Sunday 18 March 2018

શિક્ષણના ત્રણ પાયા અને આપણે,


શિક્ષણના ત્રણ પાયા અને આપણે,








દરેક દેશની સમાજવ્યવસ્થાનો સૌથી મજબુત પાયો એની શિક્ષણવ્યવસ્થા હોય છે. કોઈપણ દેશમા વૈચારિક પરિવર્તન લાવવા શિક્ષણ સૌથી મજબુત આધાર ગણાય છે. એવું મનાય છે કે કોઇપણ દેશના વિકાસમાં શિક્ષણનો ફાળો ખૂબ જ મહત્વનો હોય છે. આ દુનિયામાં જયારથી જ્ઞાન ઉદભવ્યું હશે, શિક્ષણની જરૂરિયાત ઉભી થઇ હશે. હકીકત તો એ છે કે કોઈપણ સંસ્કૃતિ વિકસી હશે કે નાશ પામી હશે, કોઈપણ ઈતિહાસ રચાયો હશે કે કોઇપણ નવી શોધ થઇ હશે, જે તે પેઢીઓ સુધી પહોચાડવાનું કામ શિક્ષણે જ કર્યું છે. જેમ દરેક દેશની કોઈ ને કોઈ પ્રાચીન સંસ્કૃતિ છે, એમ જ દરેક દેશની એક ચોક્કસ શિક્ષણ-પદ્ધતિ હતી, છે અને રહેશે. આપણા દેશમાં પ્રાચીન સમયથી એક સુંદર શિક્ષણ વ્યવસ્થા રહી છે. આપણી પાસે નાલંદા,તક્ષશિલા, વલ્ભ્ભીપૂર જેવી વિદ્યાપીઠો હતી, જ્યાં વિશ્વનું શ્રેષ્ઠ શિક્ષણ અપાતું, જ્યાં વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યનુ સર્જન થયેલું. એવી વિદ્યાપીઠો જેણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું આગવું સ્થાન બનાવેલું. આ બધી વિદ્યાપીઠોની સૌથી અગત્યની બાબત અને આપણી પ્રાચીન શિક્ષણ પ્રથાની સૌથી મહત્વની બાબત એ હતી કે ત્યારે શિક્ષક ગુરુ તરીકે પૂજાતો. એ બાળકના સર્વાંગી વિકાસનો પ્રણેતા ગણાતો. કોઈ રાજ્યમાં તેનું સ્થાન રાજા કરતાયે ઊંચું ગણાતું. અરે એ એવા શિષ્યો નિર્મિત કરી સકતો કે જે ભારતનો ઈતિહાસ બદલી શકે. એ આ સમ્રગ ભારત વર્ષનો રાજા બની શકે. એવી શિક્ષણ-પ્રથા જ્યાં રાજા કે રંક બંનેના સંતાનો એકસાથે ભણતા અને એ પણ કોઈપણ જાતની સ્પેશિયલ ટ્રીટમેન્ટ વગર. એ શિક્ષણ-વ્યવસ્થા એટલી સચોટ અને સુંદર હતી કે આજે પણ આપણે અંદરથી તો એવું માનીએ જ છીએ કે આજ કરતા એ સારી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે એ જ શિક્ષણ-વ્યવસ્થા યોગ્ય હતી. બાળકોને જીવન ઉપયોગી તમામ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. ગુરુનું સ્થાન વિદ્યાર્થીના જીવન ઘડતરમાં સૌથી અગત્યનું રહેતું.
 આ બધું હતું હતું એવું આપણે રોજ સાંભળતા વાચતા અને ચર્ચતા રહીએ છીએ. પણ આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, પરીક્ષા ચાલુ છે ને એટલે મન થઇ ગયું. હા તો પ્રશ્ન એ છે કે આપણી શિક્ષણ- પ્રથામાં જે કઈ ખૂંટે છે એનો બધો ભાર શા માટે શિક્ષક મહોદય પર નાખી દેવામાં આવે છે. હા એ શિક્ષણ-વ્યવસ્થાનો સૌથી અગત્યનો પાયો છે અને તે મજબુત હોવો જોઈએ એ પણ કબૂલ પણ બાકીના બે પાયા એટલે કે ‘શિષ્ય’ અને ‘માતા-પિતાનો’ પણ આમાં ફાળો હોવો જોઈએ કે નહિ? આધુનિક શિક્ષણ-વ્યવસ્થા વિદ્યાર્થી લક્ષી છે એ વાંધો નથી પણ શિક્ષકને સાવ નબળો પાડી દીધો છે. વાંધો ત્યાં છે. આપણા દેશમાં જેમ કંઈપણ બને બધો વાંક સરકાર પર ઢોળી દેવામાં આવે છે, એમ જ શિક્ષણ-પ્રથાની તમામ ઉણપો શિક્ષક પર ઢોળી દેવામાં આવે છે. જાણે બધી બાબતો માટે તે જ જવાબદાર હોય એવો વ્યવહાર તેની સાથે કરવામાં આવે છે. હકીકત તો એ છે કે આજે પણ એવા શિક્ષકો છે જે વિદ્યાર્થીના વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહે છે, પણ એવી બાબતોને છાપાઓની માત્ર શોભા બનાવી ક્યાંક ખૂણે ખાચરે છાપી દેવામાં આવે છે. હવે વાત કરીએ બાકીના બે પાયાની તો મને કહો જોઈએ ક્યાં વિદ્યાર્થીને સ્ટ્રીક શિક્ષક કે પરીક્ષામાં ચોરી ના કરવા દે તેવા શિક્ષકો ગમે છે? જો કોઈ શિક્ષક પરીક્ષામાં ચોરી ના કરવા દે તો ઘણીવાર તો એને માર પણ ખાવો પડે છે. અને આમપણ પ્રમાણિક માણસ હમેંશા આપણા દેશમા એકલો પડી જાય છે. એમ એ શિક્ષક પણ એકલો પડી જાય છે. ક્લાસમાં ઊંડાણપૂર્વક ભણાવનાર શિક્ષકો વિદ્યાર્થીને ગમતા નથી એને તો માત્ર પરીક્ષાલક્ષી માહિતી માં જ રસ હોય છે. આપણે ‘આદર્શ શિક્ષક’ ની વાતો બહુ કરતા હોઈએ છીએ પણ ‘આદર્શ વિદ્યાર્થી’ ચર્ચાતો જ બંધ થઇ ગયો છે. વિદ્યાર્થી ને આમ કરવું આમ ના કરવું, મારવા નહિ ટેન્શન આવી જાય એવું કશું કહેવું નહિ. જો બધું પરિપત્ર જ નક્કી કરે તો શિક્ષકે કરવાનું શું?
  હવે તો એવી પરિસ્થિતિ થઇ ગઈ છે કે વિદ્યાર્થી થી શિક્ષકે ડરી ડરી રહેવું પડે છે કે એને કઈ કહેવાય ના જાય કે એની પર હાથ ઉપાડાય ના જાય! આમ પણ કોઈએ સાચું જ કહ્યું છે કે, “ જ્યારથી શિક્ષક ના હાથમાંથી લાકડી છીનવાય ગઈ છે, પોલીસે વધુ ઉપાડવી પડે છે.”  કેમ ખરું ને? જે શિક્ષકો પરિક્ષામાં જવાબો લખાવી દે કે imp પ્રશ્નો આપી દે તેવા જ શિક્ષકો વિદ્યાર્થીઓને ગમે છે. આપણે સૌ એક શિક્ષક પાસેથી અપેક્ષા બહુ રાખીએ છીએ પણ એને એવા અધિકારો આપી એ છીએ ખરા કે તેઓ એ અપેક્ષા પર ખરા ઉતરી સકે? જવાબ આપવો હોય તે આપી સકે છે.અત્યારે પરિસ્થિતિ એવી છે કે એકાએક વિદ્યાર્થીઓ હોશિયાર નથી થઇ ગયા પણ પરીક્ષા પદ્ધતિ જ સાવ સરળ બની ગઈ છે. અત્યારના શિક્ષકોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થીઓને ભણવું જ નથી, જે માત્ર સમય પસાર કરવા જ શાળા કે કોલેજમાં આવે છે, એને ભણાવવા કેવી રીતે? ભણાવનાર ગમે તેટલો ભણાવવા તૈયાર હોય પણ જેને ભણવું જ ના હોય એના માટે કોઈ ઉપાય ખરો? શિક્ષણને રસપ્રદ બનાવવાનું કામ શિક્ષકનું છે એ કબૂલ પણ એને રસથી ભણવાનું કામ તો વિદ્યાર્થીએ જ કરવું રહ્યું!
 હવે વાત કરીએ ત્રીજા પાયાની એટલે કે માતા-પિતા! એવો પાયો જેને પોતાના સંતાનોને એની ક્ષમતા ઓળખ્યા વિના જ ભણાવવા હોય છે. જેઓ પોતાના સંતાનોને માત્ર ડોકટર વકીલ કે એન્જીનીયર કે પછી વ્હાઈટ કોલર જોબ હોલ્ડર જ બનાવવા જ ઈચ્છે છે. જેઓ માટે બાળકોમાં રહેલી આવડત નું કોઈ મુલ્ય જ નથી. જેઓ બાળકોને રેસના ઘોડા જ સમજે છે. જેઓ બાળકોને માત્ર સરખામણી કરવાનું સાધન જ સમજે છે. બાળકોને શું ગમે છે? એના કરતા તેઓને મન ડીગ્રીઓનું જ મહત્વ હોય છે. જેઓ સ્કૂલ પસંદ કરતી વખતે માત્ર બિલ્ડીંગ કે અન્ય સુવિધાઓ જ જુએ છે પણ કોણ કેવું ભણાવે છે કે મારા સંતાનનો અહી સર્વાંગી વિકાસ થશે કે નહિ? એના પર જરા સરખું પણ ધ્યાન આપતા નથી! જ્યાં ફીસ ઉંચી ત્યાં શિક્ષણ સારું એવી માન્યતાઓમાં જેઓ રાચે છે. જેઓ પોતાના સંતાનોને માત્ર દેખાડો કરવાનું માધ્યમ જ માને છે. અરે ઘણા માતા-પિતા તો માત્ર જ્ઞાતિ જોઈ એ જ્ઞાતિની સ્કૂલમાં પોતાના બાળકોને ભણવા મુકે છે. હવે તમે જ વિચારજો આવા માપદંડો સાથે કોઈ માતા-પિતા પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ કેવી રીતે આપી સકે? અને અંતે બધો વાંક શિક્ષકો પર આવી રહી જાય છે. દર વર્ષે ૧૧ માં ધોરણમાં ૮૦ % વિદ્યાર્થીઓ એવા હોય છે જેને સાયન્સ નથી રાખવું હોતું પણ માતા-પિતાના દબાણને કારણે તેઓ આ પ્રવાહમાં જાય છે અને પ્રવાહ સાથે તરવાને બદલે ડૂબી જાય છે. હવે તમે જ કહેજો જેને મન જ ના હોય એ માળવે તો શું બાજુના ગામ સુધી પણ કેવી રીતે જવાના? સાયન્સની પરિક્ષામા પણ જો વિદ્યાર્થીઓ માત્ર ચોરી પર નભતા હોય તો બીજાની વાત જ શી કરવી?
 તમને થશે શિક્ષકોની વાત તો કરી જ નહિ, એ પાયો પણ નબળો હોય સકે, પણ તો પછી કેમ કદી વાલીઓ આવા શિક્ષકો સામે અવાજ ઉઠાવતા નથી. આપણે ચલાવી લઈએ એટલે બધું ચાલે છે. શિક્ષકો ને મજબુત કરવા એ આ બંને પાયાનું કામ છે. ના ભણાવતા શિક્ષકો સામે ફરિયાદ કરવાનું કામ આ બંને પક્ષકારોનું જ છે. આપણે જેટલા જાગૃત રહીશું આ પાયો મજબુત બનશે. કેમ ખરું ને ? શિક્ષકોને અપ-ડેટ થવું પડે એવું વાતાવરણ આપણે જ ઉભું કરવાનું છે. કોઈપણ દેશની શિક્ષણ-વ્યવસ્થા આ ત્રણેય પાયા પર નભે છે અને એ ત્રણેય પાયા સક્ષમ અને મજબુત હોવા જોઈએ. તો જ આપણે સારું શિક્ષણ માળખું ઉભું કરી શકીશું અને શિક્ષણનું સ્તર ઊંચું લાવી શકીશું. માત્ર સાક્ષરતા એ આપણો ઉદેશ નથી પણ ભણવાનું પણ ગળે ઉતરવું જોઈએ. એટલીસ્ટ હું શા માટે ભણું છું એવો સવાલ જયારે વિદ્યાર્થીને થશે, ને શિક્ષકો ને એવું થશે કે હું જે કામ કરું છું એના પર રાષ્ટ્ર નભે છે તો અને હા માતા-પિતા જયારે એવું સ્વીકારશે કે મારા સંતાનોને જે ભણવું હોય અને જે આવડત ખીલવવી હશે,એ હું કરવા દઈશ ત્યારે આપણે ખરા અર્થમા રાષ્ટ્ર-નિર્માણ કરી શકીશું. બોલો આમીન...........




Tuesday 6 March 2018

પરીક્ષાઓ વિદ્યાર્થીઓ અને આપણે,




પરીક્ષાઓ વિદ્યાર્થીઓ અને આપણે,


પરીક્ષા આપણી શિક્ષણ પ્રથાનો એક અગત્યનો હિસ્સો છે.વર્ષ દરમિયાન એક વર્ગમાં આપણે કેટલું શીખ્યા તેનું મૂલ્યાંકન પરીક્ષા દ્વારા થાય છે.આપણી પરીક્ષા પદ્ધતી વિષે ઘણું લખાતું રહે છે, ને સરકાર દ્વારા વારંવાર એમાં ફેરફારો થતા રહે છે.પરીક્ષાઓ હોવી જોઈએ કે ના હોવી જોઈએ તેના વિષે અઢળક ચર્ચાઓ થતી રહે છે.પણ પરીક્ષા તો લેવાય જ છે. આપણી શિક્ષણપદ્ધતિ પાસે એનો કોઈ વિકલ્પ પણ નથી. પરીક્ષા માત્ર વિદ્યાર્થીની માહિતી જ ચકાસે છે, જ્ઞાન નહિ એવું આપણને હમેંશા લાગે છે. પરીક્ષાને લીધે ગોખણપટ્ટી ને જ મહત્વ મળે છે, એવી આપણી સતત ફરિયાદ રહે છે.પરીક્ષાથી માત્ર ડિગ્રી મળે છે,કૌશલ્ય વિકસતું નથી એવું પણ આપણે માનીએ છીએ.પણ હકીકત તો એ છે કે  પરીક્ષા નો આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી.પરીક્ષા ના રાખીએ તો વિદ્યાર્થીઓ માટે ભણવાની  કોઈ પ્રેરણા જ નહિ રહે. પરીક્ષા જ આપણા વિદ્યાર્થીઓને પ્રેશર લેતા શીખવે છે.તમે જ વિચારો ક્રિકેટ શીખનાર કોઈ ક્રિકેટર ને અન્ય કોઈ ટીમ સામે મેચ જ રમવા ના મળે તો એની પ્રેકટીસનું કોઈ મહત્વ રહેશે ખરું! કે પછી કોઈ કળા ધરાવનાર વ્યક્તિને પોતાની કળા રજુ કરવાનું કોઈ પ્લેટફોર્મ જ ના મળે તો! કે પછી કોઈ અભિનેતાને એક્ટિંગ માટે કોઈ સ્ટેજ જ ના મળે તો? એની એક્ટિંગ શું કામની? પરીક્ષા વિદ્યાર્થીઓ માટે એવું જ સ્થાન ધરાવે છે, હા આપણે તેને થોડી વધુ ગંભીર લઇ લીધી છે, એ વાત સાચી છે. પણ પરીક્ષા વિના મૂલ્યાંકન શક્ય જ નથી. તમે જ કહો વક્તૃત્વની કસોટી વિના કોઈ સારો વક્તા આપણને મળે ખરો! હકીકત તો એ છે કે પરીક્ષા વિના આપણામાં વિપરીત પરિસ્થિતિ સામે લડવાની તાકાત આવતી નથી. પરીક્ષા છે, તો આપણે આપણામાં રહેલું શ્રેષ્ઠ બહાર લાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ.ત્રણ કલાકમાં આખા વર્ષનું મૂલ્યાંકન ના થાય એવી આપણી દલીલ હોય છે,પણ એ ત્રણ કલાક એવા કલાકો છે,જેમાં તમે જેવી રજૂઆત કરશો એવું પરિણામ આવશે.એ ત્રણ કલાકનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એ અગત્યનું છે.તમે કહેશો એમાં શું આવડતું હોય તે લખવાનું અને ના આવડતું હોય તે છોડી દેવાનું કે પછી પેલો સગો તે પાડોશી! પણ પેપર હાથમાં આવે તમે વાચી જાઓ અને નક્કી થઇ જાય આટલું આવડે અને આટલું નહિ, પછી જ સમસ્યા શરુ થાય છે.હવે વિદ્યાર્થીનું ધ્યાન આવડતા કરતા ના આવડતા સવાલોમાં વધુ અટવાઈ જાય છે. જે આવડે છે, તે લખવાનું શરુ તો કરી દઈએ પણ મગજ ના આવડતા પ્રશ્નોમાં વધુ અટવાયેલુ રહે છે.નથી આવડતું તેનું શું કરીશું? અને ઘણીવાર તો ૧૦૦ માર્કસના પેપરમાં ૯૦ માર્કસનું આવડતું હોય છતાં વિદ્યાર્થી મૂંઝાઈ જતો હોય છે! ૧૦ નું શું કરીશું?
        એમાયે જો ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી,જેવા અગત્યના વિષયો હોય તો તો ઘણા એટલા મૂંઝાઈ જાય કે આખું પેપર આવડતું હોય છતાં ભૂલાય જવાય છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરવું પડે છે. ઘણા વિદ્યાર્થીઓ તો આપઘાત કરી લે છે.અને સઘળો વાંક આખરે આપણી પરિક્ષાપદ્ધતિ પર આવી જાય છે.પણ હકીકત તો એ છે કે આપણે વિદ્યાર્થીઓને પેપરમાં અનપેક્ષિત સવાલો પુછાય તો શું કરવું એ શીખવતા જ નથી. તમે માર્ક કરજો કોઈપણ સરળ પ્રશ્ન થોડો પણ બદલાવી પૂછાય તો એનો જવાબ લખવામાં તકલીફ પડે છે.આપણું શિક્ષણ એટલું બધું પરીક્ષા લક્ષી થઇ ગયું છે કે આ પૂછાવાનું નથી તો સર કે મેમ શું કામ ભણાવો છો? એવું વિદ્યાર્થી પૂછતાં થઇ જાય છે.પરિણામે અમુક પ્રકરણ વિદ્યાર્થીઓ શીખતા જ નથી. ઓપશનમાં કાઢી લઈશું, એવું કહેતા રહે છે.પણ વિચારો તો કોઈ ડોક્ટર કોઈ સર્જરી કે રોગ વિશેની માહિતી ઓપશનમાં કાઢી નાખે તો શું થાય? well આપણે વાત કરતા હતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ક્ષમતા હોવા છતાં વ્યવસ્થિત રજૂઆત કેમ નથી કરી શકતા? કારણકે તેઓ પ્રેશરને ટેકલ કરી શકતા નથી. તેઓ પેપર વાચી કેમ લખવું તેનું આયોજન કરવાને બદલે નથી આવડતું તેનું શું કરીશું? તેના પર એકાગ્ર થઇ જાય છે,ને પરીણામેં આખા વર્ષની મહેનત પર પાણી ફરી જાય છે.શિક્ષણમાં થોડીક પ્રેક્ટીકલ ટ્રેનીંગ પણ હોવી જોઈએ. વિજ્ઞાનપ્રવાહ માં તો હોય જ છે,પણ આર્ટસ અને કોમર્સ કે અન્ય ફેકલ્ટીમાં પણ હોવી જોઈએ! જેથી વિદ્યાર્થી લખતી વખતે માત્ર ગોખેલું ના લખે પણ મૌલિક પણ લખી શકે.શબ્દ-ભંડોળ એટલું ઓછું હોય છે કે નિબંધ પણ ગોખીને લખે છે. આપણે શિક્ષણને રસપ્રદ બનાવવાને બદલે ફરજીયાત બનાવી દીધું એટલે પરીક્ષાઓ ભારરૂપ લાગવા માંડી છે.
બજારમાં અત્યારે અભ્યાસક્રમને લગતા કેટલા બધા પુસ્તકો મળે છે, જેમાં તૈયાર મટીરીયલ્સ જાજુ હોય છે. વિદ્યાર્થીઓને જવાબો તૈયાર મળે છે એટલે તેઓ મૌલિક કશું વિચારતા નથી.અરે ઘણા તો ગણતરીના વિષયોમાં પણ નવનીતનો ઉપયોગ કરે છે,દાખલો ના આવડે કે ખોટો પડે તેને સમજવાને બદલે વિદ્યાર્થીઓ તરત એમાં જોઈ જવાબ મેળવી લે છે, તેથી તેની ભૂલ તેને સમજાતી જ નથી કે મેં દાખલાનું કયું સ્ટેપ ખોટું કર્યું? ને પરિણામેં પરીક્ષામાં દાખલા થોડા અઘરા પૂછાય એટલે પેપર બગડી જાય.જાતે શીખવાની આદતો આપણને કલાસીસ અને આ તૈયાર મટીરીયલ વાળાએ સાવ ભુલાવી જ દીધી છે.એટલે પરીક્ષા અઘરી લાગે છે.ઘણા વિદ્યાર્થી એકાગ્ર થઈને વાચતા હોતા નથી.એટલે બધું ભૂલાય જતું હોય છે. પછી પરીક્ષા વખતે એટલા ઉજાગરા કેરે કે પેપર પૂરી સ્વસ્થતાથી લખી જ ના શકે.પેપર કેમ લખાય એના વિશે શિક્ષકો આખું વર્ષ સમજાવતા રહે છે,પણ મોટાભાગના વિદ્યાર્થીઓ તે ધ્યાન દઈને સંભાળતા જ નથી.મોટાભાગના વિદ્યાર્થીઓને મુખ્ય પ્રોબ્લેમ રજુઆતનો જ હોય છે.રજૂઆત પરીક્ષામાં બહુ અગત્યની બાબત છે, પણ વિદ્યાર્થીઓ તેના પ્રત્યે પૂરું ધ્યાન આપતા નથી.નવો પ્રશ્ન નવા પાને લખવો છતાં તેઓ બે વિભાગોને ભેગા કરી જ આપે છે.ક્રમ જાળવતા નથી ને પરિણામે પેપર અસ્તવ્યસ્ત થઇ જાય છે.ઘણીવાર તો વિદ્યાર્થીએ જવાબ સાચો લખ્યો હોય તો પણ રજુઆત નબળી હોવાને લીધે પરીક્ષકને વાંચવામાં કંટાળો આવે છે, ને માર્ક્સ ઓછા મુકે છે.માટે રજૂઆત ધારદાર રાખો. આયોજન પૂર્વક લખો.મુદાસર જવાબ લખો.અપેક્ષિત જવાબ લખો. માર્ક્સ અનુસાર જવાબ લખો.
ગભરાઈ ના જાવ.શાંતિ રાખો. પેપર હાથમાં આવ્યા બાદ પૂરું વાચી આવડતું હોય તે લખવા માંડો અને ના આવડતું હોય તે છોડી દયો.કે.બી.સી. જુઓ છો ને? એમાં તમે અમુક રકમ જીત્યાં બાદ પ્રશ્નનો જવાબ ના આવડે તો કવીટ કરી શકો છો ને. તમે જોજો ઘણીવાર લોકો ના આવડતું etempt કરી મોટી રકમ ગુમાવી દેતા હોય છે.એમ તમે પણ ના આવડતું હોય તેની લાયમાં આવડતું ના ભૂલી જતા.જેટલું આવડે એટલું perfect લખો. પરીક્ષામાં આયોજન સૌથી અગત્યનું હોય છે. આખુ પેપર કેવી રીતે લખવું? એનું પહેલેથી આયોજન કરી લેવું. અને એ મુજબ જ પેપર લખવું. માત્ર તમારા પેપરમાં જ ધ્યાન આપવું. અને યાદ રાખજો અઘરું પૂછાય જાય તો પણ મન શાંત રાખી પેપર લખવા માંડવું. અને યાદ રાખજો કદાચ ફેલ થશો તો જિંદગી ખતમ થઇ નથી જવાની. મન હળવું કરી પેપર દેવા જજો.
best luck






Saturday 17 February 2018

વી.i.પી.કલ્ચર, આપણા ધર્મસ્થળો અને આપણે,


વી.i.પી.કલ્ચર, આપણા ધર્મસ્થળો અને આપણે,






ગયા મહીને અમે મધ્ય-પ્રદેશ પ્રવાસમાં ગયેલા.ત્યાં ઉજ્જૈનમાં ‘મહાકાલેશ્વર’ નું જ્યોર્તિલિંગ આવેલું છે. ત્યાં અમે દર્શન કરવા ગયેલા.કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી અમારો દર્શન કરવાનો વારો આવ્યો.પણ અમારે શિવલિંગથી દસ-બાર ફૂટ દુર રહી દર્શન કરવા પડ્યા.ત્યાના અમલદારો સાથે અમે ઘણું ઝઘડ્યા પણ નજીકથી દર્શન કરવા ન મળ્યા.( આટલું કષ્ટ વેઠ્યા બાદ પણ શિવલિંગના દર્શન કરવા ના મળ્યા!) છેલ્લે અમારા ગ્રૂપ માંથી માત્ર એક વ્યક્તિને દર્શન કરવાનો મોકો મળ્યો. એ અમારું મીની-આંદોલન બંધ કરવાનું મહેનતાણું હતું! એક સામાન્ય માણસ માટે ‘ઈશ્વર’ કેટલો દુર હોય છે, એ તે દિવસે ખબર પડી. એવું લાગે છે આ દેશમાં સામાન્ય માણસ માટે જ લાઈનો બનાવવામાં આવી છે. ત્યાં ઉભેલા ભાઈએ એવું કહ્યું. અમે શું કરિએ ઉપર ફરિયાદ કરો. આ ઉપર એટલે ક્યાં ઉપર? સમજી જજો યાર..અધિકારીઓ પૈસા લઇ પૈસાદાર માણસોને અને વગ વાળી વ્યક્તિઓને કોઈપણ જાતની લાઈન વિના દર્શન કરાવી રહ્યા હતા. જે લોકો કલાકોથી લાઈનમાં હતા એ બહાર અને જેઓ વી.i.પી.હતા તેઓ અંદર! શોલેના ગબ્બરસિંગની જેમ ડાયલોગ મારવાનું મન થઇ આવે, “ बहोत ना-इन्साफी हे” પણ ખરેખર તે દિવસથી નક્કી કર્યું કોઈ પણ મોટા મંદિરે દર્શન કરવા જવું નહિ. એના કરતા આપણી અંદર રહેલ ઈશ્વર સારા. લાઈનમાં તો ઉભા ના રાખે. એ મંદિર ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાનું એક મંદિર છે. એવું માનવામાં આવે છે કે એ સર્વશક્તિમાન ‘શિવ’નો વાસ એમાં હોય છે. ‘શિવ-મહાપૂરાણ’ મા એની પૂરી વાર્તા છે. અને આપણા ગૂગલ-ગુરુ પાસે પણ છે.વાંચજો. અરે યાર  જ્ઞાન સાથે ગમ્મત! ok મૂળ વાત પર આવીએ. જેમાં શિવનો વાસ હોય એ ઘર સૌને જોવું જ હોય ને! નાનપણથી જે ઈશ્વરની વાત સાંભળતા આવ્યા હોય એનું ઘર જોવાની કુતુહુલતા તો હોવાની જ ! પણ અફસોસ અમેં એ ઘર નજીકથી ના જોઈ શક્યા. અને એનાથી પણ વધુ દુખ અમારી સાથે થયેલા ભેદભાવનું છે.
 મંદિર હિંદુ ધર્મમાં અતિ પવિત્ર ધર્મસ્થળ ગણાય છે. તમામ લોકો જે ઈશ્વરમાં માને છે, તેઓની શ્રદ્ધા આ સ્થળ સાથે સંકળાયેલી હોય છે.અને આ સ્થળોએ પણ જો આવો ભેદભાવ અને વી.i.પી. કલ્ચર જોવા મળે તો લોકોનો એ સ્થળ પર વિશ્વાસ ઉઠી જાય. અત્યારે દેશમાં દરેક ધર્મસ્થાનોમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને જે ધર્મસ્થાનો અતિ પ્રસિદ્ધ હોય તે સ્થળોએ આવું ખાસ જોવા મળે છે. જાણે એવું લાગે ઈશ્વર પણ લોકોનો હોદો,પૈસો જોઇને દર્શન આપતા હશે.એના દરબારમાં બધા સરખા એવું આપણે હમેંશા સાંભળતા આવીએ છીએ, પણ ખરેખર એવું જોવા મળતું નથી.ખાસ કરીને કોઈ મોટા નેતા કે સેલેબ્રેટી દર્શને આવે ત્યારે પ્રોટોકોલના નામે સામાન્ય માણસોને હાલાકી ભોગવવી પડે છે.જાણે એ લોકોને જ દર્શન કરવાનો અધિકાર હોય એવું લાગે છે! ભગવાન માત્ર તે લોકો માટે જ ધર્મસ્થાનોમાં બેઠા હોય એવું લાગતું રહે છે. એક તો ઈશ્વરનો કોન્સેપ્ટ જ આપણા સૌના મગજમાં અધુરો છે, ને એમાં વળી આપણે એવું અનુભવીએ એટલે એ કોન્સેપ્ટ વધુ અસ્પષ્ટ બની રહે છે.જેની પાસે કોઈ વગ ના હોય એને લાઈનમાં ઉભા રહેવા છતાં દર્શન કરવાનો અધિકાર મળતો નથી. આ તો કેવું વી.i.પી. કલ્ચર કે માત્ર થોડા લોકોના લીધે મોટા વર્ગને નુકસાન ભોગવવાનું. જાણે સામાન્ય માણસોના સમય, હોદા નું કઈ મહત્વ જ ના હોય એવું લાગે છે. શું ઈશ્વર પણ આ બધું જોઇને જવાબ આપતો હશે. કે પછી એના ચોપડામાં પણ કોઈ વી.i.પી. લીસ્ટ હશે. આપણા દેશમાં દરેક સ્થળે આ પરિસ્થતિ જોવા મળે છે. જેની પાસે પૈસો અને વગ હોય એ હમેંશા આવા વધારાના લાભો મેળવતા રહે છે. તમે જ વિચારજો કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ કોઈ વચ્ચેથી આગળ જતું રહે તો આપણી સૌની શું હાલત થાય? સ્કૂલ,કોલેજના એડમિશનના ફોર્મ ભરવાના હોય કે કોઈ અન્ય જગ્યાની લાઈન હોય આવા વી.i.પી. લોકોનો ત્રાસ હમેંશા સામાન્ય માણસોને સતાવતો રહે છે.અને આપણે ગુસ્સો સિવાય કશું કરી શકતા નથી.


જે મંદિરોનું મહત્વ વિશેષ છે, એવા ધર્મસ્થાનોમાં લોકો સૌથી વધુ શ્રદ્ધા સાથે દર્શન કરવા આવતા હોય છે. ઘણા લોકોનું નાનપણનું સપનું હોય છે, આવા સ્થળોની મુલાકાત લેવાની અને લોકો કેટલી અપેક્ષા સાથે આવા સ્થળોની મુલાકાતે આવતા હોય છે. અને કોઈ વી.i.પી. ને લીધે તેઓને દર્શન કરવા ના મળે તો શું થાય કદી તમને પણ આવો અનુભવ જરૂર થશે.હકીકત તો એ છે કે જે ધર્મસ્થળો પર લોકોને આટલો વિશ્વાસ હોય, ત્યાંથી એને એવું ફિલ થવું જોઈએ કે અહી તો બધા એકસરખા જ ગણાય છે.એને બદલે અહી પણ તેને અસમાનતાનો અનુભવ થાય છે. જે ઈશ્વરને એ સર્વસ્વ માને છે, એની પાસેથી જયારે આવી ઉપેક્ષા મળે તે કોના પર વિશ્વાસ રાખે.મહાભારતમાં એક પ્રસંગ છે, જયારે કૃષ્ણ ભગવાન યુદ્ધ ના થાય એની સંધી માટે આવે છે, ત્યારે દુર્યોધનના મહેલોમાં રહેવાને બદલે વિદુરના ઘરે રહે છે. આ પ્રસંગ વાંચતી કે જોતી વખતે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વર તો ભાવનો ભૂખ્યો હોય છે, પણ વાસ્તવિકતા કઈક અલગ જ જોવા મળે છે. અત્યારના ધર્મસ્થાનોમાં ભગવાન જાણે ભોગ અને પૈસાને આધારે જ દર્શન આપતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ઘણા ધર્મસ્થાનોમાં તો આવી રીતે દર્શન કરાવવા ખાસ માણસો કામ કરતા હોય છે,જે કમીશન લઇ દર્શન કરાવતા હોય છે. હવે વિચારો આ સ્થળ અને ધંધાના સ્થળમાં ફેર શું રહી ગયો? જયારે ઘણા ધાર્મિક સ્થળોએ વી.i.પી. દર્શન ની અલગ લાઈનો જોવા મળે છે, એ લાઈનમાં ઉભા રહેલા લોકોને સૌથી પેલા દર્શન કરવા મળે છે. તો જે લોકો કલાકો સુધી એક અખૂટ શ્રદ્ધાથી લાઈનમાં ઉભા રહે છે કે ઈશ્વર ક્યારે જોવા મળે એનું શું?
આપણા ધાર્મિક સ્થાનોએ તમને એક મેનુ પણ જોવા મળશે.જેમાં જુદા-જુદા પ્રસાદ માટે અને પૂજા કે કર્મકાંડના ભાવો લખેલા હોય છે. જેઓ એ મેનુમાંથી કોઈ item પસંદ કરે છે, તેઓને પણ વી.i.પી. સવલતો મળે છે.ઘણા મંદિરોમાં એટલી ભીડ હોય છે કે લોકોને માંડ માંડ દર્શન કરવા મળતા હોય છે, અને એમાં કોઈ લાઈન તોડી આગળ જતું રહે, ત્યારે થાય આના કરતા કોઈ ધાર્મિક ચેનલ પર દર્શન કરી લેવા સારા. જે લોકો પાસે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ છે, એને શું કરવાનું? થોડી વાર ઝઘડી પછી હતા ત્યાં ને ત્યાં. હકીકત તો એ છે કે જેટલો હક વી.i.પી. લોકોને દર્શન નો હોય છે, એટલો સામાન્ય માણસોને પણ છે અને એ હક તેઓને મળવો જોઈએ. દરેક ધાર્મિક સ્થળોએ એક જ લાઈન હોવી જોઈએ.કોઈ વ્યક્તિ ગમે તેટલી વગ ધરાવતી હોય કે ધનવાન હોય દરેક માટે એક જ લાઈન હોવી જોઈએ.અને દરેક માટે એ લાઈનમાં ઉભું રહેવું ફરજીયાત હોવું જોઈએ. જો ખરેખર ઈશ્વર માત્ર હૃદય નું જ સાંભળે છે, તો આ ઉત્તમ વ્યવસ્થા છે. અને જો એ પણ વગ જોઈ કે પૈસો જોઈ દર્શન આપે છે, તો એ આપણા થી અલગ નથી અને એ ભગવાન કે અલ્લા કે ઈશુ કે કોઈ અન્ય પંથના ઈશ્વર નથી.કેમ ખરું ને? કોઈ સજેશન હોય આ વ્યવસ્થા સુધારવા તો જરૂર કહેજો.ok અને આપણે પણ એકવાત યાદ રાખીએ ઈશ્વર કદી કોઈને સ્ટેટસ કે પૈસો જોઇને દર્શન નથી આપતો એવી શ્રદ્ધા રાખીએ અને આનો વિરોધ કરીએ.જરૂર નથી આવી બાબતોમાં પણ બીજાને અનુસરવું જ પડે. કોઈ ગરીબ કે જરૂરિયાત વાળાને મદદ કરજો એની ‘હોટલાઈન’ તમારા માટે કાયમ માટે ખુલી જશે.  અને એ જ ઈશ્વર સુધી પહોચવાની વી.i.પી. લાઈન બની રહેશે. જે લોકો વી.i.પી. ની યાદીમાં આવે છે, તેઓ ખાસ યાદ રાખે તેઓ ઈશ્વરના દરબારમાં ક્યારેય વી.i.પી. નથી બનવાના!
“Anyone who thinks sitting in church can make you a Christian must also think that sitting in a garage can make you a car.”
― Garrison Keillor










Wednesday 31 January 2018

ઓનર કિલિંગ અને આપણે,

ઓનર કિલિંગ અને આપણે,



        આજનો માણસ આધુનિક માણસ ગણાય છે.ભણેલો, ગણેલો,સુસભ્ય અને સુવિકસિત એ આજના માણસની ખાસિયત ગણાય છે. આજે આપણી પાસે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી છે.એટલી સોસીયલ સાઈટસ છે કે માણસને એકલું ના લાગે.( છતાં લાગે છે એ કૌંસમાં રાખું છું) આપણે બીજા ગ્રહો પરના જીવનને સમજવામાં પડ્યા છીએ. ક્યાં ગ્રહ પર વસવાટ હતો કે વાતાવરણ છે કે નહિ? વગેરે કોયડાઓ ઉકેલવા માટે આપણે અબજો રૂપિયા ખર્ચી કાઢીએ છીએ. સતત નવા સંસોધનો માનવજીવનને વધુ ને વધુ સુખ અને સગવડ આપવાની સ્પર્ધામાં ઉતર્યા છે. અને હજી એ પ્રવાહ ચાલુ જ છે. રોજ કઈક નવું શોધતું રહે છે, મને લાગે છે ભવિષ્યમાં લાગણીઓ અને સ્નેહ માપવાના મશીન પણ આવશે. જેમ મશીનથી આપણે બી.પી. અને ડાયાબીટીસ જેવા રોગો માપીએ છીએ, સંવેદનાઓ માપવાનું પણ મશીન આવશે! રોબોટ ટેકનોલોજી પણ આપણા જીવનમાં આવવા થનગની રહી છે.કૃત્રિમ બુદ્ધિ વિકસાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.ટુકમાં આપણે સઘળું મશીનને સોપી દેવાના મૂડમાં આવી ગયા છીએ.ટેકનો એજમાં બધું જ આપણે ટેકનોલોજીને શરણે ચડાવી દીધું છે,એક ટેકનોલોજી વાપરીએ અને સમજીએ ત્યાં બીજી આવી જાય છે. બજાર તમામ પ્રકારની ચીજોથી ઉભરાય રહ્યું છે,પણ એક ક્ષ્રેત્ર એવું છે, જ્યાં આ ટેકનોલોજી પ્રવેશી નથી. તમને થશે હજી પણ કોઈ એવું ક્ષ્રેત્ર બાકી છે ખરું જ્યાં આધુનિકતા નથી આવી! માન્યમાં નથી આવતું ને? પણ છે એવું ક્ષેત્ર જ્યાં હજી આપણે જૂની સદીઓમાં જૂની પરંપરાઓ સાથે જીવી રહ્યા છીએ. જ્યાં હજી ઝડતા જોવા મળે છે. જ્યાં હજુ ઘણું બદલાવવાનું બાકી છે, જ્યાં આધુનિકતા પ્રવેશી નથી.જ્યાં પરિવર્તનો આવતા નથી. જ્યાં રીતી-રીવાજો બદલાતા નથી. ગમે તેવી ટેકનોલોજી પણ જ્યાં અસ્તિત્વ ધરાવતી નથી. એ ક્ષ્રેત્ર છે, આપણા વિચારોનું ક્ષ્રેત્ર, આપણી જૂની-પૂરાણી પરંપરાઓનું ક્ષ્રેત્ર અને જેમાં આપણે વસીએ છીએ એ સમાજનું ક્ષ્રેત્ર! વૈચારિક રીતે આજે પણ આપણે ત્યાં જ છીએ,જ્યાં સદીઓ પેલા હતા. આપણા વિચારોનું time-મશીન એ જુના સમયમાં જાણે સ્થગિત થઇ ગયું છે.
 હું એક સવાલ પૂછું તમને સૌને, શું નવા વિચારો આપણને કદી આવતા જ નથી? આપણે ગ્રહો,લઘુગ્રહો,ઉપગ્રહોને સમજી શક્યા છીએ,પણ આપણા પૂર્વગ્રહો ખોટા છે એ સમજી શકતા નથી.ને હવે બીજો સવાલ પૂછું છું, માતા-પિતાને સૌથી વધુ પ્રેમ કોના પ્રત્યે હોય છે? તમે કહેશો, પોતાના સંતાનો પ્રત્યે. સરળ જવાબ છે. પણ ઘણા માતા-પિતા માટે આ સાચું નથી. કારણ તેઓ માટે સૌથી અગત્યની તેઓની આબરૂ હોય છે. અને એટલે જ કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને ‘ઓનર-કિલિંગ’ ના નામે પોતાની કહેવાતી આબરૂ જાળવવા પોતાના જ સંતાનોને મારી નાખતા હોય છે.મને તો એ જ નથી સમજાતું કે કિલિંગ આગળ ઓનર શબ્દ ફીટ જ કેવી રીતે બેસી સકે? અમુક જ્ઞાતિઓ અને કુટુંબોમાં જેવી ખબર પડે દીકરી કોઈ ઈત્તર જ્ઞાતિના છોકરાને પ્રેમ કરે છે, માં-બાપ દીકરીને મારી નાખવા ઈચ્છે છે અને મારી પણ નાખે છે.શું પ્રેમ એ એવડી મોટી ભૂલ છે, કે માતા-પિતાએ પોતાના સંતાનોને મારી નાખવા પડે. હકીકત તો એ છે કે આપણા સમાજમાં કુટુંબની આબરુને સંતાનોના પ્રેમ કરતા પણ ઉંચી ગણવામાં આવે છે.કુટુંબની આબરુથી ઊંચું જાણે કોઈ છે જ નહિ એવું જોવા મળે છે. દરેક માતા-પિતા એવું ઈચ્છે કે મારા સંતાનો માત્ર મારી જ્ઞાતિમાં જ લગ્ન કરે.અહી પણ જ્ઞાતિ ને ઊંચ-નીચનો સવાલ આવી ઉભો રહી જાય છે. શું આપણે ધર્મ જ્ઞાતિ વગેરેની સ્થાપના માણસ માટે કરી છે કે પછી માણસ માટે આ બધું છે? દરેક બાબતમાં માણસને નિમ્ન ગણી તેની સાથે આવો ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. શું ઘરની આબરૂ દીકરી કરતા પણ ઉંચી હોય છે? હરિયાણા જેવા રાજ્યોમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. જેન NH-૧૦ મુવી જોયું હશે આ સમસ્યા જોઈ હશે. ક્યાં સુધી આપણે આવી ખરાબ બાબતોને સ્વીકારતા રહીશું? શું નવા વિચારો કદી આપણને આવું કૃત્ય કરતા નહિ રોકે? જ્ઞાતિના વાડા એટલા મજબુત કરી ક્યાં સુધી આપણે દીકરીઓ સાથે અન્યાય કરતા રહીશું? જો દીકરી જ ઘરની આબરૂ ગણાય તો પછી શા માટે એની આબરૂ લુંટાતી હોય ત્યારે આપણે ચુપ હોઈએ છીએ? એ બાબતમાં તો કોઈનું ઓનર કદી ઘવાતું નથી.
Image result for honour killing images
  ઘણા માં-બાપ દીકરીને મારી નાખવા ઝેર કે એસીડ જેવા પદાર્થોનો ઉપયોગ કરતા પણ અચકાતા નથી. ફાંસી આપી દેવી. અને ઘણી જ્ઞાતિઓમાં તો છોકરા-છોકરી બંને ને મારી નાખવામાં આવે છે.જો છોકરા-છોકરીએ ભાગીને લગ્ન કરેલા હોય તો એને પકડીને મારી નાખવામાં આવે છે,. આવો ન્યાય કરનાર સમાજ કદી પ્રગતિના પંથે જઈ શકે નહિ. જે સંતાનોને નાનપણમાં દૂધ પીવડાવી મોટા કર્યા હોય તેને ઝેર કે એસીડ પાય મારી નાખતા શું માં-બાપનું કાળજું નહિ કંપતું હોય? જે હાથ માત્ર સંતાનોના ભલા માટે પ્રાર્થના કરતા હોય એ એને મારી નાખવા કેમ ઉપડતા હશે.એવી તો માં-બાપને શી મજબૂરી હશે કે ઓનર-કિલિંગ કરવું પડે! હકીકત તો એ છે કે સમાજ, જ્ઞાતિ, વગેરે એ માણસને સાવ ઝાડ બનાવી દીધો છે.એને એક એવા ઊંડા કુવામાં નાખી દીધો છે, જ્યાંથી તે બહાર આવી શકતો નથી.
 નાના ગામડાઓમાં તો ઓનર-કિલિંગ એક ફેશન થઇ ગઈ છે. હાલતા છાપામાં આવા કિસ્સાઓ વાચવા મળતા રહે છે. કેટલાય તો બહાર પણ નહિ આવતા હોય. માતા-પિતા જેને આપણી સંસ્કૃતિએ ઈશ્વરની ઉપમા આપી છે, એ જયારે આવું કૃત્ય કરતા ના અચકાય તો બીજા પાસેથી શું અપેક્ષા રાખવાની? માત્ર સમાજની બીકે ખુદના સંતાનોને મારી નાખવા એ કેટલા અંશે વ્યાજબી ગણાય! વિચારજો અને કહેજો. સંતાનોને એ રસ્તેથી વાળી શકાય,સમજાવી શકાય. પણ એના માટે એને મારી નાખવા એ કોઈ કાયમી ઉકેલ નથી. માત્ર સમાજની બીકે આવું કરનાર હત્યારા જ ગણાય અને તેઓને પણ ગુનેગારની જેમ સજા આપવી જોઈએ.જેથી કોઈ બીજું આવું ના કરે.ચાલો સૌ સાથે મળી આ ખરાબ બાબતનો વિરોધ કરીએ. માતા-પિતાને અને સમાજને અને જ્ઞાતિના મહાનુભાવોને સમજાવીએ કે ‘ઓનર-કિલિંગ’ બંધ કરે. અને ખાસ તો સરકારને કહીએ કે આવા કૃત્ય વિરોધ એવો કડક કાયદો ઘડે કે લોકો સપને પણ આવું કરવાનો વિચાર ના કરે!
 Image result for honour killing images


Saturday 13 January 2018

વસ્તી અનામત અને આપણે,

વસ્તી અનામત અને આપણે,




  અત્યાર સુધી જુદા-જુદા વિષયોમાં આપણે એવું શીખતા રહ્યા કે, “વસ્તી-વધારો” કોઈ પણ દેશમાં દરેક સમસ્યાનું મૂળ હોય છે. જે દેશમાં વસ્તી ઓછી હોય તે દેશ વધુ વિકાસ કરી શકે છે.અને અતિ-વસ્તી ધરાવતા દેશો કદી વિકસિત થઇ શકતા નથી કારણકે વિશાળ વસ્તીની જરૂરિયાતો પૂરી કરવી કોઈ પણ રાષ્ટ્ર માટે અઘરું કામ થઇ પડે છે, અને એમાં પણ જો દેશમાં આપણા જેટલી વિવિધતા અને વિચિત્રતા હોય તો દેશ માટે વિકાસ સાધવો હમેંશા મુશ્કેલ થઇ પડે છે.આપણને ઘણીવાર એક પ્રશ્ન થાય કે એવું કયું પરિબળ છે, કે આપણને આઝાદી પછી શા માટે એવું લાગે છે કે આપણો વિકાસ થયો જ નથી. દેશની કુલ વસ્તીનો ૨૬% હિસ્સો હજી આજે પણ ગરીબી-રેખા નીચે જીવી રહ્યો છે. દેશનું આંતરમાળખું આજે પણ નબળું ગણાય છે. અનામત જેવી સમસ્યાઓ આજે પણ ક્યાય સરકાર ઉથલાવવા સક્ષમ ગણાય છે. ધર્મના નામે ઝઘડા હજી શમ્યા નથી. દહેજ-પ્રથા, ભ્રૂણ-હત્યા,બળાત્કાર,સ્ત્રી-શોષણ,જેવી સમસ્યાઓ આજે પણ હતી ત્યાં ને ત્યાં જ છે. ને વળી પ્રદુષણ,આંતકવાદ,જેવી નવી સમસ્યાઓ તો એન્ટર થતી જ રહે છે.અત્યાર સુધી એવું લાગતું કે આ બધી સમસ્યાઓ આપણી મુખ્ય સમસ્યાઓ છે, પણ ખરેખર આ બધી સમસ્યાઓને જન્મ આપનાર એક મુખ્ય સમસ્યા છે, જે ચૂંટણી સમયે જ બહાર આવે છે.અને એ છે. “ વસ્તી-અનામત” જેને આપણે બીજા શબ્દોમાં “જ્ઞાતિવાદ” તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગના વાહનો પાછળ જ્ઞાતિનું લેબલ મારેલું હોય છે, પણ ક્યાય “ હું ભારતીય છે” એવું લખેલું હોતું નથી. જે બતાવે છે, આપણે બધા ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદના અને વસ્તી-અનામતના ચક્કરમાં ફસાયેલા છીએ. અને આપણા નેતાઓ એ મુદ્દાને “વોટબેંક” માં ફેરવી પોતાનું કામ કઢાવતા રહે છે. અને એમાં વાંક નેતાઓનો નહિ પણ આપણો જ છે, જે આવી નકામી બાબતોને મહત્વ આપી મત આપતા રહીએ છીએ.
હકીકત તો એ છે કે જ્ઞાતિવાદ ને લીધે ઘણીવાર લાયક ઉમેદવાર હારી જાય છે અને જે લાયક ના હોય તે જીતી જાય છે. જેનું પરિણામ જે તે વિસ્તારના લોકોએ લાંબા સમય સુધી ભોગવવું પડે છે. એ વિસ્તારનો વિકાસ જ થતો નથી. મત આપવા જઈએ ત્યારે આપણે આ બધું સમજતા હોઈએ છીએ, પરંતુ સ્વીકારતા નથી અને મતદાન માત્ર જ્ઞાતિને આધારે જ કરીએ છીએ. આપણે જ્યાં સુધી આ ‘વસ્તી અનામત’ ને ખતમ નહિ કરીએ લાયક વ્યક્તિઓ નહિ ચૂંટાય અને આપણા દેશને સારા નેતાઓ નહિ મળે. અને જો નેતાઓ જ સારા નહિ મળે તો દેશને સારા અને સાચા માર્ગે કોણ લઇ જશે? આપના મતાધિકારનો ઉપયોગ આપણે કરવાનો હોય છે, ને વળી એ ગુપ્ત પણ હોય છે. તો એ અધિકારનો આપણે યોગ્ય ઉપયોગ કરવો જ રહ્યો.ઘણા વિસ્તારોમાં તો માં-બાપ પોતાના સંતાનોને સ્કૂલ કે કલાસીસમાં પણ જ્ઞાતિ’ જોઈને ભણવા મોકલે છે.મારું સંતાન માત્ર મારી જ્ઞાતિના શિક્ષક પાસે જ શીખે! આ માન્યતા જ કેટલી ખોટી છે. ને છતાં માં-બાપ પોતાના બાળકોને ભણાવનાર શિક્ષકોની પ્રતિભા જોવાને બદલે માત્ર ‘જ્ઞાતિ’ જ જુએ છે.હવે તો એવું થઇ ગયું છે કે જ્ઞાતિ જ વ્યક્તિનું સૌથી મોટું સર્ટીફીકેટ બની ગયું છે.જે તે જગ્યાએ જગ્યાએ રજુ કરતો રહે છે ને ખોટી રીતે આગળ વધતો રહે છે. જે લોકો પાસે જે વિસ્તારમાં વસ્તી વધુ છે તે વિસ્તારમાં તેઓ પોતાનું ધાર્યું કરાવતા રહે છે, પછી તે સાચુ હોય કે ખોટું હોય! ઘણીવાર તો વસ્તીના જોરે સાવ નકામી બાબતોને પણ તેઓ મહત્વ આપી તોફાનો, રમખાણો, કરાવતા રહે છે. ને સાવ નિર્દોષ લોકો તેનો ભોગ બનતા રહે છે.
  આપણે દરેક વખતે એવું કહી છટકી જતા હોઈએ છીએ કે ‘દેશના રાજકારણીઓ’ વસ્તી-અનામતનો ઉપયોગ કરી આપણને ઉલ્લુ બનાવી મત લય જાય છે.પણ આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? હવે તો દેશમાં શિક્ષણ વધવાને લીધે એવું કહેવાય અને મનાય છે કે લોક-જાગૃતિમાં વધારો થયો છે.તો પછી શા માટે નેતાઓ આપણો ઉપયોગ ‘જ્ઞાતિવાદના’ નામે કરી જાય! કારણ આપણામાં શિક્ષણ વધ્યું છે, પણ સમજણ વધી નથી. દરેક ચૂંટણીમાં આ શબ્દ સૌથી મોટો મુદ્દો બની ગમે ત્યાંથી આવી જાય છે ને આપણે કશું કરી શકતા નથી. અભણ, તો ઠીક પણ ભણેલા પણ આ વિષચક્ર માંથી ના તો પોતે બહાર આવે છે, ના અન્યને બહાર આવવા સમજાવે છે. હકીકત તો એ છે કે ચૂંટણી આવે એટલે ‘જ્ઞાતિવાદ’ સૌને સરમાં આવી જાય છે. ને આ ભૂત જે પાંચ વર્ષથી શાંત હતું તે પાછુ જીવતું થાય છે, ને બધાને વળગી જાય છે. આના પરિણામો સૌએ ભોગવવા રહ્યા. વળી ઘણી સંસ્થાઓમાં નોકરી માટે જ્ઞાતિવાદ સૌથી મોટી લાયકાત ગણાય છે. ઘણી સંસ્થાઓમાં તમને નીચેથી ઉપર દરેક સ્થાન પર એક જ જ્ઞાતિના લોકો જોવા મળશે. શું છે આ બધું? કોઈ સમજાવશે ખરા.આપણને સૌને ખબર છે, આ “ભાગલા પાડો અને રાજ કરો” એ અનીતિ એ જ આપણા દેશને ભૂતકાળમાં વિખંડિત કર્યો હતો. અને અંગ્રેજોએ આ જ નીતિ થકી આપણા પર વર્ષો સુધી રાજ કર્યું હતું. છતાં આપણે આપણા ઈતિહાસમાંથી બોધપાઠ લઇ આવું કશું જ શીખતા નથી ને હજુ પણ એ જ રસ્તે ચાલી રહ્યા છીએ. ક્યારે આપણને સાચા માઈલ-સ્ટોન દેખાશે અને ક્યારે આપણે સાચી મંઝીલે પહોચીશું.આવું ત્યારે જ શક્ય બનશે જયારે આપણે જ્ઞાતિ ભૂલી માત્ર દેશના વિકાસને મહત્વ આપીશું. જયારે આપણે વસ્તી અનામતને ભૂલી જઈશું પછી કોઈપણ પ્રકારની અનામત ને સ્થાન નહી આપવું પડે!

India is the land of democracy,
Not the land of autocracy,
But autocracy is still there,
Law is not believed where.

Caste system is a way,
Used to divide people on their have,
Such as Brahmins, kshatriyas,
Shudras, chandellas and vaishyas.

Brahmins, kshatriyas, vaishyas live an honoured life,
But shudras, chandellas live an honourless life.
It is bad to see shudras in the morn,
Chandellas are not even insane.

In India, caste system is touristy,
Used only by the people dirty,
Who want laws from autocracy,
Not the laws from democracy.

Law is against caste system,
Ban is put on caste system,
But still it is not abolished,
Rather it is being polished.

We have to stop this practice,
Government has given us some tactics.
Equality is becoming touristy,
Opposed by the people dirty.



Elections have equality,
Healthcare has equality,
At offices, there is equality,
At many places, there is equality.

Caste system is a problem, with which we are fighting,
On which in this poem I am writing.
We have to remove this problem and remove autocracy,
And then store democracy. 
Poems by Siddhant Sharma : 2 / 17




Tuesday 5 December 2017

બાળકો,મુલ્યો અને આપણે







 આ વખતે અમારી સ્કૂલમાં ૧૧માં ધોરણમાં એક નવો વિદ્યાર્થી આવેલ છે, જે ડોક્ટરની ભૂલને લીધે જોઈ શકતો નથી. એના માતા-પિતાએ અલગ સ્કૂલમાં ભણાવવાને બદલે નિયમિત સ્કૂલમાં ભણાવવા મુક્યો. છોકરો હોશીયાર છે, બધું સમજે છે. શિક્ષકો જે ભણાવે, તે શીખે પણ છે.પણ મારે તમને વાત કરવી છે,ક્લાસના એવા વિદ્યાર્થીઓની જે તેને દરેક કામમાં પુરેપુરી મદદ કરે છે.હમણાં તેના ક્લાસમાં મારે પ્રોક્ષી હતો,બધા છોકરા ટેસ્ટ લખતા હતા,આ છોકરો બોલતો હતો અને તેની બાજુમાં બેઠેલો છોકરો તે જવાબ આપે તેમ લખતો હતો.એ છોકરો હમેંશા તેને સ્કૂલના દરેક કાર્યમાં મદદ કરે છે.રીસેસમાં પણ તેની સાથે રહે છે,ને ક્યારેક પ્રાર્થના હોલમાં કોઈ કાર્યક્રમ હોય તો તેનો હાથ પકડીને લઇ આવે. એ છોકરો તેનો સાચો મિત્ર બની રહે છે. આવી જ રીતે હું જયારે આ પેલા બીજી સ્કૂલમાં ભણાવતી ત્યારે પણ નવમાં ધોરણમાં એક છોકરો, તેના દિવ્યાંગ મિત્રને આવી જ રીતે મદદ કરતો.તે ચાલી ના શકતો,તો હમેંશા એની સાથે રહી તેને પગથીયા ચડવામાં મદદ કરતો, જ્યાં સુધી એને ક્લાસમાં પહોચાડી ના દે એની સાથે ને સાથે જ રહેતો.હમણાં સ્કૂલમાં ઉપરા-ઉપરી બે દિવસ બે છોકરાઓએ તેમણે મળેલા પાકીટ પરત કર્યા,જેમાં મોટી રકમ હતી. અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ એકદમ ગરીબ કુટુંબમાંથી આવે છે,જેઓના માતા-પિતા કાળી મજુરી કરી પોતાના બાળકોને ભણાવે છે.છતાં પ્રામાણિકતા તેઓમાં સચવાય રહી છે. ઉપરના બધા દાખલા સૂચવે છે,કે જો બાળકોને આપણે સારા કામ સોપીએ તો તેઓ હોશે-હોશે કરે છે. તો પછી એવી કઈ ઉમર છે, જયારે બાળકો ગલત રસ્તે વળી જાય છે?
હકીકત તો એ છે કે બાળકો કોરી સ્લેટ જેવા હોય છે,જેવું આપણે લખીશું એવું લખાશે. કોઈપણ નાના બાળકને અસત્ય કોને કહેવાય? ચોરી એટલે શું? અપ્રમાણિકતા એટલે શું? વગેરે બાબતોની ક્યાં ખબર હોય છે,એ તો આ સમાજમાંથી જ શીખે છે,ને આમપણ કોઈપણ નાનું બાળક નિરીક્ષણ સૌથી વધુ કરી અનુકરણ પણ સૌથી વધુ કરે છે. હવે એ કોનું અને કેવું અનુકરણ કરે એ આપણે જાણવાનું અને સમજવાનું હોય છે.કોઈપણ બાળક તેના ઘરના સંસ્કારનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ કરતો હોય છે.સારું શીખવીએ તો સારું અને ખરાબ શીખવીએ તો ખરાબ! હવે એને શીખવવું શું એ આપણે નક્કી કરવાનું હોય છે.આપણે બાળકને ના પાડીએ કે તારે ખોટું નહિ બોલવાનું, ને પછી બે જ મીનીટમાં કોઈક નો કોલ આવે તો આપણે ખોટું બોલીને સામેવાળાને ટાળતા હોઈએ છીએ. એ બાળક જુએ છે ને ખોટું બોલતા શીખે છે. આવી નાની નાની બાબતો આપણે ઇગ્નોર કરીએ છીએ,પણ બાળક એને ઈમીટેટ કરતુ રહે છે.અને ધીમે ધમેં ખોટું બોલતા શીખી જાય છે. અને અંતે એ ટેવમાં બદલાઈ જાય છે.સ્કૂલે પરીક્ષા હોય ત્યારે ચોરી કરીને પાસ થવાનું શું બાળકો ટ્રેનીંગ લઇ શીખે છે,નહે આપણે જ શીખવીએ છીએ. કે ના આવડે તો બાજુમાં જોઈ લેવાનું કે ચોરી કરી લખી લેવાનું. એ જ બાબત આગળ જતા એને “ ભ્રષ્ટાચાર” કરતા શીખવે છે, જીંદગીમાં જે ના મળે ગલત રસ્તે મેળવી લેવું એવી ગ્રંથી બાળકોના મગજમાં ભરાઈ જાય છે.આવી જ રીતે તે બાકીના તમામ ખોટા રસ્તા પર ચાલતા શીખી જાય છે.
અને મેં ઘણીવાર જોયું છે,સાધન-સંપન ઘરના બાળકો પણ ચોરી કરતા હોય છે. જેઓના ઘરમાં સઘળું હોય,છતાં તેઓ નાની નાની વસ્તુઓની ચોરી કરતા હોય છે.બધું હોવા છતાં શા માટે તેઓ આવું કરતા હશે? કારણ માતા-પિતા તેઓની તમામ જરૂરિયાતો પૂરી કરતા હોય છે, એથી જયારે જરૂરિયાતો પૂરી ના થાય ત્યારે તેઓ ચોરી અને અપ્રામાણિકતા શીખી જાય છે.બહુ નાની નાની વાતો હોય છે, જેને કારણે બાળકો દુર્ગુણો તરફ વળી જાય છે,પણ આપણે ધ્યાન આપતા હોતા નથી.આપણે એ સમજવું પડશે કે બાળકોની અમુક જરૂરિયાતો પૂરી ના થાય તો કઈ નઈ,પણ સંસ્કારોની જરૂરિયાતો ચૂકાવી જોઈએ નહિ.માતા-પિતા સંતાનોને મોંઘી વસ્તુઓ નહિ આપે તો ચાલશે,પણ મોંઘા સંસ્કારો આપવા પડશે.હકીકત તો એ છે કે બાળકોમાં મૂલ્યોનું ઘડતર “ઘરશાળા” માં જ સૌથી વધુ થઇ શકે તેમ છે.જો કુટુંબમાં બાળકોને સારા મૂલ્યોનું શિક્ષણ મળી રહેશે તો એ બાળક એક સુઘડ અને સંસ્કારી નાગરિક બની દેશના ઉજવવળ ભવિષ્ય માં પોતાનો ફાળો આપી શકશે. જો આપણે બાળકોને પ્રામાણિકતાના રસ્તે ચાલતા શીખવવું હશે તો પહેલા આપણે એ રસ્તે ચાલવું પડશે.આપણે એ રસ્તે તેઓના પથદર્શક બનવું પડશે. આપણે ખુદ આપણા ઉદાહરણો સેટ કરી તેઓને સમજાવવું પડશે.બાકી બાળકો તો સાચું શીખવા તૈયાર જ હોય છે,માત્ર આપણે શીખવવાનું હોય છે.એ કોરી સ્લેટ પર મૂલ્યોનું લખાણ કેવી રીતે લખવું એ આપણે શીખવાનું છે.કુટુંબે શીખવેલા મુલ્યો બાળક આગળ શાળામાં કેરી ફોરવર્ડ કરી વધુ સારો જિંદગીનો દાખલો ગણી શકશે.બાળકોને તમે કયો ધર્મ પાળવો એ નહિ શીખવો તો ચાલશે પણ ‘મુલ્યો’ તો શીખવવા જ રહ્યા.
એને એ નહિ શીખવો તો ચાલશે, કે ભગવાનને દૂધ,ભોગ,કે અન્ય વસ્તુઓ ધરવી જોઈએ, પણ ભૂખ્યા અને ગરીબને ભોજન આપતા શીખવવું રહ્યું. એને કોઈ ધર્મગુરુના ચરણ-સ્પર્શ નહિ કરતા શીખવો તો ચાલશે,પણ એને વડીલોને આદર આપતા ખાસ શીખવજો. એને કોઈ ધર્મ-સ્થાનોની મુલાકાત કરતા પણ વધુ અગત્યનું વડીલો અને માતા-પિતા ની સેવા છે,એમ સમજાવજો.યાદ છે ને ગણેશના અડસઠ તીર્થો વાળી વાર્તા. એને સ્વચ્છતા,સત્ય,સ્નેહ,માનવતા જેવા ગુણોને અપનાવતા શીખવજો. કોઈને મદદ કરવી એ ઈશ્વર સુધી પહોચવાનો સૌથી નજીકનો રસ્તો છે,એવું શીખવજો. એને શેરીંગ ખાસ શીખવજો, કારણ એકલું ખાઈ લેવું એ આપણી સંસ્કૃતિ નથી.અને એક બાબત તો કહેવાની રહી જ ગઈ, ‘દેશપ્રેમ’ એની ગળથુથીમાં નાખજો,જેથી એ સૌથી ઉપર રાષ્ટ્રને રાખતા શીખે. આનાથી પણ આપણા દેશની ઘણી બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે. સમાજમાં અત્યારે મૂલ્યોનો ક્રાઈસીસ સૌથી વધુ અનુભવાય છે, ત્યારે આપણે એવા કુટુંબો અને શાળાઓ બનાવવી પડશે જે બાળકોને સદગુણો શીખવી સકે.એક પ્રયાસ તો કરી જોઈએ મુલ્ય-ઘડતર દ્વારા દેશ-ઘડતરનો!

                                                                                                                            

                                                                                                                             

Thursday 30 November 2017

સરદાર,ગાંધી,સ્વાતંત્રસેનાનીઓ અને આપણે

સરદાર,ગાંધી,સ્વાતંત્રસેનાનીઓ અને આપણે























જો અત્યારે સરદાર,ગાંધી અને અન્ય નેતાઓ જેણે દેશને આઝાદીની લડતમાં ભાગ લીધો હશે,તેઓની જો સ્વર્ગમાં મિટિંગ ભરાતી હશે, તો તેઓને દેશની હાલત જોઈ એમ થતું હશે કે “ આ દેશને આઝાદ કરાવી અમે બહુ મોટી ભૂલ કરી નાખી.” આ એ જ દેશ છે,જેના કાજે અમે અમારા બધા સુખ-દુ:ખ છોડ્યા હતા., જેલમાં ગયા હતા,અને વર્ષો સુધી લડ્યા હતા.લાઠીચાર્જ પણ વેઠ્યા અને અનેક અત્યાચારો પણ સહન કર્યા. અમે જે કઈ પણ આ દેશ માટે કર્યું એના પર આ દેશના લોકો પાણી ફેરવી રહ્યા છે. સાચું બોલજો થતું હશે ને? ચૂંટણીઓ લોકશાહીનો સૌથી મોટો માપદંડ છે,પરીક્ષા છે, ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે,જ્યાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ લડાય છે,જેથી આપણે સક્ષમ ઉમેદવારો ચૂંટી શકીએ. એવી સરકાર લાવી શકીએ જે જ્ઞાતિવાદ,કોમવાદ,અનામત કે ધર્મ જેવા ઇસ્યુ સાથે નહિ પણ દેશની સાચી સમસ્યાઓ સમજી શકે અને એનો ઉકેલ લાવી શકે.હવે તમે જ કહેજો શું આપણી ચૂંટણીઓ વખતે સાચા ઇસ્યુ ચર્ચાય છે ખરા? ઉધોગોનો વિકાસ કેમ કરવો? કૃષિ ક્ષેત્રે વિકાસ કેમ કરવો? બળાત્કાર કેમ રોકવા? ક્રાઈમ કેમ અટકાવવો? ધર્મના નામે થતા ઝઘડા કેમ રોકવા? શિક્ષણ-વ્યવસ્થામાં શું ફેરફાર જરૂરી છે? ભ્રષ્ટાચાર કેમ અટકાવવો? હમણાં જ ટી.વી.માં જોયું, ભારતમાં દર પંદર મીનીટે એક બળાત્કાર થાય છે, અને દર ત્રણ મીનીટે એક ખૂન થાય છે. હવે તમે જ વિચારો ક્યાં મુદ્દાઓ પર ચૂંટણીઓ લડાવી જોઈએ? લોકશાહીમાં પસંદગી જનતાની જ હોય છે. ગુજરાતની આ વખતની ચૂંટણીમાં મુખ્ય મુદ્દા સિવાયના દરેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ રહી છે.ખરેખર જે મુદ્દાઓ પર ચૂંટણી થવી જોઈએ એ મુદ્દાઓ તો કોસો દુર રહી ગયા છે.ક્યાય પણ ચર્ચાઓ થાય દેકારામાં અને બુમરાળમાં સાચી વાતો અને મુદ્દાઓ તો બિચારા થઇ એકબાજુ ધકેલાઈ ગયા છે.
એટલું જ નહિ આ વખતની ચૂંટણીમાં એક મુદ્દો બહુ ચાલી રહ્યો છે અને એ છે જ્ઞાતિ વાઈસ નેતાઓને વેચી લેવાનો. શું સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર કોઈ એક જ્ઞાતિના હતા? શું આંબેડકર કોઈ એક જ્ઞાતિના હતા? શું ગાંધીજી કોઈ એક જ્ઞાતિના હતા? તો પછી આજે શા માટે આ નેતાઓને કોઈ એક જ્ઞાતિ સાથે જોડવામાં આવી રહ્યા છે? શું આ બધા નેતાઓ હવે માત્ર ચૂંટણી લડવાનું અને જીતવાનું કોઈ સાધન માત્ર બની ગયા છે? તમેજ વિચારજો જે લોકો આજે આ નામોનો ઉપયોગ કરી આંદોલનો ચલાવી રહ્યા છે,શું તેઓ ખરેખર સત્ય,અહિંસા,કે એકતાના રસ્તે ચાલી રહ્યા છે ખરા? આ બધા નેતાઓ જેટલા ત્યારે નહોતા ચર્ચાયા એટલા અત્યારે ચર્ચાય રહ્યા છે. શું આ નેતાઓ “વોટબેંક” મજબુત કરનાર ડીપોઝીટ માત્ર છે આપણી માટે! મને સૌથી મોટો વાંધો એ વાતનો છે કે આ નેતાઓ કોઈ એક જ્ઞાતિના નહી પણ ગ્લોબલ છે.તેઓ સૌના છે. તેમણે આ દેશને મજબુત કરવાના સૌથી વધુ પ્રયાસો કર્યા છે. માટે તેઓ આ સમ્રગ દેશના છે.આજે આપણો દેશ અને ચૂંટણીઓ જે રસ્તે જઈ રહી છે,એ શું સાચો રસ્તો છે? જો આમાંથી કોઈપણ નેતા કોઈ ચોક્કસ જ્ઞાતિનું પ્રતિનિધત્વ કરતા હોત તો તેઓ ગ્લોબલ ના હોત.પણ આપણે જઈ જ રહ્યા છીએ ગલત રસ્તે, જ્યાં કોઈપણ રસ્તેથી જેને જે મુદ્દો મળે ઉઠાવી તેના વિશે ચર્ચાઓ કરવામાં લાગી જાય છે.દેશના તમામ સ્વતંત્રસેનાનીઓ જેમણે દેશને આઝાદ કરાવવા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા એ બધા જ સમ્રગ દેશના છે.
સરદાર પટેલ લોખંડી પુરુષ હતા પણ આપણે તેમને ખંડોમાં વહેચી નાખ્યા છે. એમના ફોટાઓ એવી જગ્યાએ લગાવવામાં આવે છે,જાણે તેઓ માર્કેટીંગ નું કોઈ પોસ્ટર હોય! મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ મારા જેવા કરોડો નાગરિકોના ફેવરીટ નેતા છે.ગુજરાતના લગભગ તમામ લેખકો અને કલાકારો તેમના વિશે વાતો કરતા રહે છે,તેઓ એટલા પ્રસ્તુત છે,જેટલા ગાંધીજી કે આંબેડકર છે. તેમની હાજરી તેમના કર્યો થકી આજે પણ આપણી સાથે છે. આ દેશમાં વસતા પ્રત્યેક દેશભક્તના તેઓ હૃદયસ્થ છે., તો પછી શા માટે “ જય સરદાર પાટીદાર” માત્ર એવું લખવાનું! એવું ના લખી શકાય “જય સરદાર સૌના સાથીદાર” સાચું કેજો આમાંથી તમને કયું વાક્ય વધુ સાચું લાગે છે. હકીકત તો એ છે કે આવા મહાન નેતાઓ કદી કોઈ કોમ કે જ્ઞાતિના નથી હોતા તેઓ સમ્રગ દેશના હોય છે.તેઓ એટલા વિશાળ હોય છે કે તેમને કોઈ એક દાયરામાં કલ્પી જ શકાતા નથી. આવું વિરાટ વ્યક્તિત્વ પૂજનીય હોય નહિ કે ચર્ચનીય! આપણે જેને અખંડ ભારતના ઘડવૈયા કહીએ છીએ એ ગર્વ એક ભારતીય નો છે.નહિ કે કોઈ એક જ્ઞાતિનો.
અત્યાર સુધી આપણે ધર્મના નામે માત્ર ભગવાનના ભાગ પાડતા, પણ હવે તો નેતાઓના પણ ભાગ પાડવા માંડ્યા છીએ. કોણ પહોચશે? આપણને.આપણા ભગવાનો મંદિર,મસ્જીદ,ચર્ચ,ગુરુદ્વારામાં ,વગેરેમાં સમાય ગયા અને આપણે ઝઘડતા થઇ ગયા. કોઈપણ ધર્મ પાળતી પ્રજા તે ધર્મનો મૂળ ઉદેશ અને ઉપદેશ જેમ ભુલાતી જાય છે,એમ આપણે પણ આઝાદી સમયે આ નેતાઓએ જે સપનાઓ જોયેલા તે ભૂલી રહ્યા છીએ.પછી એ રામરાજ્યનું હોય કે અખંડ ભારતનું કે પછી અસ્પૃશ્યતા મુક્ત ભારતનું હોય! આ સઘળું ભૂલી આપણે એવા રસ્તે જઈ રહ્યા છીએ જે પ્રગતિનો નહિ પણ અધોગતિનો છે.ઘણા અત્યારે એવું કહે છે કે આના કરતા આપણે ગુલામ હોત તો વધુ પ્રગતી કરી હોત! અરે ભાઈ લોકશાહી છે,સૌને અભિવ્યક્તિની છૂટ હોય છે.પણ ખરેખર ઘણીવાર એવું લાગે છે આપણને આ લોકશાહી સમજ્યા વગરની મળી ગઈ છે.વધુ દુખ તો એ વાતનું છે કે ભણેલા લોકો પણ એ સમજતા નથી.જો આ બધું આમને આમ ચાલતું રહ્યું તો આપણે વિકાસના પંથે કદી નહિ જઈ શકીએ.દેશને આગળ વધારવા માટે પણઓ આ રસ્તાઓ બ્લોક કરવા જરૂરી છે.કોઈપણ દેશના વિકાસનો પાયો આવા પરિબળો કદી ના બની શકે.હમણાં એ.સ.વાય. ની બુકમાં ઇઝરાયલ દેશ વિષે એક વાક્ય વાચ્યું “ કોઈપણ દેશે વિકાસ કરવા માતૃભૂમિમાં ‘પરસેવાનું’ મૂડીરોકાણ કરવું પડે છે.” આપણે આ બાબત ક્યારે સમજીશું?
જો હવે આપણે નહિ જાગીએ તો દરેક ચૂટણીમાં આવા જ બિનજરૂરી મુદ્દાઓ ચર્ચાતા રહેશે અને ઉપર બેઠેલા આપણા નેતાઓના આત્મા દુભાતા રહેશે.અને હા એક મજાક જો આ બધા નેતાઓ કોઈ એક કોમના હોય તો પછી ગાંધીજી માત્ર વાણિયાના હો! અને તો પછી એના દરેક ફોટા માત્ર વાણિયાના. જેને સમજાય હસી લેવાની છૂટ છે!


દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...