ છે!


Sunday 26 November 2017

પ્રેમમાં પડેલા છોકરા,છોકરી અને આપણે,


 

  The greatest way to live with honour in this world is to be what we pretend to be.” 
― SocratesEssential Thinkers - Socrates

મારા એક વિદ્યાર્થીનું સુરતમાં ખૂન થઇ ગયું. બે દિવસ પહેલા એનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.૨૨ વર્ષનો છોકરો હતો.,બે ભાઈઓ છે. એમાં આ નાનો છે.જોયેલા ચહેરા કાયમ માટે જાય એટલે આંખ સામા તરે.એના ખૂન નું કારણ “પ્રેમ-પ્રકરણ” એ કોઈ છોકરીને લવ કરતો હતો,એ છોકરીના કાકા એ  મરાવી નાખ્યો.સવાલ એ છે કે જયારે કોઈ પ્રેમ-પરાક્રમ પકડાય વાંક શું એક જ પક્ષનો હોય છે? હું પ્રેમને પ્રકરણ નહિ પરાક્રમ માનું છું, આપણા સમાજમાં તો એ પરાક્રમ જ ગણાય! આપણે ત્યાં મોટા ભાગે જ્ઞાતિ બહારના લગ્નો સ્વીકારવામાં આવતા નથી. એમાયે અમુક જ્ઞાતિને જાણે પ્રેમ કરવાનો અધિકાર જ ના હોય એવું લાગે. પ્રેમ કરનાર જાણે કોઈ ગુનેગાર હોય એવું વર્તન કરવામાં આવે છે.કૃષ્ણ-રાધાના પ્રેમ ને હોશે હોશે ભજનાર લોકો આપણા પ્રેમ-પરાક્રમોને સ્વીકારતું નથી.ઘણા કહે છે, પેલા કરતા હવે સારું છે. માતા-પિતા માની જાય છે. તો પછી આ “ઓનર-કિલિંગ” શબ્દ આવ્યો ક્યાંથી? માં-બાપ માટે પોતાનું માન શું દીકરા-દીકરીઓના જીવ કરતા પણ વધુ વહાલું હોય છે! કે પછી તેઓને ન માનવાની સજા આપવામાં આવે છે.આનો મતલબ તો એ થયો કે સંતાનો તમારું માને તો સારું નહિ તો એ ખરાબ! હા ઘણી વાર સામેનું પાત્ર ખરાબ હોય ને માં-બાપ વિરોધ કરે તો યોગ્ય છે,પણ એવું તો ઘણીવાર એરેન્જ મેરેજ માં પણ થઇ શકે ખરું! અને ચાલો કદાચ સંતાન થી પ્રેમ-લગ્ન કરવામાં ભૂલ થઇ જાય તો શું એને માફ કરી સ્વીકારી ના શકાય? પાછા તેઓને ઘરમાં સ્થાન ના આપી શકાય? આવા સમયે જ સંતાનોને માતા-પિતા ની જરૂર હોય છે,પણ નહિ માતા-પિતા ઘરના દરવાજા કાયમ માટે બંધ કરી સંતાનોને ભૂલની સજા આપવામાં લાગી જાય છે.ને અંતે ઘણીવાર સંતાનો આત્મ-હત્યા કરી લે છે.
ને હવે નવું ચાલ્યું છે, જો છોકરી કોઈ છોકરાને લવ કરતી હોય અને કુટુંબના સભ્યોને લાગે છોકરો નીચલી જ્ઞાતિ કે પોતાના લેવલ નો નથી તો એને મારી નાખવામાં આવે છે. શું હત્યા એ દરેક પ્રશ્નનો હલ છે? કદાચ આવી ઘટનાઓ ને આપણે “ઓનર મર્ડર” પણ કહીશું. મને એ નથી સમજાતું કેવું માન અને કેવું સન્માન જે કોઈના જીવન કરતા પણ શું ઊંચું હોય શકે? માત્ર માન જાળવવા કોઈની હત્યા કરી નાખવી એ કેટલું વાજબી છે, આવા લોકોને તો જાહેરમાં ફાંસી થવી જોઈએ.અને મૂળ વાત તો એ છે કે એક પક્ષનો જ શું વાંક હોય છે? એ ૨૨ વર્ષનો દીકરો ગુમાવનાર કુટુંબની શું હાલત થઇ હશે! એ માં ની કલ્પના કરો જેને પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો હશે! એ બાપ ની વ્યથા કોણ સમજશે જેને દીકરાને ઘોડીએ ચડાવવાના સપના જોયા હશે, એને દીકરાને અર્થી પર જોયો હશે, એ ભાઈ-બહેન નું શું જેને પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવ્યો. મને એટલી ખબર પડે હત્યા કોઈ ભૂલ માટે કદી આખરી ઉપાય નથી હોતો.અને આવી બાબતમાં તો બંને એટલા જ જવાબદાર હોય છે,તો પછી એક ને જ કેમ સજા મળે અને એ પણ આવી. આવા કિસ્સા તો દેશમાં દર વર્ષે અનેક બનતા હશે,ઘણા બહાર પડતા પણ નહિ હોય. કેટલાક આપણે સાવધાન-ઇન્ડિયા કે crime પેટ્રોલમાં જોઈતા હઈશું ને કેટલાક સાવ છુપાવી દેવામાં આવે છે.આપણે પણ આ કિસ્સાની થોડા દીવસ ચર્ચા કરી ભૂલી જઈશું.પણ જેને ઘરનો એક સદસ્ય કાયમ માટે ગુમાવ્યો એનું શું?
હકીકત તો એ છે કે આવી બબતોંમાં બંને પક્ષકારોનો એકસરખો હિસ્સો હોય છે, છતાં હમેંશા કોઈ એકે જ ભોગવવું પડે છે.અને અગત્યનું તો એ છે કે ખબર હોય છોકરીનો પણ એટલો જ વાંક છે,છતાં સજા છોકરાને જ મળે છે.સ્ત્રી-સશક્તિકરણ ની આડપેદાશ રૂપે આવી ઘટનાઓ બનતી રહે છે,જેમાં છોકરીઓ પેલા પ્રેમ-પરાક્રમ કરે છે,પણ પછી પકડાય જાય એટલે કહી દે આપણે નહિ રમતા, એ જ મારી પાછળ પડ્યો હતો.ને આપણો સમાજ એની વાત સ્વીકારી છોકરાઓને મારતી રહે છે.હવે છોકરી ઓ મોબાઈલ લેવા કે મોબાઈલના બીલ ભરવા કે ચોકલેટ કે ભેટ માટે છોકરાઓ સાથે લાવ-અફેર કરે પણ જયારે એ બહાર આવે છટકી જાય! પણ એને ખબર છે, ક્યારેક આમાં કોઈની જિંદગી છીનવાય જાય છે.અને મારનાર એ નહિ વિચારતા હોય વાંક આમાં બંનેનો છે, તો આવું ના કરાય.બંને ને સમજાવી શકાય અને વાતનો ઉકેલ લાવી શકાય. પણ એવું થતું જ નથી અતિ ક્રોધમાં આવી કુટુંબના સભ્યો છોકરાને હુમલો કરી મારી નાખે છે. આને આઠ જાણે ભેગા મળી માર્યો. હાડકા ખોખરા કરી નાખ્યા.તે કોમમાં આવી ગયો ને અંતે મરી ગયો.આ મેથડ છે, કોઈ બાબતનો અંત લાવવાની અને શું મારનાર શાંતિથી જીવી શકશે,કે પેલી છોકરી શાંતિથી જીવન વિતાવી શકશે ખરી!
અને ઘણીવાર છોકરા-છોકરીની પસંદગી સારી પણ હોય છે.છતાં તને ખબર ના પડે એમ કહી આવી બાબતોનો અંત લાવી દેવામાં આવે છે.અરે યાર એમને પણ જિંદગીના નિર્ણયો લેવા તો દયો! જરૂરી નથી કે તેઓ દરેક વખતે ગલત હશે.ક્યારેક તેઓની પસંદ પણ સાચી હોય શકે છે.ને ઘણી જ્ઞાતિઓમાં તો આ બીકે દીકરા-દીકરીઓને વહેલા પરણાવી દેવામાં આવે છે,પછી ભલે સમાજના અભાવે તેઓનું લગ્ન-જીવન પરાણે-પરાણે ચાલે, ઝઘડા પણ થાય અને ઘણીવાર ડાયવોર્સ પણ થઇ જાય.સાચું તો એ છે કે સંબંધો પ્રકરણો ક્યારેય એટલા વિકટ હોતા જ નથી કે આપણે કોઈની હત્યાઓ  જેવું ખરાબ કામ કરવું પડે પણ આ તો કહેવાતી આબરૂ જાળવવા આવું કૃત્ય કરવામાં આવે છે. માણસની જિંદગીથી મોટું કઈ હોતું જ નથી.નહિ માન,નહિ સન્માન કે નહિ આબરૂ. કોઈને મારી નાખવા જેવડું મોટું ખરાબ કાર્ય છે જ નહિ. તમે કદાચ માણસની અદાલતમાં છૂટી જશો,એની અદાલતમાંથી કોણ છોડાવશે? પ્રેમ થી પણ મોટી એક વાત છે,અને એ છે “માનસાઈ”
so please,stop the “honour-killing” or “honour-murder”
“There are many things worth living for, a few things worth dying for, and nothing worth killing for.”
― Tom RobbinsEven Cowgirls Get the Blues



Tuesday 21 November 2017

રાષ્ટ્રવાદ રાષ્ટ્ર અને આપણે,








Voting is how we participate in a civic society - be it for president, be it for a municipal election. It's the way we teach our children - in school elections - how to be citizens, and the importance of their voice.



 આપણા ગામ કે શહેરમાં વીજળી ના હોય, કે રસ્તા ખરાબ હોય,કે દવાખાનું ના હોય, કે કચરાનો પ્રશ્ન હોય કે ગંદકી વધી ગઈ હોય કે પછી પીવાના પાણીના પ્રશ્નો હોય કે પછી અન્ય કોઈ પણ સમસ્યા હોય આપણને કેમ ચૂંટણી જ યાદ આવે છે.જેમ નેતાઓને આપણે ચૂંટણી ટાણે યાદ આવીએ છીએ એમ જ આપણને પણ તેઓ ચૂંટણી ટાણે જ યાદ આવે છે.ગામ ની તમામ સમસ્યાઓ ઉકેલાવા માટે જાણે આ એક જ સમય હોય એવું આપણે માનીએ છીએ.આ તો એવી વાત થઇ કે ડોક્ટર પાસે જઈએ ત્યારે યાદ આવે કે શું શું તકલીફ થાય છે? ચૂંટણી માં મત આપી આવીને આપણે જાણે સુઈ જતા હોય એવું લાગે જે ઉઠે રોજ પણ જાગે કદી નહિ. કેમ એવું થાય છે કે તમામ સમસ્યાઓ આપણને ત્યારે જ પીડા આપે છે, જયારે આ નેતાઓ આપણી પાસે મત માગવા આવે છે. રીતસરનું સામસામું સેટિંગ ચાલુ થઇ જાય. આમ કરી આપો તો મત આપીશું! અમુક ગામોમાં તો સામુહિક ચૂંટણી ના બહિષ્કારના સમાચારો આવતા રહે છે.શું કામ ભાઈ? જયારે એ નેતા તમારા મત-વિસ્તારમાં ચૂંટાઈને આવે ત્યારે કેમ ૫વર્ષ દરમિયાન કોઈ માંગણીઓ મુકતુ નથી? કેમ ૫વર્ષ દરમિયાન તમે જઈને કેતા નથી આ સમસ્યાઓ ઉકેલો.જેમ ૫ વર્ષ સુધી નેતાઓ જેમ જીતીને આપણને ભૂલી જાય છે,આપણે પણ સમસ્યાઓને ભૂલી જઈએ છીએ. વળી ૫ વર્ષ પતે એટલે તેઓને આપણે અને આપણને આપણી સમસ્યાઓ યાદ આવી જાય છે.તો એ વર્ષોમાં ખરેખર આપણી મુશ્કેલીઓ જાય છે ક્યાં? બધા એવું માની બેસી રહે છે કે કોઈક તો વિરોધ કરશેને? આપણે શું? જ્યાં સુધી કોઈ સમસ્યા મને નડતી નથી મને કોઈ વાંધો નથી.પગ તળે રેલો આવશે ત્યારે જોયું જશે.
કચરો જે દિવસે મારા ઘર પાસે ફેકાશે,ખરાબ રસ્તાને કારણે જયારે મારા કુટુંબના કોઈ સભ્યને અકસ્માત થશે, કે પીવાનું પાણી મારા ઘરે નહિ આવે ત્યારે વાત. જ્યાં સુધી કોઈ સમસ્યા મને નડતી નથી એ મારી નથી એવું આપણે સૌ માની લઈએ છીએ.જ્યાં વિરોધ કરવો જરૂરી હોય ત્યાં આપણે હમેંશા મુક બની જઈએ છીએ, કોણ લપમાં પડે? એ આપણી સૌથી મોટી સમસ્યા છે.રસ્તે પડેલો પથ્થર સૌને નડતો હોય છે,પણ એને દુર કરવાની તસ્દી કોઈ લેતું નથી. એટલું જ નહિ એ પથ્થર હટાવવાનો પ્રયાસ કરનારને કોઈ મદદ પણ કરતુ નથી.એ જ લોકો ચૂંટણી સમયે ટોળામાં ભળી સમસ્યા ગણાવવામાં લાગી જાય છે.અરે કેટલાક તો પોતાની પીવાની સમસ્યા પણ આ ટાણે હલ કરવાની કોશિશ કરતા હોય છે.મત માગવા આવનારને કદી કોઈ પૂછતું પણ નથી કે ૫ વર્ષનો હિસાબ આપો.અમારા કીમતી મતના બદલામાં તમે કેટલું કામ કર્યું? એ પૂછવાની પણ કોઈ તસ્દી લેતું નથી.ઘણા નેતાઓ તો લગભગ ૪-૫ ટર્મ થી ચૂંટાતા હોય છે, છતાં કોઈ જઈને પૂછતું નથી કે આ તમામ સમસ્યાઓ ઉકેલાતી કેમ નથી? આમપણ આપણને પ્રશ્નો ઉકેલાય એમાં તો શું,પણ પ્રશ્ન પૂછવાની પણ ટેવ નથી.નેતાઓ ભાષણ આપે,લાલચ આપે. એમાં ભરમાઈ જઈ આપણે મૂળ પ્રશ્નો ભૂલી જઈ છીએ? આપણે આપનું ભાવી કા તો એક ‘લેપટોપ’ કે ટેબ્લેટ કે એક દારૂની બોટલ કે થોડાક રૂ, કે કિલો ઘઉં કે બીજી કોઈ નજીવી લાલચમાં ગીરવે મૂકી દઈએ છીએ. વચનો ની હારમાળા વચ્ચે પ્રશ્નોની માળા ક્યાંક ગુમ થઇ જાય છે.આમ પણ આપણા દેશમાં “વોટબેંક’ સૌથી વધુ સચવાય છે.ને આપણે એ બેંકમાં આપણું સઘળું સાચવી મૂકી દઈએ છીએ અને પછી આ બધી બેંકો ફડચામાં જાય એટલે સરકારને બ્લેમ કરતા રહીએ છીએ.
અત્યારે બધા ચૂંટણીનો જાણે કે લાભ લેવાની હરીફાઈ કરી રહ્યા હોય એવું લાગે. અરે આ હરીફાઈમાં આપણે સરદાર, ગાંધીનો ઉપયોગ પણ કરી લઈએ છીએ,કોઈપણ દેશના ચૂંટણીના મુદ્દા વિકાસના હોય કે જ્ઞાતિવાદ કે કોમવાદ હોય! સાચું કેજો. તમે ગમે તે જ્ઞાતિના હોવ કે ગમે તેવા પ્રશ્નો હોય! જોવાનું તો એ કે અત્યારે બધાને પ્રશ્નો નડતા થઇ ગયા છે. રસ્તા પરના પથ્થરો દરેકને ઉઠાવવા છે, બસ એકાદ લાભ મળી જવો જોઈએ.કોઈ પૈસા લઈને કે કોઈ પ્રસિદ્ધિ માટે લડે છે, દેશ માટે લડનાર તો દીવો લઈને શોધવા છતાં મળે એમ નથી. ખેડૂતોના પ્રશ્નો, સરકારી નોકરિયાતોના પ્રશ્નો,વેપારીઓના પ્રશ્નો,મહિલાઓના પ્રશ્નો, મારા પશ્નો, તમારા પ્રશ્નો, આપણા સૌના પ્રશ્નો અત્યારે ચારેબાજુથી ફૂટી નીકળ્યા છે. “ પ્રશ્ન ઉઠાવો અને લાભ મેળવો” અત્યારનું સુત્ર બની ગયું છે. ચૂંટણી છે, એટલે લેવાય એટલો લાભ લઇ લઈએ, એવું જનતા વિચારે અને પૂરી થાય પછી બધા ક્યાં જવાના છે, એમ ગાંઠ વળી નેતાઓ બધી માંગ પૂરી કરતા રહે છે. આમાં કોણ ફાવી જશે,સૌ જાણે છે છતાં આપણે તો હતા એવા ને એવા! બદલાઈએ તો પૈસા પાછા! આ દોઢ કે બે મહિના આપણે તેઓનો દાવ લઈશું અને પછી પાંચ વર્ષ એ આપણો. કેમ ખરું ને?
વળી કેટલાક નેતાઓ એક પક્ષમાં ટીકીટ ના મળે તો અન્યમાં લઇ તકનો લાભ લેતા રહે છે. સવારે આ પક્ષમાં સાંજે આ પક્ષમાં તો બીજે દિ વળી બીજા પક્ષમાં!કાચિંડો રંગ બદલવામાં અને આ નેતાઓ પક્ષ બદલવામાં કોઈને ના પહોચવા દે! આ તો જીવવિજ્ઞાન નો નવો મુદ્દો થઇ ગયો.કોણ ક્યારે કોની બાજુ એ જ ના સમજાય. બધા મળેલ તકનો લાભ લેવામાં એટલા બધા મશગુલ કે એ વાત તો ભૂલાય જ જાય કે આ ચૂંટણી લડાય છે, શેના માટે? સુશાશન માટે કે પછી પાંચ વર્ષમાં બધું ભેગું કરી લેવા માટે. તક ચૂકાવી ન જોઈએ. બધા ઉમેદવારો પોતાના વિકાસ માટે લડે છે,દેશનો વિકાસ કોઈને યાદ આવતો નથી.
હકીકત તો એ છે કે આપણે સૌ “રાષ્ટ્રવાદી” નહિ પણ “તકવાદી” છીએ. સૌને પરિસ્થિતિનો લાભ લઇ લેવો છે.બીજું કોઈ ધ્યેય નથી.અને એટલે જ જે ચૂંટણીઓ દેશની લોકશાહી કે પ્રગતી માટેનું પવિત્ર સાધન બની રહેવું જોઈએ એ ચૂંટણીઓ મજાકનું એક સાધન બની રહી ગઈ છે. અને હા આ બધામાં આપણે આપણા વહાલા મીડિયાને તો ભૂલી જ ગયા, જેઓ સૌથી મોટા તકવાદી બની રહે છે.ચેનલ ની ટી.આર.પી. વધારવા ગમે તે હદે જવા તૈયાર ચેનલો તક ઝડપવામાં ક્યાય પાછળ રહેતી નથી. જે મીડિયા લોકશાહી ની ચોથી જાગીર ગણાય છે, તેઓ માઈકના અવાજમાં ચૂંટણીના ઘોંઘાટને વધારી દે છે. માઈક લઇ લોકોને ઝઘડાવવાની તેઓને પણ મોજ પડે છે.અને આપણને એ ચર્ચાઓ જોવામાં મોજ પડી જાય છે.
ટુકમાં બધા કોઈને કોઈ તક શોધતા જ રહે છે, દેશના ભલા ની તક કોઈને દેખાતી નથી. હવે તમે જ કહો આવી રીતે ચૂંટાયેલી સરકાર કેવી હશે?
यथा प्रजा तथा राजा

Elections remind us not only of the rights but the responsibilities of citizenship in a democracy.






દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...